Technosv2018
July 31, 2021
Technosv2018
July 31, 2021
સુરતના ઉધના(Udhana)ની રામક્રિષ્ન વિદ્યાલય(Ramakrishna Vidyalaya)ના સિનીયર જૂનિયર વચ્ચે માથાકૂટ થતા છરી ઉછળી છે. શાળાની બહાર થયેલા ઝઘડા બાદ ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ ખસેડવામાં આવ્યો છે. જેમાં સિનીયર વિદ્યાર્થીને અગિયાર ટાંકા આવ્યા છે.
July 30, 2021 at 10:55PM surat
Technosv2018
July 31, 2021
સુરતઃ બે દિવસ પહેલા ગુમ થયેલી CAની 20 વર્ષીય વિદ્યાર્થિની મુદ્દે મોટા ખુલાસો થયો છે. યુવતીનું અપહરણ નહીં,પરંતુ પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનો ધડાકો થયો છે. યુવતી છોકરા સાથે મોપેડ પર જતી CCTVમાં કેદ થઈ છે. યુવતીના પિતાએ કહ્યું- ખંડણી માગતા અપહરણ અને ફોટા જોઈ છોકરા સાથે હોવાનું લાગી રહ્યું છે. રત્નકલાકાર પિતા પર 10 લાખ રૂપિયાની ખંડણીનો ફોન પણ આવ્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, વરાછાની સીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થી ઘરેથી બૂક લેવાનું કહીને નીકળ્યા પછી ગુમ થઈ ગઈ હતી. આ પછી તેના પતિને ખંડણીનો ફોન આવ્યો હતો અને દીકરી હેમખેમ પરત જોઈતી હોય તો રૂપિયા 10 લાખની ખંડણી માગવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા વિદ્યાર્થિની છોકરા જતી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, યુવતી ગત બુધવારે સાંજે ઘરેથી સીએની બૂક લેવા જવાના બહાને નિકળ્યા બાદ ગુમ છે. બીજી તરફ યુવતીના પિતાને અજાણ્યા ઈસમે ફોન પર 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. એટલું જ નહીં, વિદ્યાર્થિની બુક લેવા ગઈ ત્યારે તેનો ફોન ઘરે જ મુકી ગઈ હતી. પિતાએ ફોન ચેક કરતા ફોન ફોર્મેટ મારેલો હતો. જેને કારણે ફોનમાંથી કોઈ રેકોર્ડ મળ્યા નહોતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી સીસીટીવી કેમેરામાં છેલ્લે હીરાબાગ શાકભાજી માર્કેટથી ચાલતી ચાલતી કાપોદ્રા પોપડા સુધી જતી દેખાય છે. પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે, યુવતીના કાપોદ્રાના યુવક સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો અને તે પણ ઘરેથી ગાયબ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસને આશંકા છે કે યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે અને પકડાઈ નહીં જવાય તે માટે બંને જણા પોત પોતાના મોબાઈલ ફોન પણ ઘરે મુકીને ગયા છે.
સુત્રો પાસેથી જાણવા મળ્યા પ્રમાણે, યુવતીના પ્રેમ પ્રકરણની વાત તેના પરિવારે પોલીસથી છુપાવી હતી. થોડા દિવસ પહેલા યુવકના પિતાએ મોબાઈલમાં ફોટા જોઈ લીધા હતા અને ગઈકાલે તે પણ ઘરેથી ગાયબ હોવાથી બંને જણા સાથે જ ભાગી ગયા હોવાની શક્યતા વધી જવા પામી છે.
July 30, 2021 at 09:27PM surat
Technosv2018
July 31, 2021
Technosv2018
July 30, 2021
સુરત : વેલન્જા ઉમરા પાટિયા ખાતે આગની ઘટના બની છે. દ્વારકાધીશ ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગ લાગી છે. સેનિટાઈઝરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. 3 ફાયર સ્ટેશનની 7 ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી છે. જોકે, આગ કેવી રીતે લાગી તે હજુ જાણી શકાયું નથી. તપાસ પછી વધુ વિગતો સામે આવશે.
બીજી તરફ સુરેન્દ્રનગરમાં ચોટીલા હાઇવે પર તેલ ભરેલ ટેન્કર નો અકસ્માત થતા તેલની નદીઓ વહેતી થઈ જતા વાસણો લઈને ભરવા માટે લોકો ઉમટી પડયા હતા. એક તરફ તેલના ભાવ આસમાને બીજી તરફ હાઇવેપર આવેલ ઢેઢુકી ગામ ની બાજુમાં રોડ પર તેલની નદીઓ વહેતી થઈ. ચોટીલાથી અમદાવાદ તરફ જતા ઢેઢુકી ગામની બાજુમાં તેલ ભરેલ ટેંકર અકસ્માત નો બનાવ બન્યો. અકસ્માત થતા તેલ ભરવા માટે ગામ લોકો પોતપોતાના વાસણો લઈને તેલ ભરવા માટે લોકોની ભીડ ઉમટી.
કોરોનાની મહામારીમાં તેલ સહિત અનુ જીવન ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા લોકો પરેશાન થયા હતા. તેલના ખાડા ભરેલા જોઈ ગામ લોકો પોતાના વાસણોને લઈ તેલ ભરવા પહોંચી ગયા. ગામલોકોને જાણે સવારે લોટરી લાગી ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
July 30, 2021 at 04:33AM surat
Technosv2018
July 30, 2021
Technosv2018
July 30, 2021
સુરત નવી સિવિલ ફરી વિવાદમાં આવી છે. બ્લડ બેન્કના કર્મચારીની બેદરકારીના પગલે સમયસર રક્તની વ્યવસ્થા ન કરાઇ. બી પોઝિટવનું બ્લડ ન મળતા દર્દીના સ્વજનો રોષે ભરાયા હતા. તો આ સિવાય જ્યારે ડોનર આવ્યા ત્યારે અન્ય કર્મચારીઓ હાજર ના હતા.
July 29, 2021 at 03:50AM surat
Technosv2018
July 29, 2021
સુરતના દર્શના જરદોશના મત વિસ્તારમાં આવતા સુરતના રેલ્વે પ્લેટફોર્મના ટિકિટના દર વધારવામાં આવ્યા છે. પ્લેટફોર્મ ટિકિટ 50 રૂપિયા કરવામાં આવી છે. અમદાવાદ અને વડોદરામાં પ્લેટફોર્મ ટિકિટ 30 રૂપિયા છે. તો શા માટે સુરતમાં દર વધારાયો છે. ચેમ્બર પ્રમુખ દિનેશ નાવડીયાએ આ મામલે પ્રશ્ન ઉઠાવ્યો છે.
July 29, 2021 at 12:50AM surat
Technosv2018
July 29, 2021
સુરતઃ શહેરના અમરોલી આવાસમાં પતિએ જ પોતાની પત્નીના ચારિત્ર પર શંકા રાખી તેનું ગળું દબાવી તેની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. હત્યા બાદ હત્યારો પતિ પોતે જ પોલીસ મથકે હાજર થઈ પોતે પોતાની પત્નીની હત્યા કર્યાની વાત કેહતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અમરોલી પોલીસે હત્યારા આરોપી પતિની ધરપકડ કરી છે.
અમરોલી આવાસમાં રહેતા 45 વર્ષીય ગુલાબ ખાન પઠાણ, જે લુમ્સના કારખાનામાં નોકરી કરતો હતો અને તેને તેની પત્નીના સંબંધ કોઈ અન્ય વ્યક્તિ સાથે હોઈ તેવી શંકા હતી. શંકી પતિને આ જ વાતને લઈ અવાર નવાર ઘરમાં ઝગડા પણ થતા હતા. બસ આ જ શંકાની વાત હત્યા સુધી પોહચી હતી.
હત્યારા પતિએ ગત રોજ વહેલી સવારે ઉઠી અને જ્યારે લાઉદ સ્પીકરમાં અજાન થઈ ત્યારે હત્યા કરવાનો સમય નક્કી કર્યો, જેથી હત્યાના સમયે તેની પત્નિની ચીખ કોઈને સંભળાઈ નહીં. હત્યારા પતિએ ઘરમાં રહેતા બે બાળકોના રૂમને પણ બહારથી બંધ કરી દીધો અને ત્યાર બાદ પોતાની પત્નીનું ગળું દબાવી તેની હત્યા કરી નાંખી અને પોતે અમરોલી પોલીસ મથકમાં હાજર થઈ પોતાની પત્નીની હત્યા કરી હોવાનું કબલ્યુ.
પોલીસ હત્યાની વાતથી ચોંકી ઉઠી અને ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ત્યાં ઘરમાં પોતાની પત્ની મૃત હાલતમાં મળી આવી હતી. જ્યાં પોલીસે હત્યારા પતિ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. સાથે જ માતાની હત્યા પોતાના પિતાએ કરતા 3 બાળકો પણ માતા વિનાના થયા છે અને પિતાને માતાની જ હત્યા બદલ જેલમાં જવાથી ત્રણ બાળકો નોંધારા બન્યા છે.
Jamnagar : MPના યુવક-યુવતીને પ્રેમ થઈ જતાં લવ મેરેજ કરી આવી ગયા ગુજરાત, ને પછી એક દિવસ થયું એવું કે.....
જામનગરઃ મધ્યપ્રદેશના અલીરાજપુરના એક યુગલને પ્રેમ થઈ જતાં બંનેએ લવ મેરેજ કરી લીધા હતા અને લગ્ન કરીને ગુજરાત આવી ગયા હતા. જોકે, એક જ વર્ષના લગ્નગાળામાં પ્રેમલગ્ન કરનાર યુવકે પોતાની પત્નીને ગળે ટૂંપો આપીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. યુવકે પોતાની પત્નીએ આત્મહત્યા કરી લીધી હોવાની વાત ઉપજાવી કાઢી હતી. જોકે, પોલીસે તપાસ કરતાં પતિ એજ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપીની અટક કરી આગળની કાર્યાવહી હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ધ્રોલ તાલુકાના ડાંગરા ગામની વાડી વિસ્તારમાં 24 વર્ષીય જમકુબેન નામની આદિવાસી યુવતીએ આપઘાત કરી લીધો હોવાની માહિતી મળતા પોલીસ દોડી ગઈ હતી. પોલીસ તપાસમાં આત્મહત્યા નહીં પરંતુ હત્યા થઈ હોવાનું સામે આવતાં ચોંકી ઉઠી હતી. મંગળવારે રાતે જમકુબેન ગળેફાંસો ખાધો હોવાનું પતિ કેરુભાઈએ પોલીસને કરી હતી. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું ખૂલ્યું હતું.
પોલીસે પતિ પર શંકાને આધારે પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને કેરૂભાઈ ભંગડાભાઈ ડાવર જણાવ્યું હતું કે, તે મૂળ અલીરાજપુર મધ્યપ્રદેશનો વતની છે. એક વર્ષ પહેલા તેણે અને જમકુબેને ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, તેમના સમાજમાં આની પરવાનગી ન હોવાથી સમાધાનના ભાગરૂપે યુવતીના પરિવારને પૈસા આપવાના હતા. જે પેટે 1 લાખ રૂપિયા આપી દીધા હતા. તેમજ હજુ વધુ રૂપિયા આપવાના હતા.
