Technosv2018
November 30, 2021
સુરત : શહેરમાં ધીરુભાઈ નામના રત્નકલાકારે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મોત પહેલા તેમણે પત્નીને કહ્યું- ચાલ, તારી સાથે છેલ્લી ચા પી લઉં, મેં ઝેરી દવા પીધી છે. આ પછી પતિ પત્નીની નજર સામે જ ઢળી પડ્યા બાદ પતિનું મોત નીપજ્યું હતં. પિતાને બે દીકરા હોસ્પિટલ લઈને પહોંચતાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
મૃતક ધીરુભાઈ બચુભાઈ ઉનાગર (ઉં.વ.45) ભાવનગરના મહુવાના વતની છે. બે ભાઈ અને માતા ભાવનાબેન સાથે રહેતા હતા. ધીરુભાઈ રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. હાલમાં તો પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે.
વલસાડઃ નેશનલ હાઇવેના સુગર ફેકટરી બ્રિજ ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર ઉભેલા ટેમ્પોના પાછળ અજાણ્યું વાહન ભટકાયા બાદ બે લકઝરી બસ ઘુસી ગઈ હતી. બસ ચલાક સહિત 7 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. આ અકસ્માતમાં એક લગ્નની બસ પણ સામેલ છે.
આ અંગેની વિગતો એવી છે કે, નેશનલ હાઇવે નંબર 48 ઉપર આજે વહેલી સવારે સુગર ફેકટરીના બ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. લગ્ન પ્રસંગમાં અમદાવાદથી પરત થઈ રહેલી લકઝરી બસ અને રાજસ્થાનથી પુના મુસાફરો ભરી જતી લકઝરી બસ તેમજ ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લકઝરી ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતને પગલે લકઝરીમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા.
હાઇવે પર બંધ થયેલા એક ટેમ્પો સાથે પુરપાટ ઝડપે આવતું અજાણ્યું વાહન ટેમ્પોની પાછળ ઘુસી જતા બચવા બસે આકસ્મિક બ્રેક મારી હતી જે,ને પગલે પાછળ લગ્ન પ્રસંગ પતાવીને મુંબઈ જઈ રહેલ લકઝરી ચાલકે લકઝરીને બ્રેક મારી હતી. જેને કારણે કાબુ ન રહેતા લકઝરી પાછળથી ટેમ્પો સાથે ભટકાઈ હતી. રાજસ્થાનથી પુના જતી અન્ય લકઝરી બસ પણ ધડાકા ભેર પાછળ અથડાતા લોકોએ ચીસાચીસ કરી મૂકી હતી.
ચાલક અને અન્ય કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા છે .અચાનક બનેલી ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. મુસાફરોને હેમખેમ બહાર કઢાયા હતા.અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિકજામ થઈ ગયો હતો. જોકે, વલસાડ રૂરલ પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરવા ની કામગીરી માં જોડાયો હતો.
November 30, 2021 at 12:33AM surat
Technosv2018
November 30, 2021
વાપીઃ વાપી નગર પાલિકાની મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. વાપી નગર પાલિકામાં કુલ 11 વોર્ડમાંથી 44 બેઠકોમાંથી 37 બેઠકો પર ભાજપે જીત મેળવી છે, જ્યારે 7 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. આ સાથે ફરી એકવાર વાપી પાલિકામાં ભગવો લહેરાયો છે. જોકે, ગત વખત કરતાં ભાજપને આ વખતે 4 બેઠકો ઓછી મળી છે. આમ, ભાજપનું તમામ 44 બેઠકો જીતવાનું સપનું સાકાર થયું નથી, પરંતુ તેમનો વિજય અવશ્ય થયો છે.
ગત ટર્મમાં કોંગ્રેસ પાસે 3 બેઠકો હતો, જે વધીને આ વખતે 7 થઈ છે. વોર્ડ નંબર 5માં ભાજપની પેનલ તૂટી છે. કોંગ્રેસના 3 ઉમેદવારોનો વિજય થયો છે. જ્યારે 367 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. મતગણતરી પહેલા જ વોર્ડ નં 10માંથી કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા ભાજપ ના મહિલા ઉમેદવાર ઇન્દુબેન પટેલ બિનહરીફ જીતી ચુક્યા છે. વોર્ડ નંબર 6માં 4 બેઠકો કોંગ્રેસે જીતી છે.
વાપી નગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં 6 પર સૌની નજર હતી. કારણ કે ગત ચૂંટણી દરમ્યાન ભાજપે 44 માંથી 41 બેઠક મેળવી હતી અને માત્ર વોર્ડ નં 6 માંથી જ કોંગ્રેસે 3 બેઠક જીતી હતી અને ભાજપનું વાપી નગર પાલિકામાં એક હથ્થું શાશન રહ્યું હતું. જોકે, આ વખતે વોર્ડ નંબર 6ની તમામ બેઠકો કોંગ્રેસ જીતી ગયું છે. વાપી પાલિકાના વોર્ડ નંબર 1,2,3,4,7,8,9,10,11 ભાજપની પેનલનો વિજય થયો છે.
November 30, 2021 at 12:23AM surat
Technosv2018
November 30, 2021
Technosv2018
November 30, 2021
Technosv2018
November 30, 2021
વાપીઃ વાપી નગરપાલિકાની મત ગણતરી ચાલી રહી છે. વાપી નગર પાલિકામાં કુલ 11 વોર્ડમાંથી 44 બેઠકોમાંથી 25 બેઠકોનો પરિણામ આવી ગયા છે. આ તમામ બેઠકો ભાજપે જીતી લીધી છે. જોકે, કોંગ્રેસ એક પણ બેઠક હજુ સીધી જીતી શક્યો નથી. મતગણતરી પહેલા જ વોર્ડ નં 10માંથી કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા ભાજપ ના મહિલા ઉમેદવાર ઇન્દુબેન પટેલ બિનહરીફ જીતી ચુક્યા છે.
વાપી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 ,2 ,3, 7,8,9 માં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે. આ સાથે વાપી નગર પાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે. વાપી નગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં 6 પર સૌની નજર રહેશે. કારણ કે ગત ચૂંટણી દરમ્યાન ભાજપે 44 માંથી 41 બેઠક મેળવી હતી અને માત્ર વોર્ડ નં 6 માંથી જ કોંગ્રેસે 3 બેઠક જીતી હતી અને ભાજપનું વાપી નગર પાલિકામાં એક હથ્થું શાશન રહ્યું હતું.
ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ મળીને કુલ 109 ઉમેદવારોનું ભાવિ હાલ ઇવીએમમાં સીલ છે. અહીંના ધારાસભ્ય બાદ નાણાં મંત્રી બનતા એમની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી છે, તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને ભાજપ દ્વારા 44 એ 44 બેઠક જીતવાનો વિશ્વાસ આપ્યો છે , એ કેટલો ખરો ઉતરશે એ ઇવીએમ ખુલ્યા બાદ જ ખબર પડશે.
November 29, 2021 at 10:00PM surat
Technosv2018
November 30, 2021
વલસાડઃ નેશનલ હાઇવેના સુગર ફેકટરી બ્રિજ ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર ઉભેલા ટેમ્પોના પાછળ અજાણ્યું વાહન ભટકાયા બાદ બે લકઝરી બસ ઘુસી ગઈ હતી. બસ ચલાક સહિત 7 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. આ અકસ્માતમાં એક લગ્નની બસ પણ સામેલ છે.
આ અંગેની વિગતો એવી છે કે, નેશનલ હાઇવે નંબર 48 ઉપર આજે વહેલી સવારે સુગર ફેકટરીના બ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. લગ્ન પ્રસંગમાં અમદાવાદથી પરત થઈ રહેલી લકઝરી બસ અને રાજસ્થાનથી પુના મુસાફરો ભરી જતી લકઝરી બસ તેમજ ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લકઝરી ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતને પગલે લકઝરીમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા.
હાઇવે પર બંધ થયેલા એક ટેમ્પો સાથે પુરપાટ ઝડપે આવતું અજાણ્યું વાહન ટેમ્પોની પાછળ ઘુસી જતા બચવા બસે આકસ્મિક બ્રેક મારી હતી જે,ને પગલે પાછળ લગ્ન પ્રસંગ પતાવીને મુંબઈ જઈ રહેલ લકઝરી ચાલકે લકઝરીને બ્રેક મારી હતી. જેને કારણે કાબુ ન રહેતા લકઝરી પાછળથી ટેમ્પો સાથે ભટકાઈ હતી. રાજસ્થાનથી પુના જતી અન્ય લકઝરી બસ પણ ધડાકા ભેર પાછળ અથડાતા લોકોએ ચીસાચીસ કરી મૂકી હતી.
ચાલક અને અન્ય કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા છે .અચાનક બનેલી ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. મુસાફરોને હેમખેમ બહાર કઢાયા હતા.અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિકજામ થઈ ગયો હતો. જોકે, વલસાડ રૂરલ પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરવા ની કામગીરી માં જોડાયો હતો.
November 29, 2021 at 09:36PM surat
Technosv2018
November 30, 2021
Technosv2018
November 30, 2021
Technosv2018
November 30, 2021
Technosv2018
November 29, 2021
કોરોનાના નવા વેરિયંટને લઈને વિશ્વભરમાં દહેશતનો માહોલ છે. ત્યારે કેન્દ્રની સૂચના બાદ સુરતમાં કોર્પોરેશન પણ એલર્ટ થયું છે. છેલ્લા 15 દિવસમાં વિદેશ પ્રવાસ કરીને આવેલા યાત્રીઓની સંખ્યા 351 થઇ છે. હાલ 391 મુસાફરોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. હમણાં વિદેશથી આવેલા યાત્રીઓને હોમ ક્વારન્ટાઇન કરવામાં આવેલા છે.
November 29, 2021 at 05:21AM surat
Technosv2018
November 29, 2021
સુરતઃ મહિલાએ હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાચ મચી ગયો છે. બે પરિચિતને આપેલા 17 લાખ પાછા ન મળતા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રૂપિયાની ઉઘરાણી કરતા મહિલાને રૂપિયા લેનારે ધમકી આપી હતી. માનસિક રીતે ભાંગી જતા મહિલાએ હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
રૂબરૂ મળીને રૂપિયાની માગણી કરે તો ધાક ધમકી આપતા હતા. આર્થિક ભીંસથી ઘર ચલાવવાનું પણ મુશ્કેલ થતા મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો. શહેરના ગાંધી બાગમાં મહિલાએ જાહેરમાં હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટના સ્થળેથી સુસાઇડ નોટ મળી આવતા મહિલાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી.
પીડિત મહિલાએ જણાવ્યું હતું કે ,બાકી નીકળતા લગભગ 17 લાખ રૂપિયાની ઉઘરાણી કરતા પરિચિતો ધમકી આપતાં હતા. કોઈ પણ સહકાર આપી રહ્યું નથી. હવે ઘર ચલાવવું પણ મુશ્કેલ બનતા આપઘાત કરવા મજબૂર બની છું. બે વર્ષ પહેલાં મહિલાએ બચતના બે પરિચિતને આપ્યા હતા. જોકે સમય જતા બન્ને જણાએ ફોન રિસીવ કરવાનું પણ બંધ કરી દીધું હતું. રૂબરૂ મળીને રૂપિયાની માગણી કરું તો ધાક ધમકી આપતા થઈ ગયા હતા.
આપઘાતના પ્રયાસ પહેલા મહિલાએ સુસાઈડ નોટ પણ લખી હતી. મહિલાએ જણાવ્યું હતું કે હું પતિ સાથે છૂટાછેડા લીધા બાદ બહેન અને માતા સાથે રહું છું. આર્થિક ભીંસને લઈ ઘર ચલાવવાનું પણ ભારી પડી રહ્યું છે. કોઈ રસ્તો ન જડતા આજે આવું પગલું ભરવા મજબૂર બની છું.
