Technosv2018
October 31, 2021
સુરતના અડાજણ વિસ્તારમાં પીસીઆર વાને સર્જેલા અકસ્માત મામલે હાઇકોર્ટે કડક વલણ દાખવ્યું છે. હાઇકોર્ટે સુરત પોલીસ કમિશનર અને પીઆઇને નોટિસ ફટકારી છે. 3 મહિના અગાઉ વાને બુલેટને ટક્કર મારી હતી.
October 30, 2021 at 05:18AM surat
Technosv2018
October 30, 2021
સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 2 વર્ષનું બાળક રમતા રમતા ચોથા માળેથી નીચે પટકાયું હતું. જે બાદ તેનું મોત થયું હતું. સાયણના સિદ્ધિવિનાયક સોસાયટીની આ ઘટના છે.
October 30, 2021 at 05:08AM surat
Technosv2018
October 30, 2021
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા નેચર પાર્કમાં મુલાકાતીઓએ સૌ પ્રથમ વેક્સીન સર્ટિફિકેટ બતાવવું પડશે. જો સર્ટિફિકેટ ન હૉય તો તેમને પ્રવેશ નહિ અપાય. નો વેક્સીન નો એન્ટ્રીની જેમ અહીં પણ સાવચેતીના ભાગ રૂપે કોરોના રસીનું સર્ટિફિકેટ ફરજીયાત કરાયું છે.
October 30, 2021 at 04:09AM surat
Technosv2018
October 30, 2021
Technosv2018
October 30, 2021
સુરતમાં 20 જેટલા રંગોળી કલાકારોએ એકઝીબીશન યોજ્યું હતું. જેમાં કલાકારોને પ્લેટફોર્મ મળી રહી તે માટેનું આયોજન કરાયું છે. અહીં જમ્બો સીઝની રંગોળી બનાવવામાં આવી છે. 1 નવેમ્બરે લોકો માટે આ એકઝીબીશન ખુલ્લું મુકવામાં આવ્યું છે. વનિતા વિશ્રામ ખાતે આ રંગોળીનું આયોજન કરાયું છે.
October 30, 2021 at 01:47AM surat
Technosv2018
October 30, 2021
સુરતના ભેસ્તાન વિસ્તારમાં નવજાત બાળકીને તરછોડી દેવાની ઘટના સામે આવી છે. સાલી અને બનેવીના અનૈતિક સંબંધોના કારણે આ બાળકીનો જન્મ થયો અને તેને લાવારીસ મૂકી દેવાઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
October 30, 2021 at 12:58AM surat
Technosv2018
October 30, 2021
સુરતમાં ગુનેગારો બેફામ બન્યા છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા એટીએમમાંથી ગુનેગારો 31 લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થયા હતા. ગેસ કટરથી કટ કરીને ચોરોએ આ ચોરી કરી છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.
October 30, 2021 at 12:51AM surat
Technosv2018
October 30, 2021
સુરતઃ ઓલપાડના સાયણ ગામે કરુણ ઘટના બની છે. સિદ્ધિ વિનાયક સોસાયટીના ચોથા માળેથી પટકાતા 2 વર્ષના બાળકનું મોત થયું છે. માતા ઘરમાં રસોઈ બનાવી રહી હતી. દરમ્યાન 2 વર્ષ નો સાહિલ રમતા રમતા ચોથા માળે ગેલેરીમાંથી નીચે પટકાયો હતો. માતાને જાણ થતાં બાળકને તુરંત સુરત સિવિલ ખાતે ખસેડાયો હતો. પરપ્રાંતીય પરિવારમાં એક મોટી દીકરી બાદ એકનો એક દીકરો હતો.
Mehsana : દીકરી માટે છોકરો જોવા ગયેલા પરિવારને નડ્યો અકસ્માત, માતા સહિત બેનાં મોતથી અરેરાટી
મહેસાણાઃ વિસનગરમાં દીકરી માટે છોકરો જોવા ગયેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. માતા સહિત બેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. નંદાસણ પાસે સામેથી આવી રહેલી કાર સાથે અકસ્માત સર્જાયો હતો. એક કારનું ટાયર ફાટતા બીજી કાર સાથે અકસ્માત સર્જાયો હતો. બુડાસણ ગામના પરિવારને નંદાસણ પાસે અકસ્માત નડ્યો હતો. કારના ડ્રાઈવર સહિત બે લોકોના મોત થયા છે. બુડાસણનો પરિવાર દીકરી માટે સગપણ જોઈને પરત ફરી રહ્યો હતો ત્યારે બનાવ બન્યો હતો.
અન્ય એક અકસ્માતની વાત કરીએ તો પશ્ચિમ કચ્છના ધાણેટી પાસે અકસ્માતમાં બન્ને ચાલકના મોત નીપજ્યા છે. ટ્રક અને ડમ્પર ચાલકના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. આગ લાગવાના કારણે બન્ને ડ્રાઇવર સળગીને ભડથું થઈ ગયા. ગત મોડી રાત્રે ભુજ-ભચાઉ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો.
આ સિવાય, વડોદરામાં રાત્રે પૂરપાટ ઝડપે આવતા કારચાલકે સાયકલ સવારને અડફેટે લીધો હતો. અલકાપુરી વિન્ડસર પ્લાઝા પાસે અકસ્માત થયો હતો. કાર ચાલક ગજેન્દ્ર ગોસ્વામીએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત થયો. અકસ્માત બાદ કાર ડીવાઈડર તોડી રોંગ સાઈડ પલટી મારી હતી. રેસ્ટોરન્ટમાં નોકરી પૂરી કરી ઘરે પરત ફરતાં દલપત બારીયા અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. કારચાલક નશો કરેલી હાલતમાં હોવાનો લોકોનો આક્ષેપ. ગોત્રી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
Technosv2018
October 30, 2021
સુરતઃ શહેરમાં સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. પતિના અનૈતિક સંબંધના પુરાવા લેવા બોલાવી યુવતી પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો છે. કતારગામની પરિણીતાના પતિના મિત્રએ જ વીડિયો ઉતાર્યો હતો. કતારગામની 37 વર્ષિય પરિણિતા પર બે જણાએ ગેંગરેપ કર્યો હતો. બે પૈકી એક પરિણિતાના પતિનો જ મિત્ર.
યુવકે બળાત્કારનો વીડિયો ઉતારી બ્લેકમેલ કરી રેપ કર્યો હતો. પતિનો મિત્ર અવાર નવાર ઘરે આવતો હતો. પરણીતાને કહ્યું કે તેના પતિના બીજી યુવતીઓ સાથે આડા સંબંધ છે. પ્રકાશે કહ્યું કે મારી પાસે પુરાવા છે. તે પુરાવા લેવા માટે યુવકે પરણીતાને પીપલોદ બોલાવી હતી. પરણીતાએ પુરાવા માંગતા યુવકે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
યુવતીએ પુરાવા માંગતા યુવકે આપ્યા ન હતા. ત્યારે યુવકે યુવતીને ધમકી આપી કે જો કોઈને વાત કરશે તો બદનામ કરી નાખશે. ત્યાર બાદ થોડા દિવસમાં યુવકે યુવતીને કતારગામમાં નારાયણનગરમાં આવેલા મિત્રના ગોડાઉન પર બોલાવી ત્યાં બંનેએ બળાત્કાર કર્યો હતો. જેથી બંને વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં રેપની ફરિયાદ નોંધાવી છે.
Surat : યુવકે સાળી સાથે વારંવાર શરીરસુખ માણીને બનાવી દીધી ગર્ભવતી ને પછી તો.....
સુરતઃ શહેરના ભેસ્તાનમાં નવજાત બાળકીને ત્યજી દેવાનો ભેદ પાંડેસરા પોલીસે ઉકેલી નાંખ્યો છે. પોલીસે સીસીટીવીના આધારે કેસ ઉકેલી નાંખ્યો છે. પાંડેસરામાં આડા સંબંધમાં બાળકીનો જન્મ થતાં કચરામાં ફેંકી દેવાઈ હતી. નિષ્ઠુર માતાની પણ ઓળખ થઈ છે. સાળી ગર્ભવતી થતાં બનેવી તેને બિહારથી લાવી સચિન GIDCમાં રહેતો હતો.
પાંડેસરામાં નવજાત બાળકીને જન્મ આપી પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના ઢગલામાં ત્યજી દીધી હતી. સીસીટીવીના આધારે બાઇક નંબર મેળવી આરોપીઓ સુધી પહોંચી પાંડેસરા પોલીસે ગુનો ઉકેલી નાખ્યો છે. જન્મ આપનારી માતાના સગા બનેવી સાથે અનૈતિક સંબંધ હતા. બિહાર ખાતે રહેતા 21 વર્ષીય રજનીશને સાળી સાથે આડા સંબધથી તેણીને ગર્ભવતી બનાવી દીધી હતી.
આડાસંબંધોની પોલ ખૂલી ન જાય તે માટે સાળીને બિહારથી સુરત લાવી સચીન જીઆઈડીસીમાં એક મિત્રને ત્યાં સાળી સાથે રહેતો હતો. સાળીની ડિલિવરી કરાવવા માટે પહેલા ખાનગી હોસ્પિટલમાં પણ લઈ ગયો હતો. જો કે ત્યાં સાળીને પરિવારની ડિટેઇલ્સો પૂછાતા બન્ને ત્યાંથી નીકળી ગયા હતા. પછી સાળીની રસ્તામાં ડિલિવરી થઈ અને બાળકીને જન્મ આપ્યો હતો. આ પછી યુવકે બાળકીને પ્લાસ્ટીકની થેલીમાં નાંખી પાંડેસરામાં કચરાના ઢગલામાં મુકી દીધો હતો. પહેલા સાળીએ મેડિકલ તપાસ માટે ન પાડી હતી પણ આખરે ભાંડો ફુટી ગયો હતો.
October 29, 2021 at 10:38PM surat
Technosv2018
October 30, 2021
સુરતઃ શહેરના ભેસ્તાનમાં નવજાત બાળકીને ત્યજી દેવાનો ભેદ પાંડેસરા પોલીસે ઉકેલી નાંખ્યો છે. પોલીસે સીસીટીવીના આધારે કેસ ઉકેલી નાંખ્યો છે. પાંડેસરામાં આડા સંબંધમાં બાળકીનો જન્મ થતાં કચરામાં ફેંકી દેવાઈ હતી. નિષ્ઠુર માતાની પણ ઓળખ થઈ છે. સાળી ગર્ભવતી થતાં બનેવી તેને બિહારથી લાવી સચિન GIDCમાં રહેતો હતો.
પાંડેસરામાં નવજાત બાળકીને જન્મ આપી પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના ઢગલામાં ત્યજી દીધી હતી. સીસીટીવીના આધારે બાઇક નંબર મેળવી આરોપીઓ સુધી પહોંચી પાંડેસરા પોલીસે ગુનો ઉકેલી નાખ્યો છે. જન્મ આપનારી માતાના સગા બનેવી સાથે અનૈતિક સંબંધ હતા. બિહાર ખાતે રહેતા 21 વર્ષીય યુવકે સાળી સાથે આડા સંબધથી તેણીને ગર્ભવતી બનાવી દીધી હતી.