બીજી તરફ પ્રેમલગ્ન પછી બંને જામનગર આવી ખેતમજૂરી કરી રહ્યા હતા. જોકે, યુવતીના પરિવાર તરફથી પૈસાની માંગણી સતત ચાલું હતી. તેમજ પૈસા ન આપે તો દીકરીને બીજા સાથે પરણાવી દેવાની ચિમકી પણ તેમણે આપી હતી. જોકે, યુવક પાસે તેમને દેવા પૈસા ન હોવાથી કંટાળી ગયો હતો અને પત્ની પોતાની ન થાય તો બીજાની પણ નહીં થવા દે, તેવું વિચારી પત્નીની હત્યા કરી નાંખી હતી. આ સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે પતિએ હત્યાની કબૂલાત કરતા આરોપીનો કોરોના ટેસ્ટ કરાવી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
July 29, 2021 at 12:27AM surat
Technosv2018
July 29, 2021
સુરતમાં (Surat) માથાભારે શખ્સોનો આતંક વધી રહ્યો છે. ગેંગસ્ટર સૂર્યા મરાઠીના (Surya Marathi) બે સાગરીત સહિત 4 આરોપીની બે દેસી કટ્ટા અને 14 જીવતા કારતૂસ (Cartridge) સાથે ધરપકડ કરાઇ છે. પૂણા પોલીસે (puna police) બાતમીના આધારે આ આરોપીઓની ધરપકડ (arrested) કરી છે.
July 28, 2021 at 09:02AM surat
Technosv2018
July 28, 2021
વેટલિફ્ટીંગ (Weightlifting) ક્ષેત્રની અંદર હવે ઇંડિયન નેશનલ ચેમ્પિયનશિપમાં (Indian National Championship) ગુજરાતમાંથી સુરતવાસીઓ મેદાન ગજવવા તૈયાર છે. ઇંડિયન નેશનલ ચેમ્પિયનશિપમાં સુરતના (Surat) બે ખેલાડીઓ આયુષી ગજ્જર અને નિલેશ યાદવની પસંદગી કરાઇ છે. IWF દ્વારા વેટલિફ્ટીંગ ચેમ્પિયનશિપનું (weightlifting championship) આયોજન કરવામાં આવ્યું છે. પટિયાલા (Patiala) ખાતે આ ચેમ્પિયનશિપ રમાશે.
July 28, 2021 at 05:59AM surat
Technosv2018
July 28, 2021
સુરતમાં (Surat) કોસંબા (Kosamba) પાસેના બ્રિજના (bridge) કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. નંદાઉ પાટિયા પાસે એક વર્ષ પહેલા જ 40 કરોડના ખર્ચે બનાવેલા બ્રિજ પર મોટા ખાડા પડ્યા છે. જેના કારણે એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. આના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.
July 28, 2021 at 05:46AM surat
Technosv2018
July 28, 2021
Technosv2018
July 28, 2021
Technosv2018
July 28, 2021
સુરતમાં રામપુરા રાહત સોસાયટીમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. અહીંયા મોહસીન કાલિયા ગેંગના સાગરિતોએ સ્થાનિકો સાથે મારામારી કરી છે. હપ્તાખોરી માટે સ્થાનિક લોકો પર હુમલો કરવામાં આવ્યો છે.
July 28, 2021 at 01:20AM surat
Technosv2018
July 28, 2021
સુરત (Surat) શહેરમાં વિવિધ વિસ્તારોમાં અમલી અશાંત ધારાની મુદ્દત 5 વર્ષ સુધી લંબાઈ છે. મુખ્યમંત્રી (Chief Minister) વિજય રૂપાણીએ (Vijay Rupani) આ મામલે મોટો નિર્ણય લીધો છે. 8 પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં અશાંત ધારાની (The term of unrest) મુદ્દત 5 વર્ષ સુધી લંબાઈ છે. આ વિસ્તારોમાં મિલકતના વેચાણ કરતાં પહેલા કલેકટરની મંજૂરી લેવાની રહેશે.
July 27, 2021 at 09:14AM surat
Technosv2018
July 27, 2021
સુરતના (Surat,) સેંટ્રલ ઝોન (central zone) વિસ્તારમાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નવસારી બજાર (Navsari Bazar) વિસ્તારમાં મોટા ખાડોના કારણે લોકો હેરાન પરેશાન થયા છે. વાહન ચાલકોને કમર દર્દ ની ફરિયાદ રહે છે. સાથે જ વાહન ખરાબ થયાની પણ બૂમ ઉઠી છે. પાલિકાને આ મામલે રજૂઆત કરાતા છતાં કોઈ કામગીરી નથી થઈ.
July 27, 2021 at 07:55AM surat
Technosv2018
July 27, 2021
સુરત: શહેરના ઉમરા વિસ્તારમાંથી નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાતા ભારે ચકચાર મચી ગઈ છે. ઉમરા પોલીસ દ્વારા નકલી દારૂ બનાવવાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. લોકડાઉનમાં જમીન દલાલીનો ધંધો ઠપ્પ થઈ જતા દારૂનો ધંધો શરૂ કર્યો હતો.
જમીન દલાલીનો ધંધો ઠપ થઈ જતા આ વેપાર શરૂ કર્યો હતો. ઉમરા ગામમાંથી નકલી દારૂ બનવાનું કારખાનું પકડાયું હતું. મોટી માત્રામાં કેમિકલ, દારૂની બોટલ મળી આવી હતી. ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જમીન દલાલ લેન્ડર્સ પ્રાઇડ, ઇમ્પિરિયલ બ્લુનો નકલી ઇંગ્લિશ દારૂ બનાવતો હતો.
ગૃહિણીઓ માટે ફરી એકવાર માઠા સમાચારઃ સાતમ-આઠમના તહેવારો પહેલા ખાદ્યતેલનામાં ભાવમાં ઝીંકાયો વધારો
રાજકોટઃ જન્માષ્ટમીના તહેવાર પહેલા ગૃહણી માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ફરી એકવાર સીંગ તેલ, કપાસિયા અને પામ તેલના ભાવમાં ફરી ભાવ વધારો ઝીંકાયો છે. 6 દિવસમાં 25 થી 40 રૂપિયા સુધીનો ભાવ વધારો ઝીંકાયો છે. સીંગ તેલ 2465થી વધીને 2490 પહોંચ્યો છે.
કપાસીયા તેલનો ભાવ 2400 થી વધીને 2440 પહોંચ્યો છે. જ્યારે પામ તેલનો ભાવ 1965 થી વધીને 2010 પહોંચ્યો છે. સતત વધી રહેલા ખાદ્યતેલના ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ગયું છે. બીજી તરફ શાકભાજીના ભાવ પણ વધારે છે, ત્યારે તહેવાર ટાણે જ ભાવ વધારાથી ગૃહિણીઓ પરેશાન થઈ ગઈ છે.
Rajkot : કાર-બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યોના મોતથી અરેરાટી
રાજકોટઃ જામકંડોરણા દુધીવદર ગામ નજીક મોટરસાયકલ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. દુધીવદર ગામ નજીક મોટરસાયકલ અને કાર વચ્ચે ગંભીર અકસ્માતમાં મોટરસાયકલ ચાલક, એક મહીલા અને એક નાના બાળકનું મોત નીપજ્યું છે.
એક જ પરીવારના ત્રણ સભ્યોના મોતથી અરેરાટી મચી જવા પામી છે. અકસ્માતમાં કાર ચાલક કાર મુકીને ફરાર થયો તેવું સ્થાનિકોએ મૌખિક જણાવ્યું હતું. મૃતકો કોઈ વાડીના મજૂર હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. જામકંડોરણા પોલીસ દ્વારા અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
July 26, 2021 at 10:23PM surat
Technosv2018
July 27, 2021
નવસારીઃ ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે. નદીમાં પાણી વધતા ખેરગામ તાલુકામાં આવેલ નાંધાઇ ગામનો ગરગડીયા પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. લોકોને વલસાડ જવા માટે અંતરિયાળ રસ્તો બંધ થયો છે. જ્યારે ૧૦ જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે.
ગુજરાતમાં આજે સવારે 6 વાગ્યા થી 2 વાગ્યા સુધી રાજ્યના 172 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે વરસાદ તાપીના ડોલવણમા સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. નવસારીના ખેરગામ અને વલસાડના ધરમપુરમાં અઢી ઈંચ ખાબક્યો હતો. જ્યારે જૂનાગઢના વિસાવદરમાં 2.4 ઇંચ, આણંદના તારાપુર અને નવસારીના વાંસદામાં 2.1 ઇંચ, ડાંગના આહવા, વલસાડના વાપી, ડાંગના વઘઈમાં 2 ઈંચ, જૂનાગઢના માળિયામાં 1.9, નવસારીના ચિખલીમાં 1.8 ઇંચ, વલસાડના પારડીમાં 1.7 ઇંચ, મોરબીમાં 1.7 ઇંચ, વલસાડ શહેર, ગીર સોમનાથના કોડીનારમાં 1.6 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. સમગ્ર રાજ્યમાં 4 દિવસ વરસાદ રહેશે. 24 કલાક સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં મેઘ મહેર 4 દિવસ યથાવત રહેશે.
26 જુલાઈએ અમદાવાદ, ખેડા, આણંદ, નડિયાદ, વડોદરા, ગાંધીનગર, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર, મહેસાણા , પાટણ સહીતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 અને 28 જુલાઈએ ડાંગ, તાપી, નર્મદા, નવસારી, દીવ, દમણ, દાદરાનગર હવેલી ,ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, ગીર સોનાથ, ભાવનગર સહીતના જિલ્લામાં હળવાથી ભારે વરસાદની આગાહી છે.
જ્યારે 29 જુલાઈએ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી છે. 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 28 જુલાઈએ વધુ એક લો પ્રેશર સક્રિય થાય તેવી શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.
Jamnagar Live Video : ભારે વરસાદ પછી નદીના પૂરમાં યુવક તણાયો
જામનગરઃ ગઈ કાલના ભારે વરસાદ દરમિયાન કાલાવડમાં યુવકના તણાવાનો એક વિડિયો સામે આવ્યો છે. કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં યુવક તણાય રહ્યાનો વિડ્યો સામે આવ્યો છે. નદી કાંઠે રહેતા દેવીપૂજક પરિવારનો યુવક નદીના પ્રવાહમાં તણાયો હતો.
નદીમાં એકાએક પૂર આવતા યુવક તણાયો હતો. સ્થાનિક લોકોએ ભારી જહેમત બાદ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે.
રાજકોટના ધોરાજી તાલુકાના મોટી મારડમાં ચારેય તરફ બસ પાણી જ પાણી છે. અહીં રવિવાર દસ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દસ ઈંચ વરસાદ વરસતા મોટી મારડ ગામના પાંચ તળાવો ઓવરફ્લો થયા છે. મેઈન તળાવ, પંચાયત પાસેનું તળાવ અને મારડીયાના માર્ગ પરનું તળાવ ઓવરફ્લો થયુ છે.
