એકબાજુ સુરત (Surat)માં કોરોના વકરી રહ્યો છે. ત્યારે બીજુ બાજુ આવતીકાલે રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પર ઉતરવાનું એલાન કર્યું છે. ડોક્ટરોની માંગ છે કે, તેમનું સ્ટાઈપેન્ડ વધારવામાં આવે. છેલ્લા 1 સપ્તાહ થી રજુઆત કરવામાં આવી રહી છે. છતાં આજદિન સુધી કોઈ ઉકેલ નથી. ગઈકાલે સ્પેશિયલ અધિકારી મિલિંદ તોરવને ને પણ રજુઆત કરાઈ હતી.
April 30, 2021 at 04:52AM surat
Technosv2018
April 30, 2021
સુરત (Surat)ના અડાજણમાં એક દુકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ (Cylinder Blast)ની ઘટના બની. સિલિંડર બ્લાસ્ટ થતા દુકાનમાં હાજર યુવક ગંભીર રીતે દાઝી ગયો. અડાજણ ધોબીની ગલીમાં આવેલા રેડિયમની દુકાનમાં સિલિંડર બ્લાસ્ટ થયો હતો. સદનસીબે ફાયરબ્રિગેડ સમયસર પહોંચી જતા યુવકને સારવાર માટે ખસેડ્યો અને આગ પર કાબૂ મેળવ્યો.
April 30, 2021 at 02:34AM surat
Technosv2018
April 30, 2021
રાજ્ય સરકાર દ્વારા સુરત ( Surat)માં સહકારી દૂધ સંઘોને ત્વરિત ઓક્સિજન પ્લાન્ટ ( Oxygen Plant) શરૂ કરવા આદેશ કરાયો છે. સુરત સુમુલે આદેશના પગલે આગામી દિવસોમાં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવાની તજવીજ હાથ ધરી છે. કોરોનામાં દર્દીઓને ઓક્સિજન સેવા મળી રહે તે માટે કામગીરી કરવા સૂચના અપાઈ છે. ગ્રામીણ વિસ્તારોમાં સુવિધા ઉભી કરવા માટે સૂચના અપાઈ
April 30, 2021 at 01:50AM surat
Technosv2018
April 30, 2021
સુરતમાં (surat) રેમડેસિવીર ઈંજેકશન (remdecivir injection)ની કાળાબજારી કરતાં બે તબીબ (doctor) ડો. હિતેશ ડાભી અને ડો. સાહિલ ઘોઘારી ને શરતી જામીન આપવામાં આવ્યા છે. 15 દિવસ સુધી નવી સિવિલ હોસ્પિટલમાં (new civil hospital) 10 દર્દીઓ ની સેવા કરવાની રહશે. અને બાદમાં કોર્ટમાં (court) રિપોર્ટ (report) રજૂ કરવો પડશે. આ બંને તબીબોની લાલગેટ વિસ્તારમાંથી ધરપકડ કરાઇ હતી.
April 29, 2021 at 11:37PM surat
Technosv2018
April 30, 2021
Technosv2018
April 30, 2021
સુરતમાં ઓક્સિજનની અછત અંગે કલેક્ટરે અહીંથી એરલિફ્ટ થઈને મધ્યપ્રદેશ જતો 90 ટન ઓક્સિજનનો જથ્થો અટકાવ્યો છે. શહેરને જરૂર જથ્થો મેળવ્યા બાદ જ આ ટેન્કને રવાના થવા દેવાયા છે.
April 29, 2021 at 02:50AM surat
Technosv2018
April 29, 2021
સુરતની નવી સિવિલ હોસ્પિટલનો મુખ્ય દ્વાર બંધ કરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. હોસ્પિટલના કર્મચારીઓ મુખ્ય દરવાજો કુદીને અંદર જઈ રહ્યા છે.અહીં ભીડ એકઠી ન થાય તેના માટે બાઉન્સર પણ તહેનાત કરાયા છે.
April 29, 2021 at 02:46AM surat
Technosv2018
April 29, 2021
રાજ્યમાં કોરોનાની સ્થિતિ ખૂબજ ગંભીર બની છે. હોસ્પિટલોમાં દર્દીઓને બેડ નથી મળી રહ્યાં. ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. ત્યારે સુરતમાં ઓક્સિજનની અછતને પહોંચી વળવા માટે સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોર્મસે ઓક્સિજન સિલિન્ડરની બેંક બનાવીને એક પહેલ કરી છે.
April 29, 2021 at 12:30AM surat
Technosv2018
April 29, 2021
સુરતમાં એક તરફ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે એવામાં એક યુવકે ફાર્મ હાઉસ ભાડે રાખીને જન્મદિવસની ઉજવણી કરી છે. અહીં કેક કાપીને આતશબાજી પણ કરવામાં આવી છે. આ વાયરલ વીડિયો અંગે જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
April 28, 2021 at 04:19AM surat
Technosv2018
April 28, 2021
સુરતના લાલ દરવાજાની આયુષ હોસ્પિટલમાં લાગેલી આગના સીસીટીવી ફુટેજ મળ્યા છે. કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા દર્દીઓમાં દોડધામ મચી હતી. અહીં એર કન્ડીશનરમાં શોર્ટ સર્કીટના લીધે આ આગ લાગી હતી.
April 28, 2021 at 04:14AM surat
Technosv2018
April 28, 2021
સુરત પોલીસ કમિશ્નરે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ લોકોની મુંઝવણ દૂર કરી છે. તેમણે કહ્યું કે, જીવન જરૂરિયાત વાળી સેવાઓ જ ચાલું રહી શકશે.સાથે જ સોશિયલ ડિસ્ટસિંગ સાથે શાકભાજીના લારી ગલ્લા ખુલ્લા રાખી શકાશે.
April 28, 2021 at 04:07AM surat
Technosv2018
April 28, 2021
સુરતના મહિધરપુરામાં હીરા બજારને પોલીસે બંધ કરાવ્યું છે. અહીં તમામ હીરા દલાલને બજાર બંધ રાખવાની સૂચના આપી દેવાઈ છે.સરકારના જાહેરનામાનો ભંગ થશે તો કાર્યવાહીના પણ આદેશ કરવામાં આવ્યા છે.
April 28, 2021 at 03:35AM surat
Technosv2018
April 28, 2021
સુરતમાં (surat) કોરોના (corona) સંક્રમણને અટકાવવા માટે ટેક્સટાઇલ માર્કેટ (textile market) 28 એપ્રિલ (april) થી લઇને 5 મે (may) સુધી બંધ રાખવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અપીલ બાદ વેપારીઓએ જાતે બંધ પાળવાનો નિર્ણય કર્યો છે. 165 માર્કેટ અને 75 દુકાનો 5 મે સુધી બંધ રહશે. આજ સવારથી જ માર્કેટ બંધ જોવા મળી રહ્યા છે.
April 28, 2021 at 03:16AM surat
Technosv2018
April 28, 2021
સુરત ચેમ્બર ઓફ કોમર્સે ઓક્સિજન બેન્કની શરૂઆત કરી છે. અહીં હોમ આઈસોલેટેડ જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્ય ઓક્સિજનની બોટલ આપવામાં આવે છે.તબીબના પ્રિક્રિપ્સનના આધારે જ અહીં બોટલ આપવામાં આવે છે.
April 28, 2021 at 02:50AM surat
Technosv2018
April 28, 2021
મુખ્યમંત્રીની જાહેરાત બાદ કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે સુરત ટેક્સટાઈલ માર્કેટ 5મી મે સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. સુરતમાં 165 માર્કેટ અને 75 હજાર દુકાનોના વેપારીઓ સ્વૈચ્છિક બંધમાં જોડાશે.
April 28, 2021 at 01:12AM surat
Technosv2018
April 28, 2021
સુરતના કલેક્ટરે શહેરમાં ઓક્સિજનની અછત છે અને આગામી દિવસોમાં સ્થિતિ ગંભીર બને તેવો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ઓક્સિજન સપ્લાય આપણા હાથમાં નથી પરંતુ જેટલો ઓક્સિજન મળી રહ્યો છે તેની યોગ્ય રીતે વહેંચણી કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.
April 27, 2021 at 10:18PM surat
Technosv2018
April 28, 2021
સુરત(Surat) શહેર અને જિલ્લામાં થોડાક દિવસની આંશિક રાહત બાદ કેસમાં ફરીથી ઉછાળો આવ્યો છે. મંગળવારે સુરત જિલ્લામાં બે હજાર 269 કેસ નોંધાયા છે.