Dahod : 6 સંતાનોની માતાને પતિના મિત્રના 14 વર્ષના પુત્ર સાથે બંધાયા શરીર સંબંધ, પ્રેમીને લઈને થઈ ગઈ ફરાર ને....
દાહોદઃ ફતેપુરામાં 35 વર્ષીય પરણિતા અને છ સંતાનોની માતા પતિના મિત્રના 14 વર્ષના છોકરા સાથે ભાગી જતાં ખળભળાટ મચી ગયો છે. સગીર સાથે લગ્ન કરવાના ઇરાદે પોતાની સાથે લઇ ગયા બાદ બંને પકડી પાડ્યા હતા. જોકે, પરત લાવતી વખતે સંતરામપુરના બસ સ્ટેન્ડથી ચકમો આપીને તે ફરીથી પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. બંનેનો કોઈ પત્તો ન લાગતા સગીરાને પિતાએ પોલીસમાં અરજી આપી છે.
ફતેપુરાના બે પરિવાર ગાંધીનગરમાં સાથે મજૂરીકામ કરે છે. ત્યારે 6 સંતાનની માતા એવી પરિણીતાને સાથે મજૂરી કરતાં પરિવારના 14 વર્ષીય સગીર સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. પરણીતાને પ્રેમીના ઉંમરાના તો બાળકો છે તેમજ એક દીકરીના તો લગ્ન પણ થઈ ગયા છે. સગીર અને તેનો પરિવાર કોઈ કારણથી વતન આવ્યો હતો. જોકે, પરણીતાએ સગીરને મળવા પહોંચી ગઈ હતી તેમજ તેને સુખસર બોલાવી ગાંધીનર આવવા રવાના થઈ ગઈ હતી.
બીજી તરફ પરણીતાના પતિએ પત્ની સગીર સાથે ભાગી ગઈ હોવાની જાણ કરી હતી. બંને ગાંધીનગરમાં હોવાની જાણ થતાં પાંચ દિવસ પહેલા સગીરનો પરિવાર ત્યાં પહોંચી ગયો હતો અને બંનેને પકડી બસથી ફતેપુરા લાવી રહ્યા હતા. જોકે, પરણીતાએ સંતરામપુરમાં સગીરના પરિવારે વાતમાં ફસાવીને ફરી એકવાર સગીર સાથે ભાગી ગઈ હતી.
તપાસમાં પરણીતા સગીર સાથે પોતાના પિયરમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. પરણીતા સગીરને પોતાની સાથે પતિ તરીકે રાખવા માંગે છે. આ અંગે પોલીસમાં અરજી થતાં તપાસ શરૂ થઈ છે. સગીરના પિતાને ઉંમરના પુરાવા લઈને બોલાવ્યા છે. આ અંગે પુરાવા જોઇને ગુનો દાખલ થશે, તેમ પોલીસે જણાવ્યું હતું.
પિતા દીકરો સગીર હોવાનો દાવો કરી રહ્યો છે, જ્યારે છોકરો પોતે પુખ્ત હોવાનો દાવો કરી રહ્યો છે. જેને કારણે પોલીસ વિમાસણમાં મુકાઈ છે. હવે આજે આ મુદ્દે વધુ ખુલાસો થાય તેવી શક્યતા છે.
November 29, 2021 at 02:42AM surat
Technosv2018
November 29, 2021
Technosv2018
November 29, 2021
સુરતમાં પૂર્વ મેયર નિરવ શાહના પુત્રએ લગ્ન પ્રસંગમાં બબાલ કરી છે. કારનું હોર્ન વગાડતા લગ્નમાં આવેલ યુવાનોએ પૂર્વ મેયરના પુત્ર સાથે બબાલ કરી છે.કારના હોર્ન સતત ચાલુ રાખતા યુવકોએ માર માર્યો હતો.
November 29, 2021 at 12:19AM surat
Technosv2018
November 29, 2021
સુરત : સાઉથ આફ્રિકામાં કોરોનાના નવા વોરિયન્ટને લઈ હાહાકાર મચી ગયો છે. ત્યારે સુરતમાં 50 થી વધુ હીરા ઉદ્યોગકારોએ સાઉથ આફ્રિકા સહિત વિદેશોની ટ્રીપ કેન્સલ કરી દીધી છે. કોરોનાના નવા વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે જેની સીધી અસર હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે.
સુરત કિરણ જેમ્સના આશિષ લાખાણીએ સાઉથ આફ્રિકાની ટ્રીપ કેન્સલ કરી હોવાનું જાણવા મળ્યું છે. રફ અને તૈયાર હીરાના વ્યાપાર અર્થે અમેરિકા, બોટસનવા, સાઉથ આફ્રિકા સાથે સંકળાયેલા છે. વિદેશમાં સતત પ્રવાસ કરતા રહે છે. દર મહિને 7 થી વધુ ટ્રીપ વિદેશોની હોય છે, જેમાં સાઉથ આફ્રિકા પણ સામેલ છે. કોરોનાના નવા વેરિયન્ટના કારણે હીરા ઉદ્યોગકારોએ વિદેશ જવાનું ટાળ્યું છે. સેફટી ફર્સ્ટના સૂત્રને અપનાવી ટ્રીપ કેન્સલ કરી દીધી છે.
દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનની પ્રથમ તસવીર સામે આવી છે, જે દર્શાવે છે કે ઓમિક્રોનમાં કોરોનાના અન્ય પ્રકારો કરતાં વધુ મ્યુટેશન છે. ઈટાલીની રાજધાની રોમની બામ્બિનો ગેસુ હોસ્પિટલે તસવીરના આધારે આ માહિતી આપી છે.
Omicron ના ફોટામાં શું છે?
સંશોધન ટીમે જણાવ્યું હતું કે ચિત્રમાં "આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે ઓમેક્રોન વેરિઅન્ટમાં ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ઘણા વધુ મ્યુટેશન છે. તે પ્રોટીનના પ્રદેશની ટોચ પર કેન્દ્રિત છે, જે માનવ કોષો સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે."
ઓમિક્રોન ઓછો ખતરનાક કે વધુ?
સંશોધકોએ કહ્યું, 'આનો અર્થ એ નથી કે આ ભિન્નતાઓ વધુ ખતરનાક છે, વાયરસે માત્ર અન્ય પ્રકારનું ઉત્પાદન કરીને માનવ જાતિને વધુ મૈત્રીપૂર્ણ બનાવી છે.' આ સાથે, તેમણે કહ્યું, 'અન્ય અભ્યાસ અમને જણાવશે કે તે ઓછો જોખમી છે કે વધુ.'
શું ઓમિક્રોન ડેલ્ટા કરતા વધુ ખતરનાક છે?
WHOએ કહ્યું, 'પ્રારંભિક પુરાવા સૂચવે છે કે જે લોકો પહેલા સંક્રમિત થયા છે તેમને Omicron વેરિયન્ટ્સથી ફરીથી કોરોના થવાનું જોખમ વધારે છે. તે આવા લોકોને સરળતાથી સંક્રમિત કરી શકે છે. WHOએ કહ્યું, 'તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે શું 'Omicron' ડેલ્ટા અને અન્ય કોરોના વેરિઅન્ટ્સ કરતાં વધુ સંક્રમિત (વ્યક્તિથી વ્યક્તિમાં વધુ સરળતાથી ફેલાય છે) છે કે નહીં. અત્યારે તેને RT-PCR ટેસ્ટ દ્વારા શોધી શકાય છે.
ઓમિક્રોન સામેની રસી કામ કરશે કે નહીં?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું, 'કોરોના રસી પર આ પ્રકારની સંભવિત અસરને સમજવા માટે WHO ટેકનિકલ ભાગીદારો સાથે કામ કરી રહ્યું છે.' તેમણે કહ્યું, 'ઓમિક્રોન વધુ ગંભીર રોગનું કારણ બને છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. હાલમાં એવી કોઈ માહિતી નથી કે ઓમિક્રોનના લક્ષણો અન્ય પ્રકારોથી અલગ છે.'
ઓમિક્રોનને સમજવામાં સમય લાગશે
WHOએ કહ્યું, 'પ્રારંભિક ડેટા સૂચવે છે કે દક્ષિણ આફ્રિકામાં હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં વધારો થયો છે પરંતુ આ ખાસ કરીને 'ઓમિક્રોન' ના કારણે નહીં પરંતુ સંક્રમિત લોકોની કુલ સંખ્યામાં વધારો થવાને કારણે વધી શકે છે.' સંસ્થાએ કહ્યું, 'ઓમિક્રોન વેરિઅન્ટ્સની ગંભીરતાના સ્તરને સમજવામાં ઘણા દિવસોથી લઈને કેટલાંક અઠવાડિયાનો સમય લાગશે.'
પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો
જણાવી દઈએ કે ઓમિક્રોન વેરિઅન્ટના પહેલા કેસની પુષ્ટિ 24 નવેમ્બરે થઈ હતી. આ વાયરસના પ્રથમ દર્દીની ઓળખ દક્ષિણ આફ્રિકામાં થઈ હતી. ઘણા દેશો ઓમિક્રોનના ફેલાવાને રોકવા માટે શક્ય તેટલું બધું કરી રહ્યા છે. આ ક્રમમાં, દક્ષિણ આફ્રિકાના દેશોની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
November 28, 2021 at 10:39PM surat
Technosv2018
November 29, 2021
નવસારીઃ ખેરગામમાં ૧૪ વર્ષીય સગીરા સાથે હિન્દુ નામ જણાવી યુવકે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. વિધર્મીએ હિન્દૂ નામ જણાવી સગીરાને વિશ્વાસમાં લઈ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને સાચું નામ ખબર પડતાં પ્રેમસંબંધ રાખવાની ના પાડતા યુવક દ્વારા ચપ્પૂ બતાવી પણ દુષ્કર્મ આચરાયું હતું. સગીરાના પિતાએ ખેરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ખેરગામ પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતઃ બારડોલીમાં યુવતીને અજાણ્યા યુવક સાથે સંબંધ બાંધવા ભારે પડી ગયા છે. યુવકે પોતાનું નામ રાહુલ હોવાનું કહીને સગીરાની સાથે સંબંધ બાંધ્યા હતા. બંને વચ્ચે શરીરસંબંધ પણ બંધાયા હતા. જોકે, સગીરાને યુવકનું સાચું નામ ખબર પડતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોતાની સાથે દગ્ગો થયો હોવાનું જણાતા તે પોલીસ સ્ટેશન પહોંચી છે.
બારડોલીમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી શરીર સબંધ બાંધનાર યુવાન વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. વિધર્મી યુવાને પોતાનું નામ રાહુલ કહી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. સગીરાને હકીકત માલુમ પડતા પોલીસ મથક પહોંચી ફરિયાદ અરજી આપી હતી. બારડોલી પોલીસે સોહિલ શેખ નામના યુવાન વિરુદ્ધ પોકસો એકટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ યુવાન પોલીસ પકડમાં છે.
વડોદરાઃ છાણીની 27 વર્ષીય યુવતીએ મહીસાગરમાં પડતું મૂકીને આપઘાત કરી લેતાં પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. યુવતીએ પ્રેમલગ્ન કરેલા છે અને આ લગ્ન થકી તેને બે સંતાન પણ છે. જોકે, પતિની આવક ન હોવાથી ઘરખર્ચનો ભાર વેઠવો પડતો હતો. ફ્લેટના હપ્તા ભરવામાં આખો પગાર ખર્ચાઈ જતો. આ સાથે પતિના ત્રાસથી પત્ની કંટાળી ગઈ હોવાથી તેણે આત્મહત્યા કરી લીધી હતી.
