સુરતના અલથાણ વિસ્તારમાં 5 કરોડના ખર્ચે મેયરનો બંગલો તૈયાર કરાયો છે. મેયરના વિસ્તારમાં જે સુવિધાઓ છે તે જનતાને પણ મળે લે જરૂરી છે. આ બંગલો 5983 સ્કવેર મીટર એરિયામાં તૈયાર થયો છે. આ બંગલામાં ગાર્ડન, બે માસ્ટર બેડરૂમ, ગેસ્ટ રૂમ, સર્વન્ટ રૂમ, કિચન, ડાઇનિંગ અને ઓફિસ સહિતની તમામ સુવિધાઓ ઉભી કરાઈ છે. 5 કરોડના ખર્ચે તૈયાર થયેલા મેયર બંગલામાં મેયર હેમાલી બોઘાવાલાએ કુંભઘડો પણ મૂકી દીધો છે.જોકે સુરત મનપાએ જે રીતે બંગલો બનાવવામાં વધુ પડતો રસ દાખવી કામગીરી કરી છે તેમ સુરત શહેરમાં વિકાસના કામો પર ધ્યાન આપે.
Technosv2018
May 31, 2021
સુરતના અલથાણ વિસ્તારમાં 5 કરોડના ખર્ચે મેયરનો બંગલો તૈયાર કરાયો છે. મેયરના વિસ્તારમાં જે સુવિધાઓ છે તે જનતાને પણ મળે લે જરૂરી છે. આ બંગલો 5983 સ્કવેર મીટર એરિયામાં તૈયાર થયો છે. આ બંગલામાં ગાર્ડન, બે માસ્ટર બેડરૂમ, ગેસ્ટ રૂમ, સર્વન્ટ રૂમ, કિચન, ડાઇનિંગ અને ઓફિસ સહિતની તમામ સુવિધાઓ ઉભી કરાઈ છે. 5 કરોડના ખર્ચે તૈયાર થયેલા મેયર બંગલામાં મેયર હેમાલી બોઘાવાલાએ કુંભઘડો પણ મૂકી દીધો છે.જોકે સુરત મનપાએ જે રીતે બંગલો બનાવવામાં વધુ પડતો રસ દાખવી કામગીરી કરી છે તેમ સુરત શહેરમાં વિકાસના કામો પર ધ્યાન આપે.
May 31, 2021 at 04:15AM surat
Technosv2018
May 31, 2021
સુરત(Surat)ના સરથાણા(Sarthana)માં એક ચા વાળાએ બેન્ક કર્મી(banker) સાથે મળીને એક વેપારીના નામે 13 કરોડ 13 લાખના ટ્રાન્જેક્શન કરી નાંખ્યા છે. આ અંગે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે. જેમાં બેની ધરપકડ કરી લેવાઈ છે.
May 31, 2021 at 03:05AM surat
Technosv2018
May 31, 2021
નવસારીઃ વાંસદા તાલુકાની 15 વર્ષીય સગીરા પર 17 વર્ષીય છોકરાએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. શુક્રવારે સાંજે છોકરો સગીરાને બાઇક પર બેસાડીને વાડીએ લઈ ગયો હતો અને અહીં જ રાત્રે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
શનિવારે સગીરા ઘરે પરત ફરતાં પિતાએ છોકરા સામે બળાત્કાર અને પોક્સોનો નોંધાવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે, એક જ ગામાં રહેતા બંને છોકરા-છોકરી એકબીજાના પ્રેમમાં હતા.
શુક્રવારે સાાંજે આ કપલ બાઇક પર બેસીને નીકળી ગયું હતું અને છોકરો સગીર ગર્લ ફ્રેન્ડને મિત્રની વાડીએ લઈ ગયો હતો. તેમજ અહીં જ રાત્રિ રોકાણ પણ કર્યું હતું. આ સમયે બંનેએ શારીરિક સંબંધ પણ બાંધઅયા હતા. તેમજ શનિવારે બપોરે બન્ને કિશોરના ઘરે ગયા હતા.
આ અંગે સગીરાના પિતાને ખબર પડી જતાં તેમણે વાંસદા પોલીસ સ્ટેશનમાં સગીર સામે બળાત્કાર અને પોક્સ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. એટલું જ નહીં, સગીરના માતા-પિતા વુરુદ્ધ મદદગારીની ફરિયાદ નોંધાવી હતી. નવસારી એસસીએસટી સેલે વધુ તપાસ હાથ ધરી છે.
Mehsana : સગીરાને કારમાં બેસાડી યુવક લઈ ગયો ખેતરમાં, પરાણે માણ્યું શરીરસુખ ને પછી....
મહેસાણાઃ મહેસાણા તાલુકાની એક સગીરા પર યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા નાના એવા ગામમાં ખળભળાટ મચી ગયો છે. અઢી મહિના પહેલા સવારે 6 વાગ્યે સગીરા પર બળાત્કાર ગુજારાયો હતો. જોકે, પિતાને કોરોના હોવાથી અને દીકરી પણ બીમાર પડી ગઈ હોવાથી અત્યારે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, અઢી મહિના પહેલા ગામનો જ યુવક સગીરાને સવારે 6 વાગ્યે ભોળવીને કારમાાં બેસાડી તળેટી ગામની સીમમાં લઈ ગયો હતો. અહીં સગીરાને લલચાવી-ફોસલાવી યુવકે પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા. તેમજ હવસ સંતોષ્યા પછી કોઈને આ અંગે વાત કરશે, તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ ઘટના બની ત્યારે સગીરાના પિતાને કોરોનાની સારવાર ચાલું હોવાથી તેમ જ ભોગ બનનાર સગીરા પણ બીમાર પડી ગઈ હોવાથી ફરિયાદ નોંધાવી શકાઇ નહોતી. સગીરા સ્વસ્થ થતાં શનિવારે આરોપી સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે યુવક સામે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
May 31, 2021 at 01:29AM surat
Technosv2018
May 31, 2021
સુરતમાં દર ચોમાસે ખાડીપૂર આવે છે.જેના કારણે લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે.સુરતમાં વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે સુરતમાંથી પસાર થતી ખાડીઓની સફાઈ કરવામાં આવી નથી. ખાડીમાં ઠેરઠેર કચરો જોવા મળે છે.જેના કારણે ગંદા પાણીનો નિકાલ વહેલી તકે થતો નથી. પ્રી મોન્સૂન કામગીરીમાં ખાડી ઊંડી કરવી અને તેની સાફસફાઈ કરવી તે પણ કામગીરી હોય છે.વિપક્ષ દ્વારા આરોપ લગાવાયો છે કે શાસક પક્ષ પુણા વિસ્તારમાં કામ નથી કરતું
May 30, 2021 at 04:30AM surat
Technosv2018
May 30, 2021
સુરતમાં ચોક બજાર પોલીસે ચોરી કરતી ગેંગ ઝડપી પાડી છે. મુસાફરોના સ્વાંગમાં ફરતા બંટી અને બબલીની ધરપકડ કરાઇ હતી. રિક્ષામાં બેસી અન્ય મુસાફરોના સામાનની ચોરી કરતાં હતા.
May 30, 2021 at 04:29AM surat
Technosv2018
May 30, 2021
ચોમાસાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અગમચેતીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ પ્રિમોન્સૂન પ્લાન તૈયાર કરવામાં આવે છે. પણ હકીકતમાં આ પ્લાન ફક્ત કાગળ પરનો વાઘ જ સાબિત થતો આવ્યો છે. સુરત મનપાએ દર વર્ષે ચોમાસા બાદ અને ચોમાસા દરમિયાન થતી તકલીફો નિવારવા આ એક્શન પ્લાન બનાવે છે. બીજી તરફ ખાડીઓનું ડ્રેજિંગ પણ યોગ્ય રીતે ન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ છે.જ્યાં બીજી તરફ સુરત શહેરમાં ગટર સફાઈ કરવા માટે જયપુર અને કેરળથી રોબોટ મંગાવાયાં છે.
May 30, 2021 at 04:06AM surat
Technosv2018
May 30, 2021
સુરતમાં સચિન SEZ માં આવેલ હીરા કંપની યુનિવર્સલ જેમ્સમાં કસ્ટમ અને DRI એ દરોડા પાડ્યા હતા. ઓછા સિન્થેટિક હીરા દર્શાવી હોંગકોંગ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો. 60 કરોડની કિંમતના 50 હજાર કેરેટના સિન્થેટિક હીરાના 2 પાર્સલ જપ્ત કરાયા હતા. 50 હજાર સિન્થેટિક હીરાના જથ્થા પર 27 હજાર કેરેટ લખવામાં આવ્યું હતું. 23 હજાર કેરેટ હીરા ઓછા બતાવી સરકારને ચૂનો ચોપડવાનો કારસો રચવામાં આવ્યો હતો. દરોડા પડતા જ યુનિવર્સલ જેમ્સના ડીરેક્ટર મિત કાછડીયા ફરાર થઈ ગયો હતો.
May 30, 2021 at 01:21AM surat
Technosv2018
May 30, 2021
સુરતઃ સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશને બહાર પાડેલા આદેશના કારણે વેપારીઓમાં આક્રોશ છે. આ આદેશ પ્રમાણે વેપારીઓએ પોતાની દુકાન ચાલુ રાખવી હશે તો હવેથી ફરજિયાત કોવિડ હેલ્થકાર્ડ લેવું પડશે. આ ઉપરાંત કોરોના ન થયો હોય અને રસી પણ લીધી ના હોય તેવા વેપારીઓએ દર સોમવારે કોવિડ ટેસ્ટ કરાવવો પડશે. આ શતોનું પાલન નહીં કરનારને દુકાન ખોલવા નહીં દેવાય. દર સપ્તાહે કોવિડ ટેસ્ટના ફરમાનના કારણે વેપારીઓમાં આક્રોશ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશને વ્હાઈટ અને ગ્રીન એમ બે પ્રકારના હેલ્થ કાર્ડ બનાવ્યા છે. વ્હાઈટ કાર્ડમાં કોરોના ટેસ્ટ ક્યારે-ક્યારે કરાવ્યો અને તેનું રીઝલ્ટ શું આવ્યું વગેરે વિગત હશે. બીજા ગ્રીન હેલ્થકાર્ડમાં વેપારીએ વેક્સિન લીધી છે તેની માહિતી હશે.મ્યુનિસિપલ કોર્પોરેશનનો દાવો છે કે, વેપારીઓ માટે હેલ્થકાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે તેની પાછળનો હેતુ વેપારીઓ પાસેથી દંડ વસૂલવાનો નથી પણ કોરોનાનું સંક્રમણ રોકવાનો છે. ગ્રાહકો દુકાનોમાં વિવિધ વસ્તુઓ ખરીદવા જાય ત્યારે તેમને ચેપ ન લાગે તે માટે સફેદ અને ગ્રીન કાર્ડ બનાવવામાં આવ્યા છે.
વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ લીધો હોય તેમને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. ઉપરાંત કોરોના થયો હોય તેવા વેપારીઓને પણ ગ્રીન કાર્ડ આપવામાં આવી રહ્યાં છે. જેમને કોરોના થયો ન હોય અને વેક્સિન પણ મૂકાવી ન હોય તેવા વેપારીઓને વ્હાઈટ કાર્ડ આપવામાં આવે છે. વ્હાઇટ કાર્ડ ધારક વેપારીએ દર સોમવારે પોતાનો કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે અને વ્હાઈટ કાર્ડમાં ટેસ્ટનું પરિણામ લખવાનું રહેશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન ટીમ દ્વારા દુકાનોમાં ઓચિંતી તપાસ કરવામાં આવશે. ચૂક જણાશે તો પહેલાં વેપારીને સમજાવાશે અને વારંવાર આ પ્રકારની ભૂલ થશે તો દંડ લેવાશે.સુરતમાં અત્યારસુધી 1 લાખ વેપારીઓએ હેલ્થકાર્ડ લીધા છે જ્યારે અન્ય 1 લાખ વેપારીઓએ હેલ્થકાર્ડ લેવાના બાકી છે. રસી લેનારા ગ્રીનકાર્ડ ધારક દુકાનદારનો વિસ્તારોમાં ઓછા કેસ આવે છે.
May 29, 2021 at 10:50PM surat
Technosv2018
May 30, 2021
સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોની કડક અમલવારીને લઇને શહેર પોલીસ કમિશનરે ચાલુ ફરજ પર ફોન પર વાતો કરતાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ માટે એક નવું ફરમાન જાહેર કર્યું છે. આ નવા ફરમાન મુજબ ટ્રાફિક પોલીસ કર્મચારી હવે ચાલુ નોકરીએ મોબાઇલ ફોનનો ઉપયોગ નહિ કરી શકે.
આ અંગેની વિગતો મુજબ સુરત પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક પોલીસ માટે મોબાઈલને લઇને નવું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે કે પોઇન્ટ ઉપરના કર્મચારીઓને હવે ચાલુ નોકરીએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં દેવામાં નહિ આવે. પોલીસ કમિશનરની ઉચ્ચ અધિકારીઓ સાથેની ક્રાઈમ કોન્ફરન્સમાં આપવામાં આવેલ સૂચના મુજબ આજથી જ તમામ પોઇન્ટ ઇન્ચાર્જે પોતાના પોઈન્ટ ઉપરના તમામ પોલીસ સ્ટાફ તથા ટીઆરબીના મોબાઈલ પોતાની પાસે ફરજની શરૂઆતમાં જમા કરી દેવાના રહેશે.
