Technosv2018
September 30, 2021
સુરત(Surat) શહેરમાં ખાડી પૂરના પાણી ન પ્રવેશે તે માટે પાલિકાએ મેઘા પ્લાન તૈયાર કર્યો છે. પર્વતગામ(Parvatgam) પાસે પાલિકાએ અંડર ટેન્ક બનાવી છે. જેમાં ગટરના પાણી સીધા ઠલવાશે. જેના કારણે બે ગામોમાં ખાડીપૂરના પાણીનો નિકાલ થઈ શકશે.
September 30, 2021 at 03:15AM surat
Technosv2018
September 30, 2021
સુરતમાં ગટરનું પૂર ન આવે તે માટે કામગીરી શરુ કરાઈ છે. મનપાએ ડી-વોટરિંગ શરુ કરાઈ છે. રાંદેર વિસ્તારમાં મનપાએ રાતથી જ કામગીરી શરુ કરી છે. ખાડીની સપાટી વધતા આ કાર્ય શરુ કરાઉ છે.
September 30, 2021 at 12:53AM surat
Technosv2018
September 30, 2021
સુરતમાં પડી રહેલા વરસાદના કારણે અને ઉકાઈ ડેમ છલોછલ ભરાતા શહેરમાં ખાડી પૂર કે તાપી પૂર આવવાની શક્યતા છે. ખાડીમાં સપાટી અને તાપીમાં જળ સ્તર ઊંચું જય રહ્યું છે. સુરત મનપાએ સાવચેતીના ભાગ રૂપે ફાયર વિભાગને ખડેપગે કર્યું છે.
September 29, 2021 at 11:12PM surat
Technosv2018
September 30, 2021
દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. મુશ્કેલીને પોંહચી વાળવા માટે તંત્ર સતર્ક બન્યું છે. આજી ડેમ ઓવર ફલૉ થયો છે. નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. તંત્રએ પૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.
September 29, 2021 at 03:30AM surat
Technosv2018
September 29, 2021
સુરતઃ પીપલોદ વિસ્તારમાં આવેલ આવિષ્કાર રેસિડેન્સીમાં 5 બાળકો સહિત 11ને કોરોના થતાં સીલ કરવામાં આવી છે. 44 ફ્લેટના 150 રહીશો ને ક્વોરન્ટાઇન કરાયા છે. સુરત શહેરમાં જન્માષ્ટમી-ગણેશ ઉત્સવ બાદ કોરોનાના કેસ વધી રહ્યા છે. મંગળવારે શહેરમાં અઠવામાં 4 અને રાંદેરમાં 4 કેસ મળી કુલ 8 કેસ નોંધાયા છે. જેમાં અઠવા ઝોનના 4 કેસ પીપલોદના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા એક જ પરિવારના છે. એટલું જ નહીં આ એપાર્ટમેન્ટમાં અઠવાડિયાની અંદર જ કુલ 11 કેસ સામે આવતા પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે.
11 કેસમાંથી 5 કેસ તો માત્ર 18થી નીચેની વયના હોવાની માહિતી સાંપડી છે. જો કે સામાન્ય લક્ષણ હોવાથી તમામ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યા છે. એપાર્ટમેન્ટમાં એ અને બી એમ બે બ્લોક છે. જેમાં તમામ 11 કેસ બી બ્લોકના છે. બંને બ્લોક મળી કુલ 44 ફલેટમાં રહેતા 150 લોકોને ક્વોરન્ટાઇન કરી દેવાયા છે. પાલિકાએ તકેદારીના ભાગરૂપે એપાર્ટમેન્ટ સીલ કરી દીધું છે.
નોંધનીય છે કે, શહેરમાં ઓગસ્ટમાં જ્યાં 75 કેસ હતા ત્યાં સપ્ટેમ્બરમાં 103 થઈ ગયા છે. આમ એક જ મહિનામાં કોરોના વકર્યો છે. અઠવાડિયામાં 11 કેસ આવ્યા છે. જેમાંથી 3 ફલેટમાં 2-2 મળી 6 કેસ છે. જ્યારે બાકીના 5 એક જ પરિવારના છે. જેમાંથી ચાર કેસ બુધવારે આવ્યા છે. આ 4 કેસમાં ચારેય બાળકો છે. જેમાં 2ની ઉંમર 10, 1ની 11 અને 1ની 5 વર્ષ છે. 11 કેસમાંથી એક 42 વર્ષિય મહિલાએ ઘરમાં શ્રીજીની સ્થાપના કરી હતી અને તેઓ એપાર્ટમેન્ટમાં કોમન બેસાડેલા ગણપતિમાં જતા હતા. આ મહિલા સૌ પ્રથમ પોઝિટીવ આવી હતી. પાંચ ધન્વંતરી રથ મુકીને ટેસ્ટીંગ કરાયું હતું. હજુ 30નો RT-PCR રિપોર્ટ બાકી છે.આવિષ્કારના 11 કેસ માંથી 18 વર્ષથી મોટા 6 અને 5 બાળકો છે. 18થી વધુ વયના 6 પૈકી 5 જણાંએ બંને ડોઝ લઇ લીધા છે, જ્યારે એકનો સેકન્ડ ડોઝ બાકી છે. 5 બાળકો સ્કૂલે જતા નથી. ઘરેથી ઓનલાઇન શિક્ષણ લઇ રહ્યા છે, જ્યારે 1 બાળક ઘોડદોડ રોડ પર ઘરે ટ્યુશને જતો હતો ત્યાં શિક્ષકનું ટેસ્ટીંગ કરાતાં રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
September 28, 2021 at 11:24PM surat
Technosv2018
September 29, 2021
સુરતઃ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આગામી ત્રણ દિવસ પૂરા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી પ્રમાણે, સુરત જિલ્લાના ઉમરપાડામાં ધોધમાર 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉમરપાડામાં પડેલા ધોધમાર વરસાદને પગલે બલાલકુવા નજીક આવેલો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
વરેહ નદીમાં બે કાંઠે વહેતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. બ્રિજ પર પાણી ફરી વળતા પેતરકુઈ, પીપલવાડા, બલાલકુવા ગામનો સંપર્ક તૂટ્યો છે. જ્યારે જામકુઈ, કડવીડાભરા, સામપુરા ગામનો સીધો સંપર્ક તૂટ્યો છે. ગત રાત્રી દરમ્યાન ઉમરપાડા તાલુકામાં ૯ ઇંચ વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગના મતે 30 સપ્ટેમ્બરે અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન ઉદભવશે. તે વાવાઝોડામાં પરિવર્તિત થશે કે નહીં તે આગામી સમયમાં જણાવવામાં આવશે. હાલ વાવાઝોડાનો કોઈ ખતરો નથી.
ગુજરાતના ડેમ ભરાયા
ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. હજુ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 86 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. નજર કરીએ ક્યાં ઝોનમાં કેટલો વરસાદ વરસી ચૂક્યો છે તેના પર તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 97 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે કચ્છમાં 93 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં 83 ટકા અને મધ્ય ગુજરાતમાં 77 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 71 ટકા વરસાદ વરસ્યો છે.
સારા વરસાદથી જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં 64 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. જેમાના 52 ડેમ તો ફક્ત સૌરાષ્ટ્રના જ છે. રાજ્યમાં 96 હાઈએલર્ટ પર છે. જ્યારે 9 ડેમ એલર્ટ પર છે. નજર કરી ઝોન વાઈઝ ડેમમાં પાણીના જથ્થાની સ્થિતિ પર તો સૌરાષ્ટ્રના 141 ડેમમાં 81 ટકા પાણીનો જથ્થો છે. તો કચ્છના 20 ડેમમાં 30 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 35 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 86 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 91 ટકા પાણીનો જથ્થો છે. અને રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 62 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે.
ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેના કારણે બજારોમાં પાણી ફરી વળ્યા છે. ડાંગમાં 3 ઈંચ, સાપુતારામાં 3.4 ઈંચ, સુબીરમાં 2 ઈંચ અને વઘઈમાં 1.9 ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોધામર વરસાદના કારણે સાપુતારામાં આવેલ તળાવ પણ ઓવરફ્લો થતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે.
Technosv2018
September 29, 2021
સુરતમાં શિક્ષણ સમિતિના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હોદ્દેદારોની આજે વરણી કરાઈ છે. જેમાં પ્રમુખ તરીકે ધનેશ શાહ અને ઉપપ્રમુખ તરીકે સ્વાતિબેનની નિમણૂક કરાઈ છે.
September 28, 2021 at 04:15AM surat
Technosv2018
September 28, 2021
Technosv2018
September 28, 2021
સુરતના બે દિવસના પ્રવાસે RSSના વડા મોહન ભાગવત. અહીં તેઓ બેઠક યોજશે. અડાજણના સંઘના કાર્યલયે તેઓ જશે અને આગેવાનો સાથે મિટિંગ કરશે. અહીં તેઓ સમીક્ષા કરશે. દક્ષિણ ગુજરાતના પ્રાંતની તેઓ સમીક્ષા કરશે.
September 27, 2021 at 11:31PM surat
Technosv2018
September 28, 2021
સુરતઃ ભાજપના પિતૃ સંગઠન મનાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. આજે વહેલી સવારે સુરત રેલવે સ્ટેશન પર તેમનું સંઘના કાર્યકરો દ્વારા સ્વાગત કરાયું હતું પણ ભાગવતને આવકારવા માટે ભાજપના કોઈ નેતા રેલ્વે સ્ટેશને નહોતા આવ્યા.
ગુજરાત સરકારમાં ફેરફાર બાદ સંઘના વડા મોહન ભાગવત પહેલી વાર ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. ભાગવતે ત્રણ દિવની યાત્રાની શરૂઆત સુરતથી કરી છે. આજે વહેલી સવારે ભાગવત સુરત રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા. મોહન ભાગવત સુરતમાં બે દિવસ રોકાણ કરવાના છે. તેમના કાર્યક્રમ અંગે સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી કરાઈ. મોહન ભાગવત આખા દિવસ દરમ્યાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના કાર્યકરો સાથે બેઠકો કરશે.
મોહન ભાગવત ગુજરાતની અચાનક જ મુલાકાતે આવ્યા છે અને તેમના સત્તાવાર કાર્યક્રમની કોઈ જાહેરાત કરાઈ નથી પણ હવે તેમના આગમન વિશે જાણ થતાં શહેર ભાજપના આગેવાનો મોહન ભાગવતની મુલાકાત લઈ શકે છે તેવી જાણકારી મળી છે.
મહત્વનું છે કે ગુજરાતની રાજનીતિમાં થયેલા ફેરફાર બાદ આ ભાગવતની મુલાકાત મહત્વની સાબિત થઇ શકે છે. ગુજરાત રાજકીય પ્રયોગશાળા તરીકે પણ ઓળખાય છે. ગુજરાત પર ભાજપ અને RSSની પકડ અને ઈતિહાસ લાંબો રહ્યો છે. ગુજરાતમાં રાજકીય પ્રયોગો પણ ખૂબ જોવા મળ્યા છે. ગુજરાત ભાજપ માટે રાજકીય પ્રયોગશાળા તરીકે પણ ઓળખાય છે.