April 27, 2021 at 10:02PM surat
Technosv2018
April 28, 2021
સુરતઃ રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ઓક્સિજનની અછત સર્જાઈ છે. સુરતના કલેકટર ડો. ધવલ પટેલે કહ્યું કે, સુરતમાં ઓક્સિજનની અછત છે. આવનારા સમયમાં દર્દીઓની હાલાકી વધી શકે છે. સુરતમાં ઓક્સિજનનો સ્ટોક નથી આવે તેમ વપરાઈ રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારને જાણ કરવામાં આવી છે. એક બીજા પાસેથી ઓક્સિજન મેળવી પ્રયાસ કરી રહ્યા છીએ. સુરતની ઓક્સિજનને લઈ સ્થિતિ ગંભીર છે તેમ જણાવ્યું હતું.
હાલ જરૂરિયાત પ્રમાણે હોસ્પિટલોને પ્રાણવાયુ પૂરો પાડવામાં આવી રહ્યો થવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે, જ્યારે હાલ 225 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર સામે માત્ર 150 મેટ્રિક ટન ઓક્સિજન મળી રહ્યો છે. અને સુરત પાસે માત્ર 12થી 18 કલાક ચાલે એટલો જ ઓક્સિજન છે.
સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 106505 પર પહોંચી ગયો છે. આ સાથે કોરોનાથી મત્યુઆંક વધીને 1671 થયો છે. શહેર જિલ્લામાં કુલ 21805 એક્ટિવ કેસ છે. સોમવારે રાજ્યમાં પ્રથમ વખત 14340 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 158 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 6486 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.93 ટકા છે. રાજ્યમાં સોમવારે 7727 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,82,426 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 20 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,21,461 પર પહોંચ્યો છે. જેમાંથી 412 લોકો વેન્ટિલેટર પર અને 1,21,049 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.93 ટકા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 94,35,424 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 20,19,205 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,14,54,629 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના 14340 નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે 7,727 લોકો સ્વસ્થ થયા છે.
April 27, 2021 at 03:55AM surat
Technosv2018
April 27, 2021
કોરોનાના કપરા કાળમાં સુરતમાં બારડોલીમાં બે ભાઈઓએ પોતાની ઈનોવા કારને એમ્બ્યુલન્સમાં ફેરવી દીધી છે. જેના દ્વારા તેઓ કોરોનાના દર્દીઓને નિશુલ્ક સેવા આપી રહ્યાં છે. આટલું જ નહીં તેમણે વેન્ટીલેટર માટે રૂપિયા 8 લાખનું દાન કર્યું છે.
April 27, 2021 at 03:08AM surat
Technosv2018
April 27, 2021
સુરતમાં સતત બીજા દિવસે દૈનિક કેસમાં ઘટાડો નોંધાયો છે. અઠવા અને રાંદેર ઝોનમાં દર્દીઓનો આંકડો 300થી ઓછો થયો છે. આ બે એવા ઝોન છે જ્યાં સૌથી વધુ સંક્રમણ ફેલાયું હતું.
April 26, 2021 at 11:10PM surat
Technosv2018
April 27, 2021
Technosv2018
April 27, 2021
Technosv2018
April 27, 2021
સુરતમાં ઓક્સિજનની અછત હોવાની ખુદ ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કબૂલાત કરી છે. તેમનું કહેવુ છે કે આ અંગે કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ રાજ્ય સરકાર પણ આ વાતને ગંભીરતાથી લીધી છે.
April 26, 2021 at 03:11AM surat
Technosv2018
April 26, 2021
ગુજરાત સ્થિત કંપનીઓનું ઓક્સિજન ગુજરાતની હોસ્પિટલોને મળે તેવી માંગ કરવામાં આવી રહી છે. કેટલીક કંપનીનો ઓક્સિજન મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશને અપાતો દાવો કરવામાં આવી રહ્યો છે. જેથી પૂરતી માત્રામાં ઓક્સિજન મળે તેના માટે સુરતના હોસ્પિટલ સંચાલકો રજૂઆત કરશે.
April 26, 2021 at 02:59AM surat
Technosv2018
April 26, 2021
સુરતના ખાનગી હોસ્પિટલમાં કોઈ પણ સમયે ઓક્સિજનનો જથ્થો ખૂટી પડે તેવી દહેશત ઊભી થઈ છે. આ અંગે ડોક્ટરમાં ચિંતા જોવા મળી રહી છે. ડોક્ટર્સે વધેલી માંગ સામે પૂરતો જથ્થો ન મળતો હોવાની ફરિયાદ કરી છે.
April 26, 2021 at 01:11AM surat
Technosv2018
April 26, 2021
સુરતઃ રાજ્યમાં કોરોના મહામારીએ રૌદ્ર રૂપ ધારણ કર્યુ છે, જેમાં અમદાવાદ, સુરતની હાલત સૌથી ચિંતાજનક છે. આ બંને શહેરોમાં હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે અને છેલ્લા થોડા દિવસોથી પ્રાણવાયુ ઓક્સિજનની પણ અછત ઉભી થઈ છે.
આજે સુરત ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ સરકારને ઓક્સિજન મુદ્દે આપ્યું અલ્ટીમેટમ આપ્યું છે. જે મુજબ
સુરતની ખાનગી હોસ્પિટલમાં હવે માત્ર 12 થી 24 કલાક ચાલે તેટલો જ ઓક્સિજન છે. સરકાર ઓક્સિજન પૂર્તિ માટે કામગીરી કરે તે માટે કલેક્ટરને રજૂઆત કરી છે. ખાનગી હોસ્પિટલમાં કુલ 4000થી વધુ પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. જો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નહીં મળે તો દર્દીઓના જીવ જોખમમાં મુકાશે. આ મુદ્દે ડો.હિરલ શાહ-પ્રમુખ IMA સુરત, નિર્મલ ચોરડીયા-નિર્મલ હોસ્પિટલ, ડો.નેહા શાહ-INS હોસ્પિટલ, દિવ્યાંગ કાયસ્થ- ટ્રાય સ્ટાર હોસ્પિટલ, ડો.વિનોદ શાહ-ફેમિલિ ફીઝીશયન તથા હર્ષ સંઘવી-ધારાસભ્ય, મજુરા સુરત દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.
ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલના સુરતના પ્રમુખ શહેરની સ્થિતિ અંગે જણાવતા કહ્યું કે, સુરત શહેરમાં આગામી બારથી ચોવીસ કલાકમાં સ્થિતિ નિયંત્રણ બહાર જઈ શકે તેવી શક્યતાઓ છે. સુરત શહેરની ખાનગી હોસ્પિટલ પાસે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નથી. મિશન હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ,નિર્મલ હોસ્પિટલ અને મહાવીર હોસ્પિટલ સ્થિતિ બગડી છે.
સુરતમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1,04,629 પર પહોંચી ગઈ છે. મૃત્યુઆંક વધીને 1645 પર પહોંચી ગયો છે. શહેરમાંથી કોરોનાને મ્હાત આપનારાની સંખ્યા વધીને 81,179 પર પહોંચી ગઈ છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 21,805 પર પહોંચી ગઈ છે.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. રવિવારે રાજ્યમાં પ્રથમ વખત 14296 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 157 લોકોનાં મૃત્યુ થયા હતા. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6328 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે. રાજ્યમાં આજે 6727 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,74,699 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,15,006 પર પહોંચ્યો છે. જેમાંથી 406 લોકો વેન્ટિલેટર પર અને 1,14,600 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે.
April 26, 2021 at 12:50AM surat
Technosv2018
April 26, 2021
સુરતઃ સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સુરત માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. સુરત શહેરની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ગમે તે ઘડીએ ખૂટી પડવાની દહેશત છે. સુરતમાં ઓક્સિજનની અછતની આશંકાને લઈને ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સ ચિંતિત છે. રવિવારે મોડી રાત્રે ડોક્ટર્સે ઓક્સિજન સ્થિતિ અંગે જનપ્રતિનિધી અને પ્રશાશન સમક્ષ રજુઆત કરી હતી. ઓક્સિજનની વધેલી માંગની સામે પર્યાપ્ત માત્રામાં જથ્થો ન મળતો હોવાની મોટા ભાગના ડોક્ટર્સની ફરિયાદ છે. ડોક્ટરની ચિંતા છે કે, ઓક્સિજનનની અછત વચ્ચે કોરોનાના દર્દીઓની સારવાર કેવી રીતે કરવી.
અમદાવાદ બાદ સૌથી વધુ સંક્રમિત શહેર સુરત હોવાથી સુરતને વધુ ઓક્સિજનનો જથ્થો ફાળવવાની ડોક્ટર્સની માંગ છે. ઓક્સિજનના અભાવે કોઈ દર્દીનું મૃત્યુ ન થાય તેનુ ડોક્ટર્સ પૂરતુ ધ્યાન રાખી રહ્યા છે. દ.ગુજરાતમાં 300 મેટ્રિક ટન ઓક્સિજજની જરુરની સામે 250 મેટ્રિક ટન ઓક્સિજન મળે છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 14296 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 157 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6328 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે.