જ્યારે ટ્રાફિક કર્મચારીની ફરજનો સમય પુરો થયેથી મોબાઈલ પરત આપવાના રહેશે. આ ઉપરાંત સૂચના બાદ પણ જો કોઈની પાસે મોબાઇલ રહી ગયેલ હશે અને જમા કરાવવામાં આવેલ નહીં હોય તો તેનો મોબાઇલ સુરત પોલીસ કમિશનર કચેરીમાં સાત દિવસ સુધી જમા કરી રાખવામાં આવશે.
આ નવા નિયમનું પાલન શહેરના તમામ સર્કલ ઇન્ચાર્જ તથા સેમી સર્કલ ઇન્ચાર્જ પોઇન્ટ ચેકીંગ તથા સુપરવિઝન દરમિયાન આ સૂચનાનું પાલન થયેલ છે તેની ખાતરી કરવામાં પણ કરવામાં આવશે. વચ્ચેના પોઇન્ટ પર માત્ર એક જ ટીઆરબી અથવા પોલીસ હોય તો તેણે નજીકના પોઈન્ટ ઉપર મોબાઈલ જમા કરાવવાનો રહેશે.
આ અંગે માહિતી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શહેરના હાલ બપોરે 3 વાગ્યા સુધી લોકડાઉનમાંથી મુકિત આપવામાં આવી છે. જેના લીધે શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ છે. જેમાં પણ રાઉન્ડ દરમ્યાન જોવા મળ્યું હતું કે ટ્રાફિક બ્રિગેડ અને અન્ય સહાયક ટ્રાફિક જવાનો પોઇન્ટ પર ટ્રાફિક નિયમનને બદલે મોબાઇલ પર વાત કરતાં નજરે પડ્યા હતા. તેથી જો હવે આવા કોઇ પણ ટ્રાફિક કર્મચારી કે ટ્રાફિક બ્રિગેડના કર્મચારી ઓન ડ્યટી ફોન પર વાત કરતાં નજરે પડશે તો તેમની પર કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનરે હુકમ કર્યો છે.
May 29, 2021 at 03:39AM surat
Technosv2018
May 29, 2021
બારડોલીઃ શહેરના બિઝનેસમેન (Businessman)ને સોશિયલ મીડિયા (Social Media) પર એક યુવતી સાથે મિત્રતા થઈ હતી. આ પછી યુવતી સાથે વાતો આગળ વધતા બંને એક વીડિયો કોલ (Video Call) પર પણ વાતચીત કરવા લાગ્યા હતા. આ સમયે યુવતી બિઝનેસમેન સાથે રોમેન્ટિક વાતો કરીને પોતાની જાળમાં (Honey Trap) ફસાવ્યો હતો.
યુવતી વીડિયો કોલ પર રોમેન્ટિક વાતો કરતા કરતા અશ્લીલ હરકતો કરવા લાગ્યો હતો. જેથી બિઝનેસમેન પણ મૂડમાં આવી ગયો હતો અને તે પણ યુવતી સાથે અશ્લીલ હરકતો કરવા લાગ્યો હતો. જોકે, બિઝનેસમેનની જાણ બહાર યુવતીએ તેની તમામ હરકતો રેકોર્ડ કરી લીધી હતી.
બિઝનેસમેનની અશ્લીલ હરકતો રેકોર્ડ થઈ ગયા પછી તેને તેનું રેકોર્ડિંગ બતાવી યુવતીએ તેને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હતું. બીજી તરફ ડરી ગયેલા બિઝનેસમેને નંબર બ્લોક કરી દીધો હતો. બિઝનેસમેન પાસેથી તોડ ન થતાં યુવતીએ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.
આમ, પોતાની સોશિયલ મીડિયા પર બદનામી થઈ જતા બિઝનેસમેન બારડોલી પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં બિઝનેસમેને જણાવ્યું છે કે, ગત 13 મેના રોજ યુવકની સોશિયલ મીડિયાના આઈડી પર યુવતીનો મેસેજ આવ્યો હતો. આ પછી અજાણી યુવતી સાથે વાતચીત બાદ તેને મિત્રતા થઈ હતી. આ પછી 15 મેના રોજ યુવતીએ વીડિયો-કોલ કર્યો હતો. યુવતીના અશ્લી ચેનચાળા જોઈ યુવકે પણ હોસ ગુમાવી વીડિયો-કોલમાં હરકત કરી હતી.
આ અંગત પળોનું વીડિયો રેકોર્ડિંગ યુવતીના ફોનમાં થઈ ગયું હતું. તેમજ આ વીડિયો દ્વારા યુવતીએ બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કરતાં યુવક ગભરાઈ ગયો હતો. યુવકે જે નંબરથી ફોન આવ્યો હતો જે બ્લોક કરી દેતાં યુવતીએ વીડિયો વાયરલ કરી દીધો હતો. બિઝનેસમેને અન્ય કોઈ ભોગ ન બને એ માટે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે બારડોલી પોલીસમાં ફરિયાદ કરી હતી.
May 28, 2021 at 09:52PM surat
Technosv2018
May 29, 2021
વલસાડઃ શહેરના છીપવાડ વિસ્તારમાં એપાર્ટમેન્ટના ટેરસ પરથી નીચે પટકાતા યુવતીનું મોત થયું છે. યુવતીના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. છીપવાડના દાણા બજાર વિસ્તારમાં આવેલ મોટી વીલા એપાર્ટમેન્ટની ટેરેસ્ટ પરથી યુવતી નીચે પટકાતા મોત થયું છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, મોર્નીગ વોક માટે યુવતી એપાર્ટમેન્ટની ટેરેસ્ટ પર ગઈ હતી. યુવતીને ચક્કર આવી જતા એપાર્ટમેન્ટની ટેરેસ્ટ પરથી નીચે વીજ તાર પર પટકાયા બાદ જમીન પર પટકાતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ વલસાડ સીટી પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
Rajkot : યુવકની છરીના ઘા મારી હત્યા, લાશ બોક્સમાં પેક કરી રસ્તા પર ફેંકી દીધી; હત્યા પાછળ કોનો છે હાથ?
રાજકોટઃ ગોંડલ રોડ ચોકડી પાસેના રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી નજીક આવેલા નાળા પાસેથી એક મોટા બોક્સમાંથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. યુવકને સાતથી વધુ છરીના ઘા ઝીંકીને હત્યા કરાઈ છે. પોલીસ તપાસમાં મૃતક ગોકુલધામનો બૂટલેગર સંજય સોલંકી (ઉ.વ.37) હોવાનું ખુલ્યું હતું. આ હત્યા પાછળ કોઈ યુવતીનો હાથ હોવાની પોલીસને શંકા છે.
પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી નજીક નાળા પાસેથી લોહીના ડાઘવાળું શંકાસ્પદ બોક્સ મળી આવ્યું હતું. કોઈ જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી. તેમજ બોકસ ખોલ્યું તો અંદરથી પ્લાસ્ટિકના કોથળાથી વીંટાળેલી લાશ મળી હતી.
સંજય સોલંકીને છરીના ઘા ઝીંકી પતાવી દિધો હતો. મૃતકના જમણા હાથમાં ચાંદીની લક્કી અને એક બાળકનું ટેટૂં બનાવાયેલું હતું. સંજયના એક વર્ષ પહેલાં જ છૂટાછેડા થઈ ગયા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
હત્યા કર્યા બાદ હત્યારાઓ લાશ નિરાંતે બોક્સમાં પેક કરી હતી અને તેને કયાં ફેંકવી તેનો પ્લાન ઘડ્યો હોય. તેમજ હત્યારાઓ ગુનાહિત કુંડળી ધરાવતા હોવાની પણ આશંકા પોલીસે વ્યકત કરી હતી.
May 28, 2021 at 09:24PM surat
Technosv2018
May 29, 2021
સુરતમાં સતત ક્રાઈમમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુનેગારો બેફામ રીતે વર્તન કરી રહ્યાં છે. પોલીસ કર્મચારીઓ પણ કાયદાનું ઉલ્લંધન કરી રહ્યાં છે. આવામાં સામાન્ય નાગરિકોનું શું કહેવું. સુરત શહેરમાં બુટલેગરે મોડી રાત્રે લગ્નનો જમણવાર યોજ્યાની ઘટના સામે આવી છે. મોડી રાત સુધી જમણવાર ચાલ્યો હતો. સુરતમાં ખુલ્લેઆમ નાઈટ કરફ્યૂના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતની પાંડેસરા પોલીસને રાત્રે માહિતી મળી હતી કે, ડુંડી ગામમાં લગ્ન યોજાઈ રહ્યાં છે. પોલીસે ઘટના સ્થળ પર જઈને જોયું તો ત્યાં લગ્નનો જમણવાર ચાલી રહ્યો હતો. મોટાપાયે લોકો એકઠા થયા હતા. લગ્નના સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા. આ લગ્ન સમારોહનો વીડિયો પણ સામે આવ્યો છે.
આ લગ્ન સમારોહ યોજનાર બીજુ કોઈ નહિ, પણ એક લિસ્ટેડ બુટલેગર હતો. પોલીસના નાક નીચે આ બુટલેગરે લગ્નનું આયોજન કર્યું હતું. પાંડેસરા પોલીસે આ સમારોહ યોજવા બદલ 10 લોકોની અટકાયત રાત્રે કરી લીધી હતી. હવે બુટલેગરોમાં પણ સુરત પોલીસનો ડર નથી રહ્યો તેવુ લાગી રહ્યું છે. સુરત શહેરમાં સતત સામે આવી રહ્યાં છે, જે પોલીસ માટે પણ એક મોટો પડકાર બની રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પોતાના ટ્રાન્સફરની પાર્ટી યોજનાર સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ એ.પી શેલૈયાને સસ્પેન્ડ કરાયા હતા. પોતાની બદલીને લઈ ફાર્મ હાઉસમાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. તેમણે ભવ્ય કાર્યક્રમ યોજી જાહેરનામાનો ભંગ કર્યો હતો. ત્યારે સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા તેને સસ્પેન્ડ કરાયા છે.
May 28, 2021 at 04:50AM surat
Technosv2018
May 28, 2021
સુરતમાં પોલીસની (Surat Police) ડિનર પાર્ટી બાદ હવે બર્થ ડે પાર્ટીનો (Birthday Party) વીડિયો વાયરલ થયો છે.પુણાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો લોકરક્ષક દળનો જવાન કામરેજના સેવાણી ગામે માસ્ક વગર જન્મદિવસની ઉજવણી કરી નિયમોનો સત્યાનાશ કરી રહ્યો છે.મોંઘીદાટ ગાડીમાં સવાર થઈને આ લોકરક્ષક દળનો જવાન ફાર્મહાઉસમાં એંટ્રી કરે છે.આ વીડિયો વાયરલ થયા બાદ ABP અસ્મિતાએ પુણા પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે ટેલીફોનિક વાત કરી..જેમાં તેમને પણ કાર્યવાહી કરવાની સૂચના આપી હોવાની વાત કરી હતી.
May 28, 2021 at 03:44AM surat
Technosv2018
May 28, 2021
સુરતમાં રાત્રિ કર્ફ્યૂમાં ફાર્મ હાઉસમાં પીઆઇ એ.પી સલૈયાનો વિદાય સમારંભ યોજાયો હતો. વિદાય સમારંભમાં રાખવામાં આવેલા ડિનરમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા.સુરતમાં રાત્રે 8 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂ લાગુ થયો હોવા છતાં પોલીસ કર્મચારીઓએ કુમકુમ ફાર્મ હાઉસમાં પીઆઇ એ.પી.સલૈયાનો વિદાય સમારંભ યોજાયો અને કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. નાઈટ કર્ફ્યૂ દરમિયાન વિદાય સમારંભના નામે કોરોના(Corona)ના નિયમો તોડનાર સુરત(Surat)ના PIને સસ્પેન્ડ(suspend) કરી દેવાયા છે.
May 28, 2021 at 03:25AM surat
Technosv2018
May 28, 2021
સુરતમાં રાત્રિ કર્ફ્યૂમાં ફાર્મ હાઉસમાં પીઆઇ એ.પી સલૈયાનો વિદાય સમારંભ યોજાયો હતો. વિદાય સમારંભમાં રાખવામાં આવેલા ડિનરમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા.સુરતમાં રાત્રે 8 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂ લાગુ થયો હોવા છતાં પોલીસ કર્મચારીઓએ કુમકુમ ફાર્મ હાઉસમાં પીઆઇ એ.પી.સલૈયાનો વિદાય સમારંભ યોજાયો અને કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. નાઈટ કર્ફ્યૂ દરમિયાન વિદાય સમારંભના નામે કોરોના(Corona)ના નિયમો તોડનાર સુરત(Surat)ના PIને સસ્પેન્ડ(suspend) કરી દેવાયા છે.