હેલ્થ કેર કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતી ફ્લાવીયા પરમારે વર્ષ-૨૦૧૪માં વિજેન્દ્ર ચીમનભાઇ પરમાર સાથે લવ મેરેજ કર્યા હતા. આ લગ્નથી તેને બે સંતાનો પણ છે. ફ્લાવીયા ગત 5મી ઓક્ટોબરે થોડીવારમાં આવવાનું કહીને એક્ટિવા લઇ નીકળી હતી. જોકે, ઘરે પરત ન ફરતાં પતિએ બીજા દિવસે છાણી પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતાં તે ફાજલપુર બ્રિજ સુધી ગઇ હોવાનું જણાઇ આવ્યું હતું. જ્યાં તપાસ કરતાં બ્રિજ પરથી તેનું એક્ટિવા અને મોબાઇલ મળ્યા હતા.
આ પછી ગત 10મી ઓક્ટોબરે આણંદ પોલીસને ખંભાતના દરિયા પાસેથી પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો હતો. દીકરીએ આત્મહત્યા કરી લેતા પિતાએ પોલીસને અરજી આપી હતી અને પતિ સામે ફરિયાદ કરી હતી. પરિણીતા ગૂમ થઇ ત્યારે તેણે તેના પતિને કહ્યું હતું કે તારી સાથે લગ્ન કરીને મારી જિંદગી ખરાબ થઇ ગઇ છે. આ અંગે પતિ પત્નીને ફ્રેન્ડને વાત કરી હતી.
યુવતીએ ફ્લેટ લીધો હોવાથી તેના લોનના હપ્તામાં પગારનો મોટોભાગ કપાતો હતો. જેથી તે આર્થિક ભીંસ અનુભવતી હતી. પતિ તેની સાથે વારંવાર ઝઘડો કરતો હોવાથી તેણે કંટાળીને પગલું ભર્યું હતું.
November 28, 2021 at 08:59PM surat
Technosv2018
November 29, 2021
સુરતઃ મૂળ બિહારના પતિ પત્નીની કોહવાયેલી લાશો મળવા મુદ્દે ચોંકાવનારી વિગતો સામે આવી છે.બે મહીના પહેલા બિહારથી સુરત રહેવા આવ્યા હતા. બિહારમાં પ્રેમ લગ્ન કરી દંપતી સુરત રહેવા આવ્યું હતું. ડિકમ્પોઝ હાલતમાં દંપતીની લાશ મળી આવી હતી. આત્મહત્યાનું કારણ શોધવા પોલીસે તપાસ હાથ ધરી હતી.
પાંડેસરા જય અંબે નગર વિસ્તારની આ ઘટના છે. બંધ ઘરમાં કોહવાયેલી હાલતમાં પતિ પત્નીની લાશો મળી હતી. રણજિત શાહ અને સુશીલાબેન શાહની લાશ મળી હતી. પત્ની મૃત હાલતમાં નીચે પડી હતી, જ્યારે પતિ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. 2 થી 3 દિવસ અગાઉની લાશ હોવાનું અનુમાન છે.
દુર્ગંધ મારતા સ્થાનિકોએ પોલીસ ને જાણ કરી હતી. પોલીસે દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ભાડાના ઘરમાં રહેતા હતા દંપતી. 3 મહિના પહેલા જ વતનથી સુરત આવ્યા હતા. પોલીસે ફોરેન્સિક PM માટે લાસ સિવિલમાં મોકલી છે. આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હોવાની ચર્ચા છે.
ઉત્તરપ્રદેશના ગૌંડામાં પોલીસે 8 વર્ષની માસૂમ બાળકની હત્યા કેસમાં મોટો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે તેના પિતરાઈ ભાઈની ધરપકડ કરી છે. પોલીસ મુજબ આરોપીએ 23 નવેમ્બરે પિતરાઈ ભાઈની હત્યા કરીને શબને ખેતરમાં ફેંકી દીધું હતું. મળતી વિગત પ્રમાણે, બાળકે પિતરાઈ ભાઈને પ્રેમિકા સાથે શરીર સુખ માણતાં જોઈ લીધા હતા. તે આ વાત કોઈને ન કરે તેથી તેની હત્યા કરી નાંખી હતી.
ક્યાંની છે ઘટના
ગોંડા જિલ્લાના પરસુપર પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતાં પંડિતપુરવા વિસ્તારનો આ મામલો છે. અહીંયા 8 વર્ષીય બાળકે તેના પિતરાઈ ભાઇને તેની પ્રેમિકા સાથે શરીર સુખ માણતાં જોઈ લીધો હતો. જે બાદ તેણે બાળકને ઘરે બોલાવીને ગળું દબાવી હત્યા કરી નાંખી હતી અને શબને શેરડીના ખેતરમાં ફેંકી દીધું હતું.
આરોપીએ હત્યા બાદ બોડી બેડમાં છુપાવી
પોલીસના કહેવા મુજબ, આરોપીએ બાળકને પહેલા તેની પાસે બોલાવ્યો અને ટોફી તથા નમકીન આપીને ફોસલાવીને તેને પોતાની બાજુમાં જ સુવરાવી દીધો. રાતે જ્યારે સન્નાટો છવાઈ ગયો ત્યારે તેણે ગળું દબાવીને હત્યા કરી નાંખી અને શબને બેડના ખાનામાં છૂપાવી દીધો. જે બાદ સવારે કોઈને ખબર ન પડે તેમ શબ શેરડીના ખેતરમાં ફેંકી દીધું,
આરોપીએ શું કરી કબૂલાત
પોલીસે જ્યારે બનાવની તપાસ શરૂ કરી ત્યારે તેમાં દુર્ગેશનું નામ આવ્યું. જેની પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો. તેણે કહ્યું કે, ઘરની પાછળ પ્રેમિકા સાથે આપત્તિજનક સ્થિતિમાં તે જોઈ ગયો હતો. તે આ વાત કોઈને જણાવી ન દે તેવો ડર લાગતાં રાત્રે ઘરે બોલાવીને ગળું દબાવી હત્યા કરી નાંખી.
November 28, 2021 at 08:02PM surat
Technosv2018
November 29, 2021
સુરતઃ કોરોનાના નવા વેરિએંટ ઓમિક્રોનને લઈને વિશ્વભરમાં દહેશતનો માહોલ છે. ત્યારે કેંદ્રની સૂચના બાદ સુરત મહાનગર પાલિકા પ્રશાસન પણ એલર્ટ થયું છે. છેલ્લા 15 દિવસમાં યુકે સહિત 13 દેશોમાંથી સુરતમાં આવેલા યાત્રીઓની સંખ્યા વધીને 351 થઈ ગઈ છે. જેમાંથી જ્યા નવા વેરિએંટના વધુ કેસ છે તેવા નવ પ્રવાસીઓ દક્ષિણ આફ્રિકાથી આવ્યા છે. સુરત મહાનગર પાલિકાની ટીમે આ તમામને હોમ ક્વોરંટાઈન કર્યા છે. એટલુ જ નહી જેમાંથી 78 લોકોના આરટી પીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.જેમનો રિપોર્ટ હજુ આપવવાનો બાકી છે.
અન્ય મુસાફરોના આરટી પીસીઆર ટેસ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. જો રિપોર્ટ પોઝિટીવ આવશે તો સેમ્પલના જિનોમ સિક્વસિંગ કરવામાં આવશે. રવિવારે સુરત એયરપોર્ટ પર 391 મુસાફરોના આરટીપીસીઆર થયા હતા. આ પૈકી 298ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 93ના રિપોર્ટ પેન્ડિંગ છે. એટલુ જ નહી કેંદ્રની સૂચના બાદ સુરત મનપાએ વિદેશ કે અન્ય રાજ્યમાંથી આવ્યા હોઈ થવા કોરોના પોઝિટીવ હોઈ તેમના સંપર્કમાં આવેલા લોકોને સેલ્ફ રિપોર્ટિંગ ફોર્મ ભરવા અપીલ કરી છે.
દુનિયાભરમાં ઓમિક્રોનનો ડર
દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા વેરિએંટ ઓમિક્રોન યુરોપના અનેક દેશોમાં ફેલાઈ ગયો છે. દુનિયાભરની સરકારો આ વેરિએંટને નિયંત્રિત કરવા માટે આકરા પગલા ઉઠાવવા મજબુર બની છે. ઓમિક્રોનના ભયથી ન્યૂયોર્કમાં ઈમરજંસી જાહેર કરાઈ છે. વધુમાં વૈજ્ઞાનિકોએ ઓમિક્રોનને અત્યંત ચિંતાજનક વેરિએંટ ગણાવ્યો છે અને તેનાથી મહામારી 2.0 વધવાનું જોખમ હોવાનું કહેવામાં આવ્યું છે. નિષ્ણાંતોની ચેતવણી પછી ન્યૂયોર્કમાં ઈમરજંસી જાહેર કરાઈ છે. બ્રિટનમાં શનિવારે ઓમિક્રોનના બે કેસ સામે આવ્યા બાદ દેશભરમાં માસ્ક પહેરવાનું ફરજીયાત કરાયું છે. તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમન સંબંધિત નિયમો આકરા બનાવી દેવામાં આવ્યા છે. વધુમાં બ્રિટનમાં આવનારા વિદેશી પ્રવાસીઓ માટે આરટી પીસીઆર ટેસ્ટ અને રિપોર્ટ આવે ત્યાં સુધી આઈસોલેશનમાં રહેવાનું ફરજીયાત કરાયું છે. આ ઉપરાંત બ્રિટન બુસ્ટર ડોઝ માટે પણ અભિયાન શરૂ કરી રહ્યું છે.
બ્રિટન પછી જર્મની અને ઈટલીમાં પણ ઓમિક્રોનના કેસ નોંધાયા હોવાની પુષ્ટી થઈ છે. યુરોપમાં બ્રિટન પછી જર્મની અને ઈટલીમાં પણ ઓમિક્રોનના કેસ નોંધાયા છે. આફ્રિકન દેશો મોઝામ્બિકથી ઈટલી પરત ફરેલ એક વ્યક્તિ ઓમિક્રોનની ઝપેટમાં આવ્યા હોવાની માહિતી મળી છે. જર્મનીના મ્યુનિકના મેક્સ વોન પેટ્ટેનકોફર ઈંસ્ટિટ્યુટે પણ 24 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા બે પ્રવાસીઓ ઓમિક્રોન વાયરસથી સંક્રમિત થયા હોવાની પુષ્ટી કરી છે. નેધરલેંડ સ્વાસ્થ્ય વિભાગે 13 લોકો ઓમિક્રોન વેરિએંટથી સંક્રમિત થયા હોવાની પુષ્ટી કરી છે. દક્ષિણ આફિર્કાથી બે વિમાનમાં આવેલા પ્રવાસીઓને એમ્સ્ટર્ડેમમાં આઈસોલેશનમાં રખાયા છે. ઓસ્ટ્રેલિયામાં પણ બે દર્દીઓ ઓમિક્રોનની ઝપેટમાં આવ્યા છે. દુનિયાભરમાં ઓમિક્રોનને લઈને અનેક દેશોમાં લોકડાઉન સંબંધિત પ્રતિબંધો લાગુ કરવામાં આવે તેવી આશંકા ફેલાઈ છે.
November 28, 2021 at 07:52PM surat
Technosv2018
November 29, 2021
Technosv2018
November 29, 2021
દેશમાં જોવા મળેલા કોરોનાના નવા વેરિયન્ટથી ફફડાટ જોવા મળી રહ્યો છે. એવામાં સુરતમાં 119 લોકો વિદેશથી પ્રવેશ્યા છે. જેમાં પાંચ દિવસમાં ઓસ્ટ્રેલિયા, યુકે, યુએસથી સુરતમાં આવ્યા છે. આ તમામના ટેસ્ટ કરવામાં આવશે.