રાજનીતિમાં નો રિપીટ થિયરીના પ્રયોગ માટે ભાજપે ગુજરાતને પસંદ કર્યું છે. મુખ્યમંત્રીપદેથી રાજીનામાં બાદ તાજેતરમાં વિજય રૂપાણીએ પણ રાજકોટ સંઘ કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ અંગે પણ ખુબ અટકળો ચાલી હતી.
વિધાનસભામાં હોબાળોઃ કોરોના મુદ્દે કોંગ્રેસી ધારાસભ્યો વેલમાં ધસી ગયા, સ્પીકરે શું આપ્યો આદેશ?
ગુજરાત વિધાનસભાની બે દિવસની કાર્યવાહીના બીજા દિવસે આજે કોરોના મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવી દીધો હતો. કોંગ્રેસને ગૃહમાં હલ્લાબોલ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાગ્યા હતા. સી.એમ. પટેલ ગૃહ છોડી બહાર નિકળી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ ‘રામ જય રામ જય જય રામ ભાજપ કો સદબુદ્ધિ દે ભગવાન ની ધૂન’ ગૃહમાં શરૂ કરી હતી.
આજે વિધાનસભા ગૃહમાં કોરોનાના આંકડા મુદ્દે કોંગ્રેસે હોબાળો કર્યો હતો. રાજ્યમાં થયેલા મોતના આંકડાઓમાં વિસંગતતાને લઈને હોબાળો કર્યો હતો. વેલમાં કોંગ્રેસના તમામ ધારાસભ્ય ઘસી આવ્યા હતા. હાથમાં પોસ્ટરો લઈને ધારાસભ્ય વેલમાં પ્રવેશ્યા. વેલમાં આવેલ તમામ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યને અધ્યક્ષે આજના દિવસ માટે સસ્પેડ કરી દીધા હતા.
કોંગ્રેસના હોબાળાને પગલે સાર્જન્ટ ગૃહમાં પ્રવેશ્યા. ધારાસભ્યો ન્યાય આપોના નારાઓ સાથે વિધાનસભા વેલમાં બેસી ગયા. પ્રશ્નોત્તરી કાળ સુધી વિધાનસભા સ્થગીત કરવામાં આવી છે. ધારાસભ્ય વેલમાં નારાઓ લગાવી રહ્યા છે. કોંગ્રેસ પક્ષના તમામ ધતાસભ્યોનો ગૃહમા જબદસ્ત વિરોધ. પોસ્ટરો લઈને વેલમાં ધારાસભ્યો બેસી ગયા. નારાઓ ચાલુ.
કોંગ્રેસે કોરોના મુદ્દે હોબાળો મચાવ્યો હતો. રાજ્યમા ઓગસ્ટ 2021 સુધી કોરોનાથી 3864 લોકોના મોત થયા હોવાનુ સરકારે ગૃહમાં જણાવ્યું હતું. મૃતકોના પરિવારજનોને સહાય આપવા અંગે કહ્યું હતું કે, કોઈ સહાય ચુકવવાની થતી નથી. જો કે , સરકાર રોજના અવસાન નોધ મુજબ ઓગસ્ટ મહિના સુધીમા 10,081 લોકોના મોત દર્શાવ્યા છે.
September 27, 2021 at 11:04PM surat
Technosv2018
September 28, 2021
સુરત: સોશિયલ મીડિયાથી સાવધાન થઈ જજો નહીંતર પછતાવું પડી શકે છે. સુરતના જહાંગીરપુરાની 17 વર્ષની વિદ્યાર્થિનીને યુવકે પ્રેમમાં ફસાવી હતી અને યુવતી પાસે અર્ધનગ્ન ફોટા મંગાવી બ્લેકમેલ કરી 50 હજાર પડાવ્યા હતા. આરોપી ધ્રુવ સુરતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. જહાંગીરપુરાના બે યુવકે બ્લેકમેલ કરતા સગીરાએ ઘરમાં ચોરી કરી હતી. વિદ્યાર્થિનીએ વર્ષ 2019માં પ્રેમીને સોશિયલ મીડિયા પર અર્ધનગ્ન ફોટો મોકલ્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, જહાંગીરપુરાની 17 વર્ષની સગીરાને યુવકે પ્રેમજાળમાં ફસાવી સોશિયલ સાઈટના માધ્યમથી તેના અર્ધનગ્ન ફોટા મેળવી તેના આધારે વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરીને અન્ય મિત્ર સાથે મળી 50 હજાર રૂપિયા પડાવી લીધા હતા. સતત બ્લેકમેલના કારણે યુવતી ઘરેથી ગુમ થયા બાદ મળી આવતા પરિવારને તમામ હકીકત જણાવતા ગુનો નોંધાવ્યો હતો.
જહાંગીરપુરામાં રહેતી 17 વર્ષીય વિદ્યાર્થિની ધો. 12 માં અભ્યાસ કરે છે. સપ્ટેમ્બર 2019માં સોશિયલ સાઇટ પર વિદ્યાર્થિનીની મિત્રતા આરોપી ધ્રુવ પ્રકાશ સુરતી સાથે થઈ હતી. ત્યાર બાદ તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. સોશિયલ સાઇટ પર વિદ્યાર્થીનીએ તેનો અર્ધનગ્ન ફોટો ધ્રુવને મોકલ્યો હતો. તેના આધારે ધ્રુવે વિદ્યાર્થીનીને બ્લેકમેલ કરીને રૂપિયા માંગ્યા હતા. તેથી ઘરમાં કોઈને પણ કહ્યા વગર 10 હજાર રૂપિયા ધ્રુવને આપ્યા હતા. ત્યાર બાદ વિદ્યાર્થિનીએ ધ્રુવને બ્લોક કરી દીધો હતો. તેથી ધ્રુવે આરોપી કાર્તિક પરેશ સુરતીની આઈડી પરથી વિદ્યાર્થિનીનો સંપર્ક કરી બ્લેકમેલ કરી બીજા 15 હજાર પડાવ્યા હતા.
વિદ્યાર્થીનીએ પરેશને પણ બ્લોક કરી દીધો હતો. પછી ધ્રુવે વિદ્યાર્થિનીના પિતરાઈ બહેનના માધ્યમથી વિદ્યાર્થિનીનો સંપર્ક કર્યો હતો. તેની પિતરાઈ બહેનને ખબર જ ન હતી કે, ધ્રુવ તેની સાથે શું વાત કરે છે. ધ્રુવે ફરી બ્લેકમેલ કરતા બીજા 25 હજાર વિદ્યાર્થિનીએ ધ્રુવને આપ્યા હતા. ત્યાર બાદ પણ ધ્રુવે બ્લેકમેલિંગ ચાલુ રાખ્યું હતું. આખરે વિદ્યાર્થીનીએ ધ્રુવ સુરતી અને પરેશ સુરતી વિરુદ્ધ ખંડણી અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
September 27, 2021 at 10:44PM surat
Technosv2018
September 28, 2021
Technosv2018
September 27, 2021
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા અંગે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. ત્યારે સુરતના ઓલપાડમાં પણ હોબાળો જોવા મળ્યો હતો. આ વિરોધ દરમિયાન પ્રદર્શનકારીઓ અટકાયત કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ, મનુ પટેલ, કનુ પટેલ અને રમેશ પટેલની અટકાયત કરવામાં આવી હતી.
September 27, 2021 at 01:14AM surat
Technosv2018
September 27, 2021
Technosv2018
September 27, 2021
Technosv2018
September 26, 2021
Technosv2018
September 26, 2021
સુરતમાં વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સુરત શહેરમાં 198 જેટલા રોડ પર ખાડાઓ પડયા છે. જેના કારણે લોકોને હાલાકી સર્જાઈ રહી છે. મંત્રી પૂર્ણેશ મોદીએ વોહટસ અપ નંબર જાહેર કરીને ફરિયાદો મોકલવા જણાવ્યું છે.
September 25, 2021 at 11:45PM surat
Technosv2018
September 26, 2021
સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા સાલ ઘટી ગઈ છે. તેના કારણે લોકો નચિંત બનીને વર્તી રહ્યાં છે ત્યારે સુરતમાં અચાનક જ કોરોનાના કેસોમાં ઉછાળો આવતાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ચોંકી ગયું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના અઠવા અને રાંદેર ઝોનમાં કોરોનાએ માથું ઊંચક્યું છે. આ બે ઝોનમાં બે દિવસમાં 9 કોરોના કેસ આવતાં એક એપાર્ટમેન્ટ સીલ કરવું પડ્યું છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) વિસ્તારમાં આવેલા અઠવા ઝોનમાં આવેલ મેઘ મયુર એપાર્ટમેન્ટ સીલ કરાયું છે. 2 દિવસ માં 9 કોરોના પોઝિટિવ આવતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)એ એપાર્ટમેન્ટ સીલ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. મેઘ મયુર એપાર્ટમેન્ટમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના ગાર્ડ તૈનાત કરાયા છે. આ એપાર્ટમેન્ટમાં બહારથી કોઈને અંદર પ્રવેશ નહીં અપાય અને એપાર્ટમેન્ટની બહાર કોઈ પણ વ્યક્તિને જવા નહીં દેવાય. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના રાંદેર ઝોનમાં આવેલા પાલ વિસ્તારની એક સોસાયટીમાં એક સાથે 4 કોરોના પોઝિટિવ કેસ આવતાં ત્યાં પણ ગાર્ડ તૈનાત કરાયા છે.
શહેરના અઠવા અને રાંદેર ઝોનમાં કોરોનાએ માથું ઊંચક્યું છે. અઠવા ઝોનમાં આવેલ મેઘ મયુર એપાર્ટમેન્ટ સીલ કરી દેવામાં આવ્યું છે. 2 દિવસમાં 9 કોરોના પોઝિટિવ આવતા એપાર્ટમેન્ટ સીલ કરી દેવામાં આવ્યું છે. મેઘ મયુરમાં SMCના ગાર્ડ તૈનાત કરાયા છે. બહારથી કોઈ અંદર પ્રવેશે નહીં અને એપાર્ટમેન્ટની બહાર બીજા કોઈને જવા પર પાબંધી લગાવી દેવામાં આવી છે. રાંદેર ઝોનમાં પાલની એક સોસાયટીમાં એક સાથે 4 કોરોના પોઝિટિવ આવ્યા છે. નોંધનીય છે કે, જે મેઘ મયુર એપાર્ટમેન્ટને સીલ મારી દેવાયું છે, તેના એ અને બી વિંગમાં 72 ફ્લેટ છે. એ વીંગમાં આઠ અને બી વીંગમાં 1 કોરોનાનો કેસ નોંધાયા છે. સૌથી પહેલા એ વીંગમાં ચાર લોકોને કોરોના થયો હતો. જેઓ પાલનપુરમાં જૈન સંવત્સરી કાર્યક્રમમથી પરત આવ્યા હતા. તમામ લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે.
September 25, 2021 at 11:29PM surat
Technosv2018
September 26, 2021
Technosv2018
September 26, 2021
Technosv2018
September 25, 2021
સુરત(Surat)ના પાંડેસરા(Pandesara)માં 12 વર્ષના સગીરે આપઘાત કર્યો છે. પિતાએ મોબાઈલ પર ગેમ રમવાની ના પાડતા આ કિશોરે પગલું ભર્યું છે. બાથરૂમમાં ગળેફાંસો ખાઈને કિશોરે જીવન ટૂંકાવ્યું છે.