રાજ્યમાં ગઈકાલે 6727 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,74,699 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,15,006 પર પહોંચ્યો છે. જેમાંથી 406 લોકો વેન્ટિલેટર પર અને 1,14,600 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત કોર્પોરેશનમાં 25, રાજકોટ કોર્પોરેશન-8, મહેસાણા 4, વડોદરા કોર્પોરેશન-11, સુરત-1, જામનગર કોર્પોરેશન 8, જામનગર-6, બનાસકાંઠા-4, ભાવનગર કોર્પોરેશન-3, સુરેન્દ્રનગર 4, વડોદરા 7, કચ્છ 3, સાબરકાંઠા 5, ભાવનગર 4, ગાંધીનગર કોર્પોરેશન 2, મહીસાગર 1, જૂનાગઢ કોર્પોરેશન 2, ગાંધીનગર 4, જૂનાગઢ 2, ભરુચ 4, વલસાડ 2, પંચમહાલ 1, અમરેલી 2, અમદાવાદ 2, રાજકોટ 6, મોરબી 6, દેવભૂમિ દ્વારકામાં 1 અને બોટાદમાં 1 મોત થયું છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 5790, સુરત કોર્પોરેશનમાં 1690, રાજકોટ કોર્પોરેશન 608, મહેસાણા 598, વડોદરા કોર્પોરેશન-573, સુરત 413, જામનગર કોર્પોરેશન-388, જામનગર-286, બનાસકાંઠા 282, ભાવનગર કોર્પોરેશન-212, સુરેન્દ્રનગર 196, વડોદરા 187, દાહોદ 182, કચ્છ 180, સાબરકાંઠા 173, ભાવનગર 167, પાટણ 163, ગાંધીનગર કોર્પોરેશન 161, મહીસાગર 156, ખેડા 143, જૂનાગઢ કોર્પોરેશન 131, તાપી 130, ગાંધીનગર 128, નવસારી 121, જૂનાગઢ 120, આણંદ 119, ભરુચ 117, ગીર સોમનાથ 115, વલસાડ 109, પંચમહાલ 87, અરવલ્લી 84, અમરેલી 82, અમદાવાદ 74, રાજકોટ 68, છોટા ઉદેપુર 60, પોરબંદર 45, મોરબી 41, દેવભૂમિ દ્વારકા 39, નર્મદા 32, બોટાદ 30 અને ડાંગ 16 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 93,63,159 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 19,32,370 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,12,95,536 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
April 25, 2021 at 10:28PM surat
Technosv2018
April 26, 2021
Technosv2018
April 26, 2021
Technosv2018
April 25, 2021
સુરતમાં સ્ટાઈપેન્ડ વધારા ને લઈ રેસિડેન્ટ ડોક્ટરોએ ચીમકી ઉચ્ચારી છે. સ્ટાઇપેન્ડ નહીં વધારાય તો રેસિડન્ટ તબીબો 1 મેથી કોરોનાની સારવાર નહીં આપે તેવી ડોક્ટરોએ ચીમકી આપી છે. સતત રજૂઆત બાદ પણ સરકાર નથી સાંભળતી. ત્રણ વર્ષ પહેલા સ્ટાઈપેન્ડમાં વધારો કરાયો હતો. વિધાર્થી હોવા છતાંય આ રેસીડેન્ટ તબીબો અભ્યાસ છોડી છેલ્લા એકે વર્ષથી કોવિડ ના દર્દીની સારવાર કરી રહ્યા છે
Technosv2018
April 25, 2021
Technosv2018
April 25, 2021
Technosv2018
April 25, 2021
સુરત : કોરોનાની ચેન તોડવા સુરત મનપા દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રથી પરત સુરત આવતા લોકોને તાવ, શરદી, ખાસી હશે તો સુરત શહેરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. સૌરાષ્ટ્રથી આવતા લોકોને થોડા પણ કોરોનાના લક્ષણ હશે તેમને શહેરની અંદર નહીં આવવા દેવામાં આવે. સુરત શહેરના પ્રવેશ દ્વાર પર ફરજિયાત કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
મોટી સંખ્યામાં સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓ ડાયમંડ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે. શહેરના કતારગામ, વરાછા, પુણા વિસ્તારમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ રહે છે. બહારથી આવતાં લોકોમાં કોરોના સંક્રમણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જેને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં કોરોનાના કેસ (Gujarat Corona Cases) રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. જેમાં સૌથી વધુ હાલત અમદાવાદ અને સુરતની છે. અમદાવાદમાં કોરોનાની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે, જ્યારે સુરતમાં પણ કેસની સંખ્યા એક લાખને પાર થઈ છે. રાજ્યના બે મોટા શહેરોમાં કોરોનાના કેસની સંખ્યા એક લાખને પાર પહોંચી છે. સુરતમાં શનિવારે કોરોનાના (Surat Coronavirus Cases) 2726 નવા કેસ નોંધાયા હતા. જે પૈકી સિટીમાં 2361 કેસ નોંધાવાની સાથે કુલ આંક 80,088 પર પહોંચ્યો છે. જ્યારે ડિસ્ટ્રીક્ટમાં વધુ 365 કેસ સાથે આંક 22,438 પર પહોંચ્યો છે. આમ કુલ પોઝિટિવ કેસનો આંકડો 1,02,526 થયો છે. અત્યાર સુધીમાં સુરત સિટીમાં 1295 અને ડિસ્ટ્રિક્ટમાં 323 મળી કુલ1618 લોકોને કોરોના ભરખી ગયો છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 21,336 છે અને કુલ 79,572 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. શનિવારે રાજ્યમાં પ્રથમ વખત 14,097 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 152 લોકોનાં મૃત્યુ થયા હતા. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6171 પર પહોંચી ગયો છે. આમ રાજ્યમાં દર કલાકે 587 કેસ નોંધાયા અને 6થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. રાજ્યમાં શનિવારે 6479 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે અત્યાર સુધી 3,67,972 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો (Active Cases) આંકડો 107594 પર પહોંચ્યો છે. જેમાંથી 396 લોકો વેન્ટિલેટર પર અને 107198 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 76.38 ટકા છે.
April 24, 2021 at 08:55PM surat
Technosv2018
April 25, 2021
સુરતઃ રાજ્યમાં કોરોનાના કેસ (Gujarat Corona Cases) રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. જેમાં સૌથી વધુ હાલત અમદાવાદ અને સુરતની છે. અમદાવાદમાં કોરોનાની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે, જ્યારે સુરતમાં પણ કેસની સંખ્યા એક લાખને પાર થઈ છે. રાજ્યના બે મોટા શહેરોમાં કોરોનાના કેસની સંખ્યા એક લાખને પાર પહોંચી છે.
સુરતમાં શનિવારે કોરોનાના (Surat Coronavirus Cases) 2726 નવા કેસ નોંધાયા હતા. જે પૈકી સિટીમાં 2361 કેસ નોંધાવાની સાથે કુલ આંક 80,088 પર પહોંચ્યો છે. જ્યારે ડિસ્ટ્રીક્ટમાં વધુ 365 કેસ સાથે આંક 22,438 પર પહોંચ્યો છે. આમ કુલ પોઝિટિવ કેસનો આંકડો 1,02,526 થયો છે. અત્યાર સુધીમાં સુરત સિટીમાં 1295 અને ડિસ્ટ્રિક્ટમાં 323 મળી કુલ1618 લોકોને કોરોના ભરખી ગયો છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 21,336 છે અને કુલ 79,572 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. શનિવારે રાજ્યમાં પ્રથમ વખત 14,097 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 152 લોકોનાં મૃત્યુ થયા હતા. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6171 પર પહોંચી ગયો છે. આમ રાજ્યમાં દર કલાકે 587 કેસ નોંધાયા અને 6થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. રાજ્યમાં શનિવારે 6479 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે અત્યાર સુધી 3,67,972 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો (Active Cases) આંકડો 107594 પર પહોંચ્યો છે. જેમાંથી 396 લોકો વેન્ટિલેટર પર અને 107198 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 76.38 ટકા છે.