November 27, 2021 at 11:13PM surat
Technosv2018
November 28, 2021
Technosv2018
November 28, 2021
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી કાપડના મિલમાં ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગની 14 ગાડીઓ આવી ઘટના સ્થળે. 2 કિલોમીટર સુધી દેખાયા ધુમાડાના ગોટા. મિલમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે કઢાયા બહાર. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ધમકી આપનાર બટુક મોરારીની અટકાયત બાદ તેની પોલીસે પુછપરછ હાથ ધરી છે. દેશભરમાં આજથી તબીબોની હડતાળ. ઓપીડી રહેશે બંધ. દર્દીઓને હાલાકિ.
November 27, 2021 at 01:39AM surat
Technosv2018
November 27, 2021
સુરતમાં ગુંડાગર્દીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ડિંડોલી વિસ્તારમાં એક શખ્સ ચાકુ બતાવીને લોકોને ધમકાવી રહયાનો વિડિઓ વાયરલ થયો છે. ડિંડોલી વિસ્તારમાં જયારે વાલીઓ પોતાના બાળકો માટે શાળાના બસની રાહ જોઈ રહયા હતા. ત્યારે આ શખ્સ પુરપાટે બાઈક લઈને અહીંથી પસાર થયો હતો. વાલીઓએ તેને બાઈક ધીમું કરવાનું કહેતા સમાધાન પાટીલ નામના વ્યક્તિએ દાદાગીરી શરુ કરી હતી.
November 26, 2021 at 11:22PM surat
Technosv2018
November 27, 2021
વલસાડઃ કપરાડામાં ખેતરમાંથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવવાના કેસમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. યુવકની હત્યા પ્રેમપ્રકરણમાં થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હત્યા બીજા કોઈ નહીં, પરંતુ પત્નીએ જ પ્રેમી સાથે મળીને કરી છે. મૃતક શંકર ચૌધરીના હત્યારાને પોલીસે ઝડપી લીધા છે. પ્રેમી અને પત્નીએ માથામાં હથોડા મારી પતિ શંકરની હત્યા કરવામાં આવી હતી. વલસાડ પોલીસે ગણતરીના સમયમાં પત્ની સંગીતા અને પ્રેમી અસફાક ઉર્ફે શાહીલની ધરપકડ કરી લીધી છે.
ગત 24મી નવેમ્બેરે કપરાડાના ચાવશાળા ગામે ખેતરમાંથી શંકર ચૌધરીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પત્નીને વાપીના યુવાન સાથે આડાસંબંધ હોય અને જેમાં આડખીલી બની રહેલા પતિને પ્રેમીએ મોતને ઘાટ ઉતારી તેની લાશ ખેતરમાં ફેંકી દઇ ફરાર થઇ ગયો હતો. આરોપી હત્યા પછી વતન યુપી ભાગી છૂટ્યો હતો, જેને પોલીસે ત્યાંથી દબોચી લીધો છે.
પોલીસ શંકર કાશીરામ ચૌધરીની હત્યા કેસમાં તપાસ કરતાં પત્ની સંગીતાના આડાસંબંધની વાત બહાર આવી હતી. સંગીતાને વાપી ભડકમોરાના રહીશ અસ્ફાક ઉર્ફ સાહિલ શાહ સાથે આડા સંબંધો હતા. પત્નીએ પ્રેમસંબંધમાં આડખીલી બનતા પતિની હત્યાનું કાવતરું પ્રેમી સાથે મળીને ઘડ્યું હતું. જે પ્રમાણે રાત્રે પતિ સૂઇ ગયા બાદ આરોપી અસ્ફાક ઉર્ફે સાહિલે હથોડાના ઘા મારી હત્યા કરી નાંખી હતી. આ પછી પ્રેમિકાની મદદથી તેની લાશને સગેવગે કરવા થોડે દૂર આવેલા એક ખેતરમાં મૂકી આવ્યા હતા.
સુરતઃ ચોક બજાર વિસ્તારની 15 વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપી યુવકે પરાણે શારીરિક સંબંધ બાંધતા પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે ફરિયાદને આધારે આરોપીને ઝડપીને જેલ હવાલે કરી દીધો છે. યુવકે સગીરાનું અપહરણ કરી ચાલુ લક્ઝરી બસમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા.
આરોપી સલમાને કિશોરીને અપહરણ કરી નવસારી, મુંબઈ, અમદાવાદ અને મધ્યપ્રદેશ લઈ ગયો હતો. ચોક બજાર પોલીસે નરાધમ આરોપી સલમાનની દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ધરપકડ કરી છે. કિશોરીનું પ્રેમીએ અપહરણ કરીને મધ્યપ્રદેશ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે.
પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, 15 વર્ષીય સગીરાને 2 મહિના પહેલા આરોપી સલમાનખાન પઠાણ(20 વર્ષ) (રહે,ચોકબજાર) પ્રેમમાં ફસાવી તેનું અપહરણ કરીને નાસી ગયો હતો. આ અંગે ખબર પડતાં પરિવારે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગુનામાં તપાસ હાથ ધરી ભીંડથી સલમાન ખાનની ધરપકડ કરીને સગીરાનો કબજો લીધો હતો. તપાસમાં સગીરા સાથે દુષ્કર્મ થયાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે દુષ્કર્મની પણ ફરિયાદ નોંધી હતી.
November 26, 2021 at 09:41PM surat
Technosv2018
November 27, 2021
સુરતઃ ચોક બજાર વિસ્તારની 15 વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપી યુવકે પરાણે શારીરિક સંબંધ બાંધતા પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે ફરિયાદને આધારે આરોપીને ઝડપીને જેલ હવાલે કરી દીધો છે. યુવકે સગીરાનું અપહરણ કરી ચાલુ લક્ઝરી બસમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા.
આરોપી સલમાને કિશોરીને અપહરણ કરી નવસારી, મુંબઈ, અમદાવાદ અને મધ્યપ્રદેશ લઈ ગયો હતો. ચોક બજાર પોલીસે નરાધમ આરોપી સલમાનની દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ધરપકડ કરી છે. કિશોરીનું પ્રેમીએ અપહરણ કરીને મધ્યપ્રદેશ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે.
પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, 15 વર્ષીય સગીરાને 2 મહિના પહેલા આરોપી સલમાનખાન પઠાણ(20 વર્ષ) (રહે,ચોકબજાર) પ્રેમમાં ફસાવી તેનું અપહરણ કરીને નાસી ગયો હતો. આ અંગે ખબર પડતાં પરિવારે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગુનામાં તપાસ હાથ ધરી ભીંડથી સલમાન ખાનની ધરપકડ કરીને સગીરાનો કબજો લીધો હતો. તપાસમાં સગીરા સાથે દુષ્કર્મ થયાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે દુષ્કર્મની પણ ફરિયાદ નોંધી હતી.
ગોધરાઃ સાપ્તાહિક અખબારના તંત્રી સાથે ગોધરામાં લિવ-ઈન રિલેશનમાં રહેતી યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. બામરોલી રોડના નિત્યમ શાળાની પાછળ આવેલા મકાનમાં સોનલબેને આપઘાત કરી લીધો છે. પતિના અવાર નવાર માનસિક ત્રાસને કારણે મહિલાએ આપઘાત કર્યાનો પરિજનોએ આરોપ લગાવ્યો છે. એ ડિવિઝન પોલીસે મહિલાનો મૃતદેહ ગોધરા સિવિલ હો. માં પેનલ પી એમ કરાવી મરણ જનારના પતિ ભરત પ્રણામી સામે ફરિયાદ નોંધી FSLની મદદ લઇ તપાસ હાથ ધરી છે.
ગોધરામાં સાપ્તાહિક અખબારના તંત્રી ભરતભાઇ મંગળભાઇ પ્રણામીએ સોનલબેન સાથે મૈત્રી કરાર કર્યા હતા. તેમજ આ પછી સોનલબેન ફૂલહાર કરી લેતા પત્ની તરીકે રહેતી હતી. દોઢેક વર્ષથી બંને બામરોલી રોડ નિત્યમ સ્કૂલની પાછળ સોનલબેને વેચાતા લીધેલા મકાનમાં રહેતાં હતાં. જોકે, ભરતભાઈ સોનલબેનને મકાન આપી દેવાનું અને તેમને બીજા લગ્ન કરવા છે તેમ કહી પરેશાન કરતાં હતા. આથી સોનલબેને સૂસાઇડ નોટ લખી આપઘાત કરી લીધી છે.
સોનલબેને લખેલી સૂસાઇડ નોમાં 5થી 7 લોકોનાં નામોનો ઉલ્લેખ છે. આ સૂસાઇડ નોટ પોલીસને મળી આવી છે. જેમાં પતિ અને અન્ય વ્યક્તિઓ શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. ભરતને અન્ય એક યુવતી સાથે પ્રેમ થયો હોવાથી અવારનવાર ઘરમાં ઝઘડા કરતો હોવાનું તેની પત્નીનાં પરિવારજનોએ જણાવ્યું હતું.
November 26, 2021 at 08:41PM surat
Technosv2018
November 27, 2021
Technosv2018
November 26, 2021
રાજ્યમાં ત્રીજી ડિસેમ્બરથી LRD અને પીએસઆઈની ભરતી માટે શારિરીક કસોટી યોજાવા જઈ રહી છે. જેને લઈને ઉમેદવારો જોરશોરોથી તૈયારી કરી રહ્યા છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો છે.
November 26, 2021 at 04:00AM surat
Technosv2018
November 26, 2021
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બંધારણ દિવસની ઉજવણી કરી છે. સુરત ભાજપ અનુસૂચિત મોરચા તરફથી બંધારણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ગૃહરાજ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું.
November 26, 2021 at 02:17AM surat
Technosv2018
November 26, 2021
સુરતમાં કોરોના વેક્સિનને વેગ આપવા માટે સુરત પાલિકાએ નવી સ્કીમ અપનાવી છે. કોવિડ વેક્સિનનો બીજો ડોઝ લેનારને પાલિકા 1 લીટર ખાદ્ય તેલ ફ્રી આપશે. લીંબાયત અને ઉદ્યના વિસ્તારમાં આ સ્કીમ લાગુ કરાઈ છે.
November 26, 2021 at 01:22AM surat
Technosv2018
November 26, 2021
સુરતમાં નિઃસંતાન દંપતી માટે ડો.પૂર્ણિમા નાડકર્ણીની યાદમાં ડો.પૂર્ણિમા નાડકર્ણી મેમોરિયલ ફંડ લોન્ચ કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ ફંડ લોન્ચ કરાયું હતું. સાયન્સ સેન્ટર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.
November 26, 2021 at 12:13AM surat
Technosv2018
November 26, 2021
સુરતની સુમુલ ડેરી અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ઓફ ગુજરાત તરફથી મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવી હતી. મિલ્ક ડેની ઉજવણી અંતર્ગત સુમુલ ડેરીથી બાઈક રેલી યોજાઈ હતી. આ રેલીમાં 200થી વધુ પશુપાલકો જોડાયા હતા. ડૉ. વર્ગીસ કુરિયરની 100મી જન્મ જયંતિ નિમિત્તે મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવી રહી છે.
November 25, 2021 at 10:32PM surat
Technosv2018
November 26, 2021
સુરતઃ સુરતમાં વેક્સિન લેનારને ખાવાનું તેલ ફ્રી આપવામાં આવ્યું. સુરત શહેર મેયર હેમાલી બોઘાવાલાએ વેકસીન લેનારને તેલ આપ્યું હતું. રસીનો બીજો ડોઝ મુકાવા આવેલા લોકોને મેયરના હસ્તે તેલ વિતરણ કરાયું. મેયર હેમાલી બોગાવાલાએ લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. લોકોને પ્રોત્સાહન પૂરું પાડવા મેયરે ખાદ્યતેલ વિતરણ કર્યું.