આડાસંબંધોની પોલ ખૂલી ન જાય તે માટે સાળીને બિહારથી સુરત લાવી સચીન જીઆઈડીસીમાં એક મિત્રને ત્યાં સાળી સાથે રહેતો હતો. સાળીની ડિલિવરી કરાવવા માટે પહેલા ખાનગી હોસ્પિટલમાં પણ લઈ ગયો હતો. જો કે ત્યાં સાળીને પરિવારની ડિટેઇલ્સો પૂછાતા બન્ને ત્યાંથી નીકળી ગયા હતા. પછી સાળીની રસ્તામાં ડિલિવરી થઈ અને બાળકીને જન્મ આપ્યો હતો. આ પછી યુવકે બાળકીને પ્લાસ્ટીકની થેલીમાં નાંખી પાંડેસરામાં કચરાના ઢગલામાં મુકી દીધો હતો. પહેલા સાળીએ મેડિકલ તપાસ માટે ન પાડી હતી પણ આખરે ભાંડો ફુટી ગયો હતો.
છોટાઉદેપુર : પાવીજેતપુરના ચૂલી ગામના શિક્ષકની હત્યાનો મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પ્રેમ સંબંધને લઈ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. મહિલા અને તેના પતિએ શિક્ષકની હત્યા કરી હતી. આરોપી રૂપસિંગ રાઠવાએ પોતાના ઘરે આત્મહત્યા કરી છે. આરોપી મહિલા સાથે મૃતક શિક્ષકના પ્રેમસંબંધ હતાં.
મૃતક શિક્ષક રમેશ તડવી ફરી સંબંધ રાખવા કોશિશ કરતાં પતિ પત્નીએ હત્યા કરી હતી.પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. આ અંગે ડીવાયએસપી જે જી ચાવડાએ કહ્યું હતું કે, એક યુવકની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પીએમ રિપોર્ટમાં માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી હત્યાનું ખૂલ્યું હતું. પોલીસ તપાસમાં દંપતીની છંડોવણી સામે આવી હતી. મહિલા સાથે મૃતકના ચાર-પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતા. દિવ્યાંગ શિક્ષક રમેશ તડવીની ચાર દિવસ અગાઉ કેવડા-બાર વચ્ચે જંગલમાં લાશ મળી હતી.
October 29, 2021 at 09:53PM surat
Technosv2018
October 30, 2021
Technosv2018
October 30, 2021
માનહાનિ કેસ મામલે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર થયા હતા. આ મામલે પૂર્ણેશ મોદી અને તેમના વકીલે મીડિયા સાથે વાત કરી હતી. સુનાવણી ખતમ થયા બાદ રાહુલ ગાંધી કોર્ટમાંથી રવાના થયા હતા. આ અંગે બે સાક્ષીઓને બેંગલુરુમાંથી બોલાવવામાં આવ્યા હતા.
October 29, 2021 at 08:16AM surat
Technosv2018
October 29, 2021
સુરતઃ આજે રાહુલ ગાંધી બદનક્ષીના કેસમાં સુરત સેશન્સ કોર્ટમાં હાજરી આપી હતી. રાહુલ ગાંધઈએ કહ્યું કે, હું કંઈ જાણતો નથી. બેંગલોરથી સાક્ષીને બોલાવવા માટે ફરિયાદી પક્ષે કોર્ટમાં અરજી કરી છે. અત્યારે રાહુલ ગાંધી સુરત કોર્ટથી નીકળી ગયા છે. પૂર્ણેશ મોદી દ્વારા આ બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો છે. 2019માં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહલુ ગાંધીએ તમામ મોદી ચોર છે, તેવું નિવેદન આપ્યું હતું. એક નિવેદન સામે માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે.
સુરત એરપોર્ટ પર રાહુલ ગાંધી પહોંચતા તેમના સ્વાગત માટે કોંગ્રેસના નેતાઓ આવી પહોંચ્યા હતા તેમજ તેમનું એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી,અર્જુન મોઢવડીયા સુરત એરપોર્ટ પહોંચ્યા હતા.
છેલ્લા બે દિવસથી ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા સુરત આવી ગયા છે. ગઈ કાલે શહેરના યોગીચોકમાં કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. અહીં રઘુ શર્માએ કહ્યું, સીઆર પાટીલ ડોન છે. BJP સો ચુહે ખા કે બિલ્લી ચલી હજ કો જેવું છે. ચાર વર્ષ સુધી જે ચહેરા સાથે ભાજપે સરકાર ચલાવી તેને બદલી નાખવામાં આવી. 4 વર્ષ બાદ BJPને ખ્યાલ આવ્યો કે આ આ ચહેરા (વિજય રૂપાણી)થી ચૂંટણી નહીં જીતાય, ત્યારે બદલી નાખવામાં આવ્યા અને હવે પાટીદાર સમાજને ખુશ કરવા છે એટલે. પટેલને લઈ આવ્યા અને પૂરો ઠેકો તો ડોન પાસે છે.
આ સંમેલનમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષનેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં આગામી સમયમાં નવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાની જાહેરાત થઈ શકે છે. કારણ કે, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા અને વિપક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. ગઈ કાલે સુરત પહોંચેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ આ વાત કરી હતી. રાહુલ ગાંધીના સુરત પ્રવાસને લઈને રઘુ શર્મા પહોંચ્યા હતા. તેમમે કહ્યું કે, સુરતમાં કાર્યકર્તા સાથે મુલાકાત કરવા આવ્યો છું. ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવશે.
તેમણે કહ્યું કે, ભાજપના પેજ કમિટી પ્રક્રિયા પ્રોપગેંડા છે. કોંગ્રેસ બુથ લેવલ પર કાર્યકર્તાઓ રાખશે. તેમણે ઉમેર્યું હતું કે, રાહુલ ગાંધીનો સુરતનો કાર્યક્રમ કોઈ રાજકીય કારણ નહીં. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને નેતા વિપક્ષ બદલવાનું નક્કી હોવાની સત્તાવાર જાહેરાત તેમણે કરી હતી.
October 29, 2021 at 03:27AM surat
Technosv2018
October 29, 2021
માનહાનિના કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે સુરતમાં. સુરત કોર્ટમાં આજે ત્રીજીવાર હાજર રહશે રાહુલ ગાંધી. સુરત એરપોર્ટથી સુરત કોર્ટ જવાના માર્ગ પર રાહુલ ગાંધીનુ સ્વાગત કરાશે. કોંગ્રેસના પ્રભારીથી માંડીને મોટા નેતાઓ આજે સુરતમાં ઉપસ્થિત છે.
October 29, 2021 at 03:10AM surat
Technosv2018
October 29, 2021
સુરતઃ આજે રાહુલ ગાંધી બદનક્ષીના કેસમાં સુરત સેશન્સ કોર્ટમાં હાજરી આપવાના છે. અત્યારે રાહુલ ગાંધી સુરત એરપોર્ટ પહોંચી ગયા છે. જેઓ થોડીવારમાં કોર્ટમાં હાજરી આપશે. પૂર્ણેશ મોદી દ્વારા આ બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો છે. 2019માં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહલુ ગાંધીએ તમામ મોદી ચોર છે, તેવું નિવેદન આપ્યું હતું. એક નિવેદન સામે માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે.
સુરત એરપોર્ટ પર રાહુલ ગાંધી પહોંચતા તેમના સ્વાગત માટે કોંગ્રેસના નેતાઓ આવી પહોંચ્યા હતા તેમજ તેમનું એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી,અર્જુન મોઢવડીયા સુરત એરપોર્ટ પહોંચ્યા હતા.
રાહુલ ગાંધી આજે સુરત આવવાના છે, ત્યારે છેલ્લા બે દિવસથી ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા સુરત આવી ગયા છે. ગઈ કાલે શહેરના યોગીચોકમાં કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. અહીં રઘુ શર્માએ કહ્યું, સીઆર પાટીલ ડોન છે. BJP સો ચુહે ખા કે બિલ્લી ચલી હજ કો જેવું છે. ચાર વર્ષ સુધી જે ચહેરા સાથે ભાજપે સરકાર ચલાવી તેને બદલી નાખવામાં આવી. 4 વર્ષ બાદ BJPને ખ્યાલ આવ્યો કે આ આ ચહેરા (વિજય રૂપાણી)થી ચૂંટણી નહીં જીતાય, ત્યારે બદલી નાખવામાં આવ્યા અને હવે પાટીદાર સમાજને ખુશ કરવા છે એટલે. પટેલને લઈ આવ્યા અને પૂરો ઠેકો તો ડોન પાસે છે.
આ સંમેલનમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષનેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં આગામી સમયમાં નવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાની જાહેરાત થઈ શકે છે. કારણ કે, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા અને વિપક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. ગઈ કાલે સુરત પહોંચેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ આ વાત કરી હતી. રાહુલ ગાંધીના સુરત પ્રવાસને લઈને રઘુ શર્મા પહોંચ્યા હતા. તેમમે કહ્યું કે, સુરતમાં કાર્યકર્તા સાથે મુલાકાત કરવા આવ્યો છું. ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવશે.
તેમણે કહ્યું કે, ભાજપના પેજ કમિટી પ્રક્રિયા પ્રોપગેંડા છે. કોંગ્રેસ બુથ લેવલ પર કાર્યકર્તાઓ રાખશે. તેમણે ઉમેર્યું હતું કે, રાહુલ ગાંધીનો સુરતનો કાર્યક્રમ કોઈ રાજકીય કારણ નહીં. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને નેતા વિપક્ષ બદલવાનું નક્કી હોવાની સત્તાવાર જાહેરાત તેમણે કરી હતી.
Technosv2018
October 29, 2021
Technosv2018
October 29, 2021
Technosv2018
October 29, 2021
રઘુ શર્માએ કહ્યું, સીઆર પાટીલ ડોન છે. BJP સો ચુહે ખા કે બિલ્લી ચલી હજ કો જેવું છે. ચાર વર્ષ સુધી જે ચહેરા સાથે ભાજપે સરકાર ચલાવી તેને બદલી નાખવામાં આવી. 4 વર્ષ બાદ BJPને ખ્યાલ આવ્યો કે આ આ ચહેરા (વિજય રૂપાણી)થી ચૂંટણી નહીં જીતાય, ત્યારે બદલી નાખવામાં આવ્યા અને હવે પાટીદાર સમાજને ખુશ કરવા છે એટલે. પટેલને લઈ આવ્યા અને પૂરો ઠેકો તો ડોન પાસે છે.
October 28, 2021 at 10:25PM surat
Technosv2018
October 29, 2021
સુરતઃ રાહુલ ગાંધી આજે સુરત આવવાના છે, ત્યારે છેલ્લા બે દિવસથી ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા સુરત આવી ગયા છે. ગઈ કાલે શહેરના યોગીચોકમાં કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. અહીં રઘુ શર્માએ કહ્યું, સીઆર પાટીલ ડોન છે. BJP સો ચુહે ખા કે બિલ્લી ચલી હજ કો જેવું છે. ચાર વર્ષ સુધી જે ચહેરા સાથે ભાજપે સરકાર ચલાવી તેને બદલી નાખવામાં આવી. 4 વર્ષ બાદ BJPને ખ્યાલ આવ્યો કે આ આ ચહેરા (વિજય રૂપાણી)થી ચૂંટણી નહીં જીતાય, ત્યારે બદલી નાખવામાં આવ્યા અને હવે પાટીદાર સમાજને ખુશ કરવા છે એટલે. પટેલને લઈ આવ્યા અને પૂરો ઠેકો તો ડોન પાસે છે.