ગુજરાતમાં કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 92,99,215 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 18,71,782 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 1,11,70,997 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
April 24, 2021 at 08:35PM surat
Technosv2018
April 25, 2021
Technosv2018
April 25, 2021
કોરોના સંક્રમિત દર્દીના સંબંધીઓને એક્સપાયરી ડેટના રેમડેસિવિર ઇન્જેક્શન વેચવા મામલે ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે. જેમાં પાંડેસરા વિસ્તારના માજી મહિલા કોર્પોરેટર સાધના પટેલ નો પુત્ર છે દિવ્યેશ પટેલ અને ફાર્મસીસ્ટ વિશાલ અવસ્થિ ની ધરપકડ કરવામાં આવી છે. કે પી સંઘવી હોસ્પિટલ એક્સપાઈરી ડેટ ના ઇન્જેક્શન ને ડિસ્ટ્રોય કરવા ફાર્મસીસ્ટ ને આપ્યા હતા. ફાર્મસીસ્ટ વિશાલ અવસ્થિ પાસેથી દિવ્યેશે 5400 ના ભાવે 6 રેમડીસીવીર ઇન્જેક્શન ખરીદ્યા હતા. ત્રણ દિવસ પહેલા ની ઘટના માં છેવટે તપાસ ક્રાઇમ બ્રાન્ચ ને સોંપવામાં આવી હતી.
April 24, 2021 at 02:16AM surat
Technosv2018
April 24, 2021
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોરોના દર્દીઓને ઓક્સિજનનો પુરવઠો નિયમિત મળી રહે તે માટે નવી ૨૦,૦૦૦ લિટરની ક્ષમતાવાળી ઓક્સિજન ટેન્ક ઈન્સ્ટોલ કરાઈ છે. સુરત ના સ્મીમેરમાં કોરોનાના પ્રથમ ફેઝની સરખામણીમાં બીજા ફેઝમાં દૈનિક ઓક્સિજન આપૂર્તિ બમણી થઈ છે. પહેલી લહેરમાં રોજ ૧૩ થી ૧૪ મેટ્રિક ટન વપરાશ સામે આ વર્ષે બીજી લહેરમાં દૈનિક ૨૫ મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ થઈ રહ્યો છે. સ્મિમેર હોસ્પિટલમાં ઓક્સિજનક્ષમતા ૫૦ હજાર લિટર સુધી પહોચી છે.
April 24, 2021 at 01:49AM surat
Technosv2018
April 24, 2021
સુરત : રાજ્યમાં કોરોના વાયરસ (Gujarat Corona Cases) અટકવાનું નામ નથી લઈ રહ્યો. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે, જેમાં અમદાવાદ અને સુરતની હાલત સૌથી ખરાબ છે. ગઈકાલે અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) જાહેરાત કરી હતી કે, કોરોનાના દર્દીઓને બેડને લઈને કોઇ તકલીફ ન થાય તે માટે ગાંધીનગર ખાતે ટાટાના સહયોગથી 1200 બેડની હોસ્પિટલ આવનારા સમયમાં તૈયાર કરવામાં આવશે. આ કોવિડ હોસ્પિટલ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે તૈયાર કરાશે. જેનો તમામ ખર્ચ ટાટા ટ્રસ્ટ (Tata Trust) ઉઠાવશે. ઘરમાં આઈસોલેશન શક્ય ન હોય તેમના માટે પણ રાજ્ય સરકાર વ્યવસ્થા કરશે.
ટાટા ટ્રસ્ટની આ પહેલના ચારે તરફ વખાણ થઈ રહ્યા છે. હીરા ઉદ્યોગકાર ગોવિંદભાઈ ધોળકીયાએ (Govindbhai Dholkia) રતન ટાટાને (Ratan Tata) સાચા અર્થમાં રતન ગણાવ્યા હતા. તેમણે સાચા અર્થમાં સેવા કાર્ય કર્યુ હોવાનું કહ્યું હતું. ઉપરાંત મોટી મોટી કંપનીઓ પણ આગળ આવે તેવી હાકલ કરી હતી. રાષ્ટ્રને મુશ્કેલી ઉભી થઇ છે તેમાં મદદરૂપ થવા તમામ ઉદ્યોગકારોએ આગળ આવવું જોઈએ તેમ કહ્યું હતું.
ગુજરાતમાં શું છે ચિત્ર
શુક્રવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 13,804 કેસ નોંધાયા હતા અને 142 લોકોના મોત થયા હતા. ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક મૃત્યુઆંક 6019 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 5618 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધી 3,61,493 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 100128 પર પહોંચ્યો છે. જેમાંથી 384 લોકો વેન્ટિલેટર પર અને 99744 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 77.30 ટકા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 92,15,310 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 17,86,321 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 1,10,01,631 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
April 24, 2021 at 12:05AM surat
Technosv2018
April 24, 2021
સુરતની નવી સિવિલ હોસ્પિટલનો રાજ્યમંત્રી કુમાર કાનાણીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં દર્દીઓને માનસિક રીતે સ્વસ્થ રાખવા માટે મેડિકલ સ્ટાફ દર્દીઓ સાથે ભજન અને ગરબા કરતા જોવા મળી રહ્યા છે.
April 23, 2021 at 03:48AM surat
Technosv2018
April 23, 2021
સુરત(Surat )ના ઉધના(Udhana)માં ગુરુવારે મોડી રાતે જાહેરમાં બે વ્યક્તિઓની હત્યા કરવામાં આવી છે. અજય(Ajay) અને રવિ(Ravi) નામના બે યુવકની હત્યા કરવામાં આવી છે.આ બન્નેના મૃતદેહ અલગ અલગ વિસ્તારમાંથી મળી આવ્યા છે.
April 22, 2021 at 11:47PM surat
Technosv2018
April 23, 2021
કોરોનાના વધતા સંક્રમણને લઈ અઠવાડિયાથી 10 દિવસના લોકડાઉનની સુરતના ડૉક્ટરોએ માગ કરી છે. સુરતની ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટર કે બેડની સુવિધા પુરતી નથી. કોરોનાની ચેઈન તોડવા માટે લોકડાઉન જરૂરી છે. ડોક્ટરોનું કહેવું છે કે, જો આ જ પ્રમાણેની કોરોનાની સ્થિતિ રહી તો ગંભીર પરિણમો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 13,105 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 137 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5877 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં ગઈકાલે 5,010 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,55,875 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 92 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 92084 પર પહોંચ્યો છે. જેમાંથી 376 લોકો વેન્ટિલેટર પર અને 91708 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 78.41 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત કોર્પોરેશનમાં 22, રાજકોટ કોર્પોરેશન-10, વડોદરા કોર્પોરેશન-10, સુરત-5, મહેસાણમાં 3, જામનગર કોર્પોરેશન-5, બનાસકાંઠા-5, જામનગર-4, વડોદરા-4, પાટણ-3, ભરૂચ 2, ભાવનગર કોર્પોરેશન-3, ગાંધીનગર 2, ભાવનગર 3, જૂનાગઢ કોર્પોરેશન 2, જૂનાગઢ 2, દાહોદ 1, પંચમહાલ 1, વલસાડ 1, સુરેન્દ્રનગર 3, અમરેલી 1, અમદાવાદ 1, સાબરકાંઠા 5, મહીસાગર 1, મોરબી 4, રાજકોટ 4, ગીર સોમનાથ 2, અરવલ્લી 1, નર્મદા 1 અને દેવભૂમિ દ્વારકામાં 3ના મૃત્યુ થયા હતા.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 5142, સુરત કોર્પોરેશનમાં 1958, રાજકોટ કોર્પોરેશન- 697, વડોદરા કોર્પોરેશન-598, સુરત-518, મહેસાણા-444, જામનગર કોર્પોરેશન-336, બનાસકાંઠા-236, જામનગર-228, કચ્છ-214, વડોદરા-183, ગાંધીનગર કોર્પોરેશન-161, પાટણ-158, ભરૂચ 157, ભાવનગર કોર્પોરેશન-148, ગાંધીનગર 115, ખેડા 114, નવસારી 107, ભાવનગર 106, તાપી 103, જૂનાગઢ કોર્પોરેશન 102, જૂનાગઢ 100, દાહોદ 97, પંચમહાલ 97, વલસાડ 95, સુરેન્દ્રનગર 87, અમરેલી 85, અમદાવાદ 84, સાબરકાંઠા 84, મહીસાગર 77, મોરબી 66, રાજકોટ 65, ગીર સોમનાથ 63, અરવલ્લી 55, નર્મદા 52, આણંદ 42, દેવભૂમિ દ્વારકા 39, પોરબંદર 34, છોટા ઉદેપુર 25, બોટાદ 19 અને ડાંગમાં 14 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 91,51,776 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 17,07,297 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,08,59,073 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
April 22, 2021 at 07:21PM surat
Technosv2018
April 23, 2021
સુરતના ભાઠા ગામમાં સાઈ મંદિરની સામે આવેલા પ્રોવિઝન સ્ટોર્સ કેબિનમાં અચાનક આગ લાગ અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ગાડી ધટનાસ્થળે પહોચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.