તો ધોધમાર વરસાદને લીધે ખેતરો પણ જળબંબાકાર થયા છે. ખેતરોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. ખેડૂતોના પાકને નવુ જીવનદાન મળ્યું છે. તો પાણીના સ્તર પણ ઉંચા આવ્યા.
July 26, 2021 at 02:16AM surat
Technosv2018
July 26, 2021
ડાંગઃ નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે યુવાનોના આપઘાત પ્રકરણ મામલે આજે ડાંગમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને પગલે આજે ડાંગ સજ્જડ બંધ રહ્યું હતું. સ્થાનિક આગેવાનો દ્વારા આજે ડાંગ બંધનું એલાન કરવામાં આવ્યું છે. ડાંગ બંધને તમામ વર્ગના લોકોએ સમર્થન આપ્યું છે. ડાંગ જિલ્લાના તમામ તાલુકાઓમાં વેપારી સંગઠનો અને પ્રવાસન સ્થળ સજ્જડ બંધ રહ્યા હતા. ડાંગમાં બંધના કારણે તમામ તાલુકાઓમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આરોપીના શંકાસ્પદ અકસ્માત મોતનો મામલે પોલીસ વડાએ મોટું પગલું ભર્યું હતું. એક PSI સહિત ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા બાદ પીઆઇ એ.આર વાળા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચીખલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ. આર. વાળાની પહેલા માત્ર બદલી કરવામાં આવી હતી. બદલીના બે કલાકમાં પોલીસ વડાએ પી.આઈ.ને પણ સસ્પેન્ડ કરી દીધા છે.
નોંધનીય છે કે, ડાંગના વઘઇ ગામના બે યુવાન સુનિલ પવાર અને રવિને ચીખલી પોલીસ ગુનામા શંકાના આધારે ઉંચકી ગઈ હતી. દરમિયાન ચીખલી પોલીસ સ્ટેશનમાંથી બન્ને યુવાનોની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. યુવાનોના શંકાસ્પદ મોતના લીધે ચીખલી તેમજ ડાંગ જિલ્લાના અગ્રણીઓ તેમજ રાજકીય આગેવાનો ચીખલી પોલીસ સ્ટેશનને ધામા નાખ્યા હતા. યુવાનોના કયા કારણોસર મૃત્યુ થયા છે અને યુવાનોના પરિવારજનોને ન્યાય મળવો જોઈએ, એવી માંગણી કરી હતી.
યુવાનોના સુરત એફએસએલે સેમ્પલ લીધા પછી બંને યુવાનોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દેવાયા હતા. ગઈ કાલે ગુરૂવારે સવારે વઘઇ મુકામે બંને યુવાનોની અંતિમવિધિ કરાઇ હતી. વઘઈમાં અણબનાવ નહીં બને તેના માટે પોલીસે ચાપતો બંદોબસ્ત રાખ્યો હતો. નવસારી જિલ્લામાં પણ આદિવાસી સમાજના આગેવાનોએ તથા સંગઠનોએ યુવાનોના આપઘાત કેસમાં તલસ્પર્શી તપાસ કરી કસૂરવારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે પ્રિયંકા ગાંધીના માનીતા યુવા નેતાની નિમણૂકનો તખ્તો તૈયાર, જાણો નેતાએ શું મૂકી શરત ?
અમદાવાદઃ રાજીવ સાતવના અકાળે થયેલા નિધનના કારણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીપદ ખાલી પડ્યું છે. આ હોદ્દા પર હવે સચિન પાયલોટની નિમણૂક થઈ શકે છે. કોંગ્રેસનાં સૂત્રોએ આપેલી વિગતો પ્રમાણે , સચિન પાયલોટ ગુજરાત કોંગ્રેસના પ્રભારી બની શકે છે. રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટની ગુજરાત કોંગ્રેસના પ્રભારીપદે નિમણૂકની સત્તાવાર જાહેરાત આગામી સપ્તાહમાં થઈ શકે છે .
સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે રાજસ્થાનના CM અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે સમાધાન થતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીપદે સચિન પાયલોટની નિમણૂક નિર્ણય લેવાયો છે. પાયલોટ અને ગેહલોત વચ્ચે થયેલા સમાધાન પ્રમાણે સચિન પાયલોટ જૂથના ધારાસભ્યોને રાજસ્થાન સરકારમાં મંત્રીપદ મળશે. પોતાના જૂથના MLA મંત્રી બન્યા બાદ સચિન પાયલોટ ગુજરાતની કમાન સાંભળશે અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે કામગીરી શરૂ કરશે.
July 25, 2021 at 11:48PM surat
Technosv2018
July 26, 2021
સુરત : પનાસમાંથી 11 વર્ષીય સાળાનું અપહરણ કર્યા પછી તેની હત્યા કરવાના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ આરોપીને સગી સાળી પર બળાત્કાર ગુજારવાના કેસમાં 20 વર્ષી જેલની સજા થઈ છે. ત્યારે આ કેસમાં પેરોલ પર આવેલા આરોપીએ સાળી સાથે સમાધાન ન થતાં સાળાનું અપહરણ કરીને તેની હત્યા કરી નાંખી હતી. હત્યા પછી આરોપી બનેવી બિહાર ભાગી ગયો છે. ત્યારે પોલીસે તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગેની વિગતો એવી છે કે, હત્યારા ડબલ્યુસીંગ રાજપૂતે મૃતકની મોટી બહેન સાથે લવ મેરેજ કર્યા છે. લગ્ન પછી તે ઘર જમાઇ તરીકે રહેતો હતો. આ સમયે તેણે પોતાની સાળી પર નજર બગાડી હતી વર્ષ 2018માં સગીર સાળી સાથે વારંવાર પરાણે શારીરિક સંબંધ બાંધી તેને ગર્ભવતી બનાવી દીધી હતી. આ અંગે સાળીએ પોલીસ ફરિયાદ કરી હતી અને આ ગુનામાં બનેવીને 20 વર્ષની સજા થઈ હતી.
લાંબા સમયથી જેલમાં આરોપી તરીકે રહેલા યુવકને તેની પત્નીએ જ જામીન પર છોડાવ્યા હતો અને થોડા દિવસ પહેલા જામીન પર છૂટ્યો હતો. આ પછી તે સતત યુવતીના પરિવાર સાથે સમાધાન કરવા માટે પ્રેશર કરતો હતો. જોકે, સાળી સમાધાન કરવા માટે તૈયાર ના થતા આરોપી બનેવીએ પોતાના સગા સાળાનું અપહરણ કરી તેની હત્યા કરી પરિવાર સાથે બદલો લેવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરાઇ રહ્યો છે.
ગઈ કાલે આ બાળકની હત્યા કરાયેલી લાશ ડુમસ વિસ્તારમાંથી મળી આવી હતી. પોલીસ તપાસમાં લાજપોર જેલમાં બળાત્કારના ગુનામાં સંડોવાયેલા આરોપીએ જેલમાંથી છૂટ્યા બાદ સગા સાળાનું અપહરણ કરી તેની ઘાતકી હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસને હવે બાળકની લાશ મળી આવતા, પોલીસે આ મામલે તાત્કાલિક અસરથી હવે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ખટોદરા પોલીસની ટીમ હત્યારાને પકડવા માટે બિહાર રવાના થઈ છે.
હત્યારા ડબલ્યુસીંગ રાજપૂત (રહે. ઘનકુંડગામ, બિહાર)એ 11 વર્ષના સાળાનું અપહરણ કરી તેને ડુમસ સાયલન્ટ ઝોન પાસે અવાવરુ ખંડેર જગ્યા પર લઈ જઈ માથામાં અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.આ પછી ત્યાંથી વતન બિહાર ભાગી ગયો હતો.
July 25, 2021 at 11:10PM surat
Technosv2018
July 26, 2021
મારુ શહેર મારી વાત કાર્યક્રમ અંતર્ગત એબીપી અસ્મિતાએ સુરતના વોર્ડ નંબર 16ના સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, વિસ્તારમાં બિસ્માર રસ્તાના કારણે લોકો પરેશાન છે. ખાડી પૂરની સમસ્યાના કારણે લોકો પરેશાન છે.
July 25, 2021 at 10:13PM surat
Technosv2018
July 26, 2021
સુરતમાં (Surat) 4 વર્ષના બાળકને મ્યુકરમાઇકોસિસના (mucorrhoea) લક્ષણ (symptoms) દેખાતા તંત્ર હરકતમાં આવ્યું છે. બાળકને તુરંત સારવાર (treatment) માટે હોસ્પિટલ (hospital) ખસેડાયો હતો. આટલા નાના બાળકને મ્યુકરમાઇકોસિસના લક્ષણ દેખાવાનો આ પ્રથમ કિસ્સો છે. જ્યાં એક તરફ કોરોના કેસ ઓછા થઈ રહ્યા છે. ત્યાં મ્યુકરમાઇકોસિસની દહેશત આહટ આપી રહી છે.
July 25, 2021 at 03:55AM surat
Technosv2018
July 25, 2021
સુરતના (Surat) ભેંસ્તાન વિસ્તારમાં (Bhenstan area) ખુલ્લી ગટરમાં ભેંસ (buffalo) ખાબકી હતી. જે બાદ ફાયર વિભાગને જાણ કરાઈ હતી. અને ભારે જહેમત બાદ ભેંસને બહાર કાઢવામાં આવી હતી. તંત્રની બેદરકારીનો અવાર નવાર પ્રાણીઓ અને માનવી ભોગ બનતા રહે છે.
July 25, 2021 at 02:20AM surat
Technosv2018
July 25, 2021
મહારાષ્ટ્રના પશુપાલકોને લૂંટવાની ફિરાકમાં ફરતા 3 શખ્સોને સુરત (Surat) પોલીસે પકડી (arrested) પાડ્યા છે. સુરતમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે સુરત પોલીસ સતત પેટ્રોલીંગ કરી રહી છે. કાપોદ્રામાં ભેસના વેપારીને લૂંટવા એક ગેંગ સક્રિય થઈ છે. જે બાદ પોલીસે (Police) કાર્યવાહી કરતાં આ 3 શખ્સો ઝડપાયા હતા.
July 25, 2021 at 12:57AM surat
Technosv2018
July 25, 2021
સુરતઃ સુરતમાં ધીરૂ ગજેરા ફરી ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપમાં જોડાતાં સમયે જાહેરમંચ પરથી પ્રતિજ્ઞા લેતાં ધીરૂ ગજેરાએ જાહેર કર્યું કે, હવે અંતિમ શ્વાસ સુધી ભાજપ સાથે રહીશ અને મારો 14 વર્ષનો વનવાસ પૂરો થાય છે. સતત ત્રણ ટર્મ સુધી ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા ધીરૂ ગજેરા કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભા અને વિધાનસભાની ચાર ચૂંટણી હારી ગયા હતા. એ પછી હવે તેમને ભાજપે પાછા લીધા છે. પાટીદાર નેતા ગજેરા વરાછા અને કતારગામ વિસ્તારમાં રાજકીય રીતે સક્રિય રહ્યા છે.
ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરૂ ગજેરા કોંગ્રેસમાં જોડાયા હતા પણ 14 વર્ષ પછી ભાજપમાં પાછા ફરતાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. ધીરૂ ગજેરા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે પાર્ટી જ્યાં કામ આપશે ત્યાં કામ કરવા તૈયાર છે.
[tw]https://twitter.com/CRPaatil/status/1418970055510003714[/tw]
ધીરૂ ગજેરાએ જણાવ્યું કે, આજે બરાબર 14 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે. 14 વર્ષનો એક પ્રકારે વનવાસ ભોગવ્યો છે. 2007માં જે પાર્ટી છોડીને ગયેલા ધારાસભ્યો અને કાર્યકરો દુઃખ વેઠીને પોતાના પક્ષમાં પરત ફર્યા છે. સીઆર પાટીલે કહ્યું કે, ધીરૂ ગજેરા ઘણા સમયથી દુઃખી હતા અને હવે ફરીથી પોતાના ઘરે પરત ફર્યા છે તેથી સહર્ષ અમે તેમને સ્વીકાર્યા છે. પાટીલે કહ્યું કે, ગજેરા દંતકથા જેવા છે અને સ્પષ્ટવક્તા છે તેથી તેમના દોસ્ત ઓછા ને દુશ્મન વધારે છે.
ધીરૂ ગજેરા 1995થી 2007 સુધી ભાજપ સાથે જોડાયેલા હતા.ધીરૂ ગજેરા મૂળ જનસંઘમાં સક્રિય હતા ત્યાર બાદ તેઓ ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 1995થી 2007 સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યા હતા. ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા. ધીરૂ ગજેરા કોંગ્રેસમાંથી સતત ચાર વખત પરાજિત થયા છે. કોંગ્રેસમાંથી સતત તેઓ ચાર વખત પરાજિત થયા છે. ધીરૂ ગજેરા રાજકીય મંચ ઉપરથી ભાષણ આપીને લોકોની તાળીઓ તો ખૂબ મેળવતા હોય છે પરંતુ મત મેળવવામાં નિષ્ફળ થયા હતા. નરેન્દ્ર મોદી સામે પણ તેમણે બેફામ વાણીવિલાસ કર્યો હતો.
July 24, 2021 at 11:02PM surat
Technosv2018
July 25, 2021
સુરત: ઉદ્યોગપતિ ધીરુ ગજેરાએ વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. સુરત ભાજપ કાર્યાલય ખાતે ધીરુ ગજેરા વિધિવત રીતે ભાજપની સાથે જોડાયા છે. વર્ષ 2007માં તેઓ ભાજપથી વિખુટા પડ્યા હતા અને હવે તેઓ ફરીથી ભાજપની સાથે જોડાઈ ગયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ધીરુ ગજેરાને કેસરિયો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા છે.
સુરત : સુરતના ઉદ્યોગપતિ ધીરુ ગજેરા ફરી ભાજપમાં જોડાયા છે. ધીરુ ગજેરા જનસંઘ સાથે કોર્પોરેટર તરીકે કેરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ભાજપમાંથી ત્રણ ટર્મ ધારાસભ્ય રહયા હતા. 2007 મા ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા. 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી ફરી ભાજપમાં જોડાયા છે.
કૉંગ્રેસમાંથી ત્રણ વિધાનસભા અને એક લોકસભા માટે ઉભા રહયા હતા. 2017 વિધાનસભામાં પાટીદાર ફેક્ટરથી વરાછા બેઠક પર ચૂંટણી લડયા હતા. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં ફરી ભાજપમાં જોડાયા છે. ઉધના ભાજપ કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો જોડાયા.
ધીરુભાઈ ગજેરાએ જણાવ્યું કે 2007થી અમારી પનોતી શરૂ થઈ હતી. ભાજપ માટે આ કમનસીબ ઘટના હતી જ્યારે પાર્ટીના બે ભાગ પડ્યા. અમે કુશળ નેતૃત્વ સામે ટકી ન શક્યા. અમે નિષ્ફળતા સ્વીકારીએ છીએ. ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહે સાચી દિશા આપી છે. ચૂંટણી લડ્યા અને હાર્યા. અમારું મૂળ જનસંઘનું છે જે ભાજપ સિવાય બીજે નહિ ચાલે. મારા અંતિમ શ્વાસ સુધી આ ભાજપનો ખેસ રહેશે. આવું નેતૃત્વ ક્યારેય નહીં મળે. 2009, 2012 અને 2017માં હાર્યો. મારા જડ સ્વભાવને કારણે હું હાર્યો છું. 14 વર્ષને 1 મહિનાનો વનવાસ પૂરો થયો અને હું ભાજપમાં પાછો ફર્યો છું. ગમે તેવો અસંતોષ હોય પાર્ટી છોડતા નહીં. મેં સામેથી ભાજપનો સંપર્ક કર્યો છે.
હું મારા ઘરે પાછો ફર્યો છું. પાર્ટી માટે કામ કરીશ. અંતિમ શ્વાસ સુધી ભાજપમાં રહીશ. દૂધમાં સાકર ભળે એ રીતે હું ભળી જવા માંગુ છું. મને રાષ્ટ્રહિતમાં જ્યાં કામ કરવાનું કહેશે ત્યાં હું કામ કરવા તૈયાર છું.
Technosv2018
July 24, 2021
સુરતમાં શાકભાજીના ભાવમાં 10થી 20 રૂપિયાનો વધારો થયો છે. વેપારીઓના કહ્યાં પ્રમાણે, મહારાષ્ટ્રમાં વરસાદને કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. 15 દિવસ પહેલા કારેલાનો ભાવ 20 રૂપિયા હતો આજે 40 રૂપિયા થઈ ગયો છે.
July 24, 2021 at 04:11AM surat
Technosv2018
July 24, 2021
પેટ્રોલ(Patrol)ના ભાવમાં વધારો થતા સુરતમાં પેટ્રોલ ચોરી(theft) કરતી ગેંગ સક્રિય થઈ છે. લિંબાયત(Limbayat) વિસ્તારમાં એક શખ્સ પેટ્રોલની ચોરી કરતી વખતે સીસીટીવીમાં કેદ થયો છે.
July 23, 2021 at 05:27AM surat
Technosv2018
July 23, 2021
સુરત(Surat)ના ઓલપાડ(Olpad)ના વેલુક ગામમાં છેલ્લા પાંચ વર્ષથી 66KV સબ સ્ટેશન(Sub Station)ના ઉદ્ધાટનની રાહ જોવાઈ રહી છે. 12 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા સબ સ્ટેશનનું ઉદ્ધાટન નથી થઈ રહ્યું.
July 23, 2021 at 05:16AM surat
Technosv2018
July 23, 2021
સુરત(Surat)ના વરાછામાં આવેલ યોગી ચોકમાં સવારના સમયે સમર્પણ હોસ્પિટલ(Samarpan Hospital)ની બહાર રસ્તા પર પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. કારના બોનેટમાં અચાનક આગ લાગતા કાર સળગવા લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
July 23, 2021 at 04:03AM surat
Technosv2018
July 23, 2021
સુરત(Surat)માં શિવશક્તિ માર્કેટ(Shiv Shakti Market)ના વેપારીને ગુરુવારે એક અજાણ્યા શખ્સે આપેલા પાર્સલમાંથી પિસ્તોલ અને કારતૂસ મળ્યા છે. સાથે એક ચિઠ્ઠી મળી છે જેમાં ત્રણ કરોડ રૂપિયાની માંગણી કરવામાઁ આવી છે.
July 23, 2021 at 03:54AM surat
Technosv2018
July 23, 2021
સુરત : રાજ કુંદરા મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. થોડા દિવસો આગાઉ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સુરતથી એક યુવકની ધરપકડ કરી હતી. તન્વીર હાશ્મીની સુરતના ભાટપોર ખાતેથી ધરપકડ કરી હતી. તન્વીર હાશ્મી સુરતના વિવિધ વિસ્તારોમાં પોર્ન ફિલ્મ બનાવતો હતો.
તન્વીર હાશ્મી અશ્લીલ ફિલ્મ બનાવી રાજ કુંદરાને વેચતો હોવાને લઇ તપાસ શરૂ કરવામાં આવી છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ તન્વીર હાશ્મીની પૂછપરછ કરી શકે છે. તન્વીર હાશ્મીના બેન્ક એકાઉન્ટની તપાસ શરૂ કરી છે. તન્વીર હાશ્મીના ઈન્ડિયન બેન્કના 2 એકાઉન્ટની તપાસ શરૂ કરવામાં આવી છે.
Raj Kundra Case: ફરી વધી રાજ કુંદ્રાની મુસીબત, ક્રાઈમ બ્રાંચને મળ્યા ઉમેશ કામતના શૂટ કરેલ 70 વીડિયો
અશ્લીલ ફિલ્મના બનાવવાના આરોપમાં ધરપકડ થયેલ રાજ કુંદ્રા (Raj Kundra)ની મુસીબત ઓછી થવાનું નામ નથી લઈ રહી. પોલીસની તપાસમાં નવા પુરાવ પોલીસને હાથ લાગ્યા છે. જેથી એ સ્પષ્ટ થાય છે કે રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મોનો બિઝનેસ કરતા હતા. હાલમાં જ ક્રાઈમ બ્રાંચને અનેક પ્રોડક્શન હાઉસ પાસેથી 70 વીડિયો મળી આવ્યા છે જે રાજના પૂર્વ પીએ ઉમેશ કામતે શૂટ કર્યા હતા.
ફેરેન્સિકમાં મોકલાશે વીડિયો
હવે આ પુરાવાને ક્રાઈમ બ્રાંચ ટૂંકમાં જ સર્વરને ફોરેન્સિક વિશ્લેષણને એ જાણવા માટે મોકલશે કે શું રાજ કુંદ્રા (Raj Kundra) તેનો ઉપયોગ પોતાની યૂકે સ્થિત શેલ કંપની કિનિનને અશ્લીલ સામગ્રી અપલોડ કરવા માટે કર્યો હતો કે નહીં.
વોટ્સએપ ચેટ
આ વૉટ્સએપ ચેટ ઓક્ટોબર 2020ની છે. આ ચેટ્સથી જાણી શકાય છે કે એપ પર લાઇવ શૉ દ્વારા 1.85 લાખ રૂપિયા અને ફિલ્મોથી દરરોજના 4.53 લાખ રૂપિયાની કમાણી થઇ રહી હતી. તે સમય સુધી પૉર્ન કન્ટેન્ટ વાળી એપ હૉટશૉટ્સના 20 લાખ સબ્સક્રાઇબર થઇ ચૂક્યા હતા.