Technosv2018
September 25, 2021
સુરત(Surat)માં ઓલપાડ વડોલી રોડ પર બળદ સાથે અથડાતા અકસ્માત(accident) સર્જાયો છે. જેમાં બે યુવકોના મોત થયા છે. પાછળથી આવતી ટ્રક યુવકો પર ફરી વળી હતી. અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
Technosv2018
September 25, 2021
સુરતઃ શહેરના પાંડેસરા રણછોડ નગરમાં એક 12 વર્ષના વિદ્યાર્થીએ બાથરૂમમાં ફાંસો ખાય આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મૃતક પાર્થ ધોરણ-8નો વિદ્યાર્થી હતો અને શાળાએથી આવ્યા બાદ ભોજન કરી પિતા સાથે સુવા ગયા બાદ કુદરતી હાજતે જવાનું કહી રૂમમાંથી બહાર નીકળી ગયો હતો.
પિતાએ મોબાઈલ પર ગેમ રમવાની ના પાડતા આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ છે. પિતાએ નિવેદન આપતા જણાવ્યું છે કે, તેમને સુવડાવી કુદરતી હાજતે ગયેલો દીકરો બાથરૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં હોવાનું સાંજે ચાર વાગે ખબર પડી હતી. દીકરાની માતા પુત્રને બાથરૂમમાં લટકતો જોઈ હેબતાઈ ગઈ હતી. બુમાબુમ કરતા હું દોડી ને ગયો તો પુત્ર લટકી રહ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, રડાવાનો અવાજ સાંભળી પાડોશીઓ દોડી આવ્યા હતા અને પોલીસ ને જાણ કરી હતી. પોતે કરીયાણાના વેપારી હોવાનું અને યુપી બાંદ્રાના વતની હોવાનું જણાવ્યું હતું. ચાર સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ પૈકી પાર્થ બીજા નંબરનો દીકરો હતો.
અન્ય એક ઘટનામાં, વલસાડમાં સેલવાસની એક સોસાયટીમાં યુવતીએ બિલ્ડિંગની છત પરથી કુદવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ હતી. જોકે આપઘાત માટે છત પર ચઢેલી દીકરીને માતાએ વાતમાં પાડી ને છેલ્લી ઘડીએ પિતાએ પાછળથી દીકરીને ઊંચકી લેતા અપ્રિય ઘટના બનતા ટળી હતી. ગુરુવારે સવારે 5-30 વાગ્યાના સુમારે બાવીસા ફળીયા રોડ પર આવેલી સાઈ શાંતિધામ સોશાઇટીમાં રહેતી એક સગીર દીકરી ઘરમાં કંઈ કામ ન કરતી હોય અને આખો દિવસ મોબાઈલ પર ગેમ રમતી હોવાથી માતા પિતાએ ઠપકો આપતા તેણીએ ગુસ્સામાં બિલ્ડિંગની છત પર આપઘાત કરવા ચઢી ગઇ હતી અને કૂદવાની ધમકી આપી રહી હતી.
એ સમયે અનેક લોકોએ વિડીયો બનાવી વાયરલ કર્યો હતા. જોકે યુવતી કુદે તે પહેલા માતાએ એને વાતમાં પાડી પિતા પાછળના ભાગેથી આવી એને ઉંચકી લઇ બચાવી લીધી હતી. આ ઘરેલુ મામલો હોય દીકરીની બદનામી ન થાય જેથી પોલીસ કેસ કરવાની પરિવારના સભ્યોએ ના પડી હતી.વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં થોડા સમયથી નજીવી બાબતે આપઘાતના પ્રયાસોના બનાવો વછી રહ્યા છે. જે અટકાવવા પોલીસ સામે પડકાર બની રહ્યા છે.
September 25, 2021 at 01:21AM surat
Technosv2018
September 25, 2021
સુરતના અઠવા અને રાંદેર ઝોનમાં કોરોનાની રિ-એંટ્રી થતા મનપાનું આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયું છે. અઠવા ઝોનમાં આવેલ મેઘ મયુર એપાર્ટમેંટમાં બે દિવસમાં કોરોનાના નવ પોઝિટીવ કેસ નોંધાતા સ્થાનિક આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયું છે. મેઘ મયુરના એ અને બી વિંગમાં આવેલા 72 ફ્લેટમાંથી એ વિંગમાં આઠ રહિશોને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જ્યારે બી વિંગમાં એકનું કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યું છે. સૌ પ્રથમ એ વિંગમાં ચાર રહિશોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જે બાદ એ વિંગના વધુ ચાર લોકો તેના સંપર્કમાં આવતા સંક્રમિત થયા છે. સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર તમામ લોકો પાલનપુરમાં આયોજીત જૈન પર્યુષણના કાર્યક્રમમાંથી આવ્યા હતા.હાલ તો તમામ લોકોને હોમ ક્વોરંટાઈન કર્યા છે.
September 25, 2021 at 01:05AM surat
Technosv2018
September 25, 2021
સુરત : ગુજરાતમાં કોરોનાની બીજી લહેર મંદ પડી રહી છે, ત્યારે સુરતથી ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. શહેરના અઠવા અને રાંદેર ઝોનમાં કોરોનાએ માથું ઊંચક્યું છે. અઠવા ઝોનમાં આવેલ મેઘ મયુર એપાર્ટમેન્ટ સીલ કરી દેવામાં આવ્યું છે. 2 દિવસમાં 9 કોરોના પોઝિટિવ આવતા એપાર્ટમેન્ટ સીલ કરી દેવામાં આવ્યું છે. આ સિવાય અડાજણ વિસ્તારમાં પણ એક એપાર્ટમેન્ટ સીલ કરી દેવામાં આવ્યાનું જાણવા મળ્યું છે. આ સાથે કોરોનાગ્રસ્ત લોકોના સંપર્કમાં આવેલા લોકોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
સુરત મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, અઠવાના મેઘ મયુર અને અડાજણના એક એપાર્ટમાં કોરોનાના કેસ નોંદાયા છે. સુરતમાં લોકો તકેદારી રાખે. તકેદારી નહીં રાખે તો કેસોમાં વધારો થઈ શકે છે. તેમણે લોકોને માસ્ક પહેરવા સલાહ આપી છે. એક જ એપાર્ટમેન્ટમાં એકી સાથે 9 લોકોને પોઝીટીવ કેસો આવતા પાલિકા ચિંતામાં છે. સુરત પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. પાલિકા દ્વારા બંને એપાર્ટમેન્ટને સીલ કરવામાં આવ્યા છે. 9 લોકોના સંપર્કમાં આવેલ લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. એપાર્ટમેન્ટ કોઈરાન્ટાઇન કરી બે ગાર્ડ મુકવામાં આવ્યા છે.
મેઘ મયુરમાં SMCના ગાર્ડ તૈનાત કરાયા છે. બહારથી કોઈ અંદર પ્રવેશે નહીં અને એપાર્ટમેન્ટની બહાર બીજા કોઈને જવા પર પાબંધી લગાવી દેવામાં આવી છે. રાંદેર ઝોનમાં પાલની એક સોસાયટીમાં એક સાથે 4 કોરોના પોઝિટિવ આવ્યા છે. નોંધનીય છે કે, જે મેઘ મયુર એપાર્ટમેન્ટને સીલ મારી દેવાયું છે, તેના એ અને બી વિંગમાં 72 ફ્લેટ છે. એ વીંગમાં આઠ અને બી વીંગમાં 1 કોરોનાનો કેસ નોંધાયા છે. સૌથી પહેલા એ વીંગમાં ચાર લોકોને કોરોના થયો હતો. જેઓ પાલનપુરમાં જૈન સંવત્સરી કાર્યક્રમમથી પરત આવ્યા હતા. તમામ લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે.
ગુજરાતમાં ગઈ કાલે કોરોનાના નવા 17 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 12 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,587 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે 5,24,249 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 145 કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 141 નાગરિકો સ્ટેબલ છે. 8,15,587 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે સકારાત્મક બાબત કહી શકાય. સુરત કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશનમાં 4, વલસાડ 3, કચ્છ 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા કોર્પોરેશન 1 કોરોનાનો કેસ નોંધાયો છે.
રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 43 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 3818 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 69910 નાગરિકોને રસીનો પ્રથમ અને 74839 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 181572 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 194067 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 5,24,249 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 5,88,74,471 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.
September 25, 2021 at 12:21AM surat
Technosv2018
September 25, 2021
સુરત : ગુજરાતમાં કોરોનાની બીજી લહેર મંદ પડી રહી છે, ત્યારે સુરતથી ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. શહેરના અઠવા અને રાંદેર ઝોનમાં કોરોનાએ માથું ઊંચક્યું છે. અઠવા ઝોનમાં આવેલ મેઘ મયુર એપાર્ટમેન્ટ સીલ કરી દેવામાં આવ્યું છે. 2 દિવસમાં 9 કોરોના પોઝિટિવ આવતા એપાર્ટમેન્ટ સીલ કરી દેવામાં આવ્યું છે.
મેઘ મયુરમાં SMCના ગાર્ડ તૈનાત કરાયા છે. બહારથી કોઈ અંદર પ્રવેશે નહીં અને એપાર્ટમેન્ટની બહાર બીજા કોઈને જવા પર પાબંધી લગાવી દેવામાં આવી છે. રાંદેર ઝોનમાં પાલની એક સોસાયટીમાં એક સાથે 4 કોરોના પોઝિટિવ આવ્યા છે.
ગુજરાતમાં ગઈ કાલે કોરોનાના નવા 17 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 12 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,587 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે 5,24,249 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 145 કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 141 નાગરિકો સ્ટેબલ છે. 8,15,587 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે સકારાત્મક બાબત કહી શકાય. સુરત કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશનમાં 4, વલસાડ 3, કચ્છ 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા કોર્પોરેશન 1 કોરોનાનો કેસ નોંધાયો છે.
રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 43 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 3818 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 69910 નાગરિકોને રસીનો પ્રથમ અને 74839 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 181572 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 194067 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 5,24,249 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 5,88,74,471 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.
September 24, 2021 at 11:36PM surat
Technosv2018
September 25, 2021
સુરતના કડોદરા નજીક આવેલી નિયોલ ચેક પોસ્ટ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ(Mephedrone drugs) મળી આવ્યું છે. કારમાં ડ્રગ્સની હેરાફેરા થતી હોવાનું સામે આવ્યું છે. કારની તપાસ કરાતા 19 લાખથી વધુનો ડ્રગ્સ ઝડપાયું છે.
Technosv2018
September 25, 2021
વલસાડઃ સેલવાસમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક યુવતી સુસાઇડ કરવા એપાર્ટમેન્ટના ટેરેસ પર પહોંચી હતી. ટેરેસ પરથી કૂદે એ પહેલા જ એના પિતાએ બચાવી લીધી હતી. યુવતી સુસાઇડ કરવાની જરૂર કેમ પડી એ કારણ અકબંધ છે. જોકે સમગ્ર ઘટના દરમિયાન આજુબાજુના લોકોએ બુમાબુમ કરતા યુવતીના માતા-પિતા દોડીને ટેરેસ પર પહોંચ્યા હતા અને યુવતીને સુસાઇડ કરતા બચાવી હતી. સમગ્ર ઘટનાના વિડિઓ લોકોએ બનાવ્યા હતા જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
અન્ય એક ઘટનામાં, અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અજાણ્યા વ્યક્તિએ બ્રિજ ઉપરથી છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, છલાંગ લગાવતા પહેલા જ વાહનચાલકોએ સમયસૂચકતા વાપરી વ્યક્તિને પકડી લીધી હતી. બ્રિજ ઉપરથી છલાંગ લગાવવા પાછળનું કારણ અકબંધ છે. પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી.