May 28, 2021 at 02:13AM surat
Technosv2018
May 28, 2021
સુરતમાં રાત્રિ કર્ફ્યૂમાં ફાર્મ હાઉસમાં પીઆઇ એ.પી સલૈયાનો વિદાય સમારંભ યોજાયો હતો. વિદાય સમારંભમાં રાખવામાં આવેલા ડિનરમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા.સુરતમાં રાત્રે 8 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂ લાગુ થયો હોવા છતાં પોલીસ કર્મચારીઓએ કુમકુમ ફાર્મ હાઉસમાં પીઆઇ એ.પી.સલૈયાનો વિદાય સમારંભ યોજાયો અને કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. નાઈટ કર્ફ્યૂ દરમિયાન વિદાય સમારંભના નામે કોરોના(Corona)ના નિયમો તોડનાર સુરત(Surat)ના PIને સસ્પેન્ડ(suspend) કરી દેવાયા છે.
May 28, 2021 at 01:09AM surat
Technosv2018
May 28, 2021
સુરત(Surat)માં કથિત બુટલેગરે(bootlegger) લગ્નપ્રસંગ(wedding party)માં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.ડુંડી ગામના કથિત બુટલેગર કાલુના લગ્નના જમણવારનો વીડિયો વાયરલ થયો છે.લગ્નપ્રસંગના આયોજક અને નિયમોનો ભંગ કરનાર સામે પોલીસે કાર્યવાહી કરી છે.જેમાં 10 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે.
May 27, 2021 at 11:43PM surat
Technosv2018
May 28, 2021
નાઈટ કર્ફ્યૂ દરમિયાન વિદાય સમારંભના નામે કોરોના(Corona)ના નિયમો તોડનાર સુરત(Surat)ના PIને સસ્પેન્ડ(suspend) કરી દેવાયા છે. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
May 27, 2021 at 10:20PM surat
Technosv2018
May 28, 2021
સુરતમાં જાહેરમાં કેક કાપવાની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. દારૂનો ધંધા કરતા યુવાન દ્વારા જાહેરમાં કેક કટિંગનો વીડિયો વાયરલ થયો છે. હેમંત પીયો ઉર્ફે માંજરો નામના યુવાનનો વીડિયો વાયરલ થયો છે. જાહેરમાં મોડી રાતે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી.
May 27, 2021 at 05:39AM surat
Technosv2018
May 27, 2021
સુરતમાં મગરનો શ્વાનનો શિકાર કરતો એક વીડિયો સામે આવ્યો છે. મોટા વરાછાના તાપી નદી કિનારા વિસ્તારમાં એક શ્વાન પાણી પી રહ્યો હતો ત્યારે જ મગર ઓચિંતા જ શ્વાન પર સીધો હુમલો કરી દે છે અને ઉંડા પાણીમાં ખેંચીને લઇ જાય છે.
May 27, 2021 at 05:17AM surat
Technosv2018
May 27, 2021
સુરત(Surat)ના પર્વત પાટિયા(Parvat Patiya)માં ખાડી બ્રિજ તોડવાની કામગીરી અંગે સ્થાનિકોએ વિરોધ કર્યો છે.સ્થાનિકોએ મહાનગરપાલિકાના અધિકારીઓ પાસેથી નોટિસ માંગી છે.માધવબાગ સોસાયટી(Madhavbagh Society)ના રહીશોની અવર જવર માટે આ બ્રિજ બનાવાયો હતો.
May 27, 2021 at 04:22AM surat
Technosv2018
May 27, 2021
સુરતના કાપોદ્રા આત્માનંદ સરસ્વતિ કોલેજ(Kapodra Atmanand Saraswati College)ની બહાર ફી મુદ્દે વિરોધ પ્રદર્શન(Protest) કરવામાં આવ્યું છે.છાત્રાયુવા સંઘર્ષ સમિતિએ ફી મુદ્દે દબાણ કરતા હોવાના આરોપ સાથે વિરોધ કર્યો છે. કોરોનાની પરિસ્થિતિને જોતા વિદ્યાર્થીઓ ફી ભરી શકતા નથી.
May 27, 2021 at 03:13AM surat
Technosv2018
May 27, 2021
ભરુચઃ વાલિયાના હીરાપોર ગામે આડા સંબંધના વહેમમાં બે જૂથ વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો. બે જૂથ વચ્ચે મારામારીમાં 45 વર્ષના વ્યક્તિની હત્યા થઈ ગઈ હતી. જ્યારે તિક્ષણ હથિયારના ઘા વાગતા યુવતી સહિત ત્રણ ઘાયલ થયા છે. વાલિયા પોલીસે હત્યા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરત: સુરતના સલાબતપુરામાં નોંધારી સગીરા પર ખૂદ માસાએ જ વારંવાર બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવી દીધી હતી. તેમજ સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. આ કિસ્સામાં પોલીસ ફરિયાદ થતાં સગા માસાએ હવસ સંતોષી હોવાનું સામે આવતાં પોલીસે તેને જેલહવાલે કરી દીધો હતો. કેસ કોર્ટમાં ચાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
Surat : સગીરા સાથે માસાએ પરાણે વારંવાર માણ્યું શરીરસુખ, થઈ ગઈ પ્રેગ્નેન્ટ ને પછી....
14 વર્ષની કિશોરી પર દુષ્કર્મનો મામલે આરોપીને કોર્ટે આપી આજીવન કેદની સજા ફટકારી છે. એક વર્ષ પહેલાં સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં ઘટના બની હતી. માતા-પિતાના મૃત્યુ બાદ 14 વર્ષની માસુમ મજબુર હતી. કિશોરી મજૂરી કરી પેટિયું રડી ખાતી હતી. માસુમની એકલતાનો લાભ લઇ માસા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
આરોપીએ એની ઉપર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. આખી ઘટના 7 મહિના બાદ બહાર આવી હતી. માસુમ પિતરાઈ બહેનનું પેટ બહાર આવતા મામલો સામે આવ્યો હતો. પીડિત કિશોરીએ નવી સિવિલ હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપ્યો હતો.
પોલીસે DNA તપાસ કરાવી હતી. DNA રિપોર્ટ આવી ગયા બાદ આજે સુરત સેશન કોર્ટે ચુકાદો આપ્યો. આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી તેમજ 7 હજારનો દંડ ફટકાર્યો હતો. ભોગ બનનાર પીડિત કિશોરીને 10 લાખ કોમ્પોસેશન આપવા કોર્ટે જણાવ્યું હતું.
May 27, 2021 at 12:04AM surat
Technosv2018
May 27, 2021
સુરતઃ શહેરના ઉન વિસ્તારમાં પિયર આવેલી પરિણીતાને પતિએ ટ્રીપલ તલાક આપી દેતા ખળભળાટ મચી ગયો છે. પતિએ બધાની સામે ચપટી વગાડીને તલાક, તલાક, તલાક કહી દીધું હતું. આ અંગે પરિણીતાએ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, શહેરના ઉન પાટિયા વિસ્તારની 27 વર્ષીય યુવતીના વર્ષ 204માં ઉમરવાડાના ન્યૂ ટેનામેન્ટમં રહેતા અને હોટલ ચલાવતા એઝાઝઅલી સૈયદ સાથે થયા હતા. લગ્ન સંબંધથી યુવતીને બે દીકરોએ છે. જોકે, પત્નીથી પુત્રનો જન્મ ન થતાં પતિ નારાજ રહેતો હતો.
જેને કારણે પતિ પત્ની સાથે ગમે તે વાતે ઝઘડતો રહેતો હતો તેમજ એઝાઝ દારૂ પીને ઝઘડો કરતો હોય પત્ની કંટાળી ગઈ હતી. બીજી તરફ દેવાદાર બનેલો પતિ પત્નીને પિયરમાંથી રૂપિયા લાવવા દબાણ કરતો હતો. આમ વારંવાર ઝઘડાથી કંટાળી પત્ની થોડા સમય પહેલા પિયર ઉન પાટિયા જતી રહી હતી.
દરમિયાન ગત 15મી મેના રોજ એઝાઝ પોતાની સાસરીમાં આવ્યો હતો. તેમજ પરિવારના બીજા સભ્યોની હાજરીમાં પત્ની સામે ચપટી વગાડી તલાક, તલાક, તલાક કહી દીધું હતું. તેમજ તલાક આપી દીધા હોય પત્ની અને બે પુત્રીઓ સાથે કોઈ સંબંધ ન હોવાનું કહી ભાગી ગયો હતો.
આમ, પતિએ ટ્રીપલ તલાક આપી દેતાં પરિણીતાએ ગત સોમવારે સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને 2019માં બનેલા મુસ્લિમ મહિલા અધિનિયમ અંતગર્ત ફરિયાદ નોંધાવી હતી.
May 26, 2021 at 11:07PM surat
Technosv2018
May 27, 2021
સુરતમાં રાત્રિ કર્ફ્યૂમાં ફાર્મ હાઉસમાં પીઆઇ એ.પી સલૈયાનો વિદાય સમારંભ યોજાયો હતો. વિદાય સમારંભમાં રાખવામાં આવેલા ડિનરમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા.સુરતમાં રાત્રે 8 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂ લાગુ થયો હોવા છતાં પોલીસ કર્મચારીઓએ કુમકુમ ફાર્મ હાઉસમાં પીઆઇ એ.પી.સલૈયાનો વિદાય સમારંભ યોજાયો અને કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા.
May 26, 2021 at 10:34PM surat
Technosv2018
May 27, 2021
સુરત(Surat)ના ડભોલી(Dabholi)માં PI એ.પી. સલયીયાના વિદાય સમારંભ(farewell ceremony)માં કોરોના કર્ફ્યૂ હોવા છતા ફાર્મ હાઉસમાં ડિનર પાર્ટી યોજાઈ હતી. જેમાં સોશિયલ ડિસ્ટસિંગના નિયમોના ધજાગરા ઉડ્યા છે.
May 26, 2021 at 10:00PM surat
Technosv2018
May 27, 2021
સુરતમાં વરાછા(Varachha)-કતારગામ(Katargam) જ્વેલર્સ એસોસિએશને(Jewelers Association) મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.સુરતમાં જ્વેલર્સ ઉદ્યોગ માટે સવારે 10થી સાંજે 8 વાગ્યોનો સમય કરવાની આ પત્રમાં માંગ કરવામાં આવી છે.
May 26, 2021 at 02:53AM surat
Technosv2018
May 26, 2021
સુરતઃ થોડા દિવસો પહેલા તારક મહેતા ફેમ એક્ટ્રેસ મુનમુન દત્તાની ધરપકડની માંગ ઉઠી હતી. તેના પર જાતિવાચક શબ્દના પ્રયોગનો આરોપ લાગ્યો હતો. જે બાદ એક્ટ્રસ યુવિકા ચૌધરી (Yuvika Chaoudhary) પણ હવે મુશ્કેલીમાં લાગી રહી છે. ટ્વિટર પર #ArrestYuvikaChoudhary ટોપ ટ્રેન્ડ થઈ રહ્યું છે. તેના પર પર મુનમુનની જેમ જાતિસૂચક શબ્દ કહેવાનો આરોપ છે.
સુરતમાં સ્વભિમાન સંગઠન સંસ્થા દ્વારા સુરત પોલીસ કમિશ્નર અને કલેકટરને આવેદનપત્ર અપાયું હતું. અભિનેત્રી યુવિકા ચૌધરીએ વાલ્મીકી સમાજ વિશે જાતિવિષયક ટીપ્પણી કરી હતી. યુવિકા ચૌધરી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપડક કરવા માંગ ઉઠી છે. સ્વાભિમાન સંસ્થાના કિરીટ વાધેલા એ આત્મવિલોપનની કોશિશ કરી હતી. સુરત પોલીસ કચેરી બહાર આત્મ વિલોપન કરે તે પહેલાં પોલીસે અટકાયત કરી હતી. અગાઉ મુનમુન દત્તા સામે આમરણાત ઉપવાસ કરી વિરોધ નોંધાવ્યો હતો.
તેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એકટ્રેસની સાથે વીડિયોમાં પ્રિંસ પણ નજરે પડી રહ્યો છે. વીડિયોમાં યુવકી કહી રહી છે કે, જ્યારે પણ હું બ્લોગ બનાવું છું તો શું હંમેશા ભંગીઓની જેમ ઉભી રહી જાવ છું. હું મારી જાતને યોગ્ય રીતે બતાવી શકું તેટલો સમય મળતો નથી. તેનો ભંગી શબ્દ બોલવું લોકોને પસંદ ન પડ્યું અને દલિત સમુદાય માટે આવા શબ્દનો ઉપયોગ કરવા પર લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કર્યુ હતું.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ ફેમ અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) ઉર્ફે બબિતા સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં એટ્રોસિટી એક્ટ (Atrocity Act) મુજબ ગુનો નોંધાયો છે. સોશિયલ મીડિયામાં મુનમુન દત્તાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેણે વાલ્મિકી સમાજની લાગણી દુભાય તેવા શબ્દનો પ્રયોગ કર્યો હતો. આ અંગે સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. ખોખરા પોલીસે અરજીની તપાસ બાદ મુનમુન દત્તા ઉર્ફે બબિતા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Technosv2018
May 26, 2021
સુરતઃ શહેરના 30 વર્ષીય બિઝનેસમેનને તેના અશ્લીલ ફોટા વાયરલ કરી દેવાની ધમકી મળી હતી. આ સાથે તેને ત્રણ અશ્લીલ ફોટોગ્રાફ સેન્ડ કર્યા હતા. બિઝનેસમેન ફોટા જોઇનો ગભરાઈ ગયો હતો અને તેણે સાઇબર ક્રાઇમમાં આ મુદ્દે ફરિયાદ નોંધાવી હતી.