રાજ કુન્દ્રા આ ચેટમાં પ્રદીપ બશ્ખી સાથે આર્ટિસ્ટોને બાકીના પૈસા જલ્દી આપવાની વાત કરી રહ્યો છે. રાજ કુન્દ્રાએ બખ્શીને કહ્યું કે તેની એક લાઇવ કરવા વાળી આર્ટિસ્ટ પ્રિયા સેનગુપ્તાને પેમેન્ટ નથી મળ્યુ, અને તેને તરતજ આપવામાં આવે. 10 ઓક્ટોબરની ચેટથી એ વાતનો ખુલાસો થયો હતો કે કુલ 81 આર્ટિસ્ટે સમય પર પૈસા નહીં મળવાની ફરિયાદ કરી છે.
July 23, 2021 at 12:35AM surat
Technosv2018
July 23, 2021
નવસારીઃ ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આરોપીના શંકાસ્પદ અકસ્માત મોતનો મામલે પોલીસ વડાએ મોટું પગલું ભર્યું છે. ગઈ કાલે એક PSI સહિત ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા બાદ પીઆઇ એ.આર વાળા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચીખલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ. આર. વાળાની પહેલા માત્ર બદલી કરવામાં આવી હતી. બદલીના બે કલાકમાં પોલીસ વડાએ પી.આઈ.ને પણ સસ્પેન્ડ કરી દીધા છે.
નોંધનીય છે કે, ડાંગના વઘઇ ગામના બે યુવાન સુનિલ પવાર અને રવિને ચીખલી પોલીસ ગુનામા શંકાના આધારે ઉંચકી ગઈ હતી. દરમિયાન ચીખલી પોલીસ સ્ટેશનમાંથી બન્ને યુવાનોની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. યુવાનોના શંકાસ્પદ મોતના લીધે ચીખલી તેમજ ડાંગ જિલ્લાના અગ્રણીઓ તેમજ રાજકીય આગેવાનો ચીખલી પોલીસ સ્ટેશનને ધામા નાખ્યા હતા. યુવાનોના કયા કારણોસર મૃત્યુ થયા છે અને યુવાનોના પરિવારજનોને ન્યાય મળવો જોઈએ, એવી માંગણી કરી હતી.
યુવાનોના સુરત એફએસએલે સેમ્પલ લીધા પછી બંને યુવાનોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દેવાયા હતા. ગઈ કાલે ગુરૂવારે સવારે વઘઇ મુકામે બંને યુવાનોની અંતિમવિધિ કરાઇ હતી. વઘઈમાં અણબનાવ નહીં બને તેના માટે પોલીસે ચાપતો બંદોબસ્ત રાખ્યો હતો. નવસારી જિલ્લામાં પણ આદિવાસી સમાજના આગેવાનોએ તથા સંગઠનોએ યુવાનોના આપઘાત કેસમાં તલસ્પર્શી તપાસ કરી કસૂરવારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
વડોદરા સ્વીટી પટેલ મીસિંગ કેસઃ પીઆઇ દેસાઇના ઘરમાં FSLની ટીમે તપાસ કરતાં શું મોટો પુરાવો હાથ લાગ્યો?
અમદાવાદઃ વડોદરાના એસઓજી પીઆઇ અજય દેસાઈની પત્નીના ગુમ થવાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. એફએસએલની ટીમે પીઆઇના ઘરમાંથી તપાસ કરતા લોહીના સેમ્પલ મળ્યા છે. શંકાસ્પદ લોહીના સેમ્પલ મળ્યા છે. આ સેમ્પલને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. એફએસએલના રિપોર્ટ બાદ ખુલાસો થશે. પીઆઇ અજય દેસાઈ પર પ્રબળ શંકા છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મહત્વના પુરાવા મળ્યા છે.
પી.આઈ અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થયાના ચર્ચાસ્પદ કેસમાં હજુ પણ કોઈ જ સગડ મળ્યા નથી. જિલ્લા પોલીસ તપાસમાં કંઈ નહીં મળતા ગૃહ મંત્રીએ તપાસ આંચકી લીધી હતી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એ.ટી.એસ.ને તપાસ સોંપી હતી.
બીજી તરફ ગઈ કાલે અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ કરવાનો હતો. જોકે, અજય દેસાઇએ નાર્કો ટેસ્ટ માટે ઇનકાર કરી દીધો હતો. તમામ તૈયારી બાદ અજય દેસાઇનો નાર્કો ટેસ્ટ કરાવા ઇન્કાર કરી દીધો હતો. આજે વહેલી સવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અજય દેસાઇને લઇ ગાંધીનગર એફએસએલ પહોંચી હતી. આજે સાંજે અજય દેસાઇએ નાર્કો ટેસ્ટ કરાવવાનો ઇન્કાર કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા શહેર ન છોડવા આદેશ કર્યો હતો. નાર્કો ટેસ્ટ ન કરાવવાનું કારણ અજય દેસાઇ દ્વારા જણાવાયું હતું. તેમના પત્ની 47 દિવસથી ગુમ છે.
નોંધનીય છે કે, કરજણ પોલીસની તપાસ બાદ ડી.વાય.એસ.પી ને તપાસ સોંપાઈ હતી. અત્યાર સુધી અનેક શંકાસ્પદ ની પૂછપરછ કરાઈ છે. ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે તપાસ થઈ રહી છે. માનવ હાડકા મળ્યાં તે સ્થળે ફોરેન્સિક નિષ્ણાંતની ટીમે તપાસ કરી હતી. હજુ સુધી એફ.એસ.એલ એ એસ.ડી.એસ, પોલિગ્રાફ અને ડી.એન.એ ટેસ્ટ નો રિપોર્ટ આપ્યો નથી. સમગ્ર કિસ્સા મામલે પી.આઈ અજય દેસાઈ શંકા ના ઘેરામાં છે.
July 23, 2021 at 12:10AM surat
Technosv2018
July 23, 2021
સુરતઃ ભાજપના કાર્યકરે 17 વર્ષીય છોકરીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા પણ પડાવ્યા હતા. આમ છતાં પણ તેની પજવણી ચાલું રહેતી સગીરાએ આરોપી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ભાજપ કાર્યકર્તા સામે દુષ્કર્મ, એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ નોંધાઇ છે.
આરોપી વિશાલ ઉર્ફે ભુષણ પાટીલે યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. આરોપી અગાઉ કિશોરી સાથે છેડતીના ગુનામાં જેલમાં હતો. જામીન પર છૂટ્યા બાદ વધુ એક ફરિયાદ નોંધાઇ છે. ઉધના પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, વિશાલે ઉધનાની ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી તેમજ બંને ફરવા જતા હતા ત્યારે તેણે સગીરાની અશ્લીલ તસવીરો પાડી લીધી હતી. આ પછી તો વિશાલ તેને બ્લેકમેલ કરીને વારંવાર શરીરસુખ માણવા લાગ્યો હતો.
જોકે, વિશાલથી કંટાળેલી સગીરાએ પરિવારને વાત કરતાં ઘરના સભ્યોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારના સભ્યો વિશાલને આ અંગે સમજાવવા જતાં તેમને જાતિ વિષયક અપશબ્દો કહી અપમાન કર્યું હતું. તેમજ તેમને બદનામ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી. બીજી તરફ વિશાલથી ડરીને સગીરાએ તેને 20 હજાર રૂપિયા આપ્યા હતા. આ પછી પણ વિશાલે હેરાનગતિ ચાલું રાખતા અંતે કંટાળેલી સગીરાએ પોલીસનો સહારો લીધો છે.
Surat : યુવકે પ્રેમિકા સાથે ભાગી જવા માટે ભર્યું એવું પગલું કે વાંચીને ચોંકી જશો
સુરતઃ પુણાના 19 વર્ષીય કશ્યપને એક યુવતી સાથે પ્રેમસંબંધ હતાં. આ અંગે યુવક-યુવતીએ પરિવારના સભ્યો સાથે પણ વાત કરી હતી. જોકે, બંનેના પરિવારે લગ્ન કરાવવાનો ઇનકાર કરી દેતા ભાગીને લગ્ન કરવાનું વિચાર્યું હતું. જોકે, આ માટે કારની જરૂર હોવાથી તેણે કારની લૂંટ ચલાવી હતી. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. તેમજ તેની પ્રેમિકાને તેના પરિવારને સોંપી દેવામાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ગત બુધવારે વેસુમાં કાપડ વેપારી મનોજ જૈનના વૃદ્ધ પિતા કપુરચંદને એરગન બતાવીને તેમને કારમાંથી ફેંકી દઇ પુણાના 19 વર્ષીય કશ્યપભેસાણિયા કારની લૂંટ ચલાવી હતી. જેથી મનોજ જૈને તાત્કાલિક પોલીસને જાણ કરતી હતી.
બીજી તરફ કારની ચોરી કરીને યુવક પ્રેમિકા સાથે નવસારી તરફ જઈ રહ્યો હતો. જોકે, પોલીસ દ્વારા અગાઉથી વોચ ગોઠવી દેવામાં આવી હતી. દરમિયાન કશ્યપ કાર સાથે નવસારી ટોલનાકા પર પહોંચ્યો હતો. અહીં સ્ટાફે સિસ્ટમ ચાલું ન હોવાનું કહીને કાર ઉભી રખાવી હતી તેમજ નવસારી પોલીસને જાણ કરી દેતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, કશ્યપ 10 દિવસ પહેલા પ્રેમિકા સાથે ઘરેથી ભાગી ગયો હતો અને આગમ આર્કેડમાં આવેલી કુમકુમ હોટેલમાં રોકાયો હતો. હોટલામાં રોકાયા બાદ અન્ય શહેરમાં જવા ઇન્ટરનેટ પર સર્ચ કર્યુ હતું. નાસ્તો લેવા હોટલની બહાર આવ્યો ત્યારે વૃધ્ધને એકલા જોઇ કાર લૂંટી લીધી હતી. એરગન ઓનલાઇન મંગાવી હતી તે પણ ઘરેથી સાથે લઇ આવ્યો હતો, જે વૃદ્ધને બતાવીને ધક્કો મારી કાર લઈ ભાગી છૂટ્યો હતો. આ પછી હોટલથી પ્રેમિકા સાથે કારમાં કાનપુર જવા નીખલ્યો હતો. કશ્યપ ઘરેથી જે 2.36 લાખ રૂપિયા લઈને આવ્યો હતો. જોકે, પ્રેમિકા સાથે ભાગવામાં સફળ થાય તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.
July 22, 2021 at 11:16PM surat
Technosv2018
July 23, 2021
સુરતઃ પુણાના 19 વર્ષીય કશ્યપને એક યુવતી સાથે પ્રેમસંબંધ હતાં. આ અંગે યુવક-યુવતીએ પરિવારના સભ્યો સાથે પણ વાત કરી હતી. જોકે, બંનેના પરિવારે લગ્ન કરાવવાનો ઇનકાર કરી દેતા ભાગીને લગ્ન કરવાનું વિચાર્યું હતું. જોકે, આ માટે કારની જરૂર હોવાથી તેણે કારની લૂંટ ચલાવી હતી. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. તેમજ તેની પ્રેમિકાને તેના પરિવારને સોંપી દેવામાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ગત બુધવારે વેસુમાં કાપડ વેપારી મનોજ જૈનના વૃદ્ધ પિતા કપુરચંદને એરગન બતાવીને તેમને કારમાંથી ફેંકી દઇ પુણાના 19 વર્ષીય કશ્યપભેસાણિયા કારની લૂંટ ચલાવી હતી. જેથી મનોજ જૈને તાત્કાલિક પોલીસને જાણ કરતી હતી.
