સુરતઃ સુરતના મહુવા પાસે અંબિકા નદીમાં નહાવા પડેલા એક જ પરિવારના પાંચ લોકો ડૂબ્યા હતા. એક જ પરિવારની ચાર મહિલા સહિત પાંચ જણા ડૂબ્યા હતા. જેમાં બે જણાનો મૃતદેહ મળી આવ્યો હતો. સાસુ-વહુનો મૃતદેહ મળ્યો હતો જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે.
મળતી જાણકારી અનુસાર મહુવા તાલુકાના કુમકોતર ગામની સીમમાં આવેલા જોરાવરપીરની દરગાહ આગળ આવેલી અંબિકા નદીમાં સુરતના એક જ પરિવારના પાંચ સભ્યો ડૂબ્યા હતા. ઘટના બાદ સ્થાનિકોએ બે મહિલાની લાશ બહાર કાઢી હતી જ્યારે પાણીમાં ગુમ થયેલા ત્રણની શોધખોળ ચાલી રહી છે.સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા જાવીદશા સલીમશા ફકીર ,તેમના પત્ની, માતા અને નાનાભાઈ સહિત પરિવારના 6 સભ્યો મહુવાના કુમકોતર ગામની સીમમાં આવેલા જોરાવરપીરની દરગાહ પર દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા બાદ પરિવારના પાંચ સભ્યો અંબિકા નદીમાં નહાવા પડ્યા હતા. દરમિયાન પાંચેય ડૂબી ગયા હતા.
એક જ દિવસમાં આઠ લાખથી વધુ લોકોને અપાઇ કોરોનાની રસી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 150 એક્ટિવ કેસ છે અને 3 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,191 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.
રાજ્યમાં આજે કોરોનાની આઠ લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ઓગસ્ટ મહિનામાં 1.34 કરોડ કોરોનાની રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં 90.20 ટકા લાયક વ્યક્તિઓએ કોરોનાની રસીના પ્રથમ ડોઝથી આરક્ષિત કરાયા છે. રાજ્યમાં કુલ 4.62 કરોડથી વધુ રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,191 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10081 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 2 કોરોનાના કેસ નોંધાયા હતા.
August 31, 2021 at 08:34AM surat
Technosv2018
August 31, 2021
સુરતમાં રિક્ષા ચાલકનો ચાલુ રિક્ષાએ જ મોત થયું છે. રિક્ષામાંથી પડી જતા આ યુવકનું મોત થયું છે. ઉધના પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
August 31, 2021 at 05:30AM surat
Technosv2018
August 31, 2021
સુરત( Surat)માં કિડની ડોનેટ કરવાની લાલચ આપી પૈસા ખંખેરતી ગેંગ(money laundering gang )નો આરોપી ઝડપાયો છે. આફ્રિકન નાગરિકની સુરત સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. એક યુવકને કિડની આપવા માટે ચાર કરોડ રૂપિયાની લાલચ આપી હતી.
Technosv2018
August 31, 2021
સુરત( Surat) શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. શહેરના અઠવા,પાર્લેપોઈન્ટ, કતારગામ(Katargam), વરાછા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જિલ્લાના માંડવી ઓલપાડમાં સારો વરસાદ પડતા ખેતીને નવું જીવનદાન મળ્યું છે.
Technosv2018
August 31, 2021
સુરતની સ્મીમેર હોસ્પીટલમાં મહિલા ગાર્ડનો વિડીયો વાઇરલ થયો છે. આ મહિલા ગાર્ડ યુવકને માર મારી રહી હોવાનું સામે આવ્યું છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, યુવક ચોરી કરતો હતો. જેને કારણે મહિલાએ યુવકને માર માર્યો હતો.
August 31, 2021 at 03:21AM surat
Technosv2018
August 31, 2021
સુરતમાં સાતમ-આઠમ નિમિત્તે જુગાર રમતા લોકો પર પોલીસે તવાઈ બોલાવી હતી. પોલીસે બાતમીના આધારે રેડ પાડી વિવિધ સ્થળોઓએથી 262 જેટલા જુગારીઓને પકડી પાડ્યા હતા. શ્રવણિયા જુગારમાંથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો હતો.
August 31, 2021 at 02:49AM surat
Technosv2018
August 31, 2021
Technosv2018
August 31, 2021
સુરતઃ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હિન્દુત્વ મામલે નિવેદન કર્યુ હતુ કે જો હિન્દુઓ લઘુમતીમાં આવી જશે તો કોર્ટ-કાયદો-સંસદ કંઇ જ નહીં રહે, બધુ જ ખતમ થઇ જશે, અરાજકતા છવાઇ જશે, તેમના આ નિવેદને લઇને કોંગ્રેસ નેતાઓએ તેમના પર પ્રહાર કર્યાં હતા, જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, વજુભાઈ વાળા બાદ નરોત્તમ પટેલ પણ તેમના સમર્થનમાં આવ્યા છે.
રાજ્યના પૂર્વ મંત્રી નરોત્તમ પટેલે કહ્યું, નીતિન પટેલ એ વિશ્વ હિન્દુ પરિષદમાં આપેલા નિવેદનનું સમર્થન કરું છું. તેમણે કહ્યું હતું કે હિન્દુ સમાજ છે ત્યાં સુધી બંધારણ અને કોર્ટ રહેશે, તે સાચી વાત છે. ઔવેસી ઉલ્લેખ કરી તેમણે કહ્યું, દેશના બંધારણ પર હુમલો કરે છે ત્યારે વિરોધ પક્ષ વિરોધ નથી કરતો. પટેલે સભામાં હદયની ભાષાનો ઉલ્લેખ કર્યો વિરોધ પક્ષ વિરોધ કરે છે.