આ સંમેલનમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષનેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં આગામી સમયમાં નવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાની જાહેરાત થઈ શકે છે. કારણ કે, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા અને વિપક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. ગઈ કાલે સુરત પહોંચેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ આ વાત કરી હતી. રાહુલ ગાંધીના સુરત પ્રવાસને લઈને રઘુ શર્મા પહોંચ્યા હતા. તેમમે કહ્યું કે, સુરતમાં કાર્યકર્તા સાથે મુલાકાત કરવા આવ્યો છું. ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવશે.
તેમણે કહ્યું કે, ભાજપના પેજ કમિટી પ્રક્રિયા પ્રોપગેંડા છે. કોંગ્રેસ બુથ લેવલ પર કાર્યકર્તાઓ રાખશે. તેમણે ઉમેર્યું હતું કે, રાહુલ ગાંધીનો સુરતનો કાર્યક્રમ કોઈ રાજકીય કારણ નહીં. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને નેતા વિપક્ષ બદલવાનું નક્કી હોવાની સત્તાવાર જાહેરાત તેમણે કરી હતી.
તેમણે કહ્યું કે, પ્રદેશ કોંગ્રસ અધ્ય, નેતા વિપક્ષનું રાજીનામું સ્વીકારાયું છે. 2017 પછી કોંગ્રેસનું ગુજરાતનું પ્રદર્શન કેમ કથળ્યું તેનું મંથન કરાશે. ભાજપે ધન-બળની સાથે તોડજોડની ગુજરાતમાં રાજનીતિ કરી. આમ આદમી પાર્ટી ગુજરાતમાં વોટનું સમીકરણ બગાડવા ચૂંટણી લડતી હોય છે. કોંગ્રેસ અનુશાસન સાથે એકજુથ થાય તો સારુ પ્રદર્શન કરી શકે છે. ગુજરાતમાં 2022માં સરકાર બને તેવી કોંગ્રેસની તૈયારી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રભારી રઘુ શર્મા દ્વારા ભાજપ પેજ કમિટી પ્રપોગેંડા હોવાના નિવેદન મામલે ભાજપનું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદન હતાશામાં આપ્યું હોવાનું સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈએ જણાવ્યું. ભાજપે તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત,વિધાનસભા 9 બેઠક ની પેટા ચૂંટણી અને ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી પેજ કમિટીના આધારે ભગવો લહેરાવ્યો. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં ભાજપ પેજ કમિટી કામગીરી કરી રહી છે.
રાહુલ ગાંધી આજે સુરત આવશે. ગઈ કાલે જ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સુરત પહોંચી. સુરત એરપોર્ટથી લઈ કોર્ટ સુધી સ્થળ નિરીક્ષણ કર્યું હતું. સાથે સ્થાનિક પોલીસ પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે. હથિયારબંધ પોલીસ જવાન સુરક્ષા વ્યવસ્થા માટે સર્કિટ હાઉસ પહોંચી હતી.
October 28, 2021 at 09:46PM surat
Technosv2018
October 29, 2021
દેશમાં 100 કરોડથી વધુ લોકોને કોરોના વેક્સિન આપવાનો લક્ષ્યાંક પૂર્ણ થયો છે. આ સિદ્ધીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સુરતના નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ વિશાળ રંગોળી બનાવીને ઉજવણી કરી છે.
October 28, 2021 at 09:41PM surat
Technosv2018
October 29, 2021
Technosv2018
October 29, 2021
Technosv2018
October 29, 2021
સુરતમાં દિવાળીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીંયાના બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી છે. ખરીદી કરવા લોકો આવતા વેપારીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે.
October 28, 2021 at 03:51AM surat
Technosv2018
October 28, 2021
Technosv2018
October 28, 2021
Technosv2018
October 28, 2021
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરતના પ્રવાસે આવવાના છે. જેને લઈને પોલીસનો કડક બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ આ માટે સુરત પહોંચી છે. સુરત એરપોર્ટથી માંડી કોર્ટ સુધીના સ્થળનું નિરીક્ષણ કરાશે.
October 28, 2021 at 12:53AM surat
Technosv2018
October 28, 2021
કોંગ્રેસ નેતા આવતીકાલે સુરતમાં કોર્ટમાં આવશે. એક ચોક્કસ સમાજના લોકો વિરુદ્ધ ટિપ્પણી કરવાના કેસમાં તેઓ આવતીકાલે કોર્ટમાં હાજરી આપશે. આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા સુરત પહોંચ્યા છે.
October 27, 2021 at 10:52PM surat
Technosv2018
October 28, 2021
સુરતના ઉમરા ઘોડદોડ રોડ પર સગીરને માર મારતો વીડિયો વાયરલ થયો છે. શ્વાનને લઈને નીકળેલા સગીરને પાડોશી માર માર્યો છે.વિરદેવ સિંહ નામના વ્યક્તિએ સગીરને માર માર્યો છે. આ અંગે સીગરના પરિવારે ફરિયાદ કરી છે.
October 27, 2021 at 09:47PM surat
Technosv2018
October 28, 2021
સુરતઃ ગુજરાતમાં આગામી સમયમાં નવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાની જાહેરાત થઈ શકે છે. કારણ કે, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા અને વિપક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. આજે સુરત પહોંચેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ આ વાત કરી હતી. આવતી કાલના રાહુલ ગાંધીના સુરત પ્રવાસને લઈને રઘુ શર્મા પહોંચ્યા હતા. તેમમે કહ્યું કે, સુરતમાં કાર્યકર્તા સાથે મુલાકાત કરવા આવ્યો છું. ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવશે.
તેમણે કહ્યું કે, ભાજપના પેજ કમિટી પ્રક્રિયા પ્રોપગેંડા છે. કોંગ્રેસ બુથ લેવલ પર કાર્યકર્તાઓ રાખશે. તેમણે ઉમેર્યું હતું કે, રાહુલ ગાંધીનો સુરતનો કાર્યક્રમ કોઈ રાજકીય કારણ નહીં. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને નેતા વિપક્ષ બદલવાનું નક્કી હોવાની સત્તાવાર જાહેરાત તેમણે કરી હતી.
તેમણે કહ્યું કે, પ્રદેશ કોંગ્રસ અધ્ય, નેતા વિપક્ષનું રાજીનામું સ્વીકારાયું છે. 2017 પછી કોંગ્રેસનું ગુજરાતનું પ્રદર્શન કેમ કથળ્યું તેનું મંથન કરાશે. ભાજપે ધન-બળની સાથે તોડજોડની ગુજરાતમાં રાજનીતિ કરી. આમ આદમી પાર્ટી ગુજરાતમાં વોટનું સમીકરણ બગાડવા ચૂંટણી લડતી હોય છે. કોંગ્રેસ અનુશાસન સાથે એકજુથ થાય તો સારુ પ્રદર્શન કરી શકે છે. ગુજરાતમાં 2022માં સરકાર બને તેવી કોંગ્રેસની તૈયારી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રભારી રઘુ શર્મા દ્વારા ભાજપ પેજ કમિટી પ્રપોગેંડા હોવાના નિવેદન મામલે ભાજપનું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદન હતાશામાં આપ્યું હોવાનું સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈએ જણાવ્યું. ભાજપે તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત,વિધાનસભા 9 બેઠક ની પેટા ચૂંટણી અને ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી પેજ કમિટીના આધારે ભગવો લહેરાવ્યો. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં ભાજપ પેજ કમિટી કામગીરી કરી રહી છે.
રાહુલ ગાંધી આવતી કાલે સુરત આવશે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સુરત પહોંચી. સુરત એરપોર્ટથી લઈ કોર્ટ સુધી સ્થળ નિરીક્ષણ કરશે. સાથે સ્થાનિક પોલીસ પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે. હથિયારબંધ પોલીસ જવાન સુરક્ષા વ્યવસ્થા માટે સર્કિટ હાઉસ પહોંચી.
October 27, 2021 at 09:32PM surat
Technosv2018
October 28, 2021
Technosv2018
October 28, 2021
Technosv2018
October 28, 2021
Technosv2018
October 28, 2021
Technosv2018
October 27, 2021
Technosv2018
October 27, 2021
Technosv2018
October 27, 2021
Technosv2018
October 27, 2021
સુરત: સુરત(Surat)ના લિંબાયતમાં લૂંટની ઘટના બની છે. લિંબાયતમાં મીઠીખાડી કમરૂનગરમાં એ.બી.જવેલર્સમાં લૂંટનો પ્રયાસ થયો છે. જ્વેલર્સ દુકાનદારની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગ્રાહક તરીકે દુકાનમાં પ્રવેશી લૂંટારુાએ દુકાનદારની આંખમાં મરચાની ભૂકી નાખી હતી અને સોનાનાં દાગીના લૂંટવાનો પ્રયાસ કર્યો. જો કે દુકાનદારે બુમાબુમ કરતા લૂંટારુઓ સોનાના દાગીના છોડી ભાગી છૂટ્યા હતા. લૂંટના પ્રયાસની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. એક લૂંટારો શખ્સ ગ્રાહક બનીને આવે છે અને જવેલર્સની શોપમાં વિવિધ દાગીના ખરીદવા માટે દાગીના જોવાનો ઢોંગ કરે છે. પોતાનો ઇરાદો પાર પાડવા તે યોગ્ય સમયની રાહ જુએ છે અને વેપારીને વધુ ઘરેણાં બતાવવા કહે છે. જેવી તક મળે કે તરત જ તે તેના ખિસ્સામાં હાથ નાખે છે અને તેમાંથી મરચાની ભૂકી કાઢી વેપારીની આંખમાં નાખે છે અને દાગીના તફડાવી ભાગવાનો પ્રયાસ કરે છે. જો કે વેપારીએ ચશ્માં પહેર્યા હોવાથી આંખમાં મરચું જતું નથી અને તેણે સતર્કતા દાખવી લૂંટારૂનો પીછો કર્યો અને બુમાબુમ કરી મૂકી હતી. પકડાઈ જવાના ડરથી લૂંટારૂ દાગીના મુકીને પલાયન થઇ ગયા હતા.
દિવાળી નજીક આવતાં જ ચોર લૂંટારૂઓ સક્રિય થઈ ગયા છે. સુરતના લિંબાયત વિસ્તારમાં ધોળા દિવસે જ્વેલર્સને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગ્રાહકના સ્વાંગમાં આવેલા ઈસમે દુકાનદાર પાસે દાગીના જોઈને વાતોમાં રાખીને મરચાની ભૂકી નાખી હતી.