સુરત પાલિકાની રસીકરણને પ્રોત્સાહન આપવા અનોખી સ્કીમ. આજે તમામ સેન્ટર ઉપર બીજો ડોઝ લેનારને એક લિટર તેલ અપાયું. વેક્સિનનો બીજો ડોઝ લેવામાં ઉદાસીનતા દેખાતા પાલિકાએ નવો માર્ગ અપનાવ્યો છે. છ લાખ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ ન લીધો હોવાથી સ્કીમ શરૂ કરાઈ.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 31 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 32 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,920 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 5,16,054 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 10, વડોદરા કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશન 3, જામનગર 2, કચ્છ 2, નવસારી 2, વડોદરા 2, ભરુચ 1, ગીર સોમનાથ 1, પોરબંદર 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 કોરોનાનો કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 315 કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 309 નાગરિકો સ્ટેબલ છે. 8,16,920 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10092 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.
બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 10 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1655 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 13296 નાગરિકોને રસીનો પ્રથમ અને 126529 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 38712 નાગરિકોને રસીનો પ્રથમ અને 335852 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 5,16,054 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,89,52,203 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.
November 25, 2021 at 10:04PM surat
Technosv2018
November 26, 2021
Technosv2018
November 26, 2021
સુરતમાં યોજાયેલા ભાજપના સ્નેહ મિલનના કાર્યક્રમ વિરુદ્ધ કોંગ્રેસે ફરિયાદ કરી છે. કોંગ્રેસ જિલ્લા સમિતિ કલેક્ટર કચેરીએ ફરિયાદ કરવા માટે પહોંચી હતી. કોરોનામાં યોજાયેલા કાર્યક્રમને લઈને ફરિયાદ કરવામાં આવી છે.
November 25, 2021 at 09:11AM surat
Technosv2018
November 25, 2021
સુરતના ડુમ્મસ અને ભીમપોર વિસ્તારમાં જર્જરીત પાણીની ટાંકીને તોડી પાડવામાં આવી છે. અહીંયા કુલ નવ પાણીની ટાંકીઓ જર્જરિત હાલતમાં છે. આ ટાંકાના કારણે જીવનું જોખમ રહેલું છે.
November 25, 2021 at 04:13AM surat
Technosv2018
November 25, 2021
દર વર્ષે કરોડોની છેતરપિંડીનો ભોગ બનતા ટેક્સટાઈલ વેપારીઓએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજી છે. જેમાં તેમણે આવા બનાવોની તપાસ માટે સ્પેશ્યિલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવાની માંગ કરી છે.
November 25, 2021 at 02:42AM surat
Technosv2018
November 25, 2021
સુરતમાં ભાજપનું ભવ્ય સ્નેહ મિલન યોજાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહયા હતા. સાથે જ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. આ ભવ્ય સ્નેહ મિલનમાં મોટી સંખ્યમાં લોકો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. તો કેન્દ્રીય ગૃહમંત્રી વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા.
November 25, 2021 at 01:26AM surat
Technosv2018
November 25, 2021
સુરતના ડિંડોલી વિસ્તારમાં મંડપના વેપારીને ચપ્પુના ઘા ઝીંકનાર આરોપીની ધરપકડ છે. ખંડણી માંગવા પર વેપારીએ કેસ કર્યો હતો. જે બાદ પોલીસે કાર્યવાહી કરતા આ આરોપીની ધારપક્ડ કરવામાં આવી છે.
November 24, 2021 at 11:59PM surat
Technosv2018
November 25, 2021
સુરતના વનિતા વિશ્રામ મેદાનમાં ભાજપનું ભવ્ય સ્નેહ મિલન યોજાયું હતું. આ મામલે સુરત કલેક્ટરને ફરિયાદ કરાશે. કોરોના દરમિયાન ભાજપે સ્નેહ મિલન યોજ્યો હતો. જે મામલે શહેર કોંગ્રેસ રોષે ભરાયું છે. આ અંગે શહેર કોંગ્રેસ ફરિયાદ કરશે.
November 24, 2021 at 11:54PM surat
Technosv2018
November 25, 2021
સુરતઃ બારડોલીમાં યુવતીને અજાણ્યા યુવક સાથે સંબંધ બાંધવા ભારે પડી ગયા છે. યુવકે પોતાનું નામ રાહુલ હોવાનું કહીને સગીરાની સાથે સંબંધ બાંધ્યા હતા. બંને વચ્ચે શરીરસંબંધ પણ બંધાયા હતા. જોકે, સગીરાને યુવકનું સાચું નામ ખબર પડતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોતાની સાથે દગ્ગો થયો હોવાનું જણાતા તે પોલીસ સ્ટેશન પહોંચી છે.
બારડોલીમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી શરીર સબંધ બાંધનાર યુવાન વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. વિધર્મી યુવાને પોતાનું નામ રાહુલ કહી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. સગીરાને હકીકત માલુમ પડતા પોલીસ મથક પહોંચી ફરિયાદ અરજી આપી હતી. બારડોલી પોલીસે સોહિલ શેખ નામના યુવાન વિરુદ્ધ પોકસો એકટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ યુવાન પોલીસ પકડમાં છે.
વડોદરાઃ છાણીની 27 વર્ષીય યુવતીએ મહીસાગરમાં પડતું મૂકીને આપઘાત કરી લેતાં પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. યુવતીએ પ્રેમલગ્ન કરેલા છે અને આ લગ્ન થકી તેને બે સંતાન પણ છે. જોકે, પતિની આવક ન હોવાથી ઘરખર્ચનો ભાર વેઠવો પડતો હતો. ફ્લેટના હપ્તા ભરવામાં આખો પગાર ખર્ચાઈ જતો. આ સાથે પતિના ત્રાસથી પત્ની કંટાળી ગઈ હોવાથી તેણે આત્મહત્યા કરી લીધી હતી.
હેલ્થ કેર કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતી ફ્લાવીયા પરમારે વર્ષ-૨૦૧૪માં વિજેન્દ્ર ચીમનભાઇ પરમાર સાથે લવ મેરેજ કર્યા હતા. આ લગ્નથી તેને બે સંતાનો પણ છે. ફ્લાવીયા ગત 5મી ઓક્ટોબરે થોડીવારમાં આવવાનું કહીને એક્ટિવા લઇ નીકળી હતી. જોકે, ઘરે પરત ન ફરતાં પતિએ બીજા દિવસે છાણી પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતાં તે ફાજલપુર બ્રિજ સુધી ગઇ હોવાનું જણાઇ આવ્યું હતું. જ્યાં તપાસ કરતાં બ્રિજ પરથી તેનું એક્ટિવા અને મોબાઇલ મળ્યા હતા.
આ પછી ગત 10મી ઓક્ટોબરે આણંદ પોલીસને ખંભાતના દરિયા પાસેથી પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો હતો. દીકરીએ આત્મહત્યા કરી લેતા પિતાએ પોલીસને અરજી આપી હતી અને પતિ સામે ફરિયાદ કરી હતી. પરિણીતા ગૂમ થઇ ત્યારે તેણે તેના પતિને કહ્યું હતું કે તારી સાથે લગ્ન કરીને મારી જિંદગી ખરાબ થઇ ગઇ છે. આ અંગે પતિ પત્નીને ફ્રેન્ડને વાત કરી હતી.
યુવતીએ ફ્લેટ લીધો હોવાથી તેના લોનના હપ્તામાં પગારનો મોટોભાગ કપાતો હતો. જેથી તે આર્થિક ભીંસ અનુભવતી હતી. પતિ તેની સાથે વારંવાર ઝઘડો કરતો હોવાથી તેણે કંટાળીને પગલું ભર્યું હતું.
November 24, 2021 at 09:58PM surat
Technosv2018
November 25, 2021
Technosv2018
November 25, 2021
Technosv2018
November 25, 2021
Technosv2018
November 24, 2021
સુરતમાં ભાજપનો દિવાળીનો અંતિમ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો છે. જેમાં ભાજપના વિવિધ દિગ્ગજ નેતાઓ જોડાયા છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી અને સી.આર.પાટીલે પણ ખાસ હાજરી આપી છે.
November 24, 2021 at 07:14AM surat
Technosv2018
November 24, 2021
Technosv2018
November 24, 2021
સુરતના ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચુઅલી હાજરી આપી છે. જેમાં તેમણે કહ્યું કે,ડિસેમ્બર મહિનામાં સુરતીઓને મળવાનો મોકો જરૂર આપજો, રૂબરૂ પણ આવીશ.
November 24, 2021 at 06:24AM surat
Technosv2018
November 24, 2021
સુરતમાં ભાજપનનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી અને સી.આર પાટીલની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા હતા.
દિવાળી બાદ ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં ઠેર- ઠેર સ્નેહમિલન સમારોહ યોજ્યા. ત્યારે આજે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉન એવા સુરતમાં ભાજપનું દિવાળીનું અંતિમ સ્નેહમિલન યોજાઇ રહ્યું છે. સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉંડ ખાતે આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વર્ચ્યુઅલી આ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતના ભાજપના 20 હજાર કરતા વધુ કાર્યકર્તાઓ જોડાયા હતા.
November 24, 2021 at 05:20AM surat
Technosv2018
November 24, 2021
સુરતમાં ભાજપનો સ્નેહ મિલન સમારોહ યોજાવા જઈ રહ્યો છે. જેમાં રેલી યોજાવાની છે. આ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ હાજર રહેશે. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાશે.
November 24, 2021 at 05:00AM surat
Technosv2018
November 24, 2021
રાજ્યમાં ગેરહાજર રહેતા અને મનમાની કરતા ટીઆરબી જવાનો પર કાર્યવાહી કરવામાં આવી છે. જે અંગે લોકોએ જણાવ્યું કે, દસ્તાવેજ, લાયન્સ, અને હેલમેટ હોવા છતા ચા પાણીના પૈસા જવાનો માગે છે.
November 24, 2021 at 03:29AM surat
Technosv2018
November 24, 2021
Technosv2018
November 24, 2021
સુરતના કેફેમાં કપલ બોક્સમાં યુવતીના શંકાસ્પદ મોત મામલે હજુ આરોપી પોલીસ પકડથી દૂર છે. વિધર્મી યુવક પર હત્યાનો આરોપ લાગ્યો છે. મૃતકના પિતાએ સીબીઆઈ અથવા ક્રાઇમ બ્રાન્ચને તપાસ આપવા માંગ કરી છે. મૃતકના પરિવારે યુવતીનો મૃતદેહ સ્વીકારવા તૈયારી બતાવી છે.
November 24, 2021 at 12:26AM surat
Technosv2018
November 24, 2021
Technosv2018
November 24, 2021
સુરત: ખટોદરા વેસુ વિસ્તારમાં કોલેજીયન યુવતીના શંકાસ્પદ મોતના મામલે મૃતક યુવતીના પિતા સુશાંત શાહુએ CBI અથવા ક્રાઇમ બ્રાન્ચને તપાસ કરવા માંગ કરી છે. પિતાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, 24 કલાક થઈ ગયા હજી યુવક પકડાયો નથી, જ્યાં સુધી યુવકની ધરપકડ ન થાય ત્યાં સુધી અંતિમ વિધિ માટે મૃતદેહ નહિં સ્વીકારીએ તેવું પિતાએ જણાવ્યું. પરિવારજનોએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને ગુહાર લગાવી છે. વિધર્મીની ધરપકડ કરાવી ન્યાય અપાવવા માંગ કરી છે. પિતા સુશાંત શાહુએ ગૃહમંત્રીને અપીલ કરી વિધર્મીની ધરપકડ કરો.