બિઝનેસમેનની ફરિયાદને આધારે સાઇબર ક્રાઇમે તપાસ કરતાં મેસેજ મોકલનારનું નામ જાણીને ચોંકી ઉઠી હતી. કારણ કે, આ બીજું કોઈ નહીં, પરંતુ ખૂદ બિઝનેસમેનની જ હતી. બિઝનેસમેન અને તેની પત્ની વચ્ચે ઝઘડો ચાલું હતું, જેને કારણે તે પિયર ચાલી ગઈ હતી. એટલું જ નહીં, વાત છૂટાછેડા સુધી પહોંચી જતાં ખૂદ પત્નીએ પતિ સામે ગુસ્સો કાઢવા આ કામ કર્યું હતું.
યુવતીએ સોશિયલ મીડિયા પર 3 બોગસ એકાઉન્ટ બનાવી પતિને તેના અશ્લીલ ફોટા સાથે મેસેજ મોકલ્યો હતો. આ મેસેજ જોઇને બિઝનેસમેન ચોંકી ગયો હતો અને ફોટા વાયરલ થાય તો સમાજમાં બદનામી થવાનો પણ ડરી લાગી રહ્યો હતો.
આથી બિઝનેસમેને આ મામલે પોલીસની મદદ લીધી હતી અને સાઇબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી. પોલીસે તપાસ કરતાં ખૂદ તેની પત્ની જ નીકળી હતી. યુવતીએ ગુસ્સામાં આવી અશ્લી ફોટોગ્રાફ મૂક્યા હોવાનું પોલીસ સમક્ષ રટણ કર્યું હતું. બિઝનેસમેનના 5 વર્ષ પહેલા લગ્ન થયા હતા. જોકે, લગ્ન પછી અણબનાવને કારણે ઝઘડો થતો હતો, જેને કારણે પત્ની 3 વર્ષથી પિયરમાં રહે છે.
May 26, 2021 at 01:35AM surat
Technosv2018
May 26, 2021
સુરત(Surat)માં કોરોના(corona)ના કારણે બંધ કરાયેલી BRTS બસ સેવા(BRTS bus service) ફરી શરૂ કરવામાં આવશે.પાંચ રૂટ પર બસો શરૂ કર્યા બાદ આજથી ફરી બીજા ત્રણ રૂટ પર 60 બસો શરૂ કરવામાં આવશે.કુલ 143 બસો અલગ અલગ રૂટ પર આજથી દોડતી થઈ છે.
May 26, 2021 at 01:04AM surat
Technosv2018
May 26, 2021
સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ (Surat VNSGU) નવું શૈક્ષણીક વર્ષ શરૂ કરવાની કવાયત હાથ ધરી છે. વેકેશન ખૂલતાની સાથે જ સેમેસ્ટર 3-5ની નવી ટર્મ શરૂ કરાશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓની ફીના (Fee) કુલ 90 ટકા ટોકન સ્વરૂપે લેવાના રહશે.
May 25, 2021 at 11:36PM surat
Technosv2018
May 26, 2021
સુરતઃ કોરોનાના કેસમાં ઘટાડો થતા ગત સપ્તાહે રાજ્ય સરકારે આજથી મોટા ભાગના વેપાર, ધંધા અને દુકાનોને સવારે નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી વેપાર ધંધા શરૂ કરવાની છુટ આપવાનો નિર્ણય કર્યો હતો. રાજ્ય સરકારે તમામ 36 શહેરોમાં છુટ આપવાનો નિર્ણય કર્યો હતો.. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે રાજ્યના કોરોના કર્ફ્યુ હેઠળના તમામ 36 શહેરોમાં 27 મે સુધી નાઈટ કર્ફ્યુ તો યથાવત જ રહેશે. પરંતુ સવારના નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી વેપાર ધંધા શરૂ રહેશે.
રાજ્ય સરકાર દ્વારા આંશિક લોકડાઉનમાં આપવામાં આવેલી છૂટછાટ સુરતના જ્વેલર્સને કામમાં નથી આવી રહી. જેને લઈ વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી સમય ફેરફાર કરવા માંગ કરવામાં આવી છે. જેમાં જ્વેલર્સ ઉદ્યોગની ગાડી ફરીથી પાટા પર ચડી શકે તે માટે સવારે 9 થી 3ના સમય ના બદલે સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધી સમય કરવામાં આવે તેવી માંગ કરવમાં આવી છે.
પત્રમાં લખવામાં આવ્યા મુજબ, જ્વેલર્સ કે ગોલ્ડ ખરીદવા માટે મોટાભાગે લોકો બપોર બાદ આવતા હોય છે.
વર્તમાન સમય બપોરે 3 વાગ્યે જ્વેલર્સ બંધ કરી દેવામાં આવે છે, જેનાથી જ્વેલરી ઉદ્યોગ ખુબજ પ્રભાવિત છે.
ઉપરાંત સોનાના ભાવનું માર્કેટ બપોરે 12 વાગ્યે ખુલે છે. જેથી સમયમાં ફેરફાર કરવાની માંગ જ્વેલર્સ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં છેલ્લા ૧૩ દિવસથી કોરોનાના કેસમાં થઇ રહેલો સતત ઘટાડાનો ક્રમ આખરે અટક્યો છે. મંગળવારે કોરોનાના ૩,૨૫૫ નવા કેસ નોંધાયા હતા, જ્યારે ૪૪ના મૃત્યુ થયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૭,૯૪,૯૧૨ જ્યારે કુલ મરણાંક ૯,૬૬૫ છે. હાલમાં ૬૨,૫૦૬ એક્ટિવ કેસ છે જ્યારે ૬૦૩ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૯,૬૭૬ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ વધીને હવે ૯૦.૯૨% થઇ ગયો છે. બરાબર ૧૦ દિવસ અગાઉ રાજ્યમાં ૧,૦૪,૯૦૮ એક્ટિવ કેસ હતા. આમ, એક્ટિવ કેસમાં ૪૦%નો ઘટાડો નોંધાયો છે. અત્યારસુધી કુલ ૭,૨૨,૭૪૧ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે. વધુ ૯૯,૬૦૦ સાથે કુલ ટેસ્ટનો આંક ૨.૧૦ કરોડ છે. હાલમાં ૩,૧૦,૨૦૭ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
May 25, 2021 at 10:55PM surat
Technosv2018
May 26, 2021
સુરતઃ અમરોલીમાં પતિથી અલગ રહેતી યુવતીને લોન એજન્ટે પ્રેમજાળમાં ફસાવી હતી. યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને તેના જ ઘરમાં વારંવાર શરીરસુખ માણ્યું હતું. જોકે, યુવતીએ લગ્ન માટે જીદ કરતા યુવકે પોત પ્રકાશ્યું હતું અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ અંગે યુવતીએ પોલીસ ફરિયાદ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, 2 સંતાનોની માતા એવી 33 વર્ષીય પરિણીત યુવતી અમરોલીમાં વિસ્તારમાં રહેશે. પતિથી અલગ રહેતી યુવતી ત્રણ મહિના અગાઉ લોનના કામથી એક એજન્ટના સંપર્કમાં આવી હતી. લોનના કામથી વારંવાર મળવાનું થતા યુવતી તેના તરફ આકર્ષાઇ હતી. યુવકે પણ યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે સંબંધ આગળ વધાર્યા હતા.
બંને પરિણીતાના ઘરમાં જ રંગરેલિયા મનવતા હતા. છેલ્લા ત્રણ મહિનાથી બંનેએ પરિણીતાના ઘરમાં જ વારંવાર શરીરસુખ માણ્યું હતું. યુવકે પોતે પણ પત્નીથી અલગ રહેતો હોય, તેને છૂટાછેડા આપી પ્રેમિકા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. જેને કારણે યુવતીએ પણ પ્રેમીને પોતાનું સર્વસ્વ આપી દીધું હતું. જોકે, ત્રણ મહિના સુધી વારંવાર શરીરસુખ માણ્યા પછી યુવકે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.
જોકે, પરિણીતાએ લગ્ન કરવાની જીદ કરતા પ્રેમી ઉશ્કેરાઇ ગયો હતો. તેમજ યુવતીને ગાળાગાળી કરી સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી હતી અને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. આમ, પોતાની સાથે દગ્ગો થતા પરિણીતાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
સુરતઃ સગીરા સાથે માસાએ પરાણે વારંવાર માણ્યું શરીરસુખ, થઈ ગઈ પ્રેગ્નેન્ટ ને પછી....
સુરત: સુરતના સલાબતપુરામાં નોંધારી સગીરા પર ખૂદ માસાએ જ વારંવાર બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવી દીધી હતી. તેમજ સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. આ કિસ્સામાં પોલીસ ફરિયાદ થતાં સગા માસાએ હવસ સંતોષી હોવાનું સામે આવતાં પોલીસે તેને જેલહવાલે કરી દીધો હતો. કેસ કોર્ટમાં ચાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
14 વર્ષની કિશોરી પર દુષ્કર્મનો મામલે આરોપીને કોર્ટે આપી આજીવન કેદની સજા ફટકારી છે. એક વર્ષ પહેલાં સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં ઘટના બની હતી. માતા-પિતાના મૃત્યુ બાદ 14 વર્ષની માસુમ મજબુર હતી. કિશોરી મજૂરી કરી પેટિયું રડી ખાતી હતી. માસુમની એકલતાનો લાભ લઇ માસા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
આરોપીએ એની ઉપર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. આખી ઘટના 7 મહિના બાદ બહાર આવી હતી. માસુમ પિતરાઈ બહેનનું પેટ બહાર આવતા મામલો સામે આવ્યો હતો. પીડિત કિશોરીએ નવી સિવિલ હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપ્યો હતો.
પોલીસે DNA તપાસ કરાવી હતી. DNA રિપોર્ટ આવી ગયા બાદ આજે સુરત સેશન કોર્ટે ચુકાદો આપ્યો. આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી તેમજ 7 હજારનો દંડ ફટકાર્યો હતો. ભોગ બનનાર પીડિત કિશોરીને 10 લાખ કોમ્પોસેશન આપવા કોર્ટે જણાવ્યું હતું.
May 25, 2021 at 09:31PM surat
Technosv2018
May 26, 2021
સુરત: સુરતના સલાબતપુરામાં નોંધારી સગીરા પર ખૂદ માસાએ જ વારંવાર બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવી દીધી હતી. તેમજ સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. આ કિસ્સામાં પોલીસ ફરિયાદ થતાં સગા માસાએ હવસ સંતોષી હોવાનું સામે આવતાં પોલીસે તેને જેલહવાલે કરી દીધો હતો. કેસ કોર્ટમાં ચાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
14 વર્ષની કિશોરી પર દુષ્કર્મનો મામલે આરોપીને કોર્ટે આપી આજીવન કેદની સજા ફટકારી છે. એક વર્ષ પહેલાં સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં ઘટના બની હતી. માતા-પિતાના મૃત્યુ બાદ 14 વર્ષની માસુમ મજબુર હતી. કિશોરી મજૂરી કરી પેટિયું રડી ખાતી હતી. માસુમની એકલતાનો લાભ લઇ માસા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
આરોપીએ એની ઉપર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. આખી ઘટના 7 મહિના બાદ બહાર આવી હતી. માસુમ પિતરાઈ બહેનનું પેટ બહાર આવતા મામલો સામે આવ્યો હતો. પીડિત કિશોરીએ નવી સિવિલ હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપ્યો હતો.
પોલીસે DNA તપાસ કરાવી હતી. DNA રિપોર્ટ આવી ગયા બાદ આજે સુરત સેશન કોર્ટે ચુકાદો આપ્યો. આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી તેમજ 7 હજારનો દંડ ફટકાર્યો હતો. ભોગ બનનાર પીડિત કિશોરીને 10 લાખ કોમ્પોસેશન આપવા કોર્ટે જણાવ્યું હતું.
અમદાવાદઃ શહેરમાં યુવકોને હાઈપ્રોફાઇલ યુવતીઓ સાથે શરીરસુખ માણી પૈસા કમાવાની લાલચ આપીને છેતરપિંડી કરતી ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. લોકોને બોડી મસાજના નામે શારીરિક સુખ આપવાના બહાને પૈસા પડાવતી ટોળકીની ધરપકડ કરી છે. સાઇબર ક્રાઇમે બે યુવતી સહિત 6ની ધરપકડ કરી છે.
ન્યૂ રાણીપના યુવક સાથે છેતરપિંડી મામલે સાયબર ક્રાઇમે કાર્યવાહી કરી છે. સાયબર ક્રાઈમે બે આરોપીની આવા જ ગુનામાં પકડ્યા હતા. પૂછપરછમાં અગાઉ તેની સાથે કામ કરતી બે યુવતી અને અન્ય યુવકો સાથે મળી હાઈપ્રોફાઇલ યુવતીઓ સાથે શરીરસુખ માણવાની લાલચ આપી પૈસા ભરાવી છેતરપીંડી કરતા હતા.