બે દિવસ બાદ પુષ્ય નક્ષત્ર છે. ત્યારે તે અગાઉ જ ખરીદીને ધ્યાનમાં રાખીને જ્વેલર્સ દ્વારા તૈયારી કરી દેવામાં આવી છે. ત્યારે લિંબાયતમાં મીઠિ ખાડી વિસ્તારમાં આવેલા એ બી જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં દાખલ થયેલા લૂંટારૂએ મરચાની ભૂકી છાંટીને દાગીનાની ટ્રે લઈને નાસી જવાની કોશિષ કરી હતી. જો કે, દુકાનદારે ઝપાઝપી કરતાં આસપાસ હોબાળો મચી ગયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
October 26, 2021 at 07:12AM surat
Technosv2018
October 26, 2021
સુરતની જૂની સિવિલ હોસ્પિટલ જર્જરિત થતા નવી ઇમારતમાં 3 વોર્ડ શરુ કરાયા છે. મેડિસિન સહિતના 3 વોર્ડ શરુ કરાયા છે. જૂની ઇમારતમાં પાણી અને ગટર લીક થવાના કિસ્સા સામે આવી રહયા હતા. આ ઉપરાંત પોપડા પણ પાડવાની ફરિયાદો દર્દીઓ તેમજ તબીબો તથા નર્સિંગ સ્ટાફ કરી રહ્યો હતો.
October 26, 2021 at 04:11AM surat
Technosv2018
October 26, 2021
Technosv2018
October 26, 2021
સુરત : ઇલોકટ્રોનિક વહાનને લઈને ગુજરાત સરકારના મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ નિવેદન આપ્યું છે કે, મંત્રીઓ પણ ઇલોકટ્રોનિક કાર વાપરે તે માટે આયોજન ચાલી રહ્યું છે. ગુજરાતમાં લોકોને પ્રેરિત કરવા મંત્રીઓથી શરૂ કરવામાં આવશે.
વર્ગ 4નાં કર્મચારીઓને ગુજરાત સરકારે આપી દિવાળી ગિફ્ટ, જાણો મોટા સમાચાર
ગાંધીનગરઃ ગુજરાતના વર્ગ 4 ના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે વર્ગ 4નાં કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ આપી છે. વર્ગ 4ના કર્મચારીઓને 3500 રૂપિયા બોનસ ચૂકવાશે. નાણાં વિભાગે બોનસ માટે ઠરાવ બહાર પાડ્યો છે.
ઠરાવ પ્રમાણે, રાજ્ય સરકાર દ્વારા સાતમા, છઠ્ઠા અને પાંચમા પગારપંચમાં વર્ગ-4ના સંવર્ગમાં નિયમિત પગાર ધોરણમાં ફરજ બજાવતા કર્મચારીઓને 2020-21ના હિસાબી વર્ષ માટે 30 દિવસના વેતન જેટલું એડહોક બોનસ ચુકવવાનો નિર્ણય કરેલ છે. એડહોક બોનસની રકમની મહત્તમ મર્યાદા 3500 રૂપિયાની રહેશે. એડહોક બોનસનો લાભ ફક્ત વર્ગ-4ના કર્મચારીઓને મળવાપાત્ર થશે. તા. 31 માર્ચ 2021ના રોજ નોકરીમાં ચાલુ હોય અને 2020-21ના વર્ષ દરમિયાન જેમણે ઓછામાં ઓછી 6 મહિના સળંગ નોકરી કરી હોય તે કર્મચારીઓ આ હુકમ અન્વયે કરેલ નોકરીના પ્રમાણાં ચુકવણીને પાત્ર બનશે. પાત્રતાનો ગાળો નોકરીમાં મહિનાને સંખ્યાના આધારે ગણવામાં આવશે.
લોક રક્ષકની ભરતી માટે ફોર્મ ભરનાર ઉમેદવારો માટે મહત્વના સમાચાર, જાણો ભરતી બોર્ડે શું કરી જાહેરાત?
અમદાવાદઃ લોક રક્ષકની ભરતી માટેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. હવે લોક રક્ષક ભરતી માટેના ઉમેદવારોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ઉમેદવારોને ટ્વીટ કરીને જાણ કારી આપી છે કે, લોકરક્ષક માટે અરજી કરવા માટે ડોમીસાઈલ સર્ટીફીકેટની આવશ્યકતા નથી. આ સાથે અન્ય એક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે.
હસમુખ પટેલે માહિતી આપી છે કે, લોકરક્ષકના અરજી ફોર્મની પ્રિન્ટ આઉટમાં શરતચૂકથી જુનુ સરનામું Raksha Shakti University, New Mental Corner, Meghaninagar, Ahmedabad – 380016 રહી ગયેલ છે. તેના બદલે જાહેરાતમાં દર્શાવેલ છે તે સરનામું ધ્યાને લેવાનું રહેશે.સરનામું સુધારી દેવામાં આવ્યું છે. નવેસરથી ફોર્મ ભરવાની જરૂર નથી
નોંધનીય છે કે, ગુજરાત પોલીસ દળમાં LRDની 10,459 જગ્યાની ભરતી જાહેર થી છે. ભરતી બોર્ડના અધ્યક્ષે પોલીસ સબ ઈન્સપેક્ટર તથા લોક રક્ષક દળની ભરતી માટેની જાણકારી આપી હતી. ફિઝિકલ બાદ ઓબ્જેક્ટિવ પરીક્ષા લેવાશે. મહિલાઓ માટે 1983 જગ્યા અનામત રાખવામાં આવી છે.
ગુજરાત સરકારે પોલીસ ભરતીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પોલીસ અને LRDની સીધી ભરતીમાં 15 અને 8 ગણાનો નિર્ણય બદલ્યો. યુવાનોની માંગ સરકારે માની છે. શારીરિક કસોટી પાસ કરતાં સીધી લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળી રહેશે. પોલીસના સબ ઇન્સપેક્ટર અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકશે. આ નિર્ણયથી વધુ ઉમેદવારોને લેખિત કસોટીમાં બેસવાની તક મળશે.
પોલીસ સબ ઇન્સપેક્ટર અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં વધુમાં વધુ ઉમેદવારોને લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળી રહે તે હેતુથી પરીક્ષા નિયમોમાં સબ ઇન્સપેક્ટર સંવર્ગ માટે પ્રથમ શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારો પૈકી ૧૫ ગણા મેરીટોરીયસ ઉમેદવારો અથવા તો પાસ થયેલ તમામ ઉમેદવારો પૈકી જે ઓછા હોય તે અને તે મુજબ લોક રક્ષક સંવર્ગ માટે પ્રથમ શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારો પૈકી ૦૮ ગણા મેરીટોરીયસ ઉમેદવારો અથવા તો પાસ થયેલ તમામ ઉમેદવારો પૈકી જે ઓછા હોય તે ઉમેદવારોને તે પછીના તબક્કાની લેખિત પરીક્ષામાં ભાગ લેવા માટેની જોગવાઇ રદ કરવા માટે રાજ્યમાંથી મોટા પ્રમાણમાં ઉમેદવારો તરફથી સરકારમાં રજૂઆતો કરવામાં આવેલ.
જે અંગે રાજ્ય સરકાર દ્વારા ઉમેદવારોના હિતમાં હકારાત્મક વિચારણા કરીને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકે અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ કોઇપણ ઉમેદવાર આ તકથી વંચિત ન રહે તે લક્ષમાં લઇને ઉમેદવારોના હિતમાં પરીક્ષા નિયમોમાં જરૂરી સુધારાઓ કરાયા છે.
October 25, 2021 at 11:03PM surat
Technosv2018
October 26, 2021
Technosv2018
October 26, 2021
Technosv2018
October 26, 2021
Technosv2018
October 26, 2021
સુરતઃ શહેરના પાંડેસરામાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ગર્ભવતી બનાવી દેનાર યુવકની પોલીસે મધ્યપ્રદેશથી ધરપકડ કરી લીધી છે. સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી યુવકે શારીરિક સંબંધો બાંધ્યા હતા. યુવકે સગીરાને હોટલમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધતા સગીરાને ગર્ભ રહી ગયો હતો. આ અંગે પોલીસ ફરિયાદ થતાં યુવકની મધ્યપ્રદેશના જબલપુરથી ધરપકડ કરવામાં આવી છે.
યુવકની ધરપકડ મુદ્દે પોલીસે જણાવ્યું હતું કે, 16 વર્ષ અને 9 મહિનાની સગીરાને તેની જ સોસાયટીમાં રહેતા યુવકે તેને લલચાવી, ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ હોટલમાં લઈ જઈને દુષ્કર્મ કર્યું હતું. જેને કારણે સગીરા ગર્ભવતી થઈ ગઈ હતી. આ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે આરોપીની મધ્યપ્રદેશના જબલપુરથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમ પાંડેસરના પોલીસ સ્ટેશના પીઆઇ એપી ચૌધરીએ જણાવ્યું હતું.
ત્રણ દિવસ પહેલા સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. અહીં તબીબે તપાસ કરતાં સગીરાને છ મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો થયો હતો. આ અંગે પરિવારને ખબર પડતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જોકે, સગીરાએ આ ગર્ભ કોનો છે, તે અંગે ગોળ ગોળ ફેરવતા પરિવાર અને પોલીસ પણ મુંજવણમાં મુકાઈ હતી. જોકે, સગીરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. શ્રમજીવી પરિવારની 16 વર્ષીય સગીરા ધો. 11માં અભ્યાસ કરે છે. થોડા મહિના પહેલા સગીરા યુવકના પરિચયમાં આવી હતી. તેમજ તેના પ્રેમમાં પાગલ બની હતી. આ યુવક સાથે શારીરિક સંબંધથી સગીરાને ગર્ભ રહી ગયો હતો.
Vadodara : પોલીસ આવતાં પ્રેમીએ હોટલના બીજા માળેથી લગાવી મોતની છલાંગ, પ્રેમિકા કૂદવા ગઈ ને......
વડોદરાઃ પરણીત પ્રેમી યુગલની પ્રેમ કહાનીનો કરુણ અંત આવ્યો છે. સુરતનું પ્રેમી યુગલ ભાગીને વડોદરાની હોટલમાં રોકાયું હતું. જોકે, પોલીસ ત્યાં આવી પહોંચતાં પ્રેમીએ હોટલના બીજા માળેથી મોતની છલાંગ લાગાવી દીધી હતી. પ્રેમી પાછળ પ્રેમિકા પણ કૂદવા જઈ રહી હતી. પરંતુ પોલીસે તેને બચાવી લીધી હતી. આ ઘટનામાં પ્રેમીનું મોત નીપજ્યું છે.
આ અંગેની વિગતો એવી છે કે, સુરતમાં કાપડની લૂમ્સની ફેક્ટરી ધરાવતા શરદ ભીસરા(ઉં.વ. 30)ને 24 વર્ષીય પરણીતા સાથે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમસંબંધ હતા. શરદ પોતે પણ પરણીત છે અને તેને બે વર્ષની પુત્રી પણ છે. ગત 19મી ઓક્ટોબરથી યુવતી ઘરેથી નીકળી ગઈ હતી. જેથી પતિએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
આ પરણીતા વડોદરાની અમિટી હોટલમાં રોકાઈ હતી. તેમજ ત્યાંથી 24મીએ ચેક આઉટ કરી નીકળી ગઈ હતી. હોટલમાં તેણે જોબ પર્પઝથી આવી હોવાનું રજિસ્ટરમાં નોંધ્યું હતું. જોકે, 24મી ઓક્ટોબરે બપોલે પ્રેમી શરદ સાથે તેણે ચેક ઇન કર્યું હતું. તેમજ બીજા દિવસે વહેલી સવારે આ ઘટના બની હતી.