નોંધનીય છે કે, કોફી શોપમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની શંકાસ્પદ રીતે બેભાન હાલતમાં મળી આવતાં સિવિલ લવાયાં હતાં. અહીં વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. જોકે, સાથી વિદ્યાર્થી સારવાર અધૂરી છોડી નાસી ગયો હતો. મૃતક યુવતી બીએડની વિદ્યાર્થિની છે. ઓડિશાવાસી પરિવારની એકની એક દીકરીને વિધર્મી યુવકે ઝેર આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી.
આ ઘટના સોમવારની મોડી સાંજની હતી.108 એમ્બ્યુલન્સમાં બે વિદ્યાર્થી-વિદ્યાર્થિને સારવાર માટે લવાયા હતા. તપાસ કરતાં વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. મૃતક યુવતી બીએડના પ્રથમ વર્ષમાં જ હતી. સોમવારે સવારે ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળી હતી. સાંજે 6 વાગ્યા સુધી પરત ન આવતાં પરિવાર ચિંતિત હતો. ફોન કરતાં મધુસ્મિતાનો ફોન બંધ આવતાં પરિવાર શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન સોમવારે રાત્રે 12:30 વાગે NGO અને પોલીસે યુવતીનું મોત થયું હોવાનું પરિવારને જાણ કરી હતી. તેમજ યુવતીની કોલેજ બેગ અને મોપેડ આપી હતી.
પરિવારનો આક્ષેપ છે કે, કોલેજમાં સાથે અભ્યાસ કરતો મદની નામનો વિધર્મી વિદ્યાર્થી બીએના છેલ્લા વર્ષમાં યુવતીને મેસેજ કરી હેરાન પણ કરતો હતો. બીજી તરફ કોફી શોપના સંચાલકે જણાવ્યું હતું કે, બે કલાકથી એકની એક જગ્યા પર બેસેલા જોઈ શંકા જતાં તપાસ કરતાં બંને બેભાન હતા. તાત્કાલિક 108ને બોલાવી સિવિલ મોકલ્યા હતા. ઓડિશા પરિવારની એકની એક દીકરીને વિધર્મી યુવકે ઝેર આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરતાં ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે.
November 23, 2021 at 08:26PM surat
Technosv2018
November 24, 2021
Technosv2018
November 24, 2021
Technosv2018
November 24, 2021
Technosv2018
November 24, 2021
Technosv2018
November 23, 2021
સુરત શહેરના ગણેશ મંદિરોમાં અંગારકી ચોથ ઉજવણી કરવામાં આવી છે. શહેરના ગણેશ મંદિરોમાં આજે ખાસ હવન પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. પાલના ગણેશ મંદિરમાં ગણેશ ભક્તોએ હાજરી આપી હવન કર્યું.
November 23, 2021 at 03:29AM surat
Technosv2018
November 23, 2021
સુરતઃ પલસાણાના બલેશ્વર ગામે બિઝનેસમેને પોતાની જ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. સુરત કતારગામના બિઝનેસમેન આત્મહત્યા કરી છે. પોતાની રિવોલ્વરથી ગળાના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી છે. કતારગામથી વહેલી સવારે પલસાણાના બલેશ્વર ખાતે પોતાના ફાર્મ આવ્યા હતા.
કર્મચારીને નાસ્તો લેવાં મોકલી આ પગલું ભરી લીધું હતું. સ્થાનિકોએ હોસ્પિટલ ખસેડ્યા જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. પલસાણા પોલીસે સમગ્ર બાબતે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતઃ શહેરના કોફી શોપમાં બેભાન મળેલી કોલેજીયન વિદ્યાર્થિનીનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવારે વિધર્મી વિદ્યાર્થી પર ઝેર આપી મારી નાંખ્યાનો આક્ષેપ લગાવ્યો છે. બેભાન વિદ્યાર્થીઓને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ લવાયાં હતાં, જ્યાં વિદ્યાર્થિનીને મૃત જાહેર કરાઈ હતી. કોફી શોપમાં બે કલાક બાદ તપાસ કરતાં બન્ને કોલેજીયન બેભાન મળ્યાં હતાં. બીએડની વિદ્યાર્થિનીના મોતને લઈને પરિવારે આરોપ મુકતા પોલીસે તપાસ આદરી છે.
સુરતના વેસુના એક કોફી શોપમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની શંકાસ્પદ રીતે બેભાન હાલતમાં મળી આવતા સિવિલ લવાયા હતા. જ્યાં વિદ્યાર્થીનિને મૃત જાહેર કરાતા સાથી વિદ્યાર્થીઓ સારવાર અધુરી છોડી નાસી ગયો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવતી બીએડની વિદ્યાર્થિની હોવાનું સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. ઓડિશાવાસી પરિવારની એક ની એક દીકરીને વિધર્મી યુવકે ઝેર આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
November 23, 2021 at 03:15AM surat
Technosv2018
November 23, 2021
સુરતના પલસાણા વિસ્તારમાંથી પોલીસે દસ હજારની કિંમતનો એક કિલો ગાંજો ઝડપ્યો છે. ગાંજાના જથ્થા સાથે પવન વર્મા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહેશ રાઈ નામના વ્યક્તિ પાસેથી ગાંજો લઈ આવ્યાની આરોપીએ કબૂલાત કરી છે.
November 23, 2021 at 02:13AM surat
Technosv2018
November 23, 2021
સુરત પાસે આવેલી લાજપોર મધ્યસ્થ જેલની રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી. તેમની સાથે કેદીઓને સીધો સંવાદ કરવાની તક મળતા કેદીઓમાં આનંદ જોવા મળ્યો છે.
November 23, 2021 at 01:58AM surat
Technosv2018
November 23, 2021
ભાજપના સ્નેહ મિલનના અંતિમ કાર્યક્રમને લઈને સુરત ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વનિતાવિશ્રામ મેદાનમાં આવતીકાલે ભાજપનું સ્નેહમિલન યોજાશે. સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.
November 23, 2021 at 01:52AM surat
Technosv2018
November 23, 2021
સુરતમાં કોલેજીયન યુવતીનું રહસ્યમય રીતે મોત થયું છે. વેસુના કોફી શોપમાં બેભાન મળેલી કોલેજીયન યુવતીનું મોત નિપજ્યું છે. આ યુવતી એક વિધર્મી યુવક સાથે કોફી પીનારી બે યુવતીઓ બેભાન મળી હતી.
November 23, 2021 at 01:45AM surat
Technosv2018
November 23, 2021
સુરતના પાંડેસરાના વડોદમાં અઢી વર્ષની બાળકી પર રેપ કર્યા બાદ તેની હત્યા કરવાના મામલે પીડિત પરિવારને ત્વરિત ન્યાય મળે તે માટે પ્રયાસ શરુ છે. ન્યાય તંત્ર અને પોલીસ વિભાગ આ મામલે કાર્યવાહી કરી રહ્યું છે. આ કેસમાં એક સપ્તાહમાં ચાર્જશીટ દાખલ કરાઈ હતી. અને 42 સાક્ષીઓને ચકાસવામાં આવ્યા હતા.
November 23, 2021 at 12:13AM surat
Technosv2018
November 23, 2021
Technosv2018
November 23, 2021
Technosv2018
November 23, 2021
Technosv2018
November 23, 2021
Technosv2018
November 23, 2021
Technosv2018
November 23, 2021
Technosv2018
November 23, 2021
Technosv2018
November 22, 2021
નવસારીઃ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 પર નવસારી નજીક ધોળાપીપળા પાસે અકસ્માત થતાં 3 યુવકોના મોત નીપજ્યા છે. ધોરાપીપળા પાસે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં 2 વલસાડના અને ૧ નવસારીના યુવાનોના મોત નીપજ્યા છે. વલસાડથી સુરત તરફ જતા અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહને સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
મૃતકના નામ
અજય પટેલ
આયુષ પટેલ
મયુર પટેલ
સુરતઃ શહેરના વેસુમાં નવનિર્મિત બિલ્ડિંગના 10મા માળેથી પટકાતાં યુવાનનું મોત નીપજ્યું છે. પગ સ્લિપ થતાં 10મ માળેથી યુવક નીચે પટકાયો હતો. 8 મહિના પહેલાં UPથી રોજગારી માટે મૃતક યુવાન આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને રિક્ષામાં લઈ જઈ હોસ્પિટલ ખસેડાયો હતો. યુવાન નું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
આજે વહેલી સવારે યુવક બિલ્ડિંગ પરથી નીચે પટકાતા 18 વર્ષીય યુવાનને રિક્ષામાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. મૃતક સાજન ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. સાજન અહીં છેલ્લા 8 મહિનાથી કામ કરતો હતો. સાજનનો પગ સ્લિપ થઈ જતાં નીચે પટકાયો હતો. જ્યાં દુર્ઘટના ઘટી એ પ્રોજેકટનું નામ સ્કાય બિલ્ડિંગ છે અને નવનિર્મિત છે.
મૃતક સાજન ફકીરા સલમા 8 મહિનાથી સેંટિંગના કામ સાથે જોડાયેલો હતો. આજે સવારે 9 કર્મચારી સાથે 10મા માળે કામ કરી રહ્યો હતો, ત્યારે સવારે 8:30 વાગે ઘટના બની હતી. પગ સ્લિપ થઈ જતાં સાજન નીચે પટકાયો હતો. યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સાજન સુરતમાં તેના પિતરાઈ ભાઈ સાથે રહેતો હતો. તેનો આખો પરિવાર વતનમાં રહે છે.
November 22, 2021 at 03:36AM surat
Technosv2018
November 22, 2021
સુરતઃ શહેરના વેસુમાં નવનિર્મિત બિલ્ડિંગના 10મા માળેથી પટકાતાં યુવાનનું મોત નીપજ્યું છે. પગ સ્લિપ થતાં 10મ માળેથી યુવક નીચે પટકાયો હતો. 8 મહિના પહેલાં UPથી રોજગારી માટે મૃતક યુવાન આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને રિક્ષામાં લઈ જઈ હોસ્પિટલ ખસેડાયો હતો. યુવાન નું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
આજે વહેલી સવારે યુવક બિલ્ડિંગ પરથી નીચે પટકાતા 18 વર્ષીય યુવાનને રિક્ષામાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. મૃતક સાજન ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. સાજન અહીં છેલ્લા 8 મહિનાથી કામ કરતો હતો. સાજનનો પગ સ્લિપ થઈ જતાં નીચે પટકાયો હતો. જ્યાં દુર્ઘટના ઘટી એ પ્રોજેકટનું નામ સ્કાય બિલ્ડિંગ છે અને નવનિર્મિત છે.
મૃતક સાજન ફકીરા સલમા 8 મહિનાથી સેંટિંગના કામ સાથે જોડાયેલો હતો. આજે સવારે 9 કર્મચારી સાથે 10મા માળે કામ કરી રહ્યો હતો, ત્યારે સવારે 8:30 વાગે ઘટના બની હતી. પગ સ્લિપ થઈ જતાં સાજન નીચે પટકાયો હતો. યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સાજન સુરતમાં તેના પિતરાઈ ભાઈ સાથે રહેતો હતો. તેનો આખો પરિવાર વતનમાં રહે છે.
ખેડાઃ ડાકોર નજીક આવેલા કાંથરાઈ ગામે યુવતીની ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ઠાસરાના કાંથરાઈ ગામના સીમ વિસ્તારમાં ઝાડ પરથી લટકતી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. કંથરાઇની બાજુના ગામ ભગવાનજીના મુવાડામાં યુવતી રહેતી હોવાની વાત સામે આવી છે.
યુવતી રાતે 8 વાગે ઘરે થી નીકળી હતી. આજે સવારનાં અરસામાં ઝાડ ઉપર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. કાંથરાઈ ગ્રામજનોને સવારે જાણ થતાં ડાકોર પોલીસને જાણ કરાઇ. ડાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી ડાકોર રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો. ભગવાનજીનાં મુવાડાથી રાત્રે નીકળી કંઠરાઈ સીમ વિસ્તારમાં યુવતી કેવી રીતે પહોંચી તે અંગે ડાકોર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો.