April 22, 2021 at 03:33AM surat
Technosv2018
April 22, 2021
ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. ત્યારે ઓક્સિજનની વ્યવસ્થા માટે સુરતમાં હવામાંથી ઓક્સિજન બનાવવાનો એરોક્ષ ટેકનોલોજી પ્લાન્ટ શરુ કરાયો છે. કેંદ્ર સરકારે નવી સવિલ હોસ્પિટલમાં પ્લાન્ટ શરુ કરવા ફંડ ફાળવ્યું હતું ..અત્યાર સુધી દેશમાં એકસો બાસઠ પ્લાન્ટ મંજૂર થયા છે.
April 22, 2021 at 02:48AM surat
Technosv2018
April 22, 2021
સુરતમાં હોસ્પિટલના બેડની અવેલેબલિટી ઓનલાઈન કરાઈ છે.પાલિકા કમિશ્નર બંચ્છાનિધી પાનીએ જણાવ્યું કે, વધતા કેસો માટે પૂરતી વ્યવસ્થા કરાવામાં આવી રહી છે. તથા બેડ માટે ત્રિસ્તરીય વ્યવસ્થા કરાઈ છે.
April 22, 2021 at 01:42AM surat
Technosv2018
April 22, 2021
સુરતમાં બુધવારે શહેરમાં 1,849 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. સુરતમાં કોવિડની સારવાર કરતી 43 હોસ્પિટલમાં એક હજાર 258 બેડ ખાલી હોવાનો મનપાએ દાવો કર્યો છે.
April 22, 2021 at 01:37AM surat
Technosv2018
April 22, 2021
સુરત(Surat)માં કોરોનાના કારણે એક હેડ કોન્સ્ટેબલ(Head Constable)નું નિધન થયું છે. અહીંના લાલગેટ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મોહન કેવટ કોરોના સંક્રમિત થયા હતા.
April 21, 2021 at 10:22PM surat
Technosv2018
April 22, 2021
સુરત(Surat)ના ડો. સંકેત મહેતા(Sanket Maheta) 100 દિવસની લાંબી સારવાર બાદ કોરોના મુક્ત થતા પ્લાઝ્મા(plasma) દાન કર્યા છે.સાથે જ તેમણે કોરોનાની સારવાર લઈ ચૂકેલા લોકોને પ્લાઝ્મા ડોનેટ કરવાની અપીલ કરી છે.
April 21, 2021 at 04:50AM surat
Technosv2018
April 21, 2021
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 32 વર્ષીય મહિલાને કોરોના થતા તેમનું નિધન થયું છે. તેમના મોત બાદ તેમના બાળકો આક્રંદ કરી રહ્યાં છે. તેમનો એક 10 વર્ષનો અને 7 વર્ષનો બાળક માતા માટે હૈયાફાટ રૂદન કરી રહ્યાં છે.
April 21, 2021 at 04:00AM surat
Technosv2018
April 21, 2021
કોરોના સંક્રમણ વધતા સુરતમાં શબવાહિની ખૂટી પડતા સ્કૂલ વાનમાં મૃતદેહ લઈ જવા લોકો મજબૂર થયા છે.હવે છેલ્લા 10 દિવસથી રોજ ત્રણથી પાંચ મૃતદેહ સ્કૂલ વાનમાં લઈ જવામાં આવે છે.
April 21, 2021 at 03:50AM surat
Technosv2018
April 21, 2021
સુરતમાં નવજાત બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. અહીં અત્યાર સુધી 292 બાળકો કોરોનાના સકંજામાં આવ્યા છે. અહીં બાળકોની હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસમાં 10 નવજાત બાળકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
April 21, 2021 at 01:59AM surat
Technosv2018
April 21, 2021
સુરત : ગુજરાતમાં કોરોના મહામારીના બીજા તબક્કામાં અનેક લોકો રોજે રોજ સંક્રમિત થઈ રહ્યાં છે અને સતત કેસો વધી રહ્યા છે ત્યારે સુરતમાં સમસ્ત પાટીદાર સમાજ આ કોરોનાની મહામારી સામે લડવા આગળ આવ્યો છે. આ કોરોનાની મહામારીમાં અત્યારે જો સૌથી જરૂરી વ્યવસ્થા હોય તો એ આઇસોલેશન વોર્ડની છે. કોરોના દર્દીને મદદ કરવાના હેતુથી સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા કતારગામ-વેડરોડ મેડીકલ એસોસિએશનના સહયોગથી 54 બેડનું કોવિડ કેર આઇસોલેશન સેવા સેન્ટર કતારગામ આંબાતલાવડી સ્થિત સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં શરૂ કરવામાં આવ્યું છે. ઘરના એક સભ્યને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય અને ઘરના અન્ય સભ્યને કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે હેતુસર આ સેન્ટર શરૂ કરાયું છે.
મંગળવારે સવારે 10 કલાકે સુરત મહાનગર પાલિકાના કમિશ્નર બંછાનિધિ પાની, સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના પ્રમુખ વેલજીભાઈ શેટા, ઉપપ્રમુખ કાળુભાઈ ભીમનાથ ગોવિંદભાઇ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, મથુરભાઈ સવાણી અને સમાજના અન્ય અગ્રણી, તમામ સમિતિના વ્યસ્થાપકની અધ્યક્ષતામાં આ વોર્ડને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
જે દર્દીને ડોક્ટર દ્વારા ઘરે હોમ ક્વોરેન્ટાઇન થવાની સુચના આપી હોય અને દર્દીને ઘરે અલગ રહેવાની સગવડ ના હોય એવા દર્દીઓ તથા હોસ્પિટલમાંથી રજા લીધા પછી ડોક્ટરની દેખરેખની જરૂર હોય તેવા દર્દીઓ આ આઇશોલેશન વોર્ડમા પ્રવેશ મેળવી શકશે.
આ આઇસોલેશન વોર્ડમાં દર્દીની તપાસ માટે કન્સલ્ટન્ટ 15 ડોક્ટરની ટીમ તેમજ વિઝીટર 15 ડોક્ટરો સાથે કુલ 30 તજજ્ઞ ડોક્ટરોની ટીમ સેવા આપશે. દર્દીઓને દવા પણ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવશે. સાથે સાથે સવારનો ચા નાસ્તો, બે ટાઈમ ભોજન, મિનરલ વોટર અને એનર્જી ડ્રિન્ક પણ આપવામાં આવશે. આ તમામ સુવિધાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવશે.
આ આઇસોલેશન સેન્ટર પર કોરોનાની સારવાર માટે ઓક્સિજન બેડ, એમ્બ્યુલન્સ, દવાઓ, નર્સિંગ સ્ટાફ, કોવિડ રિપોર્ટ, કોરોના રસીકરણ કેન્દ્ર તથા દર્દીને જમવા સાથેની અનેક સુવિધા સાથેનું કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાના દર્દીઓ તણાવમુક્ત થાય તે માટે રોજે રોજ અલગ અલગ કાર્યક્રમો યોજી અને એલઇડી સ્કીન દ્વારા મોટીવેટ કરવામાં આવશે.
April 20, 2021 at 02:23AM surat
Technosv2018
April 20, 2021
સુરતના બારડોલીમાં ગેસ સંચાલિત ત્રણ ભઠ્ઠી બગડતા સ્મશાન સંચાલકની મુશ્કેલીમાં વધારો થયો છે. સતત અંતિમવિધી માટે ભઠ્ઠી ચાલુ રહેતા ભઠ્ઠી બગડી છે.જેના સમારકામ માટે કામ સોંપવામાં આવ્યું છે.
April 20, 2021 at 02:01AM surat
Technosv2018
April 20, 2021
સુરતની નવી સિવિલ હોસ્પિટલની બહાર રેમડેસિવીર ઈન્જેક્શન માટે લાંબી કતાર જોવા મળી છે. અહીં આજે ત્રણ હજાર રેમડેસિવીર ઈન્જેક્શન અપાશે. ઈન્જેક્શન લેવા માટે કેટલાક લોકો ગઈકાલ રાતથી જ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે.
April 20, 2021 at 01:51AM surat
Technosv2018
April 20, 2021
સુરતઃ રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ (Surat Corona Cases) બન્યું છે. જેના કારણે ત્યારે ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમદાવાદ, સુરત જેવા મહાગરોની સ્થિતિ કફોડી થઇ રહી છે. આ દરમિયાન સુરતમાં લોકડાઉન (Lockdown) લગાવવાની માંગ કરી છે.
સુરત ફોસ્ટા (FOSTA) દ્વારા એક સપ્તાહ લોકડાઉનની માંગ કરાઈ છે. આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરાઈ છે. જે મુજબ માત્ર શનિ-રવિ બંધ રાખવાથી કોરોના ચેન તૂટશે નહીં. આખું સુરત એક સપ્તાહ માટે લોકડાઉન કરવા માંગ કરાઈ છે.