બીજી તરફ કારની ચોરી કરીને યુવક પ્રેમિકા સાથે નવસારી તરફ જઈ રહ્યો હતો. જોકે, પોલીસ દ્વારા અગાઉથી વોચ ગોઠવી દેવામાં આવી હતી. દરમિયાન કશ્યપ કાર સાથે નવસારી ટોલનાકા પર પહોંચ્યો હતો. અહીં સ્ટાફે સિસ્ટમ ચાલું ન હોવાનું કહીને કાર ઉભી રખાવી હતી તેમજ નવસારી પોલીસને જાણ કરી દેતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, કશ્યપ 10 દિવસ પહેલા પ્રેમિકા સાથે ઘરેથી ભાગી ગયો હતો અને આગમ આર્કેડમાં આવેલી કુમકુમ હોટેલમાં રોકાયો હતો. હોટલામાં રોકાયા બાદ અન્ય શહેરમાં જવા ઇન્ટરનેટ પર સર્ચ કર્યુ હતું. નાસ્તો લેવા હોટલની બહાર આવ્યો ત્યારે વૃધ્ધને એકલા જોઇ કાર લૂંટી લીધી હતી. એરગન ઓનલાઇન મંગાવી હતી તે પણ ઘરેથી સાથે લઇ આવ્યો હતો, જે વૃદ્ધને બતાવીને ધક્કો મારી કાર લઈ ભાગી છૂટ્યો હતો. આ પછી હોટલથી પ્રેમિકા સાથે કારમાં કાનપુર જવા નીખલ્યો હતો. કશ્યપ ઘરેથી જે 2.36 લાખ રૂપિયા લઈને આવ્યો હતો. જોકે, પ્રેમિકા સાથે ભાગવામાં સફળ થાય તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.
July 22, 2021 at 10:56PM surat
Technosv2018
July 23, 2021
સુરતમાં કોરોના રસી લેવા માટે લોકોની લાઇન જોવા મળી હતી. વહેલી સવારથી જ પોતાના નંબરની રાહ જોતાં લોકો કેન્દ્ર બહાર ઊભા હતા. કેટલાક લોકોને રસી ના મળતા તેઓ રોષે ભરાયા હતા.
July 22, 2021 at 03:07AM surat
Technosv2018
July 22, 2021
સુરતની VNSGUમાં સરકારના માર્ગદર્શનથી 5 આચાર્ય અને 1 અધ્યાપકનું સેનેટ સભ્ય પદ રદ્દ કરાયું છે. આ મામલે વિદ્યાર્થીઓનો મોરચો યુનિવર્સિટીમાં પહોંચ્યો હતો અને જાહેરનામું રદ્દ કરવા માંગ કરાઇ હતી.
July 22, 2021 at 03:03AM surat
Technosv2018
July 22, 2021
સુરતમાં ભાજપના કાર્યકર્તા પર દુષ્કર્મ અને એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. વિશાળ પાટિલ નામના યુવકે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે. અશ્લીલ ફોટા પડી પૈસાની માંગ કરતો હોવાનું પણ સામે આવ્યું છે.
July 22, 2021 at 02:53AM surat
Technosv2018
July 22, 2021
સુરત મનપાની સ્મીમેર હોસ્પિટલના મેડિકલ ઓફિસર કે જેઓ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ બનાવી આપવાના કાંડમાં ઝડપાયા છે. ફાઇનાન્સ સાથે સંકળાયેલા સ્થાનિકને કોર્ટમાં મુદ્દત હતી. કોર્ટમાં ના જવું પડે તે માટે તેને કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ જોઈતો હતો. આ બધાની વચ્ચે સ્થાનિક તબીબ દિપક ગઢીયાના સંપર્કમાં આવ્યા. અને 6 હજારની લાંચ માંગી હતી.
July 21, 2021 at 09:52PM surat
Technosv2018
July 22, 2021
સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સુરતના યુવકનો સંપર્ક થયો હતો. જે બાદ ટ્રાન્સજેન્ડરને સુરત બોલાવીને લૂંટી લેવામાં આવ્યો હતો. ઈજા પામેલી ટ્રાન્સજેન્ડરને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
વડોદરા ખાતે રહેતી ટ્રાન્સજેન્ડર ઉચ્ચ શિક્ષણ મેળવીને આત્મનિર્ભર તરીકે જીવે છે. પેન્ટિંગ વર્ક કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી પરંતુ લોકડાઉનના કારણે આર્થિક સ્થિતિ કથળી હતી અને ચાર મહિનાનું ભાડું પણ ભરી શકી નહોતી. આ દરમિયાન ગે લોકોની એપ થકી તેનો સંપર્ક સુરતના કામરેજમાં રહેતા 18 વર્ષીય યુવક સાથે થયો હતો. બંને વચ્ચે ચેટિંગ સમયે વાતચીત થઈ હતી. જે બાદ આ યુવકે તેને રૂપિયા બે હજારની લાલચ આપીને બોલાવી હતી.
પૈસાની લાલચમાં કામરેજ પહોંચેલી ટ્રાન્સજેન્ડરને યુવક રીક્ષામાં અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં કોઈ બાબતે ઝઘડો થતાં યુવક તથા તેના મિત્રો લાકડા અને પાઇપ વડે તેના પર તૂટી પડ્યા હતા. જે બાદ રોકડ અને 15 હજારની કિંમતનો મોબાઈલ લૂંટીને આ લોકો ભાગી ગયા હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
July 21, 2021 at 09:25PM surat
Technosv2018
July 22, 2021
સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સુરતના યુવકનો સંપર્ક થયો હતો. જે બાદ ટ્રાન્સજેન્ડરને સુરત બોલાવીને લૂંટી લેવામાં આવ્યો હતો. ઈજા પામેલી ટ્રાન્સજેન્ડરને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
વડોદરા ખાતે રહેતી ટ્રાન્સજેન્ડર ઉચ્ચ શિક્ષણ મેળવીને આત્મનિર્ભર તરીકે જીવે છે. પેન્ટિંગ વર્ક કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી પરંતુ લોકડાઉનના કારણે આર્થિક સ્થિતિ કથળી હતી અને ચાર મહિનાનું ભાડું પણ ભરી શકી નહોતી. આ દરમિયાન ગે લોકોની એપ થકી તેનો સંપર્ક સુરતના કામરેજમાં રહેતા 18 વર્ષીય યુવક સાથે થયો હતો. બંને વચ્ચે ચેટિંગ સમયે વાતચીત થઈ હતી. જે બાદ આ યુવકે તેને રૂપિયા બે હજારની લાલચ આપીને બોલાવી હતી.
પૈસાની લાલચમાં કામરેજ પહોંચેલી ટ્રાન્સજેન્ડરને યુવક રીક્ષામાં અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં કોઈ બાબતે ઝઘડો થતાં યુવક તથા તેના મિત્રો લાકડા અને પાઇપ વડે તેના પર તૂટી પડ્યા હતા. જે બાદ રોકડ અને 15 હજારની કિંમતનો મોબાઈલ લૂંટીને આ લોકો ભાગી ગયા હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં એક પણ વ્યક્તિનું ઓક્સિજનની અછતના કારણે મોત ન થયું હોવાનું કહી સીએમ રૂપાણીએ શું કર્યો દાવો ?
જૂનાગઢ: કોરોના સંક્રમણની બીજી લહેર દરમિયાન, દેશના ઘણા ભાગોમાંથી ઓક્સિજનના અભાવને કારણે કોરોના દર્દીના મોતના કેસ નોંધાયા હતા. પરંતુ ગઈકાલે મોદી સરકારે રાજ્યસભામાં કહ્યું કે બીજી લહેર દરમિયાન ઓક્સિજનના અભાવને કારણે કોઈનું મૃત્યુ થયું નથી. જેને લઈ ગુજરાત સહિત દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
જૂનાગઢમાં સીએમ રૂપાણીએ કહ્યું, ગુજરાતમાં એક પણ વ્યક્તિનું ઓક્સિજન કમી ના કારણે મૃત્યુ થયું નથી. કોરોના દરમિયાન સાડા આઠ લાખ લોકોને સારવાર આપવામાં આવી. જેમાંથી સવા આઠ લાખ લોકો સારવાર લઈને પરત ફર્યા. વિપક્ષ પાસે કોઈ મુદ્દા ન હોવાથી આક્ષેપો કરે છે. વિદેશ કરતા ભારતમાં સારી સારવાર મળી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.
રાજકોટમાં જન્માષ્ટમીનો મેળો રદ કરવાની જાહેરાત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, કલેક્ટરે મેળો બંધ રાખવા અંગેનું ગઈકાલે જાહેરનામું બહાર પાડી દીધું છે. કોરોનાને ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. હજુ કોરોના ગયો નથી તેમ માનીને નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્રનો લોકપ્રિય લોકમેળો કોરોના મહામારીના કારણે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ નહી યોજાય. રાજકોટમાં યોજાતા લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે ત્યારે મેળો યોજવો સંભવ નથી. લોકમેળા ઉપરાંત ખાનગી મેળાઓ પણ યોજવા દેવામાં આવશે નહિ.
July 21, 2021 at 05:57AM surat
Technosv2018
July 21, 2021
સુરત(Surat)માં હીરાને ચમક આપનાર રત્નકલાકારો પગાર અને હીરાની મજૂરી વધારવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. રવાણી જેમ્સના રત્ન અંદાજિત 300થી વધુ કલાકારોએ સૂત્રોચ્ચાર કરી મજૂરી વધારવાની માંગ કરી છે.
July 21, 2021 at 05:46AM surat
Technosv2018
July 21, 2021
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં (South Gujarat University) સેનેટ સભ્ય (Senate election) માટે મંગળવારે ચૂંટણી યોજાઇ હતી. જેમાં શાસક પક્ષે એક અને વિપક્ષે બે ઉમેદવાર ઊભા રાખ્યા હતા. આ ચુંટણીમાં ભાજપના (BJP) હિમાંશુ રાઉલજી (Himanshu Raulji) વિજેતા થયા હતા. 93 મતે હિમાંશુ રાઉલજી વિજયી થયા હતા.
July 20, 2021 at 10:58PM surat
Technosv2018
July 21, 2021
વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ભાજપને મત આપનારને મૂરખ ગણાવ્યા છે. આ નિવેદન અંગે સુરતની જનતાએ પોતાનો મત આપ્યો છે. આ અંગે સુરતના મેયર, કાઉન્સિલર સહિતના લોકોએ કહ્યું કે,ગુજરાતની જનતાને મૂરખ ગણાવનારને ઘરે બેસવાનો વારો છે.