અન્ય એક ઘટનામાં ગઈ કાલે, વલસાડમાં ઘડોઈ ડેમ પર યુવક-યુવતી નદી પર ફસાતા એન.ડી.આર.એફ. દ્વારા બંનેનું 2 કલાકની જહેમત બાદ સફળતા પૂર્વક રેસ્ક્યુ કરાયું હતું. ગત 22મીએ વહેલી સવારથી વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. જેને લઈને નદીઓમાં જળસ્તરમાં વધારો થયો હતો.
વલસાડ નજીક આવેલ ઘડોઈ ગામે એક યુવક અને યુવતી એકાંત માણવા માટે આ વિસ્તારમાં આવ્યા હતા. જ્યાં નદીમાં જળ સપાટી અચાનક વધી જતા બંને ત્યાં ફસાયા હતા. સમગ્ર ઘટનાને પગલે વલસાડના ડિઝાસ્ટર મેનેજમેન્ટે જાણ થતાં તેમના દ્વારા એનડીઆરએફને સ્થળ પર તુરંત રવાના કરી હતી, પરંતુ નદીમાં વહેણની ગતિ વધુ હોય જેને લઈને મુશ્કેલીઓ સર્જાય હતી. સમગ્ર મુશ્કેલીઓના અંતે યુવક અને યુવતીનું એનડીઆરએફ દ્વારા સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
બપોરના 2 વાગ્યાની આસપાસ આ યુવક યુવતી નદીના કિનારે ટાપુ જેવા પથ્થર પર બેઠા હતા. જ્યાં અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વધતા બપોરના નદીના ટાપુ જેવા પથ્થર પર ફસાઈ ગયા હતા. જ્યાં ગ્રામજનો ભેગા થઈ જતા વલસાડ રૂરલ પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ઘટનાની જાણ NDRFટીમને થતા NDRFની ટીમે સતત બે કલાકની જહેમત બાદ નદીમાં ફસાયેલ બંને યુવક યુવતીને બહાર કાઢ્યા હતા.
September 24, 2021 at 11:19PM surat
Technosv2018
September 25, 2021
સુરત: લાલગેટ સૈયદપુરા વિસ્તારમાં પોલીસે રીક્ષા ચાલકને ફટકાર્યો હતો. પોલીસની દાદાગીરીનો આ વીડિયો વાયરલ થયો છે. રીક્ષા અને બાઈકને સામાન્ય કટ લાગ્યો હતો, ત્યારે બાઈક પર જઈ રહેલા પોલીસકર્મીએ PCR બોલાવી દાદાગીરી કરી હતી. રીક્ષા ચાલકને એક બાદ એક લાફા ફટકારી પોલીસકર્મીએ બહાદુરી બતાવી હતી.
September 24, 2021 at 11:01PM surat
Technosv2018
September 25, 2021
સુરતમાં ધોધમાર વરસાદના પાણી હજુ ઓસર્યા નથી. પોશ ગણાતા વિસ્તારોમાં પાણી હજુ ભરાયા છે. રસ્તાઓ પાણી-પાણી થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. રાહદારીઓ પરેશાન જોવા મળ્યા છે.
September 24, 2021 at 10:44AM surat
Technosv2018
September 25, 2021
સુરત (Surat) નવી સિવિલમાં મેડિકલ કોલેજની (medical college) વિદ્યાર્થિનીએ આપઘાતનો (suicide) પ્રયાસ કર્યો. વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. હોસ્ટેલમાં સાથી મિત્રોને જાણ થતા વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.
September 24, 2021 at 04:56AM surat
Technosv2018
September 24, 2021
વલસાડઃ ઘડોઈ ડેમ પર યુવક-યુવતી નદી પર ફસાતા એન.ડી.આર.એફ. દ્વારા બંનેનું 2 કલાકની જહેમત બાદ સફળતા પૂર્વક રેસ્ક્યુ કરાયું હતું. ગત 22મીએ વહેલી સવારથી વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. જેને લઈને નદીઓમાં જળસ્તરમાં વધારો થયો હતો.
વલસાડ નજીક આવેલ ઘડોઈ ગામે એક યુવક અને યુવતી એકાંત માણવા માટે આ વિસ્તારમાં આવ્યા હતા. જ્યાં નદીમાં જળ સપાટી અચાનક વધી જતા બંને ત્યાં ફસાયા હતા. સમગ્ર ઘટનાને પગલે વલસાડના ડિઝાસ્ટર મેનેજમેન્ટે જાણ થતાં તેમના દ્વારા એનડીઆરએફને સ્થળ પર તુરંત રવાના કરી હતી, પરંતુ નદીમાં વહેણની ગતિ વધુ હોય જેને લઈને મુશ્કેલીઓ સર્જાય હતી. સમગ્ર મુશ્કેલીઓના અંતે યુવક અને યુવતીનું એનડીઆરએફ દ્વારા સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
બપોરના 2 વાગ્યાની આસપાસ આ યુવક યુવતી નદીના કિનારે ટાપુ જેવા પથ્થર પર બેઠા હતા. જ્યાં અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વધતા બપોરના નદીના ટાપુ જેવા પથ્થર પર ફસાઈ ગયા હતા. જ્યાં ગ્રામજનો ભેગા થઈ જતા વલસાડ રૂરલ પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ઘટનાની જાણ NDRFટીમને થતા NDRFની ટીમે સતત બે કલાકની જહેમત બાદ નદીમાં ફસાયેલ બંને યુવક યુવતીને બહાર કાઢ્યા હતા.
જળાશયોની સ્થિતિ:ગુજરાતમાં હાલ મોનસૂન સિસ્ટમ સક્રિય છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં અત્યાર સુધી આ સીઝનમાં 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેના પગલે રાજ્યમાં 207 પૈકી હાલ 58 જળાશયો સંપૂર્ણ ભરાયા છે.
રાજ્યમાં શું છે જળાશયોની સ્થિતિ?
રાજ્યમાં 207 પૈકી હાલ 58 જળાશયો સંપૂર્ણ ભરેલા છે. જેમાં હાલ 71.73 ટકા પાણીનો જથ્થો છે.
સરદાર સરોવર ડેમમાં હાલ 58.12 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતમાં 15માંથી માત્ર એક જ ડેમ સૂંપૂર્ણ ભરેલો છે. કુલ જેમાં કુલ 32.77 ટકા પાણીનો જથ્થો છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં પૈકી ત્રણ સંપૂર્ણ ભરેલા છે. હાલ કુલ 93.65 પાણીનો જથ્થો છે. કચ્છના 20 ડેમમાંથી હાલ 28.45 ટકા પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રના 141 પૈકીમાંથી 51 જળાશયો સંપૂર્ણ ભરેલા છે.હાલ કુલ 78.95 પાણીનો જથ્થો છે.
હવામાન વિભાગના મતે રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. 27 અને 28 સપ્ટેમ્બરે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે. હવામાન વિભાગનું કહેવું છે કે સૌરાષ્ટ્ર-કચ્છમાં હવે નથી રહી વરસાદની ઘટ. ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદ થોડો ઓછો છે. આગામી દિવસોમાં આ ઘટ પણ પૂર્ણ થઈ જશે.
ગુજરાતમાં અત્યાર સુધી આ સીઝનમાં 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 90 ટકા વરસી ચૂક્યો છે વરસાદ. રાજ્યના 56 ડેમ છલોછલ ભરાઈ ચૂક્યા છે. હાલ રાજ્યના 83 ડેમ હાઈ એલર્ટ પર છે. તો 12 ડેમ એલર્ટ પર છે.
September 24, 2021 at 02:47AM surat
Technosv2018
September 24, 2021
સુરતઃ ડાયમંડ એસોસિએશન ગઈ કાલે ગાંધીનગર પહોંચ્યું હતું. હીરા વ્યવસાય અંગે મંત્રીઓને રજુઆત કરી હતી. દિવાળીમાં એસટી વિભાગ રત્ન કલાકારો પાસે બમણું ભાડું ન વસુલે તે અંગે રજુઆત કરી હતી. રાજ્યના વાહન વ્યહવાર મંત્રી પૂર્ણેશ મોદીને રજુઆત કરી હતી. ગઇ કાલે વાહન વ્યવહાર મંત્રી સાથે મુલાકાત કરી હતી.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જતા રત્ન કલાકારો માટે રજુઆત કરી હતી. દિવાળીમાં સૌરાષ્ટ્ર જતી STનું ભાડું ડબલ ન વસૂલવા ડાયમંડ એસોસિએશનની માગ છે. વળતા ફેરાના ભાડાં બંધ કરાવવા મંત્રી પૂર્ણેશ મોદીને રજૂઆત કરી હતી. નોંધનીય છે કે, દિવાળીના સમયમાં સૌરાષ્ટ્રવાસીઓ વતન જતા હોય છે. આ સમયે એસટી દ્વારા સૌરાષ્ટ્રવાસીઓ માટે સ્પેશિયલ બસની સુવિધા ઉભી કરવામાં આવે છે, પરંતુ દિવાળીના સમયમાં એસટી દ્વારા ડબલ ભાડું વસૂલવામાં આવે છે.
આ દિવાળીએ એસટી દ્વારા ડબલ ભાડું ન વસૂલનામાં આવે તે માટે ડાયમંડ એસોસિએશન દ્વારા માગ કરાઈ છે. જે બાબતે મંત્રી પૂર્ણેશ મોદીને રજૂઆત કરવામાં આવી હતી. દિવાળીના સમયના સમયમાં હીરાના કારખાનાઓમાં ૨૧ દિવસનું વેકેશન આવતું હોય છે. હીરા ઉદ્યૌગ સાથે સંકળાયેલા રત્નકલાકારો સૌરાષ્ટ્રમાં પોતાના વતનમાં જતા હોય છે.
સૌરાષ્ટ્રના મૂળ વતનિ અને ખાસ કરીને વરાછા, કતારગામમાં રહેતા લોકો વતનમાં બસ દ્વારા જતાં હોય છે. દિવાળીના સમયે સૌથી વધારે લોકો વતનમાં જતા હોવાથી ખાનગી બસો દ્વારા તેનો ફાયદો ઉઠાવીને બસના ભાડામાં વધારો કરવામાં આવતો હોય છે. સૌરાષ્ટ્રવાસીઓને વતનમાં જવામાં સરળતા રહે તે માટે એસટી સૌરાષ્ટ્રના અલગ અલગ ગામો માટે સ્પેશિયલ બસો વધારવામાં આવે છે.