શહેરમાં કોરોનાની ગંભીર સ્થિતિને લઈ ડોક્ટરોની એક સપ્તાહથી લઈ 10 દિવસના લોકડાઉનની માંગ કરી છે. ડો.મહેન્દ્ર ચૌહાણ,ચેરમેન IMA ઇન્ડિયા ડિઝાસ્ટર મેનેજમેન્ટના કહેવા મુજબ સુરતમાં કોઈપણ ખાનગી હોસ્પિટલમાં (Hospital) વેન્ટિલેટર બેડની વ્યવસ્થા નથી. આજ પ્રમાણેની સ્થિતિ રહી તો ગંભીર પરીણામો ભોગવવા પડશે. કોરોનાની ચેઇન તોડવા લોકડાઉન જરૂરી છે.
સુરતમાં કોરોનાના કેસ 90 હજારને પાર
સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કોરોના સંક્રમિતોનો આંકડો વધીને 90,239 પર પહોંચી ગયો છે. જ્યારે મૃત્યુઆંક વધીને 1488 પર પહોંચ્યો છે. શહેર અને જિલ્લામાંથી કોરોનામુક્ત થયેલાની સંખ્યા 74,543 પર પહોંચી ગઈ છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 14,208 પર પહોંચી ગઈ છે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
સોમવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં (Gujarat Corona Cases) પ્રથમ વખત 11,403 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 117 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5494 પર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 4179 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,41,724 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 68 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 68754 પર પહોંચ્યો છે. જેમાંથી 341 લોકો વેન્ટિલેટર પર અને 68413 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 82.15 ટકા છે.
April 20, 2021 at 01:05AM surat
Technosv2018
April 20, 2021
Technosv2018
April 20, 2021
સુરતઃ કોરોનાની ગંભીર સ્થિતિને લઈને સુરતના ડોક્ટોરોએ એક સપ્તાહથી લઈને 10 દિવસના લોકડાઉનની માગ કરી છે. આ માગ રાજ્ય સરકાર પાસે કરવામાં આવી છે. સુરતમાં કોઈપણ ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર બેડની વ્યવસ્થા નથી ને જો આવી જ સ્થિતિ રહી તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. ડોક્ટરનું કહોવું છે કે કોરોનાની ચેન તોડવા માટે લોકડાઉન ખૂબ જ જરૂરી છે.
નોંધનીય છે કે, આ પહેલા રાજ્યમાં લૉકડાઉન લાગશે કે નહીં તેની ચર્ચા વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું કે, દેશમાં કોઈ રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન નથી. આમ કહીને તેમણે સંકેત આપ્યો કે રાજ્યમાં હાલ લૉકડાઉન લાગવાની સંભાવના નથી. લોકડાઉન અંગે પૂછાયેલા સવાલનાં જવાબમાં નીતિન પટેલે જણાવ્યું કે, મહાનગરો અને નગરો મળીને 20 સ્થળોએ રાત્રિ કર્ફ્યૂં છે. તો સ્થાનિક લોકો વેપારી સંગઠનો અને નગરપાલિકાઓ પોતાની રીતે સ્વયંભૂ બજારો અને શહેરો બંધ રાખવાનો નિર્ણય કરી રહ્યા છે. કોઇ વિકએન્ડ લોકડાઉન પણ કરી રહ્યા છે. નાગરિકો પણ ભીડ એકત્ર ન થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. રાજ્ય સરકાર જો સંપૂર્ણ લૉકડાઉન મામલે વિચારણા થતી હશે તે અંગે અલગથી જનતાને માહિતગાર કરવામાં આવશે.
ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 11,403 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 116 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5494 પર પહોંચી ગયો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત કોર્પોરેશનમાં 28, રાજકોટ કોર્પોરેશન-7, વડોદરા કોર્પોરેશન-8, સુરેન્દ્રનગર 6, જાનમગર કોર્પોરેશમાં 4, ભરૂચમાં 3, જામનગરમાં 3, મોરબીમાં 3, રાજકોટમાં 3, વડોદરામાં 3, બનાસકાંઠામાં 2, ભાવનગરમાં 2, છોટા ઉદેપુરમાં 2, દેવભૂમિ દ્વારકામાં 2, ગાંધીનગરમાં 2, મહેસાણામાં 2, સુરતમાં 2, અમરેલીમાં 1, આણદંમાં 1, અરવલ્લીમાં 1, ભાવનગર કોર્પોરેસમાં 1, બોટાદમાં 1, ગાંધીનગર કોર્પોરેશમાં 1, જૂનાગઢમાં 1, પંચમહાલમાં 1, પાટણમાં 1, સાબરકાંઠામાં 1 મળી કુલ 117 લોકોને કોરોના ભરખી ગયો હતો.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 4207, સુરત કોર્પોરેશનમાં 1879, રાજકોટ કોર્પોરેશનમાં 663, સુરત-484, વડોદરા કોર્પોરેશનમાં 426, મહેસાણા 418, જામનગર કોર્પોરેશન-279, બનાસકાંઠામાં 195, વડોદરામાં 189, ભરૂચમાં 169, પાટણમાં 145, ગાંધીનગર કોર્પોરેશનમાં 138, ભાવનગર કોર્પોરેશનમાં 124, કચ્છમાં 124, જાનનગરમાં 110, તાપીમાં 109, દાહોદમાં 105, ગાંધીનગરમાં 101, આણંદમાં 99, રાજકોટમાં 98, સુરેન્દ્રનગરમાં 98, અમરેલી 93, સાબરકાંઠામાં 94, ભાવનગરમાં 91, ખેડામાં 91, નવસારીમાં 87, નર્મદામાં 84, મહિસાગરમાં 75, વલસાડમાં 71, પંચમહાલમાં 67, જૂનાગઢ કોર્પેોરેશમાં 61, જૂનાગઢ 59, બોટાદ 57, ગીર સોમનાથ 53, અરવલ્લીમાં 52, અમદાવાદમાં 51, મોરબીમાં 51, દેવભૂૂમિ દ્વારકામાં 38, પોરબંદરમાં 33, છોટા ઉદેપુરમાં 25, ડાગમાં 10 મળી કુલ 11,403 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં ગઈકાલે 4179 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,41,724 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 68 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 68754 પર પહોંચ્યો છે. જેમાંથી 341 લોકો વેન્ટિલેટર પર અને 68413 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 82.15 ટકા છે.
April 19, 2021 at 11:55PM surat
Technosv2018
April 20, 2021
સુરતની ઓળખ હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગની છે. પરંતુ કોરોનાકાળમાં આ બંને ઉદ્યોગને મરણતોલ ફટકો લાગ્યો છે.
April 19, 2021 at 11:04PM surat
Technosv2018
April 20, 2021
દેશના ત્રણ રાજ્યોમાં લોકડાઉન લાગ્યા પછી સુરતની જનતાએ પણ ગુજરાતમાં લોકડાઉન અંગે મત આપ્યો છે. એક તબીબે કહ્યું કે, લોકડાઉન સોલ્યુશન નથી પરંતુ જો લાગૂ કરવામાં આવે તો હોસ્પિટલનું થોડુક ભારણ ઓછું થઈ શકે એમ છે.
April 19, 2021 at 04:47AM surat
Technosv2018
April 19, 2021
સુરતમાં કોરોના સંક્રમણ બેકાબુ બની રહ્યું છે ત્યારે હવે અહીંના અલગ અલગ સ્મશાનગૃહમાં લાકડા પણ ખૂટી ગયા છે. જેથી હવે પરિવારજનો શેરડીના બગાસથી મૃતદેહની અંતિમવિધી કરવા માટે પરિવારજનો મજબૂર બન્યા છે.
April 19, 2021 at 03:45AM surat
Technosv2018
April 19, 2021
રાજકીય નેતાઓ કોરોનાકાળમાં DJના તાલે ઝૂમે છે ખોટે ખોટા તાયફાઓ કરે છે. આ અંગે સુરતની જનતાએ પોતાનો મત આપતા જણાવ્યું કે, નેતાઓ આ પ્રકારના તાયફાઓ કરી સમાજમાં ખોટો સંદેશ આપે છે.