November 22, 2021 at 12:48AM surat
Technosv2018
November 22, 2021
પાટીદાર આંદોલન સમયે સુરતમાં થયેલા કેસની આજે કઠોર કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે. હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા સહિતના આગેવાનો કઠોર કોર્ટમાં હાજર રહયા હતા. 3 જાન્યારીના રોજ આગામી સુનાવણી હાથ ધરાશે.
November 22, 2021 at 12:15AM surat
Technosv2018
November 22, 2021
સુરત મહાનગર પાલિકાએ ગેરકાયદેસર દબાણ સામે લાલ આંખ કરી છે. દબાણ હટાવવાનું શરુ કરાયું છે. વારંવાર નોટિસ આપ્યા બાદ પણ દબાણ દૂર ન કરાતા પાલિકાએ ઝૂંબેશ હાથ ધરી છે. રેલવે સ્ટેશન અને વરાછા વિસ્તારમાં દબાણ હટાવોની કાર્યવાહી શરુ કરાઈ છે.
November 22, 2021 at 12:03AM surat
Technosv2018
November 22, 2021
સુરતના નિયોલ ચેકપોસ્ટ પાસેથી પોલીસે 1 કરોડનો ગાંજો પકડ્યો છે. ગાંજા ભરેલી ટ્રક પકડવામા આવી છે. સુરત પોલીસ કમિશ્નરે પોલીની પ્રશંસા કરી હતી. તેઓએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. હવે આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.
November 21, 2021 at 11:38PM surat
Technosv2018
November 22, 2021
સુરતમાં બાયોડીઝલ વેચવાના કૌભાંડમાં એક શખ્સની ધરપકડ કરાઈ છે. પૂર્વ મંત્રીના પુત્રના ભાગીદારની ધરપકડ કરાઈ છે. વાસણ આહિરના પુત્રના ભાગીદાર ભાવેશ શેઠની કચ્છથી ધરપકડ કરાઈ છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.
November 21, 2021 at 11:31PM surat
Technosv2018
November 22, 2021
સુરતઃ આજે હાર્દિક પટેલ ,અલ્પેશ કથીરિયા સહિત આગેવાનો કઠોર કોર્ટમાં હાજર રહ્યા હતા. આવનારી ૩ જાન્યુઆરીએ આગામી કોર્ટની તારીખ છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કોર્ટ બહાર આપ્યું નિવેદન, પાટીદાર અનામત આંદોલન ના ખોટા કેસ હજી સુધી નથી ખેંચાયા. પાટીદાર આંદોલનથી યુવાનોને અનેક યોજનાઓનો લાભ મળ્યો છે.
હાર્દિક પટેલે કહ્યું કે, લોકોના હિતમાં કરાયેલા આંદોલનથી ઘણા લોકોને ફાયદો થયો છે. નેતાઓ અને આગેવાનો સરકાર સામે આક્રમક વલણ અપનાવે. આનંદીબેન પટેલ, નીતિન પટેલ અને ભુપેન્દ્ર પટેલની સરકારો દ્વારા ફક્ત જાહેરાતો કરવામાં આવી છે. પરંતુ હજી પણ સમાજના યુવાનો, મહિલાઓ, કોર્ટ કેસમાં ધક્કાખાય રહ્યા છે. સરકાર ફક્ત વાયદોઓ કરે છે અમલીકરણ નથી કરી રહ્યા.
નોંધનીય છે કે, ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ રાજકોટ પ્રવાસ દરમિયાન પાટીદાર આંદોલનને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, પાટીદાર આંદોલનના ઘણા કેસો પાછા ખેંચાયા છે અને 78 જેટલા કેસ ખેંચવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.
આ ઉપરાંત તેમણે કહ્યું, રાજકોટ શહેર ભાજપનું સંગઠન મજબૂત છે. આગામી ચૂંટણીને લડતાં પડકારો આવશે તે ઝીલવા તૈયાર છે. આવનારી ચૂંટણીઓ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની આગેવાનીમાં જ લડવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંનો રિપીટ થિયરી ચોક્કસ અપનાવવામાં આવશે. સેનેટ અને સિન્ડિકેટ ચૂંટણીમાંનો રિપીટ થિયરી અપનાવાશે.
એરપોર્ટ પર સી.આર પાટીલે મોહન કુંડારિયાની નોંધ લીધી હતી. સી.આર. પાટીલે કહ્યું, મોહન કુડારિયા ક્યાં ગયા. મોહન કૂડારિયાએ કહ્યું આ રહ્યો. રાજકોટ આવેલા સી.આર. પાટીલે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરના ભાજપમાં જોડાશે કે નહીં તે પ્રશ્નનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, અમરીશ ડેર પહેલા ભાજપના કાર્યકર હતા. અમરીશ ડેરને પહેલા ભાજપના કાર્યકર હતા. મેં એમને કોઈ આમંત્રણ આપ્યું નથી. મારા વશમાં છે ત્યાં સુધી અમે કોઈ કોંગ્રેસીઓને લેવા તૈયાર નથી.
રાજકોટમાં પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર પાટીલના કાર્યક્રમ પર સૌરાષ્ટ્રભરના રાજકીય આગેવાનોની નજર છે. રાજકીય આગેવાનોની સાથે સાથે લોકોની પણ નજર છે. આજે આખો દિવસ સી.આર રાજકોટમાં છે. ક્યા ક્યા નેતાઓ ઉપસ્થિત રહેશે અને ક્યા ક્યા નેતાઓ ગેરહાજર રહેશે તેના પર સૌ કોઈની નજર છે. આવતા દિવસોમાં શહેર ભાજપમાં કિંગમેકર કોણ તેના પર સૌકોઈની નજર છે.
November 21, 2021 at 10:37PM surat
Technosv2018
November 22, 2021
ડાંગઃ સાપુતારા તળેટી વિસ્તારમાં 11 સાયન્સના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સંતોકબા ધોળકિયા વિધામંદિરમાં ધોરણ 11 સાયન્સ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતાં સાપુતારા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે, આપઘાત પાછળનું કારણ અકબંધ છે. વિદ્યાર્થી દિવાળી વેકેશન બાદ ગઈ કાલે જ હોસ્ટેલ પરત ફર્યો હતો. વિદ્યાર્થીએ સ્કૂલ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં આપઘાત કરી લીધો છે.
સુરતઃ ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ તંત્રને આદેશ આપ્યો છે કે, ટ્રાફિકના નિયમો તોડવા બદલ કોઈ પણ વ્યક્તિ સાથે ગુનેગાર જેવું વર્તન ના કરાવું જોઈએ. સુરતમાં રવિવારે રાત્રે પોલીસ ગૌરવ સમારોહમાં મહત્વપૂર્ણ નિવેદન કરતાં ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ટ્રાફિક નિયમ તોડનાર રીઢા ગુનેગાર નથી તેથી તેમની સાથે માનવીય વર્તન કરવું જોઈએ.
સુરતમાં પોલીસ ગૌરવ સમારોહ અંતર્ગત પોલીસ ના તમામ કર્મચારીઓ અને અધિકારીઓને ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સૂચના આપી ને કહ્યું કે, પોલીસ તંત્રે પોલીસની છબી સુધારવા માટે કાર્ય કરવું પડશે. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં એવી વ્યવસ્થા ઊભી કરવી છે કે નવ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરવાનો ક્યારેય મોકો જ ન આવે. એ પ્રકારનો ખૌફ લોકોની અંદર હોવો જ જોઇએ અને આવનારા દિવસોમાં આપણે ઉભી કરશું. પરંતુ પોલીસનો ખૌફ એટલે કોઈ ટ્રાફિક પોલીસ એક સામાન્ય નાગરિકને ઊભો રાખે અને એક હેલ્મેટ નથી પહેર્યું તો એની જોડે ગુનેગાર જેવું વર્તન નહીં કરતાં. એક ગૃહમંત્રી તરીકે હું સૂચન પણ આપું છું અને સૂચના પણ આપું છું. આ શહેરના એક એક નાગરિક એ તમારી ઉપર ગર્વ અનુભવે છે. પરંતુ તમારો એક નાનો વ્યવહાર પણ ખરાબ થશે તો આખા પોલીસ આલમને ક્યાંકને ક્યાંક બદનામી આપશે.
બાયડઃ અરવલ્લી જિલ્લામાં બાયડના પૂજાપુરમાં ગત ગુરુવારે રાત્રે 15 વર્ષીય સગીરની હત્યા થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસે ત્રણ જ દિવસમાં સગીરની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. કિશોરની હત્યા કરનાર તેનો કૌટુંબિક ભાઇ હોવાનું બહાર આવ્યું છે. હત્યારાએ માતા સાથે મૃતકના આડાસંબંધનો વહેમ રાખી કુહાડીના ઘા મારી સગીરને મોતને ઘાટ ઉતારી દીધાનું પોલીસની તપાસમાં બહાર આવતાં ચકચાર મચી ગઈ છે.
બાયડ પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર ગુરુવારે રાત્રે બાયડના પૂજાપુરનો 15 વર્ષીય સગીર ઘરે જમવા બેઠો હતો. દરમિયાન તેને ફોન આવતાં બહાર ગયો હતો. ઘરેથી નીકળ્યા પછી મોડે સુધી પરત ન ફરતાં સમગ્ર પરિવારે ભારે શોધખોળ હાથ ધરી હતી. જેમાં મોડી રીતે ઘરની પાછળથી લોહીલુહાણ હાલતમાં સગીરની લાશ મળી આવતાં પરિવાર ભાંગી પડ્યો હતો.
બાયડ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે પૂછપરછનો દોર શરૂ કર્યો હતો. પોલીસને મૃતકના કૌટુંબિક કિશોર પર શંકા જતાં વધુ કડકાઈથી પૂછતાં સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો. મૃતકને તેના કૌટુંબિક ભાઇની માતા સાથે આડાસંબંધ હોવાનો વહેમ હોવાને લઇ તેની કુહાડીથી હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે ધો.11 માં ભણતા સગીરના કૌટુંબીકભાઈની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
November 21, 2021 at 09:19PM surat
Technosv2018
November 22, 2021
November 21, 2021 at 08:54PM surat
Technosv2018
November 22, 2021
Technosv2018
November 22, 2021
Technosv2018
November 22, 2021
રાજકોટ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે ભાજપ પ્રદેશ અધ્યશ્ર સી.આર.પાટીલના શહેર સુરત પહોંચ્યા છે. સીઆર પાટીલ સાથે વિજયભાઈ રૂપાણીના મતભેદ હોવાની ચાલતી અટકળો અને ચર્ચાને લઈને સવાલ પૂછાતા વિજય રૂપાણીએ કોઈપણ પ્રકારના મતભેદો ન હોવાનો દાવો કર્યો છે. એટલુ જ નહી પક્ષના કાર્યકર્તાઓના નાતે પક્ષના અધ્યક્ષ સી.આર.પાટીલને સહકાર આપતા રહેશે તેવી પણ વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટતા કરી છે. સુરતમાં વિજય રૂપાણીએ કહ્યું કે મારે અને સીઆર પાટીલ વચ્ચે કોઈ મતભેદ નથી.અમે સાથી કાર્યકર્તા તરીકે સાથે કામ કરીએ છીએ.પ્રદેશ અધ્યક્ષને મારો સંપૂર્ણ સહકાર છે. સીઆર પાટીલ સાથે હું સારી રીતે કામ કરી રહ્યો છું.