સૌરાષ્ટ્રમાં જતી વખતે બસો ફૂલ જતી હોય છે પરંતુ રિટર્ન આવતી વખતે બસો ખાલી આવતી હોવાથી એસટી દ્વારા ભાડું ડબલ લેવામાં આવતું હોય છે. ત્યારે સૌરાષ્ટ્ર માટે એસટી દ્વારા દિવાળી માટે શરૂ કરવામાં આવતી બસોનું ભાડું સિંગલ જ લેવામાં આવે તે માટે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા મંત્રી પૂર્ણેશ મોદીને રજૂઆત કરાઈ હતી. ડાયમંડ એસોસિએશનના મંત્રી દામજી માવાની રજુઆત કરી છે કે, વર્ષ 2019માં ડાયમંડ એસોસિએશનની રજૂઆત પછી ભાડું સિંગલ કરવામાં આવ્યું હતું. પણ આ વર્ષે પણ સિંગલ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. પૂર્ણેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભાડું સિંગલ જ રાખવામાં આવશે.
September 24, 2021 at 12:36AM surat
Technosv2018
September 24, 2021
સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ(Rain)ની શરૂઆત થઈ છે. જેમાં અઠવા, પાર્લે પોઈન્ટ, વેસુ , પાલ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.
September 24, 2021 at 12:20AM surat
Technosv2018
September 24, 2021
સુરતના ઓલપાડની સિદ્ધનાથ ટેમ્પલ કમિટી વિવાદમાં આવી છે. પાર્કિંગ માટે જમીન કબજે કરાતા ધાર્મિક અને કર્મકાંડ અટકાવાતા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે. વર્ષોથી ગામના લોકો આ જમીનનો ઉપયોગ કરતા હતા જે હવે બંધ થઈ જશે.
Technosv2018
September 24, 2021
Technosv2018
September 24, 2021
સુરતના (Surat) કોઝવેમાં (causeway) નાહવા પડેલા (youth drowned) યુવકનું મોત થયું છે. 4 યુવકમાંથી 1નું મોત થયું છે. તો 3 યુવાનોને બચાવી લેવાયા છે. ફાયર વિભાગે આ યુવકોને બચાવી લીધા હતા. પણ કમનસીબે એક યુવકનું મોત થયું હતું.
September 23, 2021 at 10:22AM surat
Technosv2018
September 23, 2021
Technosv2018
September 23, 2021
સુરતમાં (Surat) નવા 13 ફાયર સ્ટેશન (fire stations) 8 ઝોનમાં (zones) બનશે. સુરત મહાનગર પાલિકએ આ મામલે મંજૂરી આપી છે. ઓક્ટોબર માસમાં પુણા વિસ્તારનું ફાયર સ્ટેશન ખુલ્લું મુકાશે. રાંદેર વિસ્તારમાં 3, કતારગામ વિસ્તારમાં 1, અઠવા વિસ્તારમાં 6, ઉધનામાં 4 અને વરાછા ઝોનમાં 2 ફાયર સ્ટેશન ઉભા કરશે. આ ફાયર સ્ટેશનમાં અત્યાધુનિક સાધનો પણ વિકસાવવામાં આવશે.
September 23, 2021 at 07:36AM surat
Technosv2018
September 23, 2021
સુરતના બારડોલીની મીંઢોળા નદીમાં કેમિકલયુક્ત પાણી આવ્યું છે. જેને કારણે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. કેમિકલયુક્ત પાણી ભળી જતા નદીનું પાણી લાલ રંગનું થયું હતું. મૃત માછલીઓને પકડવા માટે સ્થાનિકોએ પડાપડી કરી હતી.
September 23, 2021 at 03:52AM surat
Technosv2018
September 23, 2021
સુરતઃ મોટા વરાછાની નીચલી કોલોનીમાં ભાડાની રૂમમાં રહેતા છત્તીસગઢના બિઝનેસમેનની ગળે ટુંપો આપી થયેલી હત્યાનો ભેદ અમરોલી પોલીસે ઉકેલી કાઢ્યો છે. આ ઘટનામાં પોલીસે પાડોશી યુપીવાસી યુવાનની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં દારૂની મિજબાની માણી રહ્યા હતા ત્યારે નશામાં ધુત વૃદ્ધે ગાળો આપી ઉછીના આપેલા ૫૦૦ રૂપિયા માંગતા થયેલા ઝગડામાં હત્યા કર્યાની આરોપીએ કબુલાત કરી હતી.
સુરતમાં અમરોલી પોલીસની હદમાં હત્યાનો એક બનાવ સામે આવ્યો હતો. જેમાં મોટા વરાછા સ્થિત નીચલી કોલોનીમાં વીરજી પ્રજાપતિની ભાડાની રૂમમાં છત્તીસગઢના ૬૮ વર્ષીય કન્હાઈ રામ સુંદર રામ રહેતા હતા. તેઓની થોડા દિવસો પહેલા હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસને આ અંગે જાણ થતા ઘટના સ્થળે પહોચી હતી.
પોલીસે તપાસ કરતા વૃદ્ધ માત્ર અંતરવસ્ત્રો પહેરેલા હતા અને તેઓના હાથ અને મોઢા પર કપડું બાંધેલું હતું. વધુમાં ઘરમાંથી સોનાની ચેઈન અને મોબાઈલ ગાયબ હતા અને ઘરનો સરસમાન પણ વેરવિખેર હતો. જેથી કોઈ જાણભેદુ હોવાની આશકા પોલીસને થઇ હતી. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. પોલીસે તપાસ કરતા પડોશમાં રહેતો સોનું જગદીશ ઠાકુર અને તેનો રૂમ પાર્ટનર ગાયબ હતા. જેથી પોલીસે આ મામલે તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસે સોનું જગદીશ ઠાકોરની મથુરાથી ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, અઠવાડિયા અગાઉ સોનુંએ ૫૦૦ રૂપિયા વૃદ્ધ પાસેથી ઉછીના લીધા હતા. પરંતુ કામ ન મળતા તે પરત આપી શ્ક્યો ન હતો. દરમ્યાન કન્હાઈ સોનું અને તેનો રૂમ પાર્ટનર રૂમમાં દારૂ પીવા બેઠા હતા. દરમ્યાન દારૂના નશામાં વૃદ્ધે ગાળાગાળી કરી ૫૦૦ રૂપિયા પરત માંગ્યા હતા. જેથી તેઓની વચ્ચે ઝગડો થયો હતો. જેમાં સોનુના રૂમમાંથી દારૂ પીને વૃદ્ધ પોતાના રૂમમાં જઈ રહ્યો હતો તે વેળાએ તેની પાછળ સોનું ગયો હતો અને બાદમાં ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને બાદમાં તેનો મોબાઈલ અને સોનાની ચેઈન લુંટી લીધી હતી. હત્યાની જાણ સોનુંએ પોતાના રૂમ પાર્ટનરને કરી હતી. જેથી તે ગભરાઈ ગયો હતો અને બંને જણા ત્યાંથી વતન ભાગી ગયા હતા. જો કે અમરોલી પોલીસે તેઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
September 23, 2021 at 02:59AM surat
Technosv2018
September 23, 2021
સુરતના ગ્રામ્ય વિસ્તારો ધોધમાર વરસાદથી જળબંબાકાર બની ચુક્યા છે. અહીંયાના ઉમરપાડામાં સવારે દસ વાગ્યા સુધીમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. પલસાણામાં સવારે દસ વાગ્યા સુધીમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે.
Technosv2018
September 23, 2021
સુરત(Surat)માં ધોધમાર વરસાદને કારણે હાઈ વે(Highways) પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે કડોદરા ચાર રસ્તા પર ચક્કાજામ લાગ્યો છે. છેલ્લા બે કલાકથી વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયા છે.
September 23, 2021 at 12:47AM surat
Technosv2018
September 23, 2021
સુરતમાં ભારે વરસાદને કારણે માંડવી તાલુકા(Mandvi taluka)નું મુઝલાવ ગામ સંપર્ક વિહોણુ બન્યું છે. ભારે વરસાદને કારણે સ્થાનિક નદી નાળામાં નવા નીરની આવક થઈ છે. ગામના બન્ને તરફથી પુલ પાણીમાં ગરકાવ થયા છે.
Technosv2018
September 23, 2021
સુરત( Surat)ના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. માંડવી તાલુકાના મુઝલાવમાં ભારે વરસાદ(Heavy rain) વરસી રહ્યો છે. ઉશ્કેર ગામ જતા માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
Technosv2018
September 23, 2021
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં મા-બાપની આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલ ડ્રેસ પહેરેલી સગીરા પ્રેમીને મળવાં બંગલે પહોંચી હતી. લોકોને આ અંગેની જાણ થતાં પોલીસને જાણ કરી હતી. મળતી વિગત પ્રમાણે, શહેરના પોશ વિસ્તાર અડાજણમાં બંગલામાં ફર્નીચરનું કામ કરતાં પ્રેમીને સ્કૂલ ડ્રેસ પહેરીને સગીર પ્રેમિકા મળવા પહોંચી હતી. જેને લઈ લોકોને શંકા જતાં બંનેને પકડી લીધા હતા અને હોબાળો થતાં પોલીસ દોડી આવી હતી.
એક તરફી પ્રેમમાં અંધ બની ગઈ હતી સ્કૂલ ગર્લ
સગીરા પ્રેમમાં પાગલ બનીને એક તરફી પ્રેમમાં અંધ બની યુવકને મળવા માટે દબાણ કરતી હતી. રાંદેર વિસ્તારમાં રહેતો 24 વર્ષીય યુવક ફર્નીચર કામ કરે છે અને હાલ તેનું અડાજણમાં આનંદમહેલ રોડ પર શાંતિનિકેતન સોસાયટીમાં આવેલા બંગલામાં કામ ચાલે છે. સગીરા સ્કૂલ ડ્રેસ પહેરીને તેને મળવા આવી હતી.
વોચમેનને પૂછતાં શંકા ગઈ ને.....
સગીરાએ સોસાયટીના વોચમેનને આ યુવક ક્યાં કામ કરે છે તે પૂછ્યું હતું. જેથી વોચમેને બંગલાનું સરનામું આપ્યું હતું. આ બંને બંગલા પાસે વાતચીત કરતા હતા ત્યારે સોસાયટીના લોકો એકત્ર થઈ ગયા હતા. યુવક સ્કૂલ ગર્લને ફસાવી રહ્યો હોવાની શંકા જતાં સોસાયટીના પ્રમુખે પોલીસને જાણ કરી હતી.પોલીસ આવતાં બંને ગભરાઈ ગયા હતા.
સગીરાની માતાને પોલીસે બોલાવીને...
જે બાદ પોલીસે સગીરાના પરિવારજનોને બોલાવ્યા હતા. પોતાની દીકરીની આવી કરતૂતને લઈ સમસમી ઉઠી માતાએ ત્યાં જ દીકરીને મેથીપાક આપ્યો હતો અને તેને લઈ ઘરે રવાના થઈ ગયા હતા.
September 22, 2021 at 10:31PM surat
Technosv2018
September 23, 2021
Technosv2018
September 23, 2021
Technosv2018
September 23, 2021
સુરતમાં (Surat) સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા (losing control) કાર ચાલકે પોતાની કારનો (Accident) અકસ્માત કર્યો હતો. કાર ચાલક ડિંડોલી પોલીસ સ્ટેશનનો પોલીસકર્મી હોવાની આશંકા. કાર ચાલાક નશાની હાલતમાં હોવાનું બહાર આવ્યું છે. અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. કાર ચાલકે કાર જ્વેલર્સની દુકાનમાં ઘુસાડી હતી. જેના કારણે દુકાનના કાચ તૂટયા હતા.