વડોદરાના સયાજીગંજમાં ડેરી ડેન સર્કલ પાસે આવેલી હોટલ અમિટીના બીજા માળેથી પ્રેમી શરદ કૂદી ગયો હતો. જોકે, પ્રેમી પાછળ કૂદવા જઇ રહેલી પ્રેમિકાને પોલીસે બચાવી દીધી હતી. સયાજીગંજ પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ પરણીતા પ્રેગ્નન્ટ હોવાનું જાણવા મળી રહ્યું છે. વહેલી સવારે 4 વાગ્યે પોલીસે દરવાજો ખખડાવતાં ગભરાયેલા પ્રેમીએ બારીમાંથી કૂદકો મારી દીધો હતો. તેની પાછળ યુવતી પણ મોતનો ભૂસકો મારવા માટે બારી સુધી પહોંચી હતી. જોકે, પોલીસે દોડીને યુવતીને બચાવી લીધી હતી.
October 25, 2021 at 10:02PM surat
Technosv2018
October 26, 2021
સુરતમાં એક બ્રેઈન ડેડ દેવચંદ ભાઈ જયરામ ભાઈ રાણાના પરિવારે તેમના કિડની, લિવરનું દાન કરી ત્રણ વ્યક્તિઓને જીવનદાન આપ્યું છે. પરિવારે અંગદાન કરી સમાજને નવી દિશા બતાવી છે.
October 25, 2021 at 09:57PM surat
Technosv2018
October 26, 2021
સુરત : વેકસીનેશનના રજીસ્ટ્રેશનના કારણે 3 વર્ષે ગમ થયેલા પુત્રનું પરિવાર સાથે મિલન થયું છે. ગોડદરાનો યુવાન લતીશ પટેલ 3 વર્ષ પહેલાં ઘરે કોઈને કહ્યા વગર જતો રહ્યો હતો. જીવનમાં કંઈક કરવા ઘર છોડી બેંગ્લોરમાં સ્થાયી થયો હતો. બીજી તરફ પુત્ર શોધતા પિતાને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના પર્સનલ ફોટોગ્રાફર સુશીલ કુંભરેનો સંપર્ક થયો હતો.
સુશીલ દ્વારા પોલીસ અધિકારીની સલાહ બાદ શોધખોળ શરૂ કરી હતી. લતીશ જો આધારકાર્ડ મારફત વેકસીનેશન રજિસ્ટ્રેશન કરાવશે તો ચોક્કસ જાણકારી મળશે એ હેતુ હતો. લતીશે વેક્સીન માટે રજિસ્ટ્રેશન કરાવતા જ સ્થળ શહેરની વિગતો મળી ગઈ. આખરે 3 વર્ષે પિતા પુત્ર નું અને પરિવારનું મિલન થયું.
ગુજરાતમાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 20 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,187 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. આજે 2,75,254 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વલસાડ 5, સુરત કોર્પોરેશન 4, સુરત 3, નવસારી 2, વડોદરા કોર્પોરેશન 2 કેસ નોંધાયો છે. જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 159 કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 154 નાગરિકો સ્ટેબલ છે. 8,16,187 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10088 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વલસાડ 5, સુરત કોર્પોરેશન 4, સુરત 3, નવસારી 2, વડોદરા કોર્પોરેશન 2 કેસ નોંધાયો છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 6 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1093 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 12975 નાગરિકોને રસીનો પ્રથમ અને 61733 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 40724 નાગરિકોને રસીનો પ્રથમ અને 158723 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 2,75,254 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,89,83,360 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
Technosv2018
October 26, 2021
Technosv2018
October 26, 2021
Technosv2018
October 26, 2021
વડોદરાઃ પરણીત પ્રેમી યુગલની પ્રેમ કહાનીનો કરુણ અંત આવ્યો છે. સુરતનું પ્રેમી યુગલ ભાગીને વડોદરાની હોટલમાં રોકાયું હતું. જોકે, પોલીસ ત્યાં આવી પહોંચતાં પ્રેમીએ હોટલના બીજા માળેથી મોતની છલાંગ લાગાવી દીધી હતી. પ્રેમી પાછળ પ્રેમિકા પણ કૂદવા જઈ રહી હતી. પરંતુ પોલીસે તેને બચાવી લીધી હતી. આ ઘટનામાં પ્રેમીનું મોત નીપજ્યું છે.
આ અંગેની વિગતો એવી છે કે, સુરતમાં કાપડની લૂમ્સની ફેક્ટરી ધરાવતા શરદ ભીસરા(ઉં.વ. 30)ને 24 વર્ષીય પરણીતા સાથે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમસંબંધ હતા. શરદ પોતે પણ પરણીત છે અને તેને બે વર્ષની પુત્રી પણ છે. ગત 19મી ઓક્ટોબરથી યુવતી ઘરેથી નીકળી ગઈ હતી. જેથી પતિએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
આ પરણીતા વડોદરાની અમિટી હોટલમાં રોકાઈ હતી. તેમજ ત્યાંથી 24મીએ ચેક આઉટ કરી નીકળી ગઈ હતી. હોટલમાં તેણે જોબ પર્પઝથી આવી હોવાનું રજિસ્ટરમાં નોંધ્યું હતું. જોકે, 24મી ઓક્ટોબરે બપોલે પ્રેમી શરદ સાથે તેણે ચેક ઇન કર્યું હતું. તેમજ બીજા દિવસે વહેલી સવારે આ ઘટના બની હતી.
વડોદરાના સયાજીગંજમાં ડેરી ડેન સર્કલ પાસે આવેલી હોટલ અમિટીના બીજા માળેથી પ્રેમી શરદ કૂદી ગયો હતો. જોકે, પ્રેમી પાછળ કૂદવા જઇ રહેલી પ્રેમિકાને પોલીસે બચાવી દીધી હતી. સયાજીગંજ પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ પરણીતા પ્રેગ્નન્ટ હોવાનું જાણવા મળી રહ્યું છે. વહેલી સવારે 4 વાગ્યે પોલીસે દરવાજો ખખડાવતાં ગભરાયેલા પ્રેમીએ બારીમાંથી કૂદકો મારી દીધો હતો. તેની પાછળ યુવતી પણ મોતનો ભૂસકો મારવા માટે બારી સુધી પહોંચી હતી. જોકે, પોલીસે દોડીને યુવતીને બચાવી લીધી હતી.
Ahmedabad : એરહોસ્ટેસ યુવતીને રાજસ્થાન લઈ જઈ યુવકે પરાણે માણ્યું શરીરસુખ, યુવતીને બાંધી રાખતો ને.....
અમદાવાદઃ શહેરના નારોલ વિસ્તારમાં રહેતી અને એરહોસ્ટેસનો અભ્યાસ કરી ચુકેલી યુવતી સાથે યુવકે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પિતા સાથે ઝગડો થયા બાદ યુવતીએ એક યુવક સાથે ફૂલ હાર કર્યા હતા. જોકે, ફૂલ હાર બાદ યુવકે ત્રાસ આપવાનો શરૂ કરી દીધો હતો.
ઇન્સ્ટાગ્રામ પર ફોટો મૂકી યુવતીને ત્રાસ આપતો હતો. યુવતીના પરિવારે અન્ય યુવક સાથે લગ્ન કરાવ્યા હતા. શખ્શે યુવતીનું અપહરણ કરી રાજસ્થાન લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. અહીં યુવતીને બાંધી રાખતો હતો. જોકે, યુવતીએ ચાલાકી વાપરી પરિવારને જાણ કરી હતી. આ પછી રાજસ્થાન અને નારોલ પોલીસે યુવતીને મુક્ત કરાવી આરોપીની ધરપકડ કરી છે.
October 25, 2021 at 09:05PM surat
Technosv2018
October 26, 2021
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શાકભાજી વિક્રેતાઓ સાથે મુલાકાત કરી છે. જ્યાં આત્મનિર્ભર યોજના અંતર્ગત સ્ટ્રીટ વેન્ડરને પગભર કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. જેમને આરકોડ આપવામાં આવ્યા છે.
October 25, 2021 at 12:38AM surat
Technosv2018
October 25, 2021
ભરૂચઃ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 ઉપર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અંકલેશ્વરથી સુરતની વચ્ચે અંસાર માર્કેટ નજીક બે બાઈક સવારને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો છે. બાઈક સવાર બંને વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
અન્ય એક અકસ્માતમાં, ભરૂચથી જંબુસર જતા માર્ગ પર થામ ગામ નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 6 વધુ લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઇજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર અર્થે ખસેડાયા છે.
Surat : ડોક્ટર યુવતીએ કેમ કરી લીધો આપઘાત, જાણો સૂસાઇડ નોટમાં શું થયો ધડાકો?
સુરતઃ સ્મીમેર હોસ્પિટલની ડોક્ટર યુવતીએ ઈન્જેક્શનના ઓવરડોઝ લઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ક્વાર્ટરના રૂમમાંથી રેસિડેન્ટ તબીબ જીગીશા પટેલની લાશ મળી આવી હતી. રેસિડેન્ટ તબીબના આપઘાત પાછળનું હાલ કોઈ કારણ સામે આવ્યું નથી. જોકે, હવે ડો. જીગીશાની સૂસાઇડ નોટ મળી આવી છે. સૂસાઇડ નોટમાં મરજીથી આપઘાત કરે છે કોઈ જવાબદાર નથી તેવો ઉલ્લેખ કર્યો છે.
સ્મીમેર હોસ્પિટલમાં ગણગણાટ છે કે સિનિયર્સનો ત્રાસના કારણે આપઘાત કર્યો છે. મહિના અગાઉ સિનિયર્સના ત્રાસના કારણે ઘરે જતી રહી હતી. જોકે, મિત્રોના કહેવાથી ડોક્ટર જીગીશા ફરજ પર હાજર થઈ હતી. એનેસ્થેસિયાના ઇન્જેક્શનનો વધુ પડતો ડોઝ લઈ આપઘાત કર્યો હતો. મૂળ મહુવાના કરચેલીયા ગામની 26 વર્ષીય જીગીશા કનુભાઈ પટેલ સુરતની સ્મીમેર હોસ્પિટલના ક્વાર્ટરમાં રહેતી હતી. જીગીશા પ્રથમ વર્ષ રેસિડેન્ટ તબીબ હતી અને ગાયનેક વિભાગમાં કામ કરતી હતી. જીગીશા સ્મીમેરની ક્વાર્ટરના કે બ્લોકમાં રહેતી હતી.
આપઘાત કરનાર જીગીશાના માતા પિતા બંને શિક્ષક છે. પરિવારમાં બે બહેનો છે. એક બહેન ઈન્ટર્નશીપ કરી રહી છે. જીગીશાએ આપઘાત પહેલા પરિવાર સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી. આ પછી જીગીશાએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ગાયનેક વિભાગની રેસિડેન્ટ તબીબ જીગીશાએ રાતથી જ પોતાનો ફોન સ્વીચઓફ કરી દીધો હતો.