સાઇબર ક્રાઈમે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી લાવેલા સહદેવસિંહની પૂછપરછ કરતા બંને યુવતીઓ લોકો સાથે મીટીંગ કરી લોકોને જાળમાં ફસાવતા હતા અને તેમને પૈસા ભરાવતા હતા. કેતન પટેલ નામના વ્યક્તિનું ખોટું આધાર કાર્ડ બનાવી અને PNB બેકમાં ખાતું પણ ખોલાવ્યુ હતું જેમાં પૈસા ભરાવતાં હતા. કેતન પટેલના નામે ફિંગર પ્રિન્ટ, આઇ સ્કેન, બેકમાં ખોટો ફોટો વગેરે કરનાર હર્ષ જોશી, દાનીશ પઠાણ અને અલ્લારખાં શેખની પણ ધરપકડ કરી છે.
ન્યુ રાણીપમાં રહેતો 19 વર્ષીય યુવક ન્યુઝ પેપરમાં હેપ્પી કંપનીની એક જાહેરાત વાંચી હતી, જેમાં છોકરા અને છોકરીઓ જોઇએ છે અને રૂ.20 હજાર સુધી કમાવવાની તક જેવી જાહેરાત વાંચી હતી. જાહેરાતમાં આપેલા નંબર પર યુવકે ફોન કર્યો હતો. બીજી તરફથી કંપનીના ક્લાયન્ટને બોડી મસાજની જગ્યાએ તેમની સાથે શરીરસુખ માણવાનું રહેશે અને ક્લાયન્ટ જે પૈસા આપે એમાં 20 ટકા કંપનીને આપવાના રહેશે, જેના બદલામાં ક્લાયન્ટ તમને પૈસા આપશે, તેમ કહેવામાં આવ્યું હતું.
વાત કરી રહેલી વ્યક્તિએ હાઈપ્રોફાઇલ યુવતીઓ સાથે બોડી મસાજની જગ્યાએ શરીરસુખ માણવાનું જણાવાયું હતું. એટલું જ નહીં યુવને આ સ્કીમમાં અલગ અલગ ચાર પ્લાન જણાવ્યા હતા. પ્લાન પંસદ આવતા રૂ.12500 ભરવાના રહેશે, તેમ જણાવ્યું હતું. યુવકે એક પ્લાન પસંદ કરી ઓનલાઈન પૈસા ભર્યા હતા.
આ પછી અલગ અલગ નંબર પરથી નોકરી અંગેની પ્રોસેસીંગ ફી સહીતની ફી પેટે રૂ.39 હજાર ભરાવડાવ્યા હતા. બધી પ્રોસેસ પૂરી થયા પછી યુવકે આવેલા નંબરો પર ફોન કર્યા તો તેમનો નંબર બ્લોક લિસ્ટમાં નાખી દીધો હોવાનું જાણવા મળ્યુ હતું. જેથી જાણ થઈ કે નોકરી આપવાનું કહીને તેમની પાસેથી રૂ.39000 ભરાવી વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી.
May 25, 2021 at 08:38PM surat
Technosv2018
May 26, 2021
સુરતમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં પાલિકાએ તબક્કાવાર રીતે બીઆરટીએસ બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પહેલા પાંચ રૂટ પર 83 બસો શરૂ કર્યા બાદ હવે બીજા 3 રૂટ પર 60 બસો શરૂ કરવામાં આવી છે. સવારે 6.30 વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી આઠ રૂટ પર 143 બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. સુરતમાં કોરોના સંક્રમણ વધતાં સીટી અને બીઆરટીએસ બસ સેવા 17 માર્ચથી બંધ કરી હતી. પરંતુ હાલ કોરોના કેસો અંકુશમાં આવતા આઠ રૂટ પર 143 બીઆરટીએસ બસ દોડશે. આ નિર્ણયના કારણે સુરતીઓને થોડી રાહત થઈ છે.
તો આ તરફ અમદાવાદ શહેર. જ્યાં AMTS અને BRTS બસ સેવા ફરી શરૂ કરવા માટે હજુ સુધી નથી લેવાયો કોઈ નિર્ણય. જો કે, આ મહિનાના અંત સુધીમાં AMTS અને BRTS બસ દોડી શકે છે.
દોઢ મહિનાથી અમદાવાદ શહેરમાં AMTS અને BRTS બસના થંભી ગયા છે પૈડા. એવામાં કોરોનાનું સંક્રમણ ઘટતા AMTS-BRTS બસ સેવા ફરી શરૂ થાય તેવી સંભાવના છે. 50 ટકા મુસાફરોની ક્ષમતા સાથે ફરીથી બસ સેવા શરૂ કરાય તેવી સંભાવના છે. દિવસમાં બે વખત બસને સેનેટાઈઝ કરાઈ શકે છે. તો બસની ટ્રીપ પહેલાં ડ્રાઈવર અને કંડક્ટરને થર્મલ સ્ક્રીનિંગ ચકાસણી બાદ જ બંસ હંકારવા સુધીની ગાઈડલાઈન બહાર પડાઈ શકે છે. માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયાથી AMTS અને BRTS બસ બંધ હોવાથી અમદાવાદ મનપાને થઈ રહ્યું છે મોટું આર્થિક નુકસાન.
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક રહી હતી. જોકે, છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ હોસ્પિટલમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ડિસ્ચાર્જ થઈ રહ્યા છે, જેને કારણે એક્ટિવ કેસોમાં મોટો ઘટાડો થયો છે. ગુજરાતમાં ગઈકાલે 9676 દર્દીઓએ કોરોનાને માત આપીને સાજા થયા હતા. જ્યારે 3250 દર્દીઓ સંક્રમિત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 44 દર્દીઓના મોત નીપજ્યા હતા.
અમદાવાદ શહેરની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 3204 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. જ્યારે 491 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. સુરત ગ્રામ્યમાં 210 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 197 લોકોને ચેપ લાગ્યો હતો. સુરત શહેરમાં 306 દર્દીઓ કોરોનાથી સાજા થયો તો 226 લોકો થયા સંક્રમિત.
May 25, 2021 at 07:08PM surat
Technosv2018
May 26, 2021
Technosv2018
May 26, 2021
સુરત મહાનગર પાલિકાએ કોવિડ હેલ્થ કાર્ડ લોન્ચ કર્યું છે. SMC ગુજરાતની પ્રથમ પાલિકા છે જેણે આ પ્રકારના કાર્ડ લોન્ચ કર્યા છે. ૮ ઝોનમાં 1 લાખ કાર્ડ બનાવવામાં આવ્યા છે.
May 25, 2021 at 03:56AM surat
Technosv2018
May 25, 2021
સુરત(Surat)માં કોરોના(Corona)ના પોલીસકર્મી(Policeman)ઓ કોરોનાના સકંજામાં આવી રહ્યાં છે. અહીંયા ટ્રાફિક પોલીસ સહિત કુલ 100 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. વર્ષ 2021માં કુલ 461 પોલીસકર્મી કોરોનાનો ભોગ બન્યા છે.
May 25, 2021 at 03:34AM surat
Technosv2018
May 25, 2021
તાપીઃ ગત 11મી એપ્રિલે ખાનપુર ગામમાંથી પસાર થતી કેનાલમાંથી 32 વર્ષીય યુવકની લાશ મળવા મુદ્દે ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવકનું અકસ્માતે મોત નહીં, પરંતુ હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. ગત 11મી એપ્રિલે દુમદા ગામના રાજેશ ગામીતની લાશ મળી આવી હતી. પીએમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
આડા સબંધમાં રાજેશ ગામીતની હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મુખ્ય આરોપીની પુત્રવધુ સાથે મારનારના સબંધ હોઇ જેને લઈ 3 લાખમાં સોપારી આપી હોવાનું બહાર આવ્યું છે. વ્યારા પોલીસે સોપારી આપનાર મહિલા સહિત 4 આરોપીની અટક કરી એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.
સોનગઢ તાલુકાના દુમદા ગામના 32નો વર્ષીય રાજેશ જયંતીભાઈ ગામીત પત્ની તેમજ તેના બે સંતાનો સાથે રહે છે. મરનારને ગામની એક વિધવા સાથે 10 વર્ષથી અનૈતિક સંબંધ હતા. વિધવાના સાસુને પણ આ અંગે ખબર પડી ગઈ હતી અને તેમણે અનેકવાર રાજેશને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દુમદામાં જ રહેતો ગુરુજી ઉર્ફે ગુલાબ ઉર્ફે ગુલીયો રામુભાઈ ગામીત પણ રાજેશની હત્યાના દિવસથી ગુમ હતો. આ બંને સામે મૃતક યુવકના પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે .
વ્યારા પોલીસના જણાવ્યા મુજબ મૃતક ગુમ થયાના બે દિવસ બાદ તેની લાશ પાણીમાં મળી હતી. એના વિશેરા સહિત તમામ જરૂરી નમૂનાઓ સુરત ખાતે મોકલ્યા હતા અને પીએમ રિપોર્ટ 22 તારીખે આવ્યો હતો. જે બાદ પરિવાર ને જાણ કરી હત્યાનો ગુનો દાખલ કરાયો છે.
ગત 9 એપ્રિલે રાતે રાજેશભાઈને કોઈનો ફોન આવ્યો હતો. જે બાદ રાજેશ પરિવારજનોને કહ્યું કે હું ખેતરમાં મોટર ચાલુ કરીને થોડીવારમાં આવું છું એમ કહી પોતાની એકટીવા લઈને નીકળી ગયા હતા અને રાત્રે પરત ફર્યા ન હતા. પરિવાર દ્વારા તેની શોધખોળ બાદ પણ કોઇ ભાળ મળી ન હતી. જે બાદ વાઘનેરા ગામની સીમમાં રાજેશભાઈની એકટીવા મળી હતી.
આ પછી 11 એપ્રિલે સવારે ખાનપુર પાસે નદી ઉપર આવેલા અન્ડર બ્રીજ પાસે પાણીમાં લાશ મળી આવી આવી હતી. વ્યારા પોલીસે અકસ્માત મોતની નોંધ લઇને લાશ કબ્જો લઈને પીએમ માટે મોકલી આપ્યા. જે પીએમ રિપોર્ટ ગત 23મી મેએ વ્યારા પોલીસને મળ્યો હતો. જેમાં મરનાર રાજેશને કોઈએ હથિયાર વડે માથાના ભાગે બે જીવલેણ ઘા અને ગળાના ભાગે જીવલેણ મારી મોત નિપજાવી હોવાનું જાણવા મળ્યું હતું. હત્યામાં શકદાર તરીકે દુમડા ગામના એક પુરુષ અને મહિલા નામ નોંધાવી દીધા હતા. સમગ્ર પ્રકરણ વ્યારા પોલીસે તપાસ હાથ ધરી હતી.
May 24, 2021 at 02:27AM surat
Technosv2018
May 24, 2021
સુરતઃ પારડીનો યુવક અઘોરી બનવા માટે પત્ની તરફ ઉપેક્ષા રાખવા લાગ્યો હતો અને તેને શરીરસુખ પણ આપતો નહોતો. જેને કારણે બંને વચ્ચે તકરાર પણ થતી હતી. આમ છતાં પતિએ ઉપેક્ષા ચાલુ રાખતા પત્નીએ પરપરુષ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેઓ રોજ ખુલ્લેઆમ રંગરેલિયા મનાવતા હતા. જોકે, પતિને શંકા જતાં તેણે પીછો કરીને બંનેને રંગેહાથ પકડી લીધા હતા.
કપરાડા તાલુકાના પરણીત અને બે સંતાનાના પિતા તેમજ પારડીની પરણીત યુવતી વચ્ચે છેલ્લા એક વર્ષથી આડાસંબંધ હતા. આ અનૈતિક સંબંધો અંગે પતિને ખબર પડતી જતા પતિએ બંનેનું રવિવારે અપહરણ કર્યું હતું અને અર્ધનગ્ન કરીને લાકડા સાથે બાંધી દીધા હતા તેમજ ઢોર માર માર્યો હતો. પત્ની અને તેના પ્રેમીને માર મારતો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વીડિયો અને ફોટા વાયરલ થઈ જતાં પ્રેમીના પરિવારને પણ આ અંગે જાણ થઈ ગઈ હતી. જેથી તેઓ તાત્કાલિક પુરુષને જ્યાં રાખ્યો હતો, ત્યાં પહોંચી ગયા હતા. તેમજ ઘાયલ પુરુષને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. જ્યારે પરિણીતાને પણ 108માં નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, પારડીના યુવકને લગ્ન ભોગ બનનાર યુવતી સાથે લગ્નથી એક પુત્ર અને પુત્રી છે. યુવક ખેતરમાં કામ કરે છે. જોકે, છેલ્લા એક વર્ષથી તે કોઈ અઘોરીના સંપર્કમાં આવ્યો હતો. તેમજ ત્યારથી તેની સાથે ફરવા લાગ્યો હતો. અઘોરી બનવા માટે તે પત્ની સાથે નહીં સૂવાનું અને શારીરિક સંબંધથી દૂર રહેવા જેવી કડક શરતોને પગલે તે પત્નીથી દૂર રહેવા લાગ્યો હતો.