વિજય રૂપાણી આજે સુરતના પ્રવાસ દરમિયાન વોરા સમાજના ધર્મગુરૂની મુલાકાત કરશે. આ સાથે જ ઉદ્યોગપતિ ધોળકીયા પરિવારના લગ્ન સમારંભમાં હાજરી આપશે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ ભાજપમાં જૂથવાદના સમાચાર છેલ્લા ઘણા સમયથી મીડિયામાં ચાલી રહ્યા છે. મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ પદભાર છોડ્યાં બાદ રાજકોટ ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે તેના મૂળમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા છે. તેઓ છેલ્લા ઘણાં સમયથી શહેર ભાજપમાં એન્ટ્રી કરીને સક્રિય રીતે જોડાયેલા છે અને રૂપાણી જૂથના મનાતા શહેર ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ સામે ખુલ્લો મોરચો ખોલ્યો છે.
રામ મોકરિયાએ શહેર ભાજપ દદ્વારા તેને માન સન્માન આપવામાં ન આવતું હોવાની પ્રદેશ કક્ષાએ ફરિયાદ કરી હતી અને પ્રદેશની સૂચનાથી ભાજપ કાર્યાલયના પ્રથમ માળે રામ મોકરિયાને ઓફિસ ફાળવવામાં આવી હતી. રાજકોટ ભાજપ સંગઠનમાં આંતરિક જૂથવાદના સમાચારો વચ્ચે 20 નવેમ્બરે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ તેમજ ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સાથે બેઠક કરી હતી.બંને નેતાઓ વચ્ચે બંધ બારણે બેઠક ચાલી હતી. આ બેઠક અંગે સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું કે માત્ર સૌજન્ય મુલાકાત હતી. તો સી.આર. પાટીલે પણ કહ્યું કે આ રૂટીન મુલાકાત હતી.
ભાજપના સાંસદ રામભાઈ મોકરિયાએ વિવાદ સર્જ્યા પછી યુ ટર્ન લીધો હતો. તેમણે નિવેદન આપ્યું હતું કે, મીડિયા એની રીતે ચાલવે છે. આવો કોઈ જૂથવાદ નથી. તમે તમારી રીતે ચાલવો છો. મીડિયા એનો ધર્મ નિભાવે છે. જે લોકો પાર્ટીથી દૂર જાય તે પાર્ટીથી અલગ જ રહે, તેમ મોકરિયાએ જણાવ્યું હતું. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા રાજકોટના યોજાયેલા ભાજપના સ્નેહમિલનનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધારાસભ્ય ગોવિંદ પટેલ સાથે કોઈ મુદ્દે રકઝક કરી રહ્યા હતા. આ સમયે સાંસદ મોકરિયા વચ્ચે આવતાં તેમને રૂપાણીએ બેસી જવા માટે કહ્યું હતું.
November 21, 2021 at 04:22AM surat
Technosv2018
November 21, 2021
Technosv2018
November 21, 2021
સુરતઃ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે ધોરણ 1થી 5ની સ્કૂલો શરૂ કરવાની જાહેરાત કરી છે. આવતી કાલથી જ રાજ્યમાં સ્કૂલો શરૂ થઈ જશે. સ્કૂલોએ સ્કૂલો માટેની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત તેમણે બાલમંદિર એટલે કે પ્રિ-સ્કૂલ મુદ્દે પણ વાત કરી હતી. શિક્ષણમંત્રીએ કહ્યું કે, બાલ મંદિર એ પણ અધિકૃત રીતે નથી, પણ ભવિષ્યમાં નવી એનએપીમાં નવા બાલમંદિર રજીસ્ટર થવાના છે, પણ એસઓપીના નિયમોનું પાલન કરીને ભવિષ્યમાં બાળ મંદિરની ડિમાન્ડ આવશે, ત્યારે તે અંગે ચર્ચા કરીને છૂટ આપીશું.
ગુજરાતમાં આવતી કાલથી ધોરણ 1થી પાંચની સ્કૂલો શરૂ થશે, તેવી જાહેરાત શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી છે. ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આજે પ્રેસ કૉન્ફરન્સ કરીને મોટી જાહેરાત કરી દીધી. મંત્રીએ પત્રકારોને સંબોધતા કહ્યું કે, આવતીકાલથી રાજ્યમાં એકથી પાંચ ધોરણનુ શિક્ષણ કાર્ય શરૂ થઇ જશે. જીતુ વાઘાણીએ આ પત્રકાર પરિષદ સુરતથી સંબોધી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમા છેલ્લા બે વર્ષથી પ્રાથમિક શિક્ષણનુ કાર્ય સંપૂર્ણપણે ઠપ્પ થયુ છે, અને વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યાં હતા. હવે આવતીકાલથી રાજ્યની શાળાઓમાં એકથી પાંચવા વર્ગો ધમધમતા દેખાશે. સુરતમાં પત્રકાર પરિષદને સંબોધતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, એકથી પાંચના વર્ગો આવતીકાલથી એસઓપીના અમલ સાથે શરૂ કરાવવામાં આવશે. વાલીઓની મંજૂરી સાથે સ્કૂલોમાં શિક્ષણ કાર્ય શરૂ કરાશે.
બાળક જ્યાંથી ભુલ્યા છે ત્યાંથી ભણાવવાનું શરૂ કરાશે. જૂની ગાઈડલાઈન પ્રમાણે અભ્યાસ કરવામાં આવશે. આવતીકાલથી નવા સત્રની શરૂઆત કરાશે. વાલીની મંજૂરી મેળવવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળેલી બેઠકમાં નિર્ણય કરાયો હતો. ગુજરાતમાં વેકસીનની કામગીરી ઝડપથી કરાઈ છે. દેશભરમાં ગુજરાત વેકસીન લેવામાં આગળ છે. શાળા કોલેજોમાં ઓફલાઇન ઓનલાઈન અભ્યાસ શરુ કરાયા છે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 44 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,770 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 4,10,463 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદમાં 1, અમદાવાદ કોર્પોરેશનમાં 8, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, જામનગર 2, જામનગર કોર્પોરેશન 1, કચ્છ 2, મહેસાણા 1, નર્મદા 1, રાજકોટ કોર્પોરેશન 2, સાબરકાંઠા 2, સુરત કોર્પોરેશન 4, વડોદરા કોર્પોરેશન 7 અને વલસાડમાં 4 કોરોનાના કેસ નોંધાયા છે.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 323 કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 319 નાગરિકો સ્ટેબલ છે. 8,16,770 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10091 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.
બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 6 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 2212 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 11808 નાગરિકોને રસીનો પ્રથમ અને 95610 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 35728 નાગરિકોને રસીનો પ્રથમ અને 265099 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 4,10,463 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,69,79,814 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, મોરબી, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.
Technosv2018
November 21, 2021
સુરતઃ સુરતમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી બિલ્ડરે શરીર સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવી છે. પરણીત હોવાનું છુપાવી લીવ ઈનના કરાર પણ બનાવ્યાં હતા. બિલ્ડરનો ભાંડો ફૂટતાં કહ્યું, તું ગમતી નથી કહીને ઢોર માર્યો હતો. આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સંજય પોકળની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, સણીયા-હેમાદ વિસ્તારમાં રહેતી 40 વર્ષીય યુવતી બિલ્ડરની સોસાયટીમાં ભાડેથી રહેતી હતી, ત્યારે તેના સંપર્કમાં આવી હતી. બિલ્ડર પોતે સોસાયટીનો પ્રમુખ હોવાથી અવાર-નવાર સંપર્કમાં આવતાં હતા. આ સમયે બિલ્ડરે પોતે અપરણીત હોવાનું કહીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.
યુવતીના છૂટાછેડા થઈ ગયા છે તેમજ પોતે ઘરમાં સાડી વર્કનું કામ કરી 16 વર્ષીય પુત્ર અને 12 વર્ષીય દીકરીનું ભરણ પોષણ કરે છે. 3 વર્ષ પહેલા બિલ્ડર સાથે તેને સંબંધ બંધાયા હતા. બિલ્ડરે યુવતીને લગ્નની લાલચ આપી અવાર-નવાર ઘરે તેમજ મિત્રના ફાર્મ હાઉસ અને ડુમસની હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા.
એટલું જ નહીં, બિલ્ડર સાથે તેને લિવ-ઇનના કરાર કર્યા હતા તેમજ સણીયા હેમાદના ફ્લેટમાં બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા તેમજ પ્રસંગોમાં પણ તેઓ એવી જ રીતે વર્તતા હતા. દરમિયાન બિલ્ડરની પત્નીને પતિની કરતૂત ખબર પડી ગઈ હતી તો પ્રેમિકાને પણ ખબર પડી જતાં બિલ્ડરે પત્ની ગમતી નથી અને છૂટાછેડા આપી દેવાના છે, તેમ કહ્યું હતું અને લીવ ઇનનો કરાર બનાવ્યો હતો.
જોકે, થોડા દિવસ પછી બિલ્ડર દારૂ પીને આવ્યો હતો અને બાળકોની સામે જ પ્રેમિકાને માર માર્યો હતો તેમજ સંતાનોને મારી નાંખવાની ધમકી આપી તરછોડી દીધી હતી. આ અંગે ભોગ બનનાર યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે. પોલીસે બિલ્ડરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
November 20, 2021 at 09:28PM surat
Technosv2018
November 21, 2021
સુરતના સરથાણા વિસ્તારમાં ફાયરિંગના કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. થોડાક દિવસ પહેલા સરથાણા વિસ્તારમાં જ્વેલર્સની દુકાન બહાર ફાયરિંગ કરાયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
November 20, 2021 at 08:38PM surat
Technosv2018
November 21, 2021
Technosv2018
November 20, 2021
સુરતમાં છૂટા પૈસા માંગવાના નામે લાખોની છેતરપિંડી કરનાર એક શખ્સ ઝડપાયો છે. છેતરપિંડી અને ચોરીની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. સીસીટીવી ફુટેજના આધારે પોલીસે આ શખ્સને દબોચી લીધો છે.
November 20, 2021 at 02:38AM surat
Technosv2018
November 20, 2021
કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરતા પ્રદેશ કોંગ્રેસ રાજ્યભરમાં કિસાન વિજય રેલી યોજી રહી છે. સુરતમાં માંડવીથી તાપીના વ્યારા સુધી પ્રદેશ કોંગ્રેસે ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે. જેમા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા છે.
November 20, 2021 at 02:30AM surat
Technosv2018
November 20, 2021
સુરત શહેરમાં શુક્રવારે સાંજે વરસેલા કમોસમી વરસાદને કારણે 150થી વધુ લગ્નો ખોરવાયા છે. કેટલાય સ્થળોએ કમોસમી વરસાદના કારણે વરઘોડા નીકળી શક્યા નથી. તો ઘણા સ્થળો પર મુહુર્ત સાચવવા માટે તાડપત્રીની વ્યવસ્થા કરવી પડી છે.
November 20, 2021 at 02:08AM surat
Technosv2018
November 20, 2021
સુરતના સરથાણા વિસ્તારમાં જવલર્સની બહાર ફાયરિંગ થયું હતું. જેનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો હતો. સૌરાષ્ટ્રથી બે અને સુરતથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ખંડણી માટે ફાયરિંગ કર્યું હોવાનો ખુલાસો થયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી છે.
November 20, 2021 at 12:21AM surat
Technosv2018
November 20, 2021
દેશમાં સ્વછતા મામલે સુરત શહેરને સન્માનિત કરવામાં આવ્યું છે. પ્રથમ નંબરે ઇન્દોર અને બીજા નંબરે સુરતને સ્થાન મળ્યું છે. રાષ્ટ્રપતિના હસ્તે સુરત મનપાના કમિશ્નર અને મેયરને અવૉર્ડ આપવામાં આવ્યો છે. ત્રીજા નંબરે વિજયવાડાને સન્માનિત કરાયુ છે.
November 20, 2021 at 12:07AM surat
Technosv2018
November 20, 2021