April 19, 2021 at 01:33AM surat
Technosv2018
April 19, 2021
સુરત(Surat) શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona)ના નવા 1 હજાર 929 કેસ નોંધાયા છે. જેમાં અઠવા(Athawa) ઝોનમાં 344 દર્દી નોંધાયા છે. આ સાથે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં નવા 496 કેસ નોંધાયા છે.અહીં રિકવરી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
April 18, 2021 at 09:16PM surat
Technosv2018
April 19, 2021
સુરત ગ્રામ્યમાં છેલ્લા ૭ દિવસમાં ૧૯૦૦ થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ ચુક્યા છે અને કોરોનાની પરિસ્થિતિ બેકાબૂ થતી નજરે પડી રહે છે ત્યારે હવે સ્થાનિક પ્રશાસન કોરોનાની આ મહામારીને રોકવા મેદાને આવ્યું છે. જીલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી સુરત ગ્રામ્યના તમામ તાલુકાના તાલુકા મથક પર કોવીડ વોર રૂમ શરુ કરવામાં આવ્યા છે. ઓલપાડ તાલુકા મથકના તાલુકા પંચાયત કચેરી ખાતે પણ કોવિડ વોર રૂમ શરૂ કરાયો છે.
Technosv2018
April 18, 2021
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે આજે રવિવારના દિવસે સુરતમાં સ્વૈચ્છિક લોકડાઉન જેવો માહોલ જોવા મળ્યો હતો. શનિવાર અને રવિવાર ધંધો રોજગાર પણ બંધ રહ્યા હતા. શહેરના મોટાભાગના રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. કોઇ જગ્યાએ એકલ દોકલ વાહનો નજરે આવી રહ્યા હતા.
April 18, 2021 at 04:50AM surat
Technosv2018
April 18, 2021
સુરત નવી સિવિલમાં રેમડેસીવીર ઈંજેક્શન માટે લાંબી લાઇન લાગી હતી. સીવીલે સૂચના આપી છે કે ઈંજેક્શન નિર્ધારિત હોસ્પિટલના કર્મચારીઓને જ મળશે. હોસ્પિટલના કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોની અલગ અલગ લાઇનો લાગી છે. નિર્ધારિત કરે હોસ્પિટલ કર્મચારીઓને રેમડેસિવિર ઇન્જેક્શન અપાશે
April 18, 2021 at 03:19AM surat
Technosv2018
April 18, 2021
સુરતઃ ગુજરાતમાં કોરોના વાયરસે કહેર (Gujarat Corona Cases) મચાવ્યો છે. જેમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ સૌથી ખરાબ છે. આ દરમિયાન સુરતના અમરોલીમાં રેપીડ ટેસ્ટ કરવા માટે ફાળવેલી બ્લુ સીટી બસ સળગી ઉઠી હતી. ઘટનાને પગલે થોડીવાર માટે અફડાતફડી સર્જાઈ હતી.
મળતી વિગત પ્રમાણે અમરોલીના સ્વીટ હોમ ખાતે ઘટના બની હતી. અમરોલી કોસાડ ઈમરજન્સી સેવા માટે બસ ફાળવેલી હતી. બસમાં રેપિડ ટેસ્ટના અધિકારી સેનીટાઇઝર તથા અન્ય દવાઓ હતી. રેપીડ ટેસ્ટ કરનાર અધિકારીઓનો બચાવ થયો પરંતુ દવાઓ બળી ને ખાખ થઈ ગઈ હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગે આવીને આગ કાબુમાં લીધી હતી. ફાયર વિભાગે આવીને આગ કાબુમાં લીધી હતી.
સુરતમાં શું કોરોનાનું ચિત્ર
ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કારણે સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાં અમદાવાદ અને સુરત (Surat Corona Cases) મોખરે છે. સુરત શહેર-જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 85,451 પર પહોંચી ગઈ છે. કુલ મોતની સંખ્યા 1430 થઈ ગઈ છે.અત્યાર સુધીમાં કુલ 72,856 લોકો કોરોનાને હરાવી સાજા થઈ ચૂક્યા છે.હા લ શહેર-જિલ્લામાં કુલ 11,165 એક્ટિવ કેસ છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોનાના નવા 9541 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં ૨૬-અમદાવાદમાં ૨૫ સહિત કુલ ૯૭ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં એક્ટિવ કેસ હવે ૫૫,૩૯૮ છે જ્યારે ૩૦૪ દર્દી વેન્ટિલેટર પર છે. બરાબર એક સપ્તાહ અગાઉ ગુજરાતમાં ૨૭ હજાર એક્ટિવ કેસ હતા. આમ, ૭ દિવસમાં રાજ્યમાં એક્ટિવ કેસમાં બમણો વધારો થયો છે. દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત ૧૦માં સ્થાને છે.
રાજ્યમાં કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 88,08,994 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 13,61,550 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,01,70,544 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 87,932 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 56,047 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે.
ઉત્તર ગુજરાતના આ મોટા શહેરમાં સોમવારથી ‘હાફ લોકડાઉન’, શનિ-રવિ પણ તમામ બજારો રહેશે બંધ
April 18, 2021 at 12:50AM surat
Technosv2018
April 18, 2021
સુરતઃ રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને હોસ્પિટલોમાં બેડની અછત છે સાથે સાથે રેમડેસિવિર ઈંજેક્શન (Remdesivir Injection)ની પણ અછત છે તેની વચ્ચે સુરતમાં રેમડેસિવિર ઈંજેક્શનના કાળા બજારીનો પર્દાફાશ થયો છે. સુરત પોલીસે 6 લોકોને ઝડપી પાડ્યા છે.
સુરત પોલીસે ઝડપી છટકું ગોઠવી ઇન્જેક્શનની કાળા બજારીનો પર્દાફાશ કર્યો હતો. 12 જેટલા રેમડીસીવર ઇજેક્સનનું કાળા બજારી કરતા 6 લોકોને પોલીસે ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. આ શખ્સો 1 ઇન્જેક્શન 12 હજારમાં વેચાતા હતા.
શૈલેષ હડિયા અને નીતિન હડિયા બંને ભાઈ ઇન્જેક્શન વેંચતા હતા અને વિવેક ધામેલીયા ઇન્જેક્શન આપતો. 899 રૂપિયાના ઇન્જેક્શન 12 હજાર માં વેંચતા હતા. આરોપીએ ઈંજેક્શન સુરત નવી સિવિલ હોસ્પિટલ માંથી મેળવતા હોવાનું સામે આવ્યું છે.
[tw]https://twitter.com/ANI/status/1383464657323663362[/tw]
રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 9541 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 97 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5267 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 3783 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,33,564 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 55 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 55398 પર પહોંચ્યો છે. જેમાંથી 304 લોકો વેન્ટિલેટર પર અને 55094 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 84.61 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશનમાં 26, રાજકોટ કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન-7, સુરેન્દ્રનગર 6, મોરબી-3, બનાસકાંઠા, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, જામનગર, મહેસાણા અને રાજકોટમાં 2-2 મોત, ભરુચ, બોટાદ, ડાંગ, ગાંધીનગર કોર્પોરેશન, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા અને વડોદરામાં એક- એક દર્દીના મોત સાથે કુલ 97 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 5267 પર પહોંચી ગયો છે.
ગુજરાતમાં છેલ્લા 17 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
| તારીખ | નોંધાયેલા કેસ | મોત |
| 17 એપ્રિલ | 9541 | 97 |
| 16 એપ્રિલ | 8920 | 94 |
| 15 એપ્રિલ | 8152 | 81 |
| 14 એપ્રિલ | 7410 | 73 |
| 13 એપ્રિલ | 6690 | 67 |
| 12 એપ્રિલ | 6021 | 55 |
| 11 એપ્રિલ | 5469 | 54 |
| 10 એપ્રિલ | 5011 | 49 |
| 9 એપ્રિલ | 4541 | 42 |
| 8 એપ્રિલ | 4021 | 35 |
| 7 એપ્રિલ | 3575 | 22 |
| 6 એપ્રિલ | 3280 | 17 |
| 5 એપ્રિલ | 3160 | 15 |
| 4 એપ્રિલ | 2875 | 14 |
| 3 એપ્રિલ | 2815 | 13 |
| 2 એપ્રિલ | 2640 | 11 |
| 1 એપ્રિલ | 2410 | 9 |
| કુલ કેસ અને મોત | 86,585 | 748 |
April 17, 2021 at 10:33AM surat
Technosv2018
April 17, 2021
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8920 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 94 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5170 પર પહોંચી ગયો છે.