બીજી તરફ પત્નીએ શારીરિક જરૂરિયાત પુરી કરવા માટે પતિ સાથે તકરાર પણ કરતી હતી. જોકે, પતિ તેનાથી દૂર રહેવા લાગ્યો હતો. પતિની ઉપેક્ષાને પગલે પત્ની અન્ય પુરુષ તરફ વળી હતી. તે બે સંતાનોના પિતા એવા પુરુષના પ્રેમમાં પડી હતી. તેમજ તેની સાથે પોતાની શારીરિક જરૂરિયાતો પૂરી કરવા લાગી હતી. તે ઘરેથી રોજ બહાના બનાવીને પ્રેમી સાથે જતી રહેતી હતી અને પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધતી હતી. બીજી તરફ પતિને પત્ની પર શંકા પડવા લાગી હતી.
પરિણીતા અને તેનો પ્રેમી રોજ ખુલ્લેઆમ રંગરેલિયા મનાવતા હતા તેમજ પ્રેમી તો પ્રેમિકાને રાખવા પણ તૈયાર થઈ ગયો હતો. દરમિયાન રવિવારે બંને કપપરાડના બાલચોંઢી ગામે ખુલ્લા મેદાનમાં કામક્રિડામાં મસ્ત હતા, ત્યારે જ પતિ પત્નીનો પીછો કરતો ત્યાં આવી પહોંચ્યો હતો અને બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પતિ બંનેને બાઇક પર બેસાડી તેના ગાામ લઈ આવ્યો હતો અને પોતાના ઘરની બહાર લાકડાના થાંભલા સાથે બાંધી બંનેને અર્ધનગ્ન કરી નાંકઅયા હતા. તેમજ બંને બધાની નજર સામે જ ફટકાર્યા હતા. આ ઘટના જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેમાંથી કોઈએ બંનેના ફોટા અને વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા.
જે ફોટા પુરુષના પરિવારને મળતાં તેઓ દોડી આવ્યા હતા અને તેને હોસ્પિટલ ખસેડ્યો હતો. બીજી તરફ યુવતીને પણ નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, ગઈ કાલે સાંજ સુધી સત્તાવાર રીતે કોઈ ફરિયાદ થઈ નહોતી.
May 24, 2021 at 01:55AM surat
Technosv2018
May 24, 2021
સુરતમાં કોરોના વાયરસ બાદ હવે મ્યુકર માઇકોસિસનો કહેર વધી રહ્યો છે.સુરત સિવિલ હૉસ્પિટલમાં મ્યૂકર માઈકોસિસના નવા પાંચ અને સ્મીમેર હૉસ્પિટલમાં નવા સાત કેસ નોંધાયા છે. અને હાલ સિવિલમાં 111 દર્દીઓ દાખલ છે તો સ્મીમેરમાં 42 દર્દી સારવાર હેઠળ છે. જો કે સુરત સિવિલમાં કુલ 125 અને સ્મીમેરમાં કુલ 130 કેસ નોંધાયા છે. સિવિલ હોસ્પિટલમાં હાલ દાખલ 101 પૈકી 43 દર્દીની આંખો પર ગંભીર અસર જોવા મળી છે....
May 23, 2021 at 06:56AM surat
Technosv2018
May 23, 2021
સુરતના વાલીઓએ માંગ કરી હતી કે સરકાર વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી ફી નક્કી કરે. વાલીઓએ કહ્યું હતું કે, હાલમાં સ્કૂલોમાં આડેધડ ફી લેવામાં આવે છે. કોરોના કાળમાં વાલીઓની આર્થિક સ્થિતિ નબળી છે. હાઇકોર્ટના દિશા નિર્દેશ અનુસાર ફીનું સ્ટ્રક્ચર સરકાર નક્કી કરે.
May 23, 2021 at 05:46AM surat
Technosv2018
May 23, 2021
સુરતમાં (Surat) મ્યુકરમાઇકોસિસના (mucomycosis) દર્દીઓનો વ્યાપ વધી રહ્યો છે. નવી સિવિલ અને સ્મીમેરમાં (New Civil, Schmeier) કુલ 153 કેસ દાખલ કરાયા છે. અત્યાર સુધી 13 દર્દીઓના મોત થયા છે.
May 23, 2021 at 03:43AM surat
Technosv2018
May 23, 2021
સુરતઃ સુરતમાં ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાએ કોવિડ સેન્ટરમાં કોરોના દર્દીને લાગવાયેલી બોટલમાં ઇન્જેક્શન લગાવતા વિવાદ સર્જાયો છે. માત્ર ચાર ચોપડી પાસ કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાએ કોવિડ કેર સેંટરમાં પહોંચી આઈવીલાઈનમાં ઈન્જેક્શન ભર્યું હતું. તેમને ન તો કોઈ નર્સિંગનો અનુભવ છે કે ન તો ચિકિત્સાની ડિગ્રી. ત્યારે સવાલ એ છે કે નેતાજી ઈન્જેક્શન કઈ રીતે આપી શકે. જોકે આ બાબતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું કહેવું છે કે પ્રશિક્ષિત વ્યક્તિ જ ઇન્જેક્શન મૂકી શકે છે જ્યારે ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા એ કહ્યું કે તેમને માત્ર સેવા કરી છે. જો આવું કરવું ખોટું હોય તો દિલગીરી વ્યક્ત કરું છું
સુરત કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાએ કોરોના દર્દીને રેમડેસિવિરનું ઇન્જેક્શન આપતા હોવાનો વીડિયો વાઇરલ થતા ભારે હોબાળો મચ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીને જાતે રેમડેસિવિરનું ઇન્જેક્શન ચઢાવેલ બોટલમાં આપ્યું હતું. જેનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયો પરથી ચર્ચા ચાલી રહી છે કે, કોરોના દર્દી ભાજપના નેતા માટે મજાક સમાન છે અને વી.ડી.ઝાલાવાડિયાને ધારાસભ્ય તરીકે જે ગંભીરતા હોવી જોઈએ તે ગંભીરતા તેમનામાં જોવા મળી નથી.
સુરતના કામરેજ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. સરથાણા વિસ્તારમાં ભાજપના નેતાઓ દ્વારા આઇસોલેશ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા દર્દીને પોતે રેમડેસિવિર ઇન્જેક્શન આપતા વીડિયોમાં દેખાયા હતા. એક ધારાસભ્ય તરીકે જે ગંભીરતા હોવી જોઈએ તે ગંભીરતા તેમનામાં જોવા મળી નથી. પોતે જાતે ઇન્જેક્શન દર્દીને આપી રહ્યા છે ત્યાં તમામ મેડિકલ સ્ટાફ ઉપસ્થિત હોવા છતાં પણ તેમણે પોતાની મનમાની કરી હોય તેવું લાગી રહ્યું છે. વીડિયોમાં જોવા મળ્યા પ્રમાણે ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા ઇન્જેક્શન સલાઈનમાં નાખે છે. ત્યારે તેમની આસપાસના તેમના સમર્થકો જે પ્રકારે હસતા ઉભા રહ્યા છે તે જોતા એવું લાગે છે કે જાણે તેમના માટે આ તમામ પ્રક્રિયા મજાકના ભાગ સમાન છે. એક ધારાસભ્ય તરીકે હસતા હસતા જાણે મજાક ઉડાવતા હોય તેમ રેમડેસિવિર જેવા ઇન્જેક્શન દર્દીને આપવું એ કેટલું જોખમી છે. જોકે આ બાબતે ABP અસ્મિતા એ IMA સુરત ને આ બાબતે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે માત્ર પ્રશિક્ષિત વ્યક્તિ જ ઇન્જેક્શન આપી શકે છે.
જોકે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાનો વાયરલ થયેલા વીડિયોને લઈને હવે તમામ લોકો ટીકા કરી રહ્યા છે. ભાજપ સમગ્ર ઘટનાક્રમને ખૂબ હળવાશથી લઇ રહી છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે સેન્ટરમાં દર્દીઓને આપવામાં આવતી સારવાર તેમના માટે માત્રને માત્ર ઔપચારિકતા પૂર્ણ કરવા જેવી છે.જોકે આ બાબતે ધારસભ્ય વી.ડી ઝાલાવડીયા એ એબીપી અસ્મિતા સાથે વાતચીત કરતા પોતાનો બચાવ કર્યો હતો.અને જણાવ્યું હતું કે ઇન્જેક્શન આપવું એ માત્ર સેવા છે.મેં કોઈ દર્દીને ઇન્જેક્શન નથી આપ્યું બાટલો.બંધ હતો એમાં.ઇન્જેક્શન આપ્યું છે.
Technosv2018
May 23, 2021
ભારતીય જૈન સંઘ દ્વારા ઓક્સિજન બેન્ક, ડોક્ટર ઓન કોલ અને ઓક્સિજન મોબાઇલ વાનનો શુભારંભ કરાયો. કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે આજે 40 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન આપવામાં આવ્યા હતા.ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. મ્યુકરમાઇકોસિસની સારવાર માટેના ઇન્જેક્શનની ગુજરાતમાં અછત છે ત્યારે સીઆર પાટીલે દાવો કર્યો હતો કે તેમણે ઇન્જેક્શનની અછતને લઇને વડાપ્રધાન મોદી સમક્ષ રજૂઆત કરી હતી. હવે લોકોને ઇન્જેક્શનની અછત નહીં રહે.
May 22, 2021 at 10:57PM surat
Technosv2018
May 23, 2021
સુરતના કોવિડ કેર સેંટરમાં રેમડેસિવિર ઈંજેક્શન ભરી રહેલા આ નેતાજી છે ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા. માત્ર ચાર ચોપડી પાસ કામરેજના આ ધારાસભ્યએ કોવિડ કેર સેંટરમાં પહોંચી આઈવીલાઈનમાં ઈંજેક્શન ભર્યું. તે પણ કેવુ રેમડેસિવિરનું. નેતાજીએ જે ઈંજેક્શન ભર્યું તે સ્વભાવીક રીતે કોરોનાની દર્દીની નસમાં પણ ગયું હશે. વી.ડી.ઝાલાવાડિયાને નર્સિંગનો ન તો કોઈ અનુભવ છે કે ન તો ચિકિત્સાની કોઈ ડિગ્રી. ત્યારે સવાલ એ છે કે નેતાજી ઈંજેક્શન કોઈને આપી કેવી રીતે શકે. નેતાજી ઈંજેક્શન આપ્યું એટલુ જ નહીં તેમનો વીડિયો પણ બનાવવામાં આવ્યો. સ્વભાવિક રીતે નેતાજીનો આ વીડિયો સામે આવતા કૉંગ્રેસે આરોપ પણ લગાવ્યા
May 22, 2021 at 10:07PM surat
Technosv2018
May 23, 2021
નવસારીઃ શહેરની એક આધેડ મહિલાને અચાનક અશ્લીલ માંગણી કરતા ફોન આવવા લાગ્યા હતા. મહિલાને અચાનક જ આવી માંગણી સાથેના ફોન આવતાં હેબતાઈ ગઈ હતી અને મહિલાએ ડરના માર્યા ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. બીજી તરફ તપાસ કરતાં મહિલાનું ફેસબૂક એકાઉન્ટ હેક થયેલું હતું અને તેમાં અશ્લીલ ફોટા અપલોડ કરાયા હતા.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, આધેડ મહિલાને પોતાનું ફેસબૂક એકાઉન્ટ છે. જોકે, આ ફેસૂબક એકાઉન્ટ કોઈએ હેક કરી લીધું છે અને તેમા અશ્લીલ ફોટા અપલોડ કરી દીધા હતા. આ પછી મહિલાને અભદ્ર માગણી સાથેના ફોન આવવા લાગ્યા હતા. જેને કારણે મહિલાએ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધું હતું. તેમજ મહિલાએ તાત્કાલિક પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
સાયબર ક્રાઈમ હેઠળ ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. જોકે, ફરિયાદ આપ્યા છતાં એકાઉન્ટ એક્ટિવ છે. પોલીસે ભેજાબજને ઝડપવા ચક્રો ગતીમાન કર્યા છે.
May 22, 2021 at 03:05AM surat
Technosv2018
May 22, 2021
સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં પત્નીને પિયર મોકલી દીધી હતી અને તેને અન્ય પુરુષો સાથે અનૈતિક સંબંધ હોવાનું જણાવી પરત લાવવા ઇનકાર કરી દીધો હતો. જોકે, બીજી તરફ પતિ અન્ય યુવતી સાથે પોતાના વતન ખાતે લિવ-ઇનમાં રહેવા લાગ્યો હતો. આ અંગે પત્નીને જાણ થતાં પત્ની ઘરે પહોંચી ગઈ હતી અને પોતાનો ભાંડો ફૂટી જતાં પતિ અને સાસરીવાળા પાછલા બારણેથી ફરાર થઈ ગયા હતા. આમ, પતિના યુવતીના સાથેના સંબંધનો ભાંડો ફૂટી જતાં યુવતીએ પતિ અને સાસરીવાળા સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, યુવતીના વર્ષ 2014માં મળૂ સાવરકુંડલાના નેસડી ગામના વતની અને સુરતમાં રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. આ લગ્ન સંબંધથી વર્ષ 2015માં પુત્રનો જન્મ થયો હતો. જોકે, પતિએ આ સમયે અન્ય યુવતી સાથે અફેર હોવાની જાણ થઈ હતી. આ અંગે પતિને કહેતા સામે પત્નીનો જ વાંક કાઢી તેને ત્રાસ આપવા માંડ્યો હતો. તેમજ તેને પિયર કાઢી મૂકી હતી.