September 22, 2021 at 07:05AM surat
Technosv2018
September 22, 2021
Technosv2018
September 22, 2021
સુરતઃ આધુનિક ટેક્નોલોજીની મદદથી મજૂરાગેટ ફાયર સ્ટેશન તોડી પડાયું, 7 સેકન્ડમાં જ પત્તાના મહેલની જેમ બિલ્ડિંગ નીચે બસી ગયું
September 21, 2021 at 11:35PM surat
Technosv2018
September 22, 2021
સુરતની આશાદીપ શાળાના સંચાલકોને બદનામ કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ(police complaint) કરવામાં આવી છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહિત સાત વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવાઈ છે. ફી મુદ્દે વાલીઓને ઉશ્કેર્યા હતા.
Technosv2018
September 22, 2021
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(Veer Narmad South Gujarat University)એ મહત્વનો નિર્ણય કર્યો છે. છેલ્લા વર્ષ અને સેમેસ્ટરના વિદ્યાર્થીઓ તમામ વિષયનું રિ-એસસમેન્ટ કરાવી શકશે.
Technosv2018
September 22, 2021
સુરત( Surat)ના મજુરાના રેવન્યુ તલાટી(Revenue Talati) અને ટાઉટ 30 હજારની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. તલાટી સાગર ભેંસાણીયા અને ટાઉટ હિરેન પટેલની ACBએ ધરપકડ કરી છે. પત્નીનું પેઢી નામું બનાવવા માંગતા વકીલ પાસે 30 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.
Technosv2018
September 22, 2021
સુરતના માંડવી તાલુકામાં ભારે વરસાદ(heavy rains)ના કારણે ગોળધા ડેમમાં પાણીની આવક વધી છે. પાણીના પ્રવાહથી ડેમ ઓવરફ્લો થતા વરેઈ નદી બે કાંઠે વહેતી થઈ છે. જેના કારણે પહેલી વખત લો લેવલ પુલો જળમગ્ન થયા છે.
Technosv2018
September 21, 2021
સુરત( Surat)માં સાતમા પગારપંચ સહિતના પ્રશ્નો અંગે એસટી કર્મચારીઓ( ST employees )એ પ્રદર્શન કર્યું છે. કર્મચારીઓએ સૂત્રોચ્ચા કર્યા છે. તમામે કાળી પટ્ટી બાંધીને વિરોધ દેખાવ કર્યા છે.
Technosv2018
September 21, 2021
સુરત(Surat) શહેરના મોટા ભાગના રસ્તાઓ પર વરસાદ બાદ ખાડા પડી ગયા છે. શેહરના સહારા દરવાજા(Sahara Darwaza) વિસ્તારમાં મોટા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન થયા છે. લોકોએ આ ખાડાઓને વહેલી તકે સરખા કરાવવાની અપીલ કરી છે.
Technosv2018
September 21, 2021
સુરતઃ સુરતના ગોડાદરા વિસ્તારમાં નાઇટ શિફટમાં કામ કરવા ગયેલા પતિની ગેરહાજરીમાં રાત્રે 11 વાગ્યે પાડોશી યુવકે તેના ઘરમાં ઘૂસીને યુવતી સાથે શરીર સુખ માણ્યું હતું. એ પછી યુવતીએ ઘર બદલ્યું તો પણ યુવક પતિની ગેરહાજરીમાં તેના ઘરે આવીને પતિ અને દીકરીઓને મારી નાંખવાની ધમકી આપી વારંવાર શરીર સંબંધ બાંધ્યા હતા. આ અંગે પરિણીતાના પતિની ફરિયાદને આધારે લીંબાયત પોલીસે આરોપી સામે ગુનો નોંધીને જેલહવાલે કરી દીધો છે.
યુવક આ રીતે એક વાર શરીર સુખ માણી રહ્યો હતો ત્યારે પતિ આવી જતાં તેને આ સંબંધોની જાણ થઈ હતી. યુવતીએ યુવકે આપેલી ધમકીની વાત કરતાં પતિએ એક સંતાનના પિતા વિરૂધ્ધ લિંબાયત પોલીસમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ગોડાદરા વિસ્તારમાં રહેતી મહારાષ્ટ્રીયન પરિવારની ત્રણ સંતાનની માતા એવી 25 વર્ષની યુવતીની પડોશમાં રહેતા બિહારના યુવક સાથે સાથે ઓળખાણ થઇ હતી. આ યુવક પરીણિત છે અને એક સંતાનનો પિતા છે.
યુવક અને યુવતી વચ્ચે સામાન્ય ઓળખાણ હતી. યુવતીનો પતિ એમ્બ્રોઇડરી કારખાનામાં નોકરી કરતો હતો. પણ ત્રણેક વર્ષ અગાઉ પતિ નાઇટ શિફ્ટમાં કામ કરવા ગયો હતો ત્યારે રાત્રે 11 વાગ્યે યુવક પરીણિતાના રૂમમાં ઘૂસી ગયો હતો. તેણે પરીણિતાને કહ્યું હતું કે, હું તને તારા પતિ કરતા સારી રીતે રાખીશ અને હરવા ફરવા લઇ જઇશ. તેના બદલામાં તેણે શરીર સુખની માગણી કરીને શરીર સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો.
યુવતીએ ઇન્કાર કરતા યુવકે ધમકી આપી હતી કે, મારી સાથે શરીર સંબંધ નહીં બાંધે તો તારા ઘરવાળા અને દીકરીને મારી નાંખીશ. આ રીતે યુવતીને ધમકી આપીને તાબે કરીને પાડોશી યુવકે શરીર સંબંધ બાંધ્યો હતો. થોડા સમય બાદ પરીણિતા પતિ સાથે સોસાયટીમાં જ અન્ય રૂમમાં રહેવા ચાલી ગઇ હતી. પાડોશી યુવકે પણ પત્નીને વતન મોકલી આપી પોતે વરેલી ખાતે રહેવા ચાલ્યો ગયો હતો. જો કે તે સંબંધીઓને મળવાના બહાને આવતો હતો અને પતિની ગેરહાજરીમાં બદનામ કરવાની ધમકી આપી યુવતી સાથે શરીર સંબંધ બાંધતો હતો. આ સંબંધો જાણ છેવટે યુવતીના પતિને થઇ જતા આ અંગે લિંબાયત પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
September 21, 2021 at 01:30AM surat
Technosv2018
September 21, 2021
Technosv2018
September 21, 2021
સુરત જિલ્લામાં મોડી રાતથી વરસાદી(Rain) માહોલ જામ્યો છે. અહીંયાના બારડોલી અને મહુવા પંથકમાં રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. બારડોલીમાં 6 કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે.
Technosv2018
September 21, 2021
વલસાડઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા ફરી એકવાર સ્કૂલો શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે વલસાડ જિલ્લાની એક સ્કૂલમાં શિક્ષિકાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ધોરણ 6 થી 8 વર્ગો બંધ કરવામાં આવ્યા છે. કોરોના હોવાં છતાં જિલ્લા આરોગ્ય વિભાગ અને પ્રાથમિક શિક્ષણ વિભાગને સ્કૂલ પ્રશાસન દ્વારા જાણ કરવામાં આવી નહોતી.
કોરોના પોઝિટિવ આવતા બાળકોને 1 અઠવાડિયાની રજા આપી દેવાઈ છે. સ્કૂલ પ્રશાસનની ઘોર બેદરકારી સામે આવી છે. ડી.પી.ઇ.ઓ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે પણ સ્કૂલ પ્રશાસન દ્વારા કાંઈ કહેવામાં આવ્યું નહીં.
નવરાત્રિ પહેલા ધોરણ 1થી 5ના ઓફલાઇન વર્ગો પણ શરૂ થઇ જવાની પ્રબળ સંભાવના છે. આ મામલે આગામી સપ્તાહમાં શાળા સંચાલક મંડળ તરફથી નવા શિક્ષણ મંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવશે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખે પણ નવરાત્રી પહેલા પ્રાથમિક ધોરણના (Offline Classes) વર્ગો શરૂ થઇ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોરોનાની બીજી ઘાતક લહેર શાંત થયા બાદ રાજય સરકારે ધીમે ધીમે તબક્કા વાર છૂટછાટો આપી છે. હાલ ગુજરાતમાં ધો. 6થી 12ના (Offline Classes) વર્ગો શરૂ છે ત્યારે ધોરણ 1થી 5 શરૂ કરવા માટે નવરાત્રી પહેલા નિર્ણય આવે તેવી સંભાવના છે.
નોંધનીય છે કે, 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના (Offline Classes) વર્ગ શરૂ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ સુધરતા સરકારે 15 જુલાઈથી તબક્કાવાર શિક્ષણકાર્ય અનલોક કર્યું છે. જે અંતર્ગત કોલેજો અને ધોરણ 12ની સ્કૂલો (Offline Classes) શરૂ કરાયા બાદ ધોરણ નવથી 11ની સ્કૂલ (Offline Classes) શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ 2 સપ્ટેમ્બરથી રાજ્યની તમામ બોર્ડની તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં ધોરણ છથી આઠના વર્ગોમાં (Offline Classes) શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
સ્કૂલો માટે તકેદારીના ભાગરૂપે જાહેર કરાયેલ શિક્ષણ વિભાગની એસઓપી મુજબ વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે અને ઓનલાઈન (Online Classes) શિક્ષણ પણ ચાલુ રાખવાનું રહેશે. તેમજ વિદ્યાર્થીઓને વાલીની લેખિત સંમિત બાદ જ બોલાવવાના રહેશે. આ ઉપરાંત સ્કૂલ કેમ્પસમાં બાળકો એકઠા ન થાય અને આવતા જતા સમયે એક સાથે ટોળામાં ન જાય તેનું ધ્યાન રાખવાનું રહેશે.
સ્કૂલમાં રોજિંદી સમૂહ પ્રાર્થના તેમજ રમત ગમત અને સાંસ્કૃતિ કાર્યક્રમો આગામી સૂચના ન મળે ત્યાં સુધી બંધ રાખવાના રહેશે. એટલુ જ નહી ક્લાસરૂમમાં 50 ટકાની ક્ષમતામાં જ વિદ્યાર્થીઓને સોશલ ડિસ્ટસિંગ સાથે બેસાડવાના રહેશે.
September 20, 2021 at 10:43PM surat
Technosv2018
September 21, 2021
Technosv2018
September 21, 2021
Technosv2018
September 21, 2021
Technosv2018
September 21, 2021
આવનારા દિવસોમાં સુરતની સાડી મોંઘી થવાની છે. રો મટિરિયલ્સના ભાવો સતત વધતા પ્રતિ સાડી 5 થી 10 રૂપિયાનો વધારો થશે. સુરત પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા બીજી વખત જોબ ચાર્જ માં વધારો કર્યો છે. પહેલા 10% અને 2 મહિના બાદ ફરી 10%નો વધારો કર્યો છે.