પરિવારને ફોન સ્વીચઓફ કર્યો હોવાની સવારે ખબર પડતા માતા જ્યારે સ્મીમેર ક્વાર્ટરમાં પહોંચી તે પહેલાં જ તેણીને ફાળ પડી હતી. દીકરી જીગીશાને મૃત હાલતમાં જોઈ ત્યારે તેને હૈયાફાટ રૂદન કર્યું હતું. શનિવારે રાત્રે પિતા કનુભાઈએ જીગીશા સાથે વાત કરી ત્યારે તેણીએ પિતાને કોઈ વાત પણ ન કહી અને તેણી આવું પગલુ ભરવાની હોય તેવી ભાળ પણ થવા દીધી ન હતી.
October 24, 2021 at 11:34PM surat
Technosv2018
October 25, 2021
Technosv2018
October 25, 2021
સુરતઃ સ્મીમેર હોસ્પિટલની ડોક્ટર યુવતીએ ઈન્જેક્શનના ઓવરડોઝ લઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ક્વાર્ટરના રૂમમાંથી રેસિડેન્ટ તબીબ જીગીશા પટેલની લાશ મળી આવી હતી. રેસિડેન્ટ તબીબના આપઘાત પાછળનું હાલ કોઈ કારણ સામે આવ્યું નથી. જોકે, હવે ડો. જીગીશાની સૂસાઇડ નોટ મળી આવી છે. સૂસાઇડ નોટમાં મરજીથી આપઘાત કરે છે કોઈ જવાબદાર નથી તેવો ઉલ્લેખ કર્યો છે.
સ્મીમેર હોસ્પિટલમાં ગણગણાટ છે કે સિનિયર્સનો ત્રાસના કારણે આપઘાત કર્યો છે. મહિના અગાઉ સિનિયર્સના ત્રાસના કારણે ઘરે જતી રહી હતી. જોકે, મિત્રોના કહેવાથી ડોક્ટર જીગીશા ફરજ પર હાજર થઈ હતી. એનેસ્થેસિયાના ઇન્જેક્શનનો વધુ પડતો ડોઝ લઈ આપઘાત કર્યો હતો. મૂળ મહુવાના કરચેલીયા ગામની 26 વર્ષીય જીગીશા કનુભાઈ પટેલ સુરતની સ્મીમેર હોસ્પિટલના ક્વાર્ટરમાં રહેતી હતી. જીગીશા પ્રથમ વર્ષ રેસિડેન્ટ તબીબ હતી અને ગાયનેક વિભાગમાં કામ કરતી હતી. જીગીશા સ્મીમેરની ક્વાર્ટરના કે બ્લોકમાં રહેતી હતી.
આપઘાત કરનાર જીગીશાના માતા પિતા બંને શિક્ષક છે. પરિવારમાં બે બહેનો છે. એક બહેન ઈન્ટર્નશીપ કરી રહી છે. જીગીશાએ આપઘાત પહેલા પરિવાર સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી. આ પછી જીગીશાએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ગાયનેક વિભાગની રેસિડેન્ટ તબીબ જીગીશાએ રાતથી જ પોતાનો ફોન સ્વીચઓફ કરી દીધો હતો.
પરિવારને ફોન સ્વીચઓફ કર્યો હોવાની સવારે ખબર પડતા માતા જ્યારે સ્મીમેર ક્વાર્ટરમાં પહોંચી તે પહેલાં જ તેણીને ફાળ પડી હતી. દીકરી જીગીશાને મૃત હાલતમાં જોઈ ત્યારે તેને હૈયાફાટ રૂદન કર્યું હતું. શનિવારે રાત્રે પિતા કનુભાઈએ જીગીશા સાથે વાત કરી ત્યારે તેણીએ પિતાને કોઈ વાત પણ ન કહી અને તેણી આવું પગલુ ભરવાની હોય તેવી ભાળ પણ થવા દીધી ન હતી.
Ahmedabad : DJ પાર્ટીમાં જઈ રહેલી યુવતી પર યુવકે કરી દીધો છરીથી હુમલો, કોણ છે આ યુવક અને કેમ કર્યો હુમલો?
અમદાવાદઃ શહેરના નારણપુરા વિસ્તારમાં પૂર્વ પ્રેમીએ યુવતી પર છરીથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતી ઓફીસનાં મિત્રો સાથે ડી જે પાર્ટીમાં જતા રસ્તામાં યુવતી અને તેના મિત્ર પર હુમલો કર્યો હતો. તે એવા લોકો માટે મને છોડ્યો કહીને યુવતી પર હુમલો કરી દીધો હતો. એટલું જ નહીં, વચ્ચે છોડાવા પડેલા મિત્રને પણ છરીના ઘા માર્યા હતા. નારણપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
એલિસબ્રિજ વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતીને સ્કૂલમાં સાથે અભ્યાસ કરતાં યુવક સાથે મિત્રતા હતા અને પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. જોકે, પ્રેમી શંકાશીલ અને ગુસ્સાવાળો હોવાથી ત્રણ વર્ષ પહેલા બ્રેકઅપ કરી લીધું હતું. દરમિયાન શનિવારે યુવતી ઓફિસના મિત્રો સાથે ડીજે પાર્ટીમાં જઈ રહી હતી, ત્યારે પૂર્વ પ્રેમી રસ્તામાં મળી ગયો હતો. તેમજ અન્ય યુવક સાથે જોઇને ઉશ્કેરાઈ ગયો હતો.
એક્ટિવા ઊભું રખાવી યુવતીને આ તારો બોયફ્રેન્ડ છે? તે આવાં છોકરાં માટે મને છોડી દીધો? આવું કહીને યુવતીને છરીના ઘા મારી દીધા હતા. તેમજ વચ્ચે પડેલા યુવકને પણ છરીના ઘા મારી દીધા હતા. બંનેને ઇજા થતાં હોસ્પિટલ લઈ જવાયા હતા. યુવતીએ પૂર્વ પ્રેમી વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
October 24, 2021 at 10:34PM surat
Technosv2018
October 25, 2021
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં આપઘાત કરનાર મહિલા તબીબની સુસાઈડ નોટ મળી છે. આપઘાત કરવા પાછળ કોઈ જવાબદાર ન હોવાનો સુસાઈડ નોટમાં ખુલાસો થયો છે. એક મહિના પહેલા સીનિયર્સના ત્રાસથી મહિલા તબીબ ઘરે જતી રહી હતી.
October 24, 2021 at 09:26PM surat
Technosv2018
October 25, 2021
સુરતઃ શહેરમાં ફરી એકવાર સનસનાટીભરી આત્મહત્યાની ઘટના સામે આવી છે. સુરતમાં સ્વીમેર હૉસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડૉક્ટરે હૉસ્પિટલ ક્વૉર્ટરમાં આત્મહત્યા કરી લીધી છે. આપઘાત કરવા પાછળનુ સ્પષ્ટ કારણ સામે આવી શક્યુ નથી. આપઘાત કરનારી ડૉક્ટરનુ નામ જીગીસા પટેલ છે.
માહિતી પ્રમાણે, સુરતની સ્વીમેર હૉસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડૉક્ટર જીગીસા પટેલ ગાયનેક વિભાગમાં નોકરી કરતી હતી. જીગીસા પટેલે ક્વૉર્ટરના રૂમમાં ઇન્જેક્શન લઇને આત્મહત્યા કરી લીતા અનેક પ્રકારના તર્કવિતર્ક સામે આવ્યા છે. આત્મહત્યા કર્યાના સમાચાર મળતા જ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી ગઇ હતી, અને મૃતદેહને પૉસ્ટમૉર્ટમ માટે મોકલીને આગળની તપાસ શરૂ કરી દીધી છે. રેસિડેન્ટ ડૉક્ટરે કયા કારણોસર અચાનક આપઘાત કરીને જીવન ટુંકાવ્યુ તે અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટ કારણ મળી શક્યુ નથી, જોકે પોલીસે આ અંગે આગળની વધુ કાર્યવાહી કરી રહી છે.
Surat : પત્નીએ આપઘાત કરી લેતા પતિ 7 વર્ષની પુત્રી સાથે તાપી નદીમાં કૂદી ગયો, પુત્રીનું મોત
સુરત: શહેરના સરથાણા વિસ્તારમાં પત્નીએ ઝેર પીને આપઘાત કરી લેતાં પતિએ પણ 7 વર્ષીય પુત્રી સાથે તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. નદીમાં કૂદી જતાં પુત્રીનું મોત નીપજ્યું છે. જ્યારે પતિ સારવાર હેઠળ છે. સાવકી પુત્રીને માર મારવાના મુદ્દે દંપતી વચ્ચે ઝઘડો થતાં પત્નીએ ઝેર પી લીધું હતું. પત્નીએ ઝેર પી લેતા ડરી ગયેલા પતિએ આ પગલું ભર્યું હતું. આ ઘટનામાં પત્ની-પુત્રીનું મોત નીપજ્યું છે, જ્યારે પતિ સારવાર હેઠળ છે.
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ જનાનગઢના લીલવાના વતની અને હાલ સરથાણા વિસ્તારમાં રહેતા સંજય ભાણજીભાઈ તળાવિયાના ડિવોર્સ થયા છે અને આ લગ્નથી તેને 7 વર્ષીય દીકરી જીયા છે. જે છૂટાછેડા પછી પિતા સાથે રહેતી હતી. છૂટાછેડા પછી તેણે રેખા સાથે લગ્ન કરી લીધા હતા. જોકે, લગ્ન પછી બંને વચ્ચે જીયા મુદ્દે તકરાર થતી હતી.
આ જ મુદ્દે તકરાર થતાં બુધવારે રેખાબેને ઝેરી દવા પી લીધી હતી. આથી સંજય ગભરાઈ ગયો હતો અને પોતાને જેલમાં જવું પડશે, તેમ માનીની જીયાને લઈ સવજી કોરાટ બ્રિજ પાસે ગયો હતો. જ્યાં હૈયાફાટ રૂદન કર્યા પછી દીકરી સાથે નદીમાં ઝંપલાવી દીધું હતું. આ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનોએ જીયાનો મૃતદેહ નદીમાંથી કાઢ્યો હતો. જ્યારે સંજયને બચાલી લીધો હતો.
કાપોદ્રા પોલીસે રેખાબેનનાં મોત મામલે અકસ્માતે મોત અને સંજય તળાવીયા વિરુદ્ધ જીયાની હત્યાનો ગુનો દાખલ કર્યો છે. 35 વર્ષીય સંજય તળાવિયાના 2018માં જલ્પા સાથે ડિવોર્સ થયા હતા. જ્યારે સંજયની 32 વર્ષીય બીજી પત્ની રેખાના પણ અગાઉ છૂટાછેડા થયા હતા અને રેખાને પહેલાં લગ્નથી એક પુત્ર હતો. સાત વર્ષીય માસુમ બાળકી જીયા બીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી.
October 24, 2021 at 02:49AM surat
Technosv2018
October 24, 2021
સુરતના રાંદેર વિસ્તારમાં ચોરી કરવા ગયેલ ચોર પર AC પડતા તેનુ મોત થયું છે. શો-રૂમમાં ચોરી કરવા માટે પતિ-પત્ની ગયા હતા. પગથીયુ ચુકી જતા પુરુષ પર ચોરેલ AC પડતા મોત થયું છે.