દીકરી પિયર આવી જતાં માતા-પિતાએ સમાજના વડીલોને વચ્ચે રાખીને સમાધાન કરાવ્યું હતું અને પોતાની દીકરીને તેડી જવા માટે જણાવ્યું હતં. જોકે, લાંબા સમય સુધી પતિ તેડવા આવ્યો નહોતો. તેમજ પત્નાીને અન્ય પુરુષો સાથે અનૈતિક સંબંધ છે અને તેમની સાથે ફરતી હોવાના આક્ષેપો લગાવી પત્નીને રાખવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે, થોડા સમય પછી બંને વચ્ચે ગેરસમજ દૂર થઈ ગઈ હતી. આમ છતા પતિ તેડવા ન આવતો હોઇ પરિણીતાને પતિ પર શંકા ગઈ હતી.
યુવતીએ પતિ વિશે તપાસ કરાવતા જાણવા મળ્યું હતું કે, પતિ અન્ય યુવતી સાથે લિવ-ઇનમાં રહે છે. આ જાણ થતા યુવતી લગ્નની સાતમી એનવર્સરીના બીજા દિવસે 23મી ફેબ્રુઆરીએ પિતા અને અન્ય સંબંધીઓ સાથે વતન સ્થિત સસરાના ઘરે પહોંચી હતી. અહીં પહોંચી દરવાજો ખખડાવ્યો પરંતુ દરવાજો ખોલ્યો નહીં અને પતિ સહિતના ઘરના સભ્યો પાછલા દરવાજેથી વાડીમાં ભાગી ગયા હતા. જ્યારે નણંદે ઘરે કોઈ ન હોવાનું કહેતા યુવતીએ મહિલા હેલ્પલાઇન 181માં ફોન કરી મદદ માગત ટીમ આવી પહોંચી હતી. જોકે, પતિ અનને સાસરીવાળાએ પોલીસને પણ સહકાર આપ્યો નહોતો અને દરવાજો ખોલ્યો નહોતો.
અંતે કંટાળેલી પરિણીતાએ સુરત આવીને સરથાણા પોલીસ સ્ટેશનામાં પતિ અને સાસરીવાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
May 22, 2021 at 01:45AM surat
Technosv2018
May 22, 2021
Technosv2018
May 22, 2021
વલસાડઃ વાપીમાં પાણીના ખાડામાં ડૂબી જતાં બે બાળકો સહિત માતાનું મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. ભાણેજના પુત્ર અને દીકરાને ડૂબતા જોઈ માતા પણ ખાડામાં તેમને બચાવવા કૂદી પડી હતી. જોકે, ત્રણેયના ડુબી જવાથી મોત નીપજ્યા છે. માતા-પુત્ર અને ભાણેજના દીકરાના મોતના સમાચારને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.
વાપીના બલિઠા ખાતે રેલવે કોરિડોરની કામગીરીમાં તૌકતે વાવઝોડાને લઈને પડેલા ભારે વરસાદ પછી ખાડામાં પાણી ભરાઈ ગયા હતા. આજે શુક્રવારે એમાં 2 બાળકો આ ખાડામાં ન્હાવા ગયાં હતાં. દરમિયાન બંને બાળકોને ડૂબતાં જોઈને બાળકની માતા તેને બચાવવા માટે પડી હતી. કમનસીબે તે પણ ડૂબી જતાં ત્રણેયનાં મોત નીપજ્યાં હતાં.
બાળકો પાણીમાં ન્હાવા પાડ્યાં હતાં. પરંતુ બાળકોને તરતા આવડતું ન હતું. બંને બાળકોને ડૂબતાં જોઈને નજીક ઊભેલી માતાએ બાળકોને બચાવવા પાણીમાં ઝંપલાવ્યું હતું. બાળકો અને મહિલાને ડૂબતા જોઈને દૂર ઊભેલા લોકો દોડી આવ્યા હતા. તેમજ સ્થાનિક લોકો અને મજૂરોએ રેલવે પોલીસને બનાવની જાણ કરી હતી.
રેલવે પોલીસે તરવૈયાઓની મદદ લઈને બચાવ કામગીરી હાથ ધરી હતી, જેમાંથી 2 બાળકો અને મહિલાના મૃતદેહોને બહાર કાઢી PM માટે મોકલી અપાયા હતા. રેલવે પોલીસે મૃતદેહોનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Surendranagar : લફરાબાજ પત્નીએ પ્રેમી સાથે મળીને કરી નાંખી પતિની હત્યા
સુરેન્દ્રનગરઃ સાયલા તાલુકાની સીમમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. જોકે, મૃતકના અંતિમસંસ્કાર બાદ પરિવારજનોને શંકા જતાં તપાસ કરતાં યુવકે અકસ્માતે નહીં, પરંતુ તેમની હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. આ અંગે પોલસી ફરિયાદ કરવામાં આવી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, પરિણીતાને સોનગઢના યુવક સાથે પ્રેમસંબંધ હતા. જોકે, આ પ્રેમસંબંધમાં પતિ આડખીલી બનતો હતો. આથી પરિણીતાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યો હતો. આ પ્લાન પ્રમાણે, પતિ સૂતો હતો, ત્યારે પત્નીએ પ્રેમીને બોલાવી ગળે ફાંસો આવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ પછી પત્નીએ તારમાં ફસાતા પતિનું મોત નીપજ્યું હોવાની વાત ઘડી કાઢી હતી.
યુવકનું મોત થતાં પરિવારજનોએ તેના અંતિમસંસ્કાર કરી નાંખ્યા હતા. જોકે, પરિવારને પરિણીતા પર શંકા જતાં પરિવારજનોએ તપાસ કરી હતી. જેમાં વાડીમાં ખાટલાની તુટેલી ઇસ અને લોહીના ડાઘ વાળો રૂમાલ હાથ લાગ્યો હતો. આથી શંકા પ્રબળ બનતા તેમણે પરિણીતાની પૂછપરછ કરી હતી, પરંતુ યોગ્ય જવાબ ન મળતાં પરિવારે સાયલા પોલીસને જાણ કરી હતી. જેથી સાયલા પોલીસે પરિણીતાની પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા.
પરિણીતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેને છેલ્લા બે વર્ષથી સોનગઢના યુવક સાથે પ્રેમસંબંધ છે. તેમણે પતિની હત્યા માટે 3 મહિના પહેલા કાવતરું ઘડ્યું હતું. પતિ વાડીમાં રાત્રે ખાટલે સૂતા હતા ત્યારે પત્ની અને પ્રેમીએ દુપટ્ટો અને સાડીથી ફાંસો આપી હત્યા કરી નાંખી હતી.
May 21, 2021 at 03:16AM surat
Technosv2018
May 21, 2021
સુરતઃ સુરતના પનાસ ગામમાં પાલિકાના કર્મચારીઓ અને સ્થાનિકો વચ્ચે બબાલ થઈ ગઈ હતી. બબાલ થતાં મામલો શાંત પાડવા માટે પોલીસે વચ્ચે આવવું પડ્યું હતું. પનાસ ગામમાં પાલિકા દ્વારા શનિ દેવના મંદિર નું ડીમોલેશન કરતા પાલિકા અને પબ્લિક આમને સામને આવી ગયા હતા. મંદિરના ડિમોલિશનને લઈ સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.
May 21, 2021 at 01:34AM surat
Technosv2018
May 21, 2021
સુરતઃ ગઈ કાલે રૂપાણી સરકારે મહાનગરો સહિત 36 શહેરોમાં લગાવેલા આંશિક લોકડાઉનમાં થોડી છૂટછાટ આપી છે. તેમજ અમુક ધંધાર્થીઓને સવારે 9થી 3 વાગ્યા સુધી ધંધો-રોજગાર કરવાની છૂટ આપવામાં આવી છે. રૂપાણી સરકારે આ શહેરોમાં બ્યુટીપાર્લર પણ ખોલવાની છૂટ આપી છે. કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ધંધા-રોજગાર શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે.
સુરતમાં બ્યુટી પાર્લર ખુલતાની સાથે જ 500 થી 700 વેઇટિંગ થઈ ગયું છે. સોસિયલ ડિસ્ટન્સ જળવાય તે પ્રમાણે એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે. આજે 150થી વધુ કોલ હેર ટ્રીટમેન માટે આવ્યા. બ્યુટી પાર્લર સંચાલકો દિવસમાં માત્ર 20 વ્યક્તિને બોલવાય છે. બ્યુટીપાર્લર દ્વારરા ફોન પર એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે. 20-20 દિવસ રાહ જોયા બાદ આજે મહિલાઓને એપોઇન્ટમેન્ટ મળી છે.
રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4,773 નવા કેસ નોંધાયા છે અને 64 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9,404 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 8,308 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 677798 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 89018 પર પહોંચ્યો છે. જેમાંથી 716 દર્દી વેન્ટિલેટર પર અને 88302 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 87.32 ટકા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1079, વડોદરા કોર્પોરેશન 422, સુરત કોર્પોરેશન-297, સુરત 209, રાજકોટ કોર્પોરેશન 192, વડોદરા 162, આણંદ 161, ભરૂચ 138, જામનગર કોર્પોરેશન 138, કચ્છ 134, પંચમહાલ 126, જૂનાગઢ 117, સાબરકાંઠા 105, જૂનાગઢ કોર્પોરેશન 101, મહેસાણા 97, દાહોદ 91, ખેડા 88, મહીસાગર 85, પોરબંદર 82, રાજકોટ 72, દેવભૂમિ દ્વારકા 69, બનાસકાંઠા 65, જામનગર 65, અમરેલી 63, ભાવનગર કોર્પોરેશન 59, પાટણ 59, ગાંધીનગર 58, નવસારી 54, વલસાડ 52, ભાવનગર 51, ગાંધીનગર કોર્પોરેશન 51, નર્મદા 43, ગીર સોમનાથ 34, સુરેન્દ્રનગર 32, અરવલ્લી 28, છોટા ઉદેપુર 28, અમદાવાદ 27, મોરબી 13, તાપી 10, બોટાદ 8 અને ડાંગમાં 8 કેસ સાથે કુલ 4,773 નવા કેસ નોંધાયા છે.
ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન-5, સુરત 3, રાજકોટ કોર્પોરેશન 3, વડોદરા 3, આણંદ 1, ભરૂચ 1, જામનગર કોર્પોરેશન 3, કચ્છ 1, પંચમહાલ 0, જૂનાગઢ 2, સાબરકાંઠા 1, જૂનાગઢ કોર્પોરેશન 2, મહેસાણા 3, દાહોદ 1, ખેડા 0, મહીસાગર 1, પોરબંદર 1, રાજકોટ 3, દેવભૂમિ દ્વારકા 1, બનાસકાંઠા 4, જામનગર 2, અમરેલી 2, ભાવનગર કોર્પોરેશન 1, પાટણ 1, ગાંધીનગર 1, નવસારી 0, વલસાડ 1, ભાવનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 0, નર્મદા 0, ગીર સોમનાથ 1, સુરેન્દ્રનગર 1, અરવલ્લી 0, છોટા ઉદેપુર 1, અમદાવાદ 1, મોરબી 0, તાપી 0, બોટાદ 1 અને ડાંગમાં 0 સાથે કુલ 64 લોકોના કોરોના સંક્રમણના કારણે મોત થયા છે.
રાજ્યમાં આજે કુલ 1,37,172 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં કોવિડ 19ની સાજા થવાના દરમાં સતત વધારો થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 87.32 ટકા છે.
May 21, 2021 at 12:59AM surat
Technosv2018
May 21, 2021
સુરત(Surat)માં લાંબા સમયથી દુકાનો(Shops) બંધ રહી છે. નિયંત્રણોમાં થોડીક ઢીલ મુકીને ધંધા રોજગાર શરતો પ્રમાણે શરૂ કરાયા છે. એવામાં સુરતના હીરાબજારને ખોલવાની મંજૂરી અપાઈ છે. આ અંગે વેપારીઓએ કહ્યું કે,સમયમાં ફેરફાર કરી થોડો વધુ સમય આપવો જોઈએ.
May 21, 2021 at 12:32AM surat
Technosv2018
May 21, 2021
સુરત(Surat)માં પોલીસ કોન્સ્ટેબલ(police constable) ઓક્સિજન વાહન પર બંદોબસ્તમાં હતા તે દરમિયાન હુમલો કરવામાં આવ્યો છે.હજીરાથી ઓક્સિજન લઈ કાર પસાર થઈ રહી હતી ત્યારે એક રિક્ષા ચાલકે સાઈડ ન આપતા કોન્સ્ટેબલે ટકોર કરી હતી.જેની અદાવત રાખી આ કોન્સ્ટેબલ પર રિક્ષા ચાલક સહિત ત્રણ લોકોએ હુમલો કર્યો હતો.