July 20, 2021 at 06:49AM surat
Technosv2018
July 20, 2021
Technosv2018
July 20, 2021
સુરત મહાનગર પાલિકા દેશમાં 1 થી 12 સુધીના વર્ગોને શિક્ષણ આપતી સૌ પ્રથમ મહાનગર પાલિકા બની છે. સ્થાયી સમિતિમાં ઉચ્ચ્તર માધ્યમિક વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. હાલ ધોરણ 11ના સાયન્સ અને કોમર્સના વર્ગો શરૂ કરાયા છે.
July 20, 2021 at 01:25AM surat
Technosv2018
July 20, 2021
સુરત જિલ્લાના કીમમાં વરસેલા વરસાદે બે દાયકાનો રેકોર્ડ તોડ્યો છે. રવિવારે 4 કલાક ખાબકેલા 14 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે 15 વૃક્ષો ધરાશાયી થયા હતા. વિવિધ વિસ્તારોમાં 10 જેટલા વીજ પોલ ધરાશાયી થતાં 15 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો.
July 19, 2021 at 10:06PM surat
Technosv2018
July 20, 2021
સુરત જિલ્લાના કીમમાં રવિવારે વરસેલા વરસાદે બે દાયકાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. રવિવારે રાત્રે વરસેલા ચાર કલાકમાં ખાબકેલા 14 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી. ભારે પવન સાથે વરસેલા વરસાદથી 15 વૃક્ષો ધરાશાયી થયા હતા. તો કામરેજના ભૈરવમાં 25 અને કઠોર ગામમાં 10 વીજપોલ પણ ધરાશાયી થતા 15 કલાક સુધી અંધારપટ છવાયો હતો.
બીજી તરફ દક્ષિણ ગુજરાતના વલસાડમાં પણ પોણા સાત ઈંચ અને નવસારીના ખેરગામ અને વાંસદામાં ત્રણ ઈંચ વરસાદથી 15 ગામના 10 હજારથી વધુ લોકો સંપર્ક વિહોણા થયા હતા. દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે પણ સારો વરસાદ નોંધાયો હતો. રવિવારે દિવસ દરમિયાન વલસાડના ઉમરગામમાં 9.6 ઈંચ વરસાદ વરસ્યો હતો.
રવિવારે રાત્રે સુરત જિલ્લાના કિમમાં મેઘરાજા મન મુકીને વરસ્યા. અને કીમમાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને લીધે કીમ નદીનું જળસ્તર પણ વધી ગયુ હતુ.
રવિવારે સવારે કીમ નદીનું લેવલ ચાર મીટર હતુ. તે સોમવારે સવારે વધીને 6.5 મીટર પર પહોંચી ગયુ હતુ. વરસાદને લીધે કીમના 50 જેટલા ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. વલસાડમાં પણ મેઘરાજાએ બીજા દિવસે ઘોઘમાર વરસાદ વરસ્યો હતો. અને વલસાડના કપરાડમાં પોણા સાત ઈંચ વરસાદ વરસ્યો હતો.
તો ધરમપુરમાં પણ પોણા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને પગલે પાર નદી, દમણગંગા નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતુ. સતત વરસી રહેલા વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરાતા 15 ગામના દસ હજારથી વધુ લોકો સંપર્ક વિહોણા થયા હતા.
વરસાદ આગાહી
રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ પડશે. તો અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. તો સુરત, તાપી જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગના મતે 23 જુલાઈએ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાશે. જેથી 24 જુલાઈથી રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ વધુ જામશે. હવામાન વિભાગે આ સાથે જ પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
July 19, 2021 at 07:08PM surat
Technosv2018
July 20, 2021
સુરત(Surat)ના લસકાણામાંથી એમ્બ્રોડરીની ઓફિસમાં ધમધમતા જુગારધામમાંથી 10 જુગારી ઝડપાયા છે.પોલીસે બાતમીના આધારે લસકાણામાં આવેલી મારુતિનગર ઈન્ડસ્ટ્રીમા ચાલતા જુગારધામ પર રેડ પાડી દસ લોકોને રંગે હાથ ઝડપ્યા હતા.
July 19, 2021 at 09:08AM surat
Technosv2018
July 19, 2021
Technosv2018
July 19, 2021
Technosv2018
July 19, 2021
Technosv2018
July 19, 2021
Surat : 50 મુસાફરો સાથે બસ વરસાદી પાણીમાં ફસાઇ, જુઓ વીડિયો સણિયા ગામમાં ભારે વરસાદના પાણીમાં 50 મુસાફરો ભરેલી બસ ફસાઈ હતી. ટ્રેક્ટરની મદદથી બસને બહાર કઢાતાં લોકોના જીવમાં જીવ આવ્યો હતો. ગામ લોકોએ બસને ટ્રેકટર સાથે દોરડાથી બાંધીને બહાર કાઢી હતી.
પાંચેક ફૂટ પાણીમાં બસ ફસાઈ જતાં લોકોના જીવ તાળવે ચોંટ્યાં હતાં. સુરતમાં રાત્રિ દરમિયાન આઠ ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. જેથી સણિયા-હેમાદ ગામ બેટમાં ફેરવાઈ ગયુ હતું. રસ્તા પર પાંચથી 7 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતાં. જેથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. દરમિયાન સણીયા હેમાદ ગામના રસ્તામાંથી પસાર થતી બસનું એન્જિન પાણીમાં બંધ થઈ ગયું હતું. જેથી બસમાં મુસાફરી કરી રહેલા 50 જેટલા પેસેન્જરના જીવ તાળવે ચોંટી ગયાં હતાં. સણિયા ગામના પૂર્વ સરપંચ સંજય રામાનંદે બસ બહાર કઢાવી હતી.
દક્ષિણ ગુજરાતના કયા ગામમાં 7 ફૂટ પાણી ભરાયા? તસવીરોમાં જુઓ કેવા થયા હાલ?
સુરતઃ ગઈ કાલે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરત શહેર અને જિલ્લામાં વરસાદે ધુંઆધાર બેટિંગ કરી હતી. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવનને માઠી અસર પહોંચી હતી. સનિયા હેમાદ ગામમાં 7 ફૂટ પાણી ભરાયું હતું. દર વર્ષે ગામમાં ખાડીનું પાણી ભરાય છે. કડોદ માંડવી વાલક ગામનું પાણી ગામમાં આવે છે. ઉપરવાસમાં વરસેલા વરસાદની પાણીની આવક ખાડી મારફત સુરત આવે છે. ગયા વર્ષે સનિયા હેમાદ ગામ મહાનગર પાલિકા સમાવેશ થયું હતું.
બારડોલી : 8.08 ઇંચ, કામરેજ : 8.36 ઇંચ, પલસાણા : 8 ઇંચ, મહુવા : 6.48 ઇંચ, ચોર્યાસી : 1.25 ઇંચ, માંડવી : 2.68 ઇંચ, માંગરોળ : 2 ઇંચ, ઓલપાડ : 2.20 ઇંચ, ઉમરપાડા : 4 ઇંચ, સુરત શહેર : 5.84 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઓલપાડના કુડસદ ગામે આદિવાસી ફળિયામાં વરસાદી પાણી ભરાયા હતા. ઘરમાં ગુટણસમા પાણી ભરાયા હતા. રાત્રી સમય દરમિયાન ભારે વરસેલા વરસાદને પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કુડસદની નવપરા કોલોની,હળપતિ વાસના ત્રણ ફળિયામાં ઘુટણસમાં પાણી ભરાયા હતા. ઘરોમાં પાણી ફરી વળતાં ઘર વખરીને નુકશાન પહોંચ્યું હતું. ઘરોમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ સપાટીથી 2.1 કિલોમીટર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા આગામી પાંચ દિવસ ભારે વરસાદ (Rain) વરસી શકે છે. હવામાન વિભાગના મતે પ્રથમ દિવસે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ (Rain) વરસી શકે છે. જ્યારે ભરૂચ, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ ભારે વરસાદ (Rain)ની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જ્યારે વડોદરા, નર્મદા, સુરત, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
July 19, 2021 at 04:41AM surat
Technosv2018
July 19, 2021
Technosv2018
July 19, 2021
સુરતઃ ગઈ કાલે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરત શહેર અને જિલ્લામાં વરસાદે ધુંઆધાર બેટિંગ કરી હતી. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવનને માઠી અસર પહોંચી હતી. સનિયા હેમાદ ગામમાં 7 ફૂટ પાણી ભરાયું હતું. દર વર્ષે ગામમાં ખાડીનું પાણી ભરાય છે. કડોદ માંડવી વાલક ગામનું પાણી ગામમાં આવે છે. ઉપરવાસમાં વરસેલા વરસાદની પાણીની આવક ખાડી મારફત સુરત આવે છે. ગયા વર્ષે સનિયા હેમાદ ગામ મહાનગર પાલિકા સમાવેશ થયું હતું.
બારડોલી : 8.08 ઇંચ, કામરેજ : 8.36 ઇંચ, પલસાણા : 8 ઇંચ, મહુવા : 6.48 ઇંચ, ચોર્યાસી : 1.25 ઇંચ, માંડવી : 2.68 ઇંચ, માંગરોળ : 2 ઇંચ, ઓલપાડ : 2.20 ઇંચ, ઉમરપાડા : 4 ઇંચ, સુરત શહેર : 5.84 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઓલપાડના કુડસદ ગામે આદિવાસી ફળિયામાં વરસાદી પાણી ભરાયા હતા. ઘરમાં ગુટણસમા પાણી ભરાયા હતા. રાત્રી સમય દરમિયાન ભારે વરસેલા વરસાદને પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કુડસદની નવપરા કોલોની,હળપતિ વાસના ત્રણ ફળિયામાં ઘુટણસમાં પાણી ભરાયા હતા. ઘરોમાં પાણી ફરી વળતાં ઘર વખરીને નુકશાન પહોંચ્યું હતું. ઘરોમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ સપાટીથી 2.1 કિલોમીટર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા આગામી પાંચ દિવસ ભારે વરસાદ (Rain) વરસી શકે છે. હવામાન વિભાગના મતે પ્રથમ દિવસે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ (Rain) વરસી શકે છે. જ્યારે ભરૂચ, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ ભારે વરસાદ (Rain)ની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જ્યારે વડોદરા, નર્મદા, સુરત, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
બીજા દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ (Rain)ની આગાહી છે. ત્રીજા દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ (Rain) વરસી શકે છે. આ સિવાય આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં સામાન્યથી હળવો વરસાદ (Rain) વરસી શકે છે.
અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, સિદ્ધપુર, વિસનગર, હારીજ અને સમીમાં પણ સામાન્ય વરસાદ (Rain) વરસી શકે છે. તો 22 જુલાઈથી 25 જુલાઈ વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે.