October 23, 2021 at 10:51PM surat
Technosv2018
October 24, 2021
Technosv2018
October 24, 2021
સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટી સાથે સંલગ્ન કોલેજોમાં એડમિશન શરુ કરવામાં આવ્યું છે. બીકોમ, બીસીએ અને બીસીએસના પ્રથમ વર્ષમાં પ્રવેશ કાર્ય શરુ કરાયું છે. વિદ્યાર્થીઓને પ્રવેશ મળી રહી તે માટે ખાસ આયોજન કરાયું છે.
October 23, 2021 at 04:17AM surat
Technosv2018
October 23, 2021
સુરત: ડીંડોલીના ભાજપના ઉપપ્રમુખ મહાવીર શાહ સામે ફરિયાદ નોંધાઈ છે. લોકો સાથે સાડા 12 લાખની ઠગાઈ કરી ફરાર થયા છે. દરેક પાસે 5થી 10 લાખ રૂપિયા પડાવી લીધા છે અને લોકોએ પૈસા પાછા માંગતા તેમને ધમકી આપી રહ્યું હોવાની પણ જાણ પોલીસને કરાઈ છે.
October 23, 2021 at 03:50AM surat
Technosv2018
October 23, 2021
સુરત: શહેરના વરાછા વિસ્તારમાં એક મહિલા ત્રીજા માળેથી નીચે પટકાતા મોત થયું હોવાની ઘટના સામે આવતાં અરેરાટી વ્યાપી ગઈ છે. દિવાળી નજીક આવી રહી હોવાથી મહિલા સાફ-સફાઇ કરી રહી હતી. આ સમયે જ કોઈ રીતે મહિલા નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
વરાછા વિસ્તારમાં દિવાળી સમયે સફાઈ કરતા બિલ્ડિંગના ત્રીજા માળેથી નીચે પટકાતા મહિલાનું મોત નીપજ્યું છે. આ સંપૂર્ણ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. લોકોને સાવચેત રહેવા માટે આ સીસીટીવી ઘણું કહી જાય છે. મહિલા ત્રીજા માળેથી નીચે પટકાતા દોડાદોડી થઈ ગઈ હતી.
Rajkot : બે દિવસ પહેલા ગુમ થયેલી યુવતીની કૂવામાંથી લાશ મળી આવતાં ખળભળાટ
રાજકોટ: જેતપુરના પીઠડીયા ટોલનાકા પાસે યુવતીની કૂવામાંથી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. જેતપુરના પીઠડીયા ગામના ટોલનાકા પાસે આવેલ વાડી વિસ્તારમાં કૂવામાંથી લાશ મળી આવી છે. પ્રાગજીભાઈ વાઘજીભાઈ ગોંડલીયાની વાડીના કુવામાંથી લાશ મળી આવી છે.
વીરપુર પોલીસ સ્ટેશનમાં પરિવારે બે દિવસ પહેલા ગુમસુંદાની ફરિયાદ નોંધાવી હતી. શીતલ રામજીભાઈ ચાવડા (ઉ.24) નામની યુવતીએ અગમ્ય કારણોસર મોતને વ્હાલું કર્યું છે. પરિવારના સભ્યો તેમજ વીરપુર પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા છે. અન્ય એક ઘટનામાં પંચમહાલમાં રેલવે ટ્રેક નજીક ઈજગ્રસ્ત હાલતમાં યુવક મળી આવ્યો છે. ગોધરા -ખરસાલિયા સ્ટેશન વચ્ચે આવેલ 51 નંબર ગેટ પાસે ઈજાગ્રસ્ત યુવક મળી આવ્યો છે. અજાણ્યો યુવક મુસાફર ટ્રેનમાંથી પડી જતા ગંભીર ઇજા પહોંચી છે.
રેલવે પોલીસ ઘટના પહોંચી ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવક બેભાન અવસ્થામાં હોય રેલવે પોલીસ દવારા શોસિયલ મીડિયાના માધ્યમથી વાલી વારસો શોધવાની કવાયત હાથ ધરી છે. યુવક બિહાર રાજય તરફનો હોવાનું રેલવે પોલીસનું અનુમાન છે.
સુરત ભાજપના નેતાએ વીછીને નામે કરી લાખો રૂપિયાની છેતરપિંડી, જાણો કોણ છે આ નેતા?
સુરતઃ સુરતમાં ડીંડોલી વોર્ડના ભાજપના ઉપપ્રમુખની 25થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. નેતાઓ અને પોલીસ સાથેના ફોટો બતાવી વિશ્વાસ કેળવ્યો હતો. પોલીસે ભોગ બનનારની ફરિયાદ લઈ 12.60 લાખની છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. શાસક પક્ષ નેતા અમિતસિંગ રાજપૂતે કહ્યું, આ મામલે પાર્ટી ચોક્કસથી કડક પગલાં લેશે.
આ અંગેની વિગતો એવી છે કે, પર્વત પાટિયામાં રહેતા કાંતિભાઈ ગુપ્તાએ ડીંડોલી ભાજપના ઉપપ્રમુખ મહાવીર સુખલાલ શાહ સામે ઠગાઈની ફરિયાદ કરી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે ઓગષ્ટ 2018માં મહાવીર શાહે લોકોને વીસીની અલગ અલગ સ્કીમો બતાવી લોભામણી લાલચ આપી હતી. મહાવીરે વોટ્સએપ ગ્રુપ બનાવી 25થી વધુ લોકોને જોડ્યા હતા. તેમજ અલગ અલગ સ્કીમો બતાવી લાખ્ખો રૂપિયા લઇ ડ્રો કરતો હતો. દરમિયાન 25થી વધુ લોકો પાસેથી પાંચ લાખથી માંડી 30 લાખ સુધીની માતબર રકમ પડાવી લીધી હતી. ફરિયાદી કાંતિભાઈ પાસેથી પણ 16 લાખ લીધા હતા.
જોકે, મનોહર સંતોષ પાટીલ મારફતે 3.40 લાખ પરત આપી દીધા હતા. જ્યારે બાકીના રૂપિયા પરત ન કરતાં અંતે પોલીસ ફરિયાદ કરી છે. મહાવીર ભૂતપૂર્વ મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિતના ભાજપના નેતાઓ અને પોલીસ અધિકારીઓ સાથે ફોટાઓ પડાવી સોશિયલ મીડિયામાં મૂકી મોટી વગ હોવાનું લોકોને જણાવતો હતો. પુણા પોલીસમાં હજુ એક જ વ્યક્તિની ફરિયાદ થઈ છે. આ ઠગાઇમાં અન્ય લોકોના પણ લાખ્ખો રૂપિયા ફસાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
October 23, 2021 at 03:43AM surat
Technosv2018
October 23, 2021
સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીમાં એક મહિના અગાઉ લેવાયેલી બીકોમની પરીક્ષા મામલે ઘટસ્ફોટ થયો છે. ઓનલાઇન પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા 25 પરીક્ષાર્થીઓને શૂન્ય માર્ક આપવામાં આવ્યા છે. સાથે જ 500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
October 23, 2021 at 02:43AM surat
Technosv2018
October 23, 2021
સુરતના હીરા ઉદ્યોગમાં 20 દિવસનું દિવાળી વેકેશન રહેશે. 1 નવેમ્બરથી આ વેકેશન શરુ થશે. હીરા ઉદ્યોગમાં શહેર બહારના લોકો વધ હોવાથી તેઓ પોતાના વતન જઈ શકે તે માટે આ વેકેશન અપાયું છે. જો કે હાલ હીરા ઉદ્યોગમાં તેજી હોવાથી વેકેશન ઘટાડવા માટે પણ કવાયત હાથ ધરાઈ છે.
October 23, 2021 at 01:41AM surat
Technosv2018
October 23, 2021
સુરતના ડિંડોલી વોર્ડના ભાજપના ઉપપ્રમુખ મહાવીર શાહ સામે ફરિયાદ નોંધાઈ છે. વીસીના નામે 12.30 લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. જે સંદર્ભે પુના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મહાવીર શાહ લોકો પાસેથી નાણાં લઈને તેમને પરત ન કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
October 23, 2021 at 01:26AM surat
Technosv2018
October 23, 2021
સુરતઃ સુરતમાં ડીંડોલી વોર્ડના ભાજપના ઉપપ્રમુખની 25થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. નેતાઓ અને પોલીસ સાથેના ફોટો બતાવી વિશ્વાસ કેળવ્યો હતો. પોલીસે ભોગ બનનારની ફરિયાદ લઈ 12.60 લાખની છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. શાસક પક્ષ નેતા અમિતસિંગ રાજપૂતે કહ્યું, આ મામલે પાર્ટી ચોક્કસથી કડક પગલાં લેશે.
જોકે, ભાજપના નેતાએ આ તમામ આરોપો ફગાવી દીધા છે. તેમજ તેમણે કહ્યું હતું કે, કોઈના પૈસા બાકી નથી. લોકડાઉન પહેલા જ તમામના પૈસા આપી દીધા હતા. કેવી રીતે ફરિયાદ થઈ તેની મને ખબર નથી. 12.30 લાખ રૂપિયાનો હિસાબ પૂર્ણ થઈ ગયો છે. હું તમામ ફરિયાદી વિરુદ્ધ માનહાનિનો કેસ કરીશ.
આ અંગેની વિગતો એવી છે કે, પર્વત પાટિયામાં રહેતા કાંતિભાઈ ગુપ્તાએ ડીંડોલી ભાજપના ઉપપ્રમુખ મહાવીર સુખલાલ શાહ સામે ઠગાઈની ફરિયાદ કરી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે ઓગષ્ટ 2018માં મહાવીર શાહે લોકોને વીસીની અલગ અલગ સ્કીમો બતાવી લોભામણી લાલચ આપી હતી. મહાવીરે વોટ્સએપ ગ્રુપ બનાવી 25થી વધુ લોકોને જોડ્યા હતા. તેમજ અલગ અલગ સ્કીમો બતાવી લાખ્ખો રૂપિયા લઇ ડ્રો કરતો હતો. દરમિયાન 25થી વધુ લોકો પાસેથી પાંચ લાખથી માંડી 30 લાખ સુધીની માતબર રકમ પડાવી લીધી હતી. ફરિયાદી કાંતિભાઈ પાસેથી પણ 16 લાખ લીધા હતા.
જોકે, મનોહર સંતોષ પાટીલ મારફતે 3.40 લાખ પરત આપી દીધા હતા. જ્યારે બાકીના રૂપિયા પરત ન કરતાં અંતે પોલીસ ફરિયાદ કરી છે. મહાવીર ભૂતપૂર્વ મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિતના ભાજપના નેતાઓ અને પોલીસ અધિકારીઓ સાથે ફોટાઓ પડાવી સોશિયલ મીડિયામાં મૂકી મોટી વગ હોવાનું લોકોને જણાવતો હતો. પુણા પોલીસમાં હજુ એક જ વ્યક્તિની ફરિયાદ થઈ છે. આ ઠગાઇમાં અન્ય લોકોના પણ લાખ્ખો રૂપિયા ફસાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પોલીસના ગ્રેડ પે વધારા બાબતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું કરી મોટી જાહેરાત?