May 20, 2021 at 11:56PM surat
Technosv2018
May 21, 2021
વલસાડઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે પ્રસિદ્ધ ટેલિવિઝન સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા'માં કોરોના મહામારી દરમિયાન આવશ્યક ઇન્જેક્શનની કાળાબજારીનો એપિસોડ ચાલી રહ્યો છે. ત્યારે સિરિયલનું શૂટિંગ જે રિસોર્ટમાં થઈ રહ્યું છે, તેનને કન્ટન્મેન્ટ ઝોનમાં મૂકી દેવામાં આવ્યો છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલનું અત્યારે દમણના મીરાસોલ રિસોર્ટમાં શૂટિંગ ચાલી રહ્યું છે. જોકે, તેને કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકી દેવામાં આવ્યો છે. જોકે, આ સિવાય બીજી કોઈ વિગતો જાણવા મળી નથી.
રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4,773 નવા કેસ નોંધાયા છે અને 64 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9,404 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 8,308 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 677798 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 89018 પર પહોંચ્યો છે. જેમાંથી 716 દર્દી વેન્ટિલેટર પર અને 88302 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 87.32 ટકા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1079, વડોદરા કોર્પોરેશન 422, સુરત કોર્પોરેશન-297, સુરત 209, રાજકોટ કોર્પોરેશન 192, વડોદરા 162, આણંદ 161, ભરૂચ 138, જામનગર કોર્પોરેશન 138, કચ્છ 134, પંચમહાલ 126, જૂનાગઢ 117, સાબરકાંઠા 105, જૂનાગઢ કોર્પોરેશન 101, મહેસાણા 97, દાહોદ 91, ખેડા 88, મહીસાગર 85, પોરબંદર 82, રાજકોટ 72, દેવભૂમિ દ્વારકા 69, બનાસકાંઠા 65, જામનગર 65, અમરેલી 63, ભાવનગર કોર્પોરેશન 59, પાટણ 59, ગાંધીનગર 58, નવસારી 54, વલસાડ 52, ભાવનગર 51, ગાંધીનગર કોર્પોરેશન 51, નર્મદા 43, ગીર સોમનાથ 34, સુરેન્દ્રનગર 32, અરવલ્લી 28, છોટા ઉદેપુર 28, અમદાવાદ 27, મોરબી 13, તાપી 10, બોટાદ 8 અને ડાંગમાં 8 કેસ સાથે કુલ 4,773 નવા કેસ નોંધાયા છે.
ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન-5, સુરત 3, રાજકોટ કોર્પોરેશન 3, વડોદરા 3, આણંદ 1, ભરૂચ 1, જામનગર કોર્પોરેશન 3, કચ્છ 1, પંચમહાલ 0, જૂનાગઢ 2, સાબરકાંઠા 1, જૂનાગઢ કોર્પોરેશન 2, મહેસાણા 3, દાહોદ 1, ખેડા 0, મહીસાગર 1, પોરબંદર 1, રાજકોટ 3, દેવભૂમિ દ્વારકા 1, બનાસકાંઠા 4, જામનગર 2, અમરેલી 2, ભાવનગર કોર્પોરેશન 1, પાટણ 1, ગાંધીનગર 1, નવસારી 0, વલસાડ 1, ભાવનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 0, નર્મદા 0, ગીર સોમનાથ 1, સુરેન્દ્રનગર 1, અરવલ્લી 0, છોટા ઉદેપુર 1, અમદાવાદ 1, મોરબી 0, તાપી 0, બોટાદ 1 અને ડાંગમાં 0 સાથે કુલ 64 લોકોના કોરોના સંક્રમણના કારણે મોત થયા છે.
રાજ્યમાં આજે કુલ 1,37,172 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં કોવિડ 19ની સાજા થવાના દરમાં સતત વધારો થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 87.32 ટકા છે.
May 20, 2021 at 11:36PM surat
Technosv2018
May 21, 2021
આજથી કોરોના(corona) સંક્રમણને અટકાવવા લાગેલા નિયંત્રણોમાં થોડીક રાહત મળી છે. આ અંગે સુરત(Surat)ના વેપારી(trader)ઓએ કહ્યું કે, હાલ રાજ્ય સરકારનો નિર્ણય યોગ્ય છે પરંતુ આગળ જતા સમયમાં થોડોક ફેરફાર કરી 9થી 6નો કરવો જોઈએ જેથી નાના વેપારીઓને રોજી રોટી મળી રહે.
May 20, 2021 at 11:28PM surat
Technosv2018
May 21, 2021
સુરતઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે. બીજી તરફ રસીકરણ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. લોકોને અત્યારે કોવીશિલ્ડ અને કોવેક્સિન આપવામાં આપવી રહી છે. હવે ભારત બાયોટેકે કોવેક્સિનનું ગુજરાતમાં પણ ઉત્પાદન કરવાની જાહેરાત કરી છે. કોવેક્સિનનું અંકલેશ્વરમાં ઉત્પાદન થશે.
ભારત બાયોટેકે જાહેરાત કરી છે કે, ગુજરાતમાં એક વર્ષમાં ભારત બાયોટેકની કોવેક્સિનના 20 કરોડ ડોઝનું ઉત્પાદન થશે. ગુજરાતમાં કોવેક્સિનના ઉત્પાદનથી રાજ્યને ફાયદો થશે. ભરુચ જિલ્લાના અંકલેશ્વરમાં વેક્સિનનું ઉત્પાદન થશે.
આ અંગે બાયોટકેના કો-ફાઉન્ડર અને જેએમડી સુચિત્રા એલ્લાએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, જૂન મહિના પહેલા વીકથી ફોર્મ્યુલેશન અને પેકિંગની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. તેમજ ટૂંક સમયમાં કંપનીની બે લાઇનમાં પ્રોડક્શનની પ્રક્રિયા શરૂ થશે.
નોંધનીય છે કે, અત્યારે હૈદરાબાદ અને બેંગાલુરમાં મોટાપાયે કોવેક્સિનનું ઉત્પાદન થઈ રહ્યું છે. દેશમાં વેક્સિનની મોટી માંગને પગલે હવે અંકલેશ્વરમાં પણ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરાશે. અંકલેશ્વર ખાતે આવેલી સબ્સિડરીની વાર્ષિક 200 મિલિયન ડોઝ ઉત્પાદનની ક્ષમતા છે. આ યુનિટ રેબિસની રસીનું ઉત્પાદન અટકાવી કોવેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે, તેમ પણ જાણવા મળ્યું છે.
રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4,773 નવા કેસ નોંધાયા છે અને 64 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9,404 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 8,308 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 677798 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 89018 પર પહોંચ્યો છે. જેમાંથી 716 દર્દી વેન્ટિલેટર પર અને 88302 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 87.32 ટકા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1079, વડોદરા કોર્પોરેશન 422, સુરત કોર્પોરેશન-297, સુરત 209, રાજકોટ કોર્પોરેશન 192, વડોદરા 162, આણંદ 161, ભરૂચ 138, જામનગર કોર્પોરેશન 138, કચ્છ 134, પંચમહાલ 126, જૂનાગઢ 117, સાબરકાંઠા 105, જૂનાગઢ કોર્પોરેશન 101, મહેસાણા 97, દાહોદ 91, ખેડા 88, મહીસાગર 85, પોરબંદર 82, રાજકોટ 72, દેવભૂમિ દ્વારકા 69, બનાસકાંઠા 65, જામનગર 65, અમરેલી 63, ભાવનગર કોર્પોરેશન 59, પાટણ 59, ગાંધીનગર 58, નવસારી 54, વલસાડ 52, ભાવનગર 51, ગાંધીનગર કોર્પોરેશન 51, નર્મદા 43, ગીર સોમનાથ 34, સુરેન્દ્રનગર 32, અરવલ્લી 28, છોટા ઉદેપુર 28, અમદાવાદ 27, મોરબી 13, તાપી 10, બોટાદ 8 અને ડાંગમાં 8 કેસ સાથે કુલ 4,773 નવા કેસ નોંધાયા છે.
ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન-5, સુરત 3, રાજકોટ કોર્પોરેશન 3, વડોદરા 3, આણંદ 1, ભરૂચ 1, જામનગર કોર્પોરેશન 3, કચ્છ 1, પંચમહાલ 0, જૂનાગઢ 2, સાબરકાંઠા 1, જૂનાગઢ કોર્પોરેશન 2, મહેસાણા 3, દાહોદ 1, ખેડા 0, મહીસાગર 1, પોરબંદર 1, રાજકોટ 3, દેવભૂમિ દ્વારકા 1, બનાસકાંઠા 4, જામનગર 2, અમરેલી 2, ભાવનગર કોર્પોરેશન 1, પાટણ 1, ગાંધીનગર 1, નવસારી 0, વલસાડ 1, ભાવનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 0, નર્મદા 0, ગીર સોમનાથ 1, સુરેન્દ્રનગર 1, અરવલ્લી 0, છોટા ઉદેપુર 1, અમદાવાદ 1, મોરબી 0, તાપી 0, બોટાદ 1 અને ડાંગમાં 0 સાથે કુલ 64 લોકોના કોરોના સંક્રમણના કારણે મોત થયા છે.
રાજ્યમાં આજે કુલ 1,37,172 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં કોવિડ 19ની સાજા થવાના દરમાં સતત વધારો થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 87.32 ટકા છે.
May 20, 2021 at 10:10PM surat
Technosv2018
May 21, 2021
સુરતઃ ગઈ કાલે ગુજરાતની રાજ્ય સરકારે આંશિક લોકડાઉનમાં કેટલીક છૂટછાટ આપી છે તેમજ કેટલાક વેપારધંધા સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ખુલી રાખવાની મંજૂરી આપી છે, ત્યારે સુરતમાં આંશિક લોકડાઉનમાં છૂટછાટથી લોકોએ કામધંધો ચાલુ કરવા દોટ મૂકી હતી.
વરાછા વિસ્તારમાં કામ ધંધે જતા મોટી સંખ્યામાં લોકોનો ઘસારો જોવા મળ્યો હતો. જાણે કોઈ બાઈક રેલી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આંશિક લોકડાઉનમાં સુરતનો હીરા બજાર બંધ હતો. આંશિક લોકડાઉનમાં છૂટછાટ મળતા હીરા દલાલો ખુશ છે. પોતાનો ધંધો રોજગાર ચાલુ કરવા જતા જોવા મળ્યા રહતા. હીરાના યુનિટો રાબેતા મુજબ ચાલુ છે.
સુરતમાં આંશિક લોકડાઉન છૂટછાટ ને લઈ હીરા દલાલોએ સમય ફેરફાર કરવાની માંગ કરી છે. હીરા બજાર 11 વાગે ખુલે છે. 11 થી 5 સમય રાખવા હીરા દલાલોની માંગ છે. સવારે 9 વાગે કોઈ આવતું નથી.
કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે રાજ્ય સરકારે આજથી મોટા ભાગના વેપાર, ધંધા અને દુકાનોને સવારે નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી વેપાર ધંધા શરૂ કરવાની છુટ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે આપેલી આ છુટથી નાના, મધ્યમ અને છુટક વેપારીઓના ધંધા ફરીથી શરૂ થશે. સાથે જ ગ્રાહકોને પણ જોઈતી વસ્તીની ખરીદી કરવાની તક મળશે.
હાલ રાજ્ય સરકારે સવારે નવથી બપોરના ત્રણ વાગ્યા સુધી તમામ 36 શહેરોમાં છુટ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે રાજ્યના કોરોના કર્ફ્યુ હેઠળના તમામ 36 શહેરોમાં 27 મે સુધી નાઈટ કર્ફ્યુ તો યથાવત જ રહેશે. પરંતુ સવારના નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી વેપાર ધંધા શરૂ રહેશે.
આંશિક અનલોક વચ્ચે વેપારીઓ, દુકાનદારો, ગ્રાહકો અને નાગરિકોએ છુટછાટનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો રહેશે. કોઈપણ જગ્યાએ મોટી ભીડ ન થાય તેની કાળજી રાખવાની રહેશે. માસ્ક પહેર્યા વગર ફરનારા નાગરિકોને અને વેપાર ધંધા કરનારા વેપારીઓને આકરો દંડ કરવામા આવશે.
શું ખુલ્લું રહેશે ?
શું બંધ રહેશે ?
ઉલ્લેખનીય છે કે, આ પહેલા વાવઝોડાની પરિસ્થિતિને પગલે તંત્ર કામમાં હોવાથી રાત્રિ કર્ફ્યૂ અને વધારાના નિયંત્રણો 18,19,20 મેના રોજ ત્રણ દિવસ સુધી મિનિ લોકડાઉન યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
રાજ્યના 36 શહેરોમાં જીવન જરૂરીયાતની દુકાનો સિવાય અનેક ધંધા-રોજગાર બંધ છે. તો રાત્રે 8થી સવારે 6 કલાક સુધી રાત્રી કર્ફ્યૂ પણ લાગૂ છે. હવે રાજ્યમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. તેને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વેપારીઓને મોટી છૂટ આપી છે. રાજ્યમાં મિનિ લોકડાઉનમાં થોડી રાહતો આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આજથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. લારી ગલ્લા સહિતની દુકાનો સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. તમામ દુકાનો 6 કલાક જ ખુલ્લી રાખી શકાશે.
Technosv2018
May 21, 2021