સુરતમાં પ્રોસેસર્સ દ્વારા 2 મહિનામાં 20 જોબચાર્જ માં વધારો કર્યો છે. રો મટીરીયલ્સના ભાવ વધતા સુરત પ્રોસેસર્સ દ્વારા જોબ ચાર્જમાં વધુ એક વખત 10 ટકાનો વધારો કરાયો છે. આ વધારો તારીખ 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. સુરત શહેરના અલગ-અલગ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ચાલતી 200થી વધુ કાપડની ચીંધી વાપરતા થયા છે. ગેરકાયદે મિલો સામે જી.પી.સી.બી અને રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે.
એક મહિનામાં કોલસાના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. એજ રીતે પ્રિન્ટિંગના ભાવમાં 25 ટકાનો વધારો,હાઈડ્રોના ભાવમાં 20 ટકાના વધારો થયો છે. મહત્વની વાત એ છે કે કોલસાનો ભાવ 8,000 રૂપિયાથી વધી 11,500 રૂપિયા સુધી વધી ગયાં છે. કલર કેમિકલમાં લાખ રૂપિયાના 1 લાખ 40 હજાર થયા છે. જેથી સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિયેશન દ્વારા પ્રોસેસિંગ ચાર્જમાં 10 ટકાનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે.
અમદાવાદઃ સેન્ચુરી મેટલ રિસાયકલીંગ (સીએમઆર) અને કટારિયા ગ્રુપ (ગુજરાત) વચ્ચેનું સંયુક્ત સાહસ સીએમઆર કટારિયાએ ગુજરાત સરકાર સાથે ગુજરાતમાં પ્રથમ વ્હીકલ સ્ક્રેપ પ્લાન્ટ સ્થાપિત કરવા એમઓયુ કર્યું છે. NH-48 પર ખેડા પાસે પ્રથમ વ્હીકલ સ્ક્રેપ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ એમઓયુ તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલી ઈન્વેસ્ટર સામિટમાં કરવામાં આવ્યું હતું. એઆરએઆઈ અને એમઓઆરટીએચની માર્ગદર્શિકાઓની મંજૂરીને આધીન ગુજરાત સરકારનાં પોર્ટસ અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ સાથે આ જોડાણ કરવામાં આવ્યું હતું.
વર્ષે કેટલા ટુ વ્હીલર, ફરો વ્હીલર સ્ક્રેપ થઈ શકશે
સીએમઆર કટારિયાના ડાયરેક્ટર ધર્મેન્દ્ર મિશ્રાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, કંપની દ્વારા એન્ડ ઓફ લાઈફ (ઈએલવી) સ્ક્રેપીંગ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. તેમાં પ્રથમ ચરણમાં ફોર વ્હીલર્સની 15,000, કોમર્શિયલ વ્હીકલ્સની 2500 અને ટુ વ્હીલર્સની 50,000ની વાર્ષિક ક્ષમતા રહેશે. આ સુવિધામાં પૂરતી જમીન, લેટેસ્ટ મશીન્સ અને ઈક્વિપમેન્ટસ, સોફટવેર અને કાર્યદક્ષ માનવબળ હશે. ભવિષ્યમાં સીએમઆર કટારિયા આ ક્ષમતાને બમણી પણ કરી શકે છે.
September 20, 2021 at 08:01PM surat
Technosv2018
September 21, 2021
Technosv2018
September 20, 2021
સુરતઃ સુરતના ગોડાદરા વિસ્તારમાં નાઇટ શિફટમાં કામ કરવા ગયેલા પતિની ગેરહાજરીમાં રાત્રે 11 વાગ્યે પાડોશી યુવકે તેના ઘરમાં ઘૂસીને યુવતી સાથે શરીર સુખ માણ્યું હતું. એ પછી યુવતીએ ઘર બદલ્યું તો પણ યુવક પતિની ગેરહાજરીમાં તેના ઘરે આવીને પતિ અને દીકરીઓને મારી નાંખવાની ધમકી આપી વારંવાર શરીર સંબંધ બાંધ્યા હતા.
યુવક આ રીતે એક વાર શરીર સુખ માણી રહ્યો હતો ત્યારે પતિ આવી જતાં તેને આ સંબંધોની જાણ થઈ હતી. યુવતીએ યુવકે આપેલી ધમકીની વાત કરતાં પતિએ એક સંતાનના પિતા વિરૂધ્ધ લિંબાયત પોલીસમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
ગોડાદરા વિસ્તારમાં રહેતી મહારાષ્ટ્રીયન પરિવારની ત્રણ સંતાનની માતા એવી 25 વર્ષની યુવતીની પડોશમાં રહેતા બિહારના યુવક સાથે સાથે ઓળખાણ થઇ હતી. આ યુવક પરીણિત છે અને એક સંતાનનો પિતા છે.
યુવક અને યુવતી વચ્ચે સામાન્ય ઓળખાણ હતી. યુવતીનો પતિ એમ્બ્રોઇડરી કારખાનામાં નોકરી કરતો હતો. પણ ત્રણેક વર્ષ અગાઉ પતિ નાઇટ શિફ્ટમાં કામ કરવા ગયો હતો ત્યારે રાત્રે 11 વાગ્યે યુવક પરીણિતાના રૂમમાં ઘૂસી ગયો હતો. તેણે પરીણિતાને કહ્યું હતું કે, હું તને તારા પતિ કરતા સારી રીતે રાખીશ અને હરવા ફરવા લઇ જઇશ. તેના બદલામાં તેણે શરીર સુખની માગણી કરીને શરીર સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો.
યુવતીએ ઇન્કાર કરતા યુવકે ધમકી આપી હતી કે, મારી સાથે શરીર સંબંધ નહીં બાંધે તો તારા ઘરવાળા અને દીકરીને મારી નાંખીશ. આ રીતે યુવતીને ધમકી આપીને તાબે કરીને પાડોશી યુવકે શરીર સંબંધ બાંધ્યો હતો. થોડા સમય બાદ પરીણિતા પતિ સાથે સોસાયટીમાં જ અન્ય રૂમમાં રહેવા ચાલી ગઇ હતી. પાડોશી યુવકે પણ પત્નીને વતન મોકલી આપી પોતે વરેલી ખાતે રહેવા ચાલ્યો ગયો હતો. જો કે તે સંબંધીઓને મળવાના બહાને આવતો હતો અને પતિની ગેરહાજરીમાં બદનામ કરવાની ધમકી આપી યુવતી સાથે શરીર સંબંધ બાંધતો હતો. આ સંબંધો જાણ છેવટે યુવતીના પતિને થઇ જતા આ અંગે લિંબાયત પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
શહેરના મોટા વરાછા વિસ્તારમાંથી બિઝનેસમેનની હત્યા કરાયેલી અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. કાજુ-બદામનો બિઝનેસ કરતાં છત્તીસગઢના વેપારીની ગળે ટૂંપો આપી હત્યા કરેલી અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી છે. બંને હાથ પાછળથી બાંધેલી હાલતમાં મળી આવ્યા છે. પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના મોટા વરાછાની નીચલી કોલોનીમાં 68 વર્ષીય કન્હઈ રામ સુંદર રામ ભાડેતી રહે છે, જેઓ મૂળ છત્તીસગઢના વતની છે અને અહીં તેઓ કાજુ-બદામનો વ્યવસાય કરતાં હતા. ગઈ કાલે મકાન માલિક રાબેતા મુજબ રૂમ જોવા આવ્યા હતા. આ સમયે પહેલા માળે આવેલા રૂમ નંબર 1માંથી ભયંકર દુર્ગંધ આવતી હોવાથી તેમણે ભાડું ઉઘરાવવાનું કામ કરતાં નયન ઠુમ્મરને બોલાવીને દરવાજો ખોલાવ્યો હતો.
દરવાજો ખોલાવતાં કન્હઈ રામની માત્ર આંતરવસ્ત્રો પહેરેલી તેમજ બંને હાથ કપડાથી બાંધેલા અને મોંઢા પર ડુચો મારેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ દ્રશ્ય જોઇ બંને ચોક્કી ગયા હતા. તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસ દોડી આવી હતી અને લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં ત્રણ-ચાર દિવસ પહેલા બિઝનેસમેનનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. બિઝનેસમેનની હત્યા થઈ હોવાનું ખુલતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
બિઝનેસમેન અગાઉ પાઉડર કોટિંગનું કામ કરતો હતો. જોકે, છેલ્લા આઠેક મહિનાથી તેમણે કાજુ-બદામનો વેપાર શરૂ કર્યો હતો. તેમજ તે રૂમમાં એકલો જ રહેતો હતો. પાંચેક દિવસ પહેલા બિઝનેસમેન નયનનું વતન જવાનું છે, તેમ કહ્યું હતું. જોકે, તે વતન જાય તે પહેલા જ તેની હત્યા કરી નાંખવામાં આવી હતી. બીજી તરફ પાડોશમાં રહેતા બે યુવાન ભેદી સંજોગોમાં ગુમ થયા હોવાથી પોલીસને તેમના પર શંકા છે. રૂમમાં સામાન વેરવિખેર હોવાથી અને તેઓ વતન જવાના હોવાથી તેમની પાસે મોટી રકમ હોવાની પણ શક્યતા છે. ત્યારે લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની પોલીસને આશંકા છે. તેમજ પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
September 19, 2021 at 11:48PM surat
Technosv2018
September 20, 2021
સુરતઃ શહેરના મોટા વરાછા વિસ્તારમાંથી બિઝનેસમેનની હત્યા કરાયેલી અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. કાજુ-બદામનો બિઝનેસ કરતાં છત્તીસગઢના વેપારીની ગળે ટૂંપો આપી હત્યા કરેલી અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી છે. બંને હાથ પાછળથી બાંધેલી હાલતમાં મળી આવ્યા છે. પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના મોટા વરાછાની નીચલી કોલોનીમાં 68 વર્ષીય કન્હઈ રામ સુંદર રામ ભાડેતી રહે છે, જેઓ મૂળ છત્તીસગઢના વતની છે અને અહીં તેઓ કાજુ-બદામનો વ્યવસાય કરતાં હતા. ગઈ કાલે મકાન માલિક રાબેતા મુજબ રૂમ જોવા આવ્યા હતા. આ સમયે પહેલા માળે આવેલા રૂમ નંબર 1માંથી ભયંકર દુર્ગંધ આવતી હોવાથી તેમણે ભાડું ઉઘરાવવાનું કામ કરતાં નયન ઠુમ્મરને બોલાવીને દરવાજો ખોલાવ્યો હતો.