July 18, 2021 at 11:52PM surat
Technosv2018
July 19, 2021
સુરતમાં મેઘરાજાએ પાલિકાની પોલ ખોલી હતી. વરસાદ હળવો થવા છતાં કતારગામ અને વરાછામાં પાણી ઓસર્યા નથી. આ પ્રકારની સમસ્યાથી લોકોને ક્યારે છુટકારો મળશે તે એક સવાલ છે. માત્ર દોઢ ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
July 18, 2021 at 10:38PM surat
Technosv2018
July 19, 2021
સુરતઃ ગઈ કાલે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરત શહેર અને જિલ્લામાં વરસાદે ધુંઆધાર બેટિંગ કરી હતી. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવનને માઠી અસર પહોંચી હતી. સવારે 6 વાગ્યા સુધીમાં આઠ ઈંચ સુધીનો ધોધમાર વરસાદ વરસ્યો હતો. જોકે, અત્યારે વરસાદે વિરામ લીધો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ
બારડોલી : 8.08 ઇંચ
કામરેજ : 8.36 ઇંચ
પલસાણા : 8 ઇંચ
મહુવા : 6.48 ઇંચ
ચોર્યાસી : 1.25 ઇંચ
માંડવી : 2.68 ઇંચ
માંગરોળ : 2 ઇંચ
ઓલપાડ : 2.20 ઇંચ
ઉમરપાડા : 4 ઇંચ
સુરત શહેર : 5.84 ઇંચ
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઓલપાડના કુડસદ ગામે આદિવાસી ફળિયામાં વરસાદી પાણી ભરાયા હતા. ઘરમાં ગુટણસમા પાણી ભરાયા હતા. રાત્રી સમય દરમિયાન ભારે વરસેલા વરસાદને પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કુડસદની નવપરા કોલોની,હળપતિ વાસના ત્રણ ફળિયામાં ઘુટણસમાં પાણી ભરાયા હતા. ઘરોમાં પાણી ફરી વળતાં ઘર વખરીને નુકશાન પહોંચ્યું હતું. ઘરોમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
દક્ષિણ ગુજરાતમાં રવિવારે ગાજવીજ સાથે વરસેલા દસ ઈંચથી વધુ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે. વલસાડ, સંઘ પ્રદેશ દમણ, નવસારી અને સુરત જિલ્લામાં ઘોઘમાર વરસાદ વરસતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ ઉમરગામમાં 10.4 ઈંચ, દમણમાં 10 ઈંચ અને નવસારીના ગણદેવીમાં 9.5 ઈંચ વરસાદ વરસ્યો હતો.
ધોધમાર વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારો અને ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો પવન સાથે વરસાદ વરસતા કેટલાક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થવાની અને વીજળી ગુલ થવાની પણ ઘટના બની હતી.
વલસાડ જિલ્લામાં રવિવારે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં આભ ફાટ્યું હોય તેમ ઉમરગામમાં આઠ ઈંચ, વાપીમાં છ ઈંચ અને વરસાદમાં ચાર ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ધોધમાર વરસાદ વરસતા તમામ માર્ગો પર પાણી ફરી વળ્યા. દુકાનોના બોર્ડ અને રહેણાંક ઘરોના પતરા ઉડ્યા. એટલુ જ નહી અનેક સ્થળો પર વૃક્ષો પણ ધરાશાયી થયા.
વલસાડનું મોગરાવાડી ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયુ. વાપી શહેરમાં ભારે વરસાદથી ગુંજન વિસ્તાર, ચલા મુખ્ય માર્ગ સહિતના વિસ્તારોમાં ઘુંટણ સમા પાણી ભરાયા હતા. દુકાનો અને ઘરોમાં પણ બે ફુટ સુધીના પાણી ફરી વળ્યા હતા.
ઉમરગામ ટાઉન, સ્ટેશન રોડ, જીઆઈડીસી વિસ્તારોના માર્ગો પર પણ પાણી ભરાયા હતા. સંજાણ ઢેખુ ખાડી પણ ઉભરાઈ હતી. ઉમરગામના નિચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પણ એકથી બે ફુટ પાણી ભરાઈ જતા 50થી વધુ લોકોનું સ્થળાંતર કરવુ પડ્યું હતુ.
ગુજરાતમાં વરસાદ આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ સપાટીથી 2.1 કિલોમીટર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા આગામી પાંચ દિવસ ભારે વરસાદ (Rain) વરસી શકે છે. હવામાન વિભાગના મતે પ્રથમ દિવસે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ (Rain) વરસી શકે છે. જ્યારે ભરૂચ, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ ભારે વરસાદ (Rain)ની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જ્યારે વડોદરા, નર્મદા, સુરત, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
બીજા દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ (Rain)ની આગાહી છે. ત્રીજા દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ (Rain) વરસી શકે છે. આ સિવાય આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં સામાન્યથી હળવો વરસાદ (Rain) વરસી શકે છે.
અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, સિદ્ધપુર, વિસનગર, હારીજ અને સમીમાં પણ સામાન્ય વરસાદ (Rain) વરસી શકે છે. તો 22 જુલાઈથી 25 જુલાઈ વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે.
July 18, 2021 at 10:23PM surat
Technosv2018
July 19, 2021
દક્ષિણ ગુજરાતમાં રવિવારે ગાજવીજ સાથે વરસેલા દસ ઈંચથી વધુ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે. વલસાડ, સંઘ પ્રદેશ દમણ, નવસારી અને સુરત જિલ્લામાં ઘોઘમાર વરસાદ વરસતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ ઉમરગામમાં 10.4 ઈંચ, દમણમાં 10 ઈંચ અને નવસારીના ગણદેવીમાં 9.5 ઈંચ વરસાદ વરસ્યો હતો.
ધોધમાર વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારો અને ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો પવન સાથે વરસાદ વરસતા કેટલાક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થવાની અને વીજળી ગુલ થવાની પણ ઘટના બની હતી.
વલસાડ જિલ્લામાં રવિવારે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં આભ ફાટ્યું હોય તેમ ઉમરગામમાં આઠ ઈંચ, વાપીમાં છ ઈંચ અને વરસાદમાં ચાર ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ધોધમાર વરસાદ વરસતા તમામ માર્ગો પર પાણી ફરી વળ્યા. દુકાનોના બોર્ડ અને રહેણાંક ઘરોના પતરા ઉડ્યા. એટલુ જ નહી અનેક સ્થળો પર વૃક્ષો પણ ધરાશાયી થયા.
વલસાડનું મોગરાવાડી ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયુ. વાપી શહેરમાં ભારે વરસાદથી ગુંજન વિસ્તાર, ચલા મુખ્ય માર્ગ સહિતના વિસ્તારોમાં ઘુંટણ સમા પાણી ભરાયા હતા. દુકાનો અને ઘરોમાં પણ બે ફુટ સુધીના પાણી ફરી વળ્યા હતા.
ઉમરગામ ટાઉન, સ્ટેશન રોડ, જીઆઈડીસી વિસ્તારોના માર્ગો પર પણ પાણી ભરાયા હતા. સંજાણ ઢેખુ ખાડી પણ ઉભરાઈ હતી. ઉમરગામના નિચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પણ એકથી બે ફુટ પાણી ભરાઈ જતા 50થી વધુ લોકોનું સ્થળાંતર કરવુ પડ્યું હતુ.
ગુજરાતમાં વરસાદ આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ સપાટીથી 2.1 કિલોમીટર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા આગામી પાંચ દિવસ ભારે વરસાદ (Rain) વરસી શકે છે. હવામાન વિભાગના મતે પ્રથમ દિવસે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ (Rain) વરસી શકે છે. જ્યારે ભરૂચ, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ ભારે વરસાદ (Rain)ની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જ્યારે વડોદરા, નર્મદા, સુરત, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
બીજા દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ (Rain)ની આગાહી છે. ત્રીજા દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ (Rain) વરસી શકે છે. આ સિવાય આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં સામાન્યથી હળવો વરસાદ (Rain) વરસી શકે છે.
અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, સિદ્ધપુર, વિસનગર, હારીજ અને સમીમાં પણ સામાન્ય વરસાદ (Rain) વરસી શકે છે. તો 22 જુલાઈથી 25 જુલાઈ વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે.
July 18, 2021 at 07:20PM surat
Technosv2018
July 19, 2021
સુરતમાં અઠવા ઝોનના દબાણ વિભાગના કર્મચારીઓ અને ફેરિયાવાળાઓ વચ્ચે ઘર્ષણ થયું છે. સુરત મનપાનું દબાણ વિભાગ અલગ અલગ ઝોનમાં દબાણ દૂર કરવાની કામગીરી કરી રહ્યું છે. મામલો વધુ ઉછળતા સ્થાનિક પોલીસે મામલો થાળે પાડ્યો હતો.
July 18, 2021 at 03:58AM surat
Technosv2018
July 18, 2021
સુરત શહેરમાં (Surat ) પવન સાથે મુશળધાર વરસાદ (rain) પડ્યો હતો. વેસુ, અડાજણ, કતારગામ, ઉધના, પાંડસરા, સચિન રોડ પર ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાંડેસરા, સચિન રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ હતો. મહુવામાં સવારે 8થી 10 વાગ્યા સુધીમાં અઢી ઈંચ વરસાદ ખાબકી જતા ઠેર ઠેર પાણી ભરાયા
July 18, 2021 at 12:16AM surat
Technosv2018
July 18, 2021
સુરતમાં ધોધમાર વરસાદથી ચલથાણથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર પાણી ભરાયા છે. અહીંયા પાણી ભરાતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ સાથે જ સુરતના કડોદરા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે.
July 17, 2021 at 11:58PM surat
Technosv2018
July 18, 2021
સુરતમાં કિડનીના બદલે 4 કરોડ આપવાની લાલચ આપી છેતરપીંડી આચરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ભોગ બનનાર યુવક પાસેથી પહેલા 14 લાખ પડાવ્યા હતા. કિડનીના બદલામાં 4 કરોડની લાલચ આપીને આરબીઆઈના નામે ફેક મેઈલ આઇડી બનાવીને અલગ અલગ ચાર્જ પેટે 14 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. હાલ સુરત શહેર સાઇબર ક્રાઈમ સેલે બેંગ્લોરથી વિદેશી આરોપીને ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ શરુ કરી હતી.
July 17, 2021 at 06:14AM surat
Technosv2018
July 17, 2021
સુરત(Surat)માં લાજપોર જેલમાં એક કેદી(prisoner)નું ટીબી(TB)થી મોત થતા પ્રશાસન દોડતું થયું છે. જેલમાં આવ્યાના 15 મહિનામાં જ આ કેદનું મોત થયું છે. જેલમાં ટીબીના કુલ નવ દર્દીઓ મળી આવ્યા છે. જેલમાં એક્સરે મશીન છે પરંતુ ટેક્નીશિયન નથી.
July 17, 2021 at 03:42AM surat
Technosv2018
July 17, 2021
સુરત(Surat)ના સરથાણા વિસ્તારમાં કેનેડા(Canada) મોકલવાના નામે એક યુવક સાથે બે લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. ગાંધીનગરની હર્ષિદા નામની મહિલાએ યુવકને બે લાખ રૂપિયાનો ચુનો લગાવ્યો છે. પોલીસે મહિલાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Technosv2018
July 17, 2021
Technosv2018
July 17, 2021