April 17, 2021 at 05:41AM surat
Technosv2018
April 17, 2021
સુરત ગ્રામ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઇને હવે સ્થાનિક પ્રશાસન સતર્ક થયું છે. સુરત ગ્રામ્યના તમામ તાલુકા સેન્ટર પર કોવિડ વોર રૂમ ચાલુ કરવામાં આવ્યા છે. તાલુકાના તમામ પોઝીટીવ દર્દીઓને કોલ કરી ખબર અંતર પૂછવામાં આવી રહ્યા છે તેમજ જો કોઈ તકલીફ હોઈ તો તરત જ આરોગ્ય વિભાગ સેવા પૂરી પડી રહ્યું છે
April 17, 2021 at 04:14AM surat
Technosv2018
April 17, 2021
સુરતઃ ગુજરાતમાં કોરોના વાયરસે (Gujarat Corona Cases) કહેર મચાવ્યો છે. રાજ્યમાં લોકડાઉન (Lockdown) નહીં લાદવામાં આવે તેમ મુખ્યમંત્રી અનેક વખત સ્પષ્ટતા કરી ચૂક્યા હોવા છતાં સુરતમાંથી રોજ હજારો શ્રમિકો (Migrants) પોતાના વતન જવા રવાના થઈ ચુક્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં જ 15 હજારથી વધુ શ્રમિકોએ સુરત છોડી દીધું હોવાનો હિન્દીની અગ્રણી વેબસાઈટે અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે.
રેલવેમાં કડકાઈ વધારવામાં આવ્યા બાદ બસો પર બોજ વધ્યો છે. રોજની 100થી વધારે બસો સુરતથી એમપી-યુપી જઈ રહી છે. ગુજરાતમાં રોજી રોટી કમાવા આવેલા શ્રમિકો ફરીથી પોતાના ગામમાં જવા મજબૂર બન્યા છે. શહેરના પાંડેસરા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં બસો દ્વારા શ્રમિકો પોતાના ગૃહરાજ્યમાં જઈ રહ્યા છે.
સુરતથી પોતાના વતન જતાં લોકોના કહેવા મુજબ, દરરોજ કોઈને કોઈ નવી વાત સામે આવે છે. જેના કારણે સરકાર ગમે ત્યારે લોકડાઉન લગાવી દેશે તેમ લાગે છે. શહેરમાં મોતનો આંકડો પણ વધી રહ્યો છે, ભયનો માહોલ છે તેથી અમે ગામ જઈ રહ્યા છીએ.
સુરતમાં શું કોરોનાનું ચિત્ર
ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કારણે સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાં અમદાવાદ અને સુરત (Surat Corona Cases) મોખરે છે. સુરત શહેર-જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 83,296 પર પહોંચી ગઈ છે.કુલ મોતની સંખ્યા 1404 થઈ ગઈ છે.અત્યાર સુધીમાં કુલ 71987 લોકો કોરોનાને હરાવી સાજા થઈ ચૂક્યા છે.હાલ શહેર જિલ્લામાં કુલ 9907 એક્ટિવ કેસ છે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
શુક્રવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8920 નવા કેસ નોંધાયા હતા અને 94 લોકોનાં મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5170 પર પહોંચી ગયો છે. રાજ્યમાં શુક્રવારે 3387 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે અત્યાર સુધી 3,29,781 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 49 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 49737 પર પહોંચ્યો છે. જેમાંથી 283 લોકો વેન્ટિલેટર પર અને 49454 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 85.73 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5170 પર પહોંચ્યો છે.
April 17, 2021 at 03:23AM surat
Technosv2018
April 17, 2021
કોરોનાને લઈને અતિ ભયંકર સ્થિતિ સુરતની સિવિલ હૉસ્પિટલમાં થઇ છે. ત્રીસ સેકંડમાં ત્રણ દર્દી દાખલ થયા છે. 90 ટકા દર્દીઓને ઓક્સિજનની જરુરિયાત છે. જેમને દસથી બાર લીટર ઓક્સિજનની જરૂર પડે છે. દર્દીઓને સમસ્યા ન પડે તે માટે રિસિવિંગ સેંટર પર જ ઓક્સિજન સાથેના સ્ટ્રેચર તૈયારા કરાયા છે. આ વર્ષે કોવિડની OPDમાં 500 થી 550 જ્યારે ગયા વર્ષે આ સમયે 300 થી 350 દર્દીઓ હતા.
April 17, 2021 at 03:21AM surat
Technosv2018
April 17, 2021
સુરતમાં રેમડેસિવિર ઈંજેક્શનની કાળાબજારીનો પર્દાફાશ થયો છે. પોલીસે નકલી ગ્રાહક બની કાળાબજારી કરતા છ શખ્સોને ઝડપી પાડ્યા છે. 899 રૂપિયાના ઈંજેક્શનને 12 હજાર રૂપિયામાં વેચતા હતા . ફ્યૂઝન લેબોરેટરીમાં રેમડેસિવિર ઈંજેક્શનની કાળાબજારી થઈ હોવાનો ખુલાસો થયો છે. તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે નિત્યા હોસ્પિટલની મેડિકલના વિવેક ધામેલિયા પાસેથી ઈંજેક્શન લાવીને તેની કાળાબજારી કરતા હતા. પોલીસ હાલ આરોપીની વધૂ પૂછપરછ કરી રહી છે. એક તરફ લોકોને રેમડેસિવિર ઈંજેક્શન નથી મળી રહ્યા તો બીજી તરફ લેભાગૂ તત્વો લોકોની મજબૂરીનો લાભ લઈ રહ્યા છે.
April 17, 2021 at 03:17AM surat
Technosv2018
April 17, 2021
Coronavirusની બીજી લહેર બાળકો માટે પણ ઘાતક પૂરવાર થઈ રહી છે. સુરતમાં છેલ્લા એક મહિનામાં 10 વર્ષથી નાની ઉંમરના 286 બાળકો Coronavirus ગ્રસ્ત થયા છે. 3 બાળકોના મોત થયા છે. હજી પણ ચાર બાળકો ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.
વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં 14 દિવસની દીકરીના મોત સાથે 30 દિવસમાં કુલ 3 બાળકોનો Coronavirusએ ભોગ લીધો છે. 14 દિવસની બાળકીને બચાવવા પ્લાઝમાં પણ અપાયા હતા.અત્યાર સુધી ખાનગી હોસ્પિટલોમાં આઠ બાળકોને દાખલ કરવા પડ્યા છે. જેમાં ચાર બાળકોની હાલત હજી ગંભીર છે. જ્યારે બે બાળકો સાજા થયા છે. સુરતના અઠવા ઝોનમાં 72, લિંબાયતમાં 51, રાંદેરમાં 46, ઉધનામાં 31, કતારગામમાં 30, વરાછા-બી ઝોનમાં 27, સેંટ્રલ ઝોનમાં 23 અને વરાછા એ ઝોનમાં 16 કેસ નોંધાયા છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8920 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 94 લોકોનાં મૃત્યુ થયા છે. Coronavirusથી કુલ મૃત્યુઆંક 5170 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 3387 લોકોએ Coronavirusને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,29,781 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 49 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 49737 પર પહોંચ્યો છે. જેમાંથી 283 લોકો વેન્ટિલેટર પર અને 49454 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં Coronavirusથી રિકવરી રેટ 85.73 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5170 પર પહોંચ્યો છે.
Coronavirusથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશનમાં 24, રાજકોટ કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન-8, રાજકોટ 5, મોરબી 4, સુરેન્દ્રનગર 3, ડાંગ 2, જામનગર 2, જામનગર કોર્પોરેશન 2, સાબરકાંઠા 2, સુરત 2, અમદાવાદ 1, દેવભૂમિ દ્વારકા 1, મહીસાગર 1, મહેસાણા 1, પંચમહાલ 1, વડોદરા 1 અને વલસાડ 1 મોત સાથે કુલ 94 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 5170 પર પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 2842, સુરત કોર્પોરેશનમાં 1522, રાજકોટ કોર્પોરેશનમાં 707, વડોદરા કોર્પોરેશનમાં 429, સુરત 398, મહેસાણા 330, જામનગર કોર્પોરેશન 192, ભરુચ-173, વડોદરા 171, પાટણ 125, જામનગર 122, નવસારી 117, ભાવનગર કોર્પોરેશન 112, બનાસકાંઠા 110, અમરેલી 92, દાહોદ 91, કચ્છ 89, ભાવનગર 85, આણંદ 81, પંચમહાલ 79, તાપી 78, ગાંધીનગર 75, જૂનાગઢ કોર્પોરેશન-74, સુરેન્દ્રનગર 69, ગાંધીનગર કોર્પોરેશન 67, નર્મદા 67, સાબરકાંઠા 66, મહીસાગર 62, જુનાગઢ-61, અમદાવાદ 56, મોરબી 55, રાજકોટ 52, વલસાડ 52, ખેડા 46, બોટાદ 40, ગીર સોમનાથ 32 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 87,11,085 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 13,02,796 લોકોને Coronavirusની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,00,13,881 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 74,100 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 47,571 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું.
April 16, 2021 at 07:16PM surat
Technosv2018
April 17, 2021