દરવાજો ખોલાવતાં કન્હઈ રામની માત્ર આંતરવસ્ત્રો પહેરેલી તેમજ બંને હાથ કપડાથી બાંધેલા અને મોંઢા પર ડુચો મારેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ દ્રશ્ય જોઇ બંને ચોક્કી ગયા હતા. તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસ દોડી આવી હતી અને લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં ત્રણ-ચાર દિવસ પહેલા બિઝનેસમેનનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. બિઝનેસમેનની હત્યા થઈ હોવાનું ખુલતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
બિઝનેસમેન અગાઉ પાઉડર કોટિંગનું કામ કરતો હતો. જોકે, છેલ્લા આઠેક મહિનાથી તેમણે કાજુ-બદામનો વેપાર શરૂ કર્યો હતો. તેમજ તે રૂમમાં એકલો જ રહેતો હતો. પાંચેક દિવસ પહેલા બિઝનેસમેન નયનનું વતન જવાનું છે, તેમ કહ્યું હતું. જોકે, તે વતન જાય તે પહેલા જ તેની હત્યા કરી નાંખવામાં આવી હતી. બીજી તરફ પાડોશમાં રહેતા બે યુવાન ભેદી સંજોગોમાં ગુમ થયા હોવાથી પોલીસને તેમના પર શંકા છે. રૂમમાં સામાન વેરવિખેર હોવાથી અને તેઓ વતન જવાના હોવાથી તેમની પાસે મોટી રકમ હોવાની પણ શક્યતા છે. ત્યારે લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની પોલીસને આશંકા છે. તેમજ પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
September 19, 2021 at 11:26PM surat
Technosv2018
September 20, 2021
સુરતઃ જિલ્લાના માંગરોળમાં સાથે નોકરી કરતાં યુવકે છોકરીને ફેક્ટરીના પહેલા માળે બોલાવી પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સંબંધને કારણે છોકરી ગર્ભવતી થઈ ગઈ હતી. છોકરીને હોસ્પિટલે લઈ જતાં યુવકના ભાઈએ ઉંમર ખોટી બતાવીને ગર્ભપાત કરાવી નાંખ્યો હતો. હવે છોકરીએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, માંગરોળમાં બે વર્ષ પહેલા યુવતી સગીર હતી અને પરિવારને આર્થિક મદદ કરવા માટે કંપનીમાં કામ કરતી હતી. જ્યાં તેની સાથે કામ કરતાં મહેશ પટેલ સાથે તેને પ્રેમ સંબંધ બંધાયા હતા. દરમિયાન એક દિવસ મહેશે સગીરાને ફેક્ટીરના પહેલા માળે બોલાવી હતી અને કામ પરથી કઢાવી નાંખીશ દેવી ધમકી આપી તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પછી તો મહેશ ઇચ્છા થાય ત્યારે તેને ધમકી આપીને પરાણે સંબંધ બાંધતો હતો. બીજી તરફ છોકરીને નોકરીની જરૂર હોવાથી તેણે પરિવારને વાત કરી નહોતી.
દરમિયાન છોકરી બીમાર પડતાં કામ આવી નહોતી. જેની જાણ મહેશને થતાં તેણે પોતાના ભાઈને છોકરીના ઘરે મોકલ્યો હતો. જ્યાં તેના ભાઈને ખબર પડી કે છોકરીને હોસ્પિટલ લઈ જઈ રહ્યા છે. આથી તેમની સાથે ગયો હતો. અહીં ડોક્ટરે તેને ગર્ભવતી હોવાનું જણાવતા ઉંમર ખોટી બતાવી ગર્ભપાત કરાવી નાંખ્યો હતો. બીજી તરફ પતિાએ ઘરે આવીને પૂછપરછ કરતાં તેણે મહેશનું નામ જણાવ્યું હતું અને પોતાની સાથે થયેલા દુષ્કર્મ અંગે પણ વાત કરી હતી. આ પછી પરિવારને હિંમત મળતાં યુવતીએ કોસંબા પોલીસ સ્ટેશનમાં મહેશ પટેલ અને તેના ભાઈ મુકેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને ભાઈએ વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Surendranagar : ચક્કર આવતાં માતા બાળક સાથે નર્મદા કેનાલમાં પડી ગઈ ને પછી....
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલ ગોઝારી કેનાલ બની છે. કેનાલમાં ડુબી જવાથી બે દિવસમાં બેનાં મોત થયા છે. રવિવારે કેનાલમાં કુદી એક યુવાને આત્મહત્યા કરી હતી અને મોડી સાજે એક મહિલાને પણ બાળકી સાથે કેનાલમાં પડવાનો બનાવ બન્યો હતો.
સુરેન્દ્રનગર દૂધરેજ કેનાલમાં ડુબી ગયેલી દોઢ વર્ષની બાળકી લાશને ફાયરબ્રીગેડના જવાનોએ બહાર કાઢી છે. રવિવારે સાંજના સમયે બાળકી તેની માતા સાથે જઇ રહી હતી તે સમયે માતાને ચક્કર આવતા બાળકી અને માતા બંન્ને કેનાલમાં પડી ગયા હતાં. સ્થાનિક યુવાનોએ માતાને બચાવી લીધી પરંતુ બાળકીનો પત્તો ન લાગતા આજે વહેલી સવારથી ફાયરની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી. પોલીસે બાળકીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, સપના નામની દોઢ વર્ષીય બાળકીનું કેનાલમાં પડી જતાં મોત નીપજ્યું છે. જ્યારે માતા વસંતબેનને બચાવી લેવામાં આવ્યા હતા. તેઓ શહેરના 80 ફૂટ રોડ પર રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
September 19, 2021 at 10:41PM surat
Technosv2018
September 20, 2021
Technosv2018
September 20, 2021
સુરતઃ શહેરના લીંબાયત વિસ્તારમાં પાડોશીએ પરણીતા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ભાડાનું ઘર બદલ્યું હોવા છતાં સબંધીને મળવા આવવાના બહાને દુષ્કર્મ આચારતો હતો. એટલું જ નહીં, બળાત્કારી પરિણીતાને તારા પતિ કરતા સારી રીતે રાખીશ અને ફરવા લઈ જઈશ એમ કહી દુષ્કર્મ આચરતો હતો. પતિ નાઈટ શિફ્ટમાં નોકરીએ જતો ત્યારે રાત્રે દુષ્કર્મ આચારતો હતો. આ અંગે પતિને જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય એક ઘટનામાં, સુરતના ડિંડોલી વિસ્તારમાં પ્રેમમાં પાગલ છોકરીએ ભરેલા પગલાએ ચકચાર જગાવી છે. આ છોકરીએ માતા-પિતાને ઘેનની દવાવાળા પરોઠા ખવડાવી દીધા હતા. ત્યાર બાદ પરિવારનાં લોકો ઘેનમાં સૂઈ જતાં રાત્રે પ્રેમીને ઘરે બોલાવ્યો હતો ને પછી તેની સાથે ભાગી જઈને પ્રેમી સાથે લગ્ન કરી લીધાં હતાં.
પરિવારનાં લોકો પરોઠાના ઘેનમાંથી બહાર આવ્યા પછી ફરિયાદ કરતાં પોલીસે યુવતીને ઝડપીને માતા પિતા સમક્ષ હાજર કરી હતી. યુવતીએ આશ્ચર્યજનક રીતે જેની સાથે લગ્ન કરી લીધાં હતાં તે યુવકની સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. દીકરી પાછી ફરતાં યુવતીના પિતાએ પુત્રી અને તેના પ્રેમી તથા પ્રેમીના પિતા વિરૂધ્ધ ફરિયાદ કરી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ડિંડોલી વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. અઢી વર્ષ પહેલાં સોસાયટીમાં જ રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યાર બાદ યુવતી એક વખત યુવક સાથે ભાગી ગઇ હતી. યુવતીનો પરિવાર યુવકના મામાના ઘરેથી તેને સમજાવીને પરત લઇ આવ્યા હતા.
દરમિયાનમાં 12 સપ્ટેમ્બરના રોજ સાંજે યુવતીએ આલુ પરોઠા બનાવ્યા હતા. યુવતીએ પરોઠામાં ઘેનની દવા ભેળવી દીધી હતી. પરિવારે પરોઠા ખાધા હતા અને સૂઇ ગયા હતા. બીજા દિવસે સવારે પરિવાર ઉંઘમાંથી જાગતા ચક્કર આવી રહ્યા હતા અને પુત્રી ગાયબ હતી. પુત્રીને શોધતા તે મળી નહોતી. તેના પ્રેમી યુવકના ઘરે તપાસ કરતા તે પણ હાજર નહોતો. યુવતીનો પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તેમને ઝડપી લીધા હતા. જો કે યુવતીએ પોતાના પ્રેમી સાથે જ રહેવાનું કહેતા યુવતીના પિતાએ ફરિયાદ દાખલ કરાવી હતી.
Technosv2018
September 20, 2021
Technosv2018
September 20, 2021
Technosv2018
September 20, 2021
સુરત : સુરતના ડિંડોલી વિસ્તારમાં પ્રેમમાં પાગલ છોકરીએ ભરેલા પગલાએ ચકચાર જગાવી છે. આ છોકરીએ માતા-પિતાને ઘેનની દવાવાળા પરોઠા ખવડાવી દીધા હતા. ત્યાર બાદ પરિવારનાં લોકો ઘેનમાં સૂઈ જતાં રાત્રે પ્રેમીને ઘરે બોલાવ્યો હતો ને પછી તેની સાથે ભાગી જઈને પ્રેમી સાથે લગ્ન કરી લીધાં હતાં.
પરિવારનાં લોકો પરોઠાના ઘેનમાંથી બહાર આવ્યા પછી ફરિયાદ કરતાં પોલીસે યુવતીને ઝડપીને માતા પિતા સમક્ષ હાજર કરી હતી. યુવતીએ આશ્ચર્યજનક રીતે જેની સાથે લગ્ન કરી લીધાં હતાં તે યુવકની સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. દીકરી પાછી ફરતાં યુવતીના પિતાએ પુત્રી અને તેના પ્રેમી તથા પ્રેમીના પિતા વિરૂધ્ધ ફરિયાદ કરી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ડિંડોલી વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. અઢી વર્ષ પહેલાં સોસાયટીમાં જ રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યાર બાદ યુવતી એક વખત યુવક સાથે ભાગી ગઇ હતી. યુવતીનો પરિવાર યુવકના મામાના ઘરેથી તેને સમજાવીને પરત લઇ આવ્યા હતા.
દરમિયાનમાં 12 સપ્ટેમ્બરના રોજ સાંજે યુવતીએ આલુ પરોઠા બનાવ્યા હતા. યુવતીએ પરોઠામાં ઘેનની દવા ભેળવી દીધી હતી. પરિવારે પરોઠા ખાધા હતા અને સૂઇ ગયા હતા. બીજા દિવસે સવારે પરિવાર ઉંઘમાંથી જાગતા ચક્કર આવી રહ્યા હતા અને પુત્રી ગાયબ હતી. પુત્રીને શોધતા તે મળી નહોતી. તેના પ્રેમી યુવકના ઘરે તપાસ કરતા તે પણ હાજર નહોતો. યુવતીનો પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તેમને ઝડપી લીધા હતા. જો કે યુવતીએ પોતાના પ્રેમી સાથે જ રહેવાનું કહેતા યુવતીના પિતાએ ફરિયાદ દાખલ કરાવી હતી.
September 19, 2021 at 02:56AM surat
Technosv2018
September 19, 2021
સુરતના અડાજણ વિસ્તારમાં કારમાં આગ લાગવાની ઘટના બની હતી. કારમાં આગ લાગતા નાસ ભાગ મચી હતી. સ્થાનિકોએ કારમાં લાગેલી આગ બુઝાવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે સદ્ નસીબે કોઈ જાનહાની થઇ ન હતી.
September 18, 2021 at 04:40AM surat
Technosv2018
September 18, 2021
Technosv2018
September 18, 2021