અમદાવાદઃ છેલ્લા થોડાક દિવસોથી સોશિયલ મીડિયામાં પોલીસના ગ્રેડ-પે વધારાના બાબતે ફરતા થયેલા મેસેજ પછી પહેલીવાર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે આ અંગે જાહેરાત કરી છે કે, આ બાબતનું વિશ્લેષણ કરવામાં આવશે અને યોગ્ય માંગણી હશે તો ચોક્કસ વિચાર કરવામાં આવશે.
પોલીસ ભરતીના નિર્ણયને લઇને પણ ગૃહમંત્રીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી અને ગુજરાત પોલીસ વિભાગના એકસમઝમીમેશન બોર્ડના સભ્યોના સૂચનો લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ખૂબ મોટું મન રાખીને આ નિર્ણય લીધો છે. પહેલા શારીરિક કસોટી લેવામાં આવશે. આ નિર્ણય યોગ્ય છે કારણકે પોલીસિંગ માટે આ સારી બાબત છે.
October 22, 2021 at 10:21PM surat
Technosv2018
October 23, 2021
Technosv2018
October 23, 2021
સુરત : શહેરના વેસુ વિસ્તારમાં આવેલા સ્પામાં રેડ પડી છે. વેસ્ટર્ન બિઝનેસ પાર્કમાં આવેલા ઓસન સ્પામાં પોલીસે રેડ કરી હતી. રેડમાં 6 યુવતીઓને દેહ વ્યાપારમાંથી મુક્ત કરાવી હતી. જ્યારે સંચાલક ગ્રાહક સહિત 3ની અટકાયત કરી છે.
3 યુવકો રૂપજીવીનિઓ સાથે માણી રહ્યા હતા શરીર સુખ ને પોલીસ ત્રાટકી, ગ્રાહકની પસંદગી કઈ રીતે થતી એ જાણીને ચોંકી જશો.......
વડોદરાઃ વાઘોડિયા રોડના સનરાઈઝ કોમ્પલેક્ષમાંથી ઝડપેયાલે કુટણખાના મુદ્દે મોટો ધડાકો થયો છે. 12 વર્ષની બાળકીને તેના પિતાએ જ દેહવ્યાપારમાં મોકલી હોવાનુ બહાર આવ્યુ છે. બાળકીના પિતાએ જ સુરતથી વડોદરા મોકલી હતી. પોલીસ તપાસમાં આ મોટો ખુલાસો થયો છે. સુરતમા રહેતા પિતાએ બાળકીને મોકલી હોવાના પુરાવા પોલીસને મળ્યા છે. અન્ય મહિલાઓ બોમ્બે અને દિલ્હીથી વડોદરા આવી હતી.
રીટા નામની મહિલા મોટાપાયે કુટણખાનું ચલાવતી હતી. પી.સી.બી. પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. રેડમાં ઘટના સ્થળેથી 7 યુવતીઓ અને 3 ગ્રાહકો ઝડપાયા છે. કૂટણખાનામાં જવા માટે ગ્રાહકોનું સિલેક્શન ઓનલાઇન કરવામાં આવતું હતું. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના વાઘોડિયા રોડ પર આવેલા સનરાઇઝ કોમ્પલેક્ષમાં રીટા પટેલ નામની મહિલા રેકેટ ચલાવતી હોવાની બાતમી PCBને મળી હતી. પોલીસે બાતનીના આધારે દરોડો પાડતા ચોંકી ઉઠી હતી. ઘટના સ્થળ પરથી 7 યુવતીઓ અને 3 ગ્રાહક મળી આવ્યા હતા. પોલીસે હાલ તબક્કે તમામની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કુટણખાનામાં જવા માટે ગ્રાહકોનું ઓનલાઇન સિલેક્શન કરાતું હતું. કુટણખાનામાં ગ્રાહકોને કેવી રીતે ઓનલાઇન આકર્ષાતા હતા, તે મામલે તપાસ હાથ ધરી છે. યુવતીઓ ક્યાંથી લાવવામાં આવી છે, ક્યારથી કુટણખાનું ચાલતું હતું તે મુદ્દે તપાસ ચાલી રહી છે. હાલ તમામને પાણીગેટ પોલીસને સોંપાયા છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
રીટા પટેલ મૂળ બોડેલીની વતની હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી છે. ફ્લેટમાં કૂટણખાનુ ચાલતુ હતું. તે ફ્લેટમાં રીટા પટેલ છેલ્લા ત્રણ વર્ષથી રહે છે. આ ફ્લેટમાં છેલ્લા છ મહિનાથી દેહવ્યાપારનો ધંધો ચાલતો હતો. રીટા એટલી ચાલાકીથી ધંધો કરતી હતી કે, કોમ્પલેક્સના રહીશો અને નીચે દુકાન ધરાવતા વેપારીઓને તેની ગંધ આવી નહોતી.
રીટા પટેલ કોલગર્લને મુંબઇ અને દિલ્હીથી બોલાવતી હતી. પોતાના જ ફ્લેટમાં રાખતી હતી. ગ્રાહક પાસેથી ૫૦૦ રૂપિયા લેતી રીટા પટેલ કોલગર્લને કેટલા રૂપિયા આપતી હતી. તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. કૂટણખાનામાંથી મળેલા ગ્રાહકો પણ શ્રમજીવી હોવાનું પોલીસે જણાવ્યું છે.
October 22, 2021 at 05:01AM surat
Technosv2018
October 22, 2021
સુરતમાં સફાઈ કામદારને માર માર્યાનો કિસ્સો સામે આવ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં ઘનશ્યામ નામના વ્યક્તિએ મહિલાને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. આ બનાવ બાદ સફાઈ કામદાર માં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
October 22, 2021 at 03:30AM surat
Technosv2018
October 22, 2021
Technosv2018
October 22, 2021
Technosv2018
October 21, 2021
સુરતમાં ચંદી પાડવા નિમિત્તે ઘારીનું ધૂમ વેંચાણ. 10 મહિનાની કમાણી 1 દિવસમાં થવાનું અનુમાન છે. સુમુલ ડેરીએ 3 દિવસમાં લખો રૂપિયાની ઘારી વેચી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સોનાના વરખવાળી ઘારી પણ માર્કેટમાં ઉપલબ્ધ છે.
October 21, 2021 at 03:54AM surat
Technosv2018
October 21, 2021
Technosv2018
October 21, 2021
Technosv2018
October 21, 2021
Technosv2018
October 21, 2021
Technosv2018
October 21, 2021
Technosv2018
October 21, 2021
સુરત: શહેરના સરથાણા વિસ્તારમાં પત્નીએ ઝેર પીને આપઘાત કરી લેતાં પતિએ પણ 7 વર્ષીય પુત્રી સાથે તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. નદીમાં કૂદી જતાં પુત્રીનું મોત નીપજ્યું છે. જ્યારે પતિ સારવાર હેઠળ છે. સાવકી પુત્રીને માર મારવાના મુદ્દે દંપતી વચ્ચે ઝઘડો થતાં પત્નીએ ઝેર પી લીધું હતું. પત્નીએ ઝેર પી લેતા ડરી ગયેલા પતિએ આ પગલું ભર્યું હતું. આ ઘટનામાં પત્ની-પુત્રીનું મોત નીપજ્યું છે, જ્યારે પતિ સારવાર હેઠળ છે.
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ જનાનગઢના લીલવાના વતની અને હાલ સરથાણા વિસ્તારમાં રહેતા સંજય ભાણજીભાઈ તળાવિયાના ડિવોર્સ થયા છે અને આ લગ્નથી તેને 7 વર્ષીય દીકરી જીયા છે. જે છૂટાછેડા પછી પિતા સાથે રહેતી હતી. છૂટાછેડા પછી તેણે રેખા સાથે લગ્ન કરી લીધા હતા. જોકે, લગ્ન પછી બંને વચ્ચે જીયા મુદ્દે તકરાર થતી હતી.
આ જ મુદ્દે તકરાર થતાં બુધવારે રેખાબેને ઝેરી દવા પી લીધી હતી. આથી સંજય ગભરાઈ ગયો હતો અને પોતાને જેલમાં જવું પડશે, તેમ માનીની જીયાને લઈ સવજી કોરાટ બ્રિજ પાસે ગયો હતો. જ્યાં હૈયાફાટ રૂદન કર્યા પછી દીકરી સાથે નદીમાં ઝંપલાવી દીધું હતું. આ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનોએ જીયાનો મૃતદેહ નદીમાંથી કાઢ્યો હતો. જ્યારે સંજયને બચાલી લીધો હતો.
કાપોદ્રા પોલીસે રેખાબેનનાં મોત મામલે અકસ્માતે મોત અને સંજય તળાવીયા વિરુદ્ધ જીયાની હત્યાનો ગુનો દાખલ કર્યો છે. 35 વર્ષીય સંજય તળાવિયાના 2018માં જલ્પા સાથે ડિવોર્સ થયા હતા. જ્યારે સંજયની 32 વર્ષીય બીજી પત્ની રેખાના પણ અગાઉ છૂટાછેડા થયા હતા અને રેખાને પહેલાં લગ્નથી એક પુત્ર હતો. સાત વર્ષીય માસુમ બાળકી જીયા બીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી.
Mehsana : કોલેજિયન યુવતીને કેફી પીણું પીવડાવી બંધ મકાનમાં માણ્યું શરીરસુખ ને પછી.....
મહેસાણાઃ ઘરેથી કોલેજ જવા નીકળેલ યુવતીનું અપહરણ કરીને કેફી પીણું પીવડાવી પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. નંદાસણ પુલ નીચે ઉભેલ યુવતીને કારમાં આવેલ ચાર યુવાન અપહરણ કરીને લઈ ગયા હતા. એટલું જ નહીં, યુવતીને કેફી પીણું પીવડાવી તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
પાલાવાસણા નજીક બંધ મકાનમાં યુવતી સાથે દુષ્કર્મ કરી તેને રોડ પર મૂકી યુવાનો ફરાર થઈ ગયા હતા. 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા બાદ યુવતીએ સમગ્ર ઘટનાક્રમ પોલીસને જણાવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ચાર યુવકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવતી ઘરે કડીમાં કોલેજ ખાતે જવાનું કહીને મંગળવારે સવારે 10-30 વાગ્યે નીકળી હતી.
બલોલ રોડ પરના નંદાસણના બ્રિજ નીચે ઉભી હતી તે દરમિયાન 4 યુવકો સફેદ કલરની કાર લઈને આવ્યા હતા. કારમાં યુવતીને બેસાડ્યા બાદ કેફી પીણું પીવડાવતા તેણી બેભાન થઈ હતી. આ પછી યુવકો બંધ મકાનમાં લઈ જઈ યુવતી ઉપર 4 પૈકી એક યુવકે બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ યુવતીને મહેસાણાના બાયપાસ રોડ ઉપર કરશનપુરાના પાટીયા નજીક ઉતારીને ભાગી ગયા હતા. પોલીસે યુવતીના નિવેદનના આધારે બળાત્કારી યુવક અને 3 અજાણ્યા યુવકો સામે ગુનો નોંધ્યો છે. મહેસાણા સિવિલમાં યુવતીનું મેડીકલ કરાવીને દુષ્કર્મના સ્થળની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરી છે.
October 20, 2021 at 09:18PM surat
Technosv2018
October 21, 2021