વજુભાઈ વાળાએ શું કહ્યું આ મુદ્દે
રાજકોટમાં વજુભાઇએ કહ્યું કે નીતિનભાઇનું નિવેદન વ્યક્તિગત છે હું તેની ટીકા કે વખાણ કરતો નથી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા પાર્ટીથી નારાજ હોવાનું અનેક વખત ચર્ચાયું છે, જો કે તેમને હિન્દુત્વ પરના નીતિનભાઇના સ્ટેટમેન્ટને તેમનું વ્યક્તિગત નિવેદન ગણાવીને પોતે આ મુદ્દાથી દૂરી બનાવી લીધી છે.
ચૂંટણી પહેલા સમજાને તોડી રહ્યા છેઃ ભરતસિંહ સોલંકી
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નીતિન પટેલના નિવેદનને સમર્થન આપ્યું હતુ. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ કહ્યું છે કે ચૂંટણીઓ પહેલા આ લોકો સમાજને તોડી રહ્યાં છે.
August 30, 2021 at 07:25AM surat
Technosv2018
August 30, 2021
Technosv2018
August 30, 2021
સુરતના સુવાલી દરિયાકાંઠે ડુબી જવાના કારણે એક કિશોરનું મોત થયું છે. મૃતદેહને શોધવા ફાયર અને મરીન વિભાગે કવાયત હાથ ધરી છે. આઠ જેટલા મિત્રો સુરથી સુવાલી દરિયાકિનારે ફરવા માટે ગયા હતા.
August 30, 2021 at 05:01AM surat
Technosv2018
August 30, 2021
સુરતના પૂણા વિસ્તારમાં આવેલી વિક્રમનગર સોસાયટીમાં એક યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આપઘાત પાછળ પ્રેમપ્રકરણ કારણ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
August 30, 2021 at 04:46AM surat
Technosv2018
August 30, 2021
સુરતના (Surat) ઉધના વિસ્તારમાં (Udha area) દસ્તાવેજો કરવા માંગ કરાઈ છે. વેરા અને પાણી બિલ વધારવામાં આવે છે. ઘર પર લોન નથી મળતી. GEBની લાઇન જોખમી છે. બે મહિના સ્થાને એક મહિનાનું લાઇટ બિલ મળે છે. રખડતા ઢોરોનો ત્રાસ છે. દૂષિત પાણીના કારણે બીમારી વધી રહી છે.
August 29, 2021 at 10:48PM surat
Technosv2018
August 30, 2021
Technosv2018
August 30, 2021
ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટી સાથે ન જોડવાના (ordinance) વટહુકમનો અમલ શરૂ કરાયો છે. (Veer Narmad south Gujarat University) વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીએ આ મામલે પરિપત્ર જાહેર કર્યો છે. અગાઉ VNSGUએ આ અંગે એફિલેશન રદ્દ કર્યું હતું.
August 29, 2021 at 05:57AM surat
Technosv2018
August 29, 2021
Technosv2018
August 28, 2021
Technosv2018
August 28, 2021
નવસારીઃ નવસારી (Navsari)ના ખેરગામ ગામના યુવાને લગ્ન કરવા જબરદસ્તી કરી ધમકી આપતા યુવતીએ ગેળેફાંસો (Suicide) ખાઈની જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. ખેરગામની 21 વર્ષિય યુવતીએ ફાંસો ખાતા દુષપ્રેરણાની ફરિયાદ નોંધાઇ છે. બે પત્ની અને ચાર બાળકો હોવા છતાં એક તરફી પ્રેમ (Lover)માં આરોપી સોહેલ મંગેરા યુવતીને લગ્ન માટે દબાણ કરતો હતો. યુવતીની આત્મહત્યા બાદ માતાએ આરોપી સોહેલ સામે દુષપ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. નવસારી ગ્રામ્ય પોલીસે (Navsari Police) આરોપી સોહેલ મંગેરાની ધરપકડ કરી છે.
આજે સુરેન્દ્રનગરમાં લખતર તાલુકાના ઓળક ગામની સીમમાંથી ગળે ફાસો ખાધેલી હાલતમા યુવકની લાશ મળી આવી છે. મૃતકના ખિસ્સા માંથી મોબાઇલ અને પાકીટ મળી આવ્યું. પાકીટમાં રહેલ આધારકાર્ડથી મૃતક નું નામ અને સરનામું જાણવા મળ્યું હતું. સુરેન્દ્રનગર રતનપર બાયપાસ વિસ્તારમાં રહેતા યુવાને લખતરના ઓળક ગામના વીડ વિસ્તારમાં આવીને ગળે ફાસો ખાઈને આપઘાત કર્યો હતો.
અન્ય એક ઘટનામાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલ એક કોમ્પલેક્ષમા વકીલ દ્વારા બાળકી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. અંદાજે ૧૦ વર્ષની બાળકી જુબાની અર્થે આવી ત્યારે વકીલે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ભોગ બનનાર બાળકીના પરિવારજનોએ શહેરના એ ડિવિઝન પોલીસ મથકે વકીલ વિરુધ ફરિયાદ નોંધાવી છે.
Technosv2018
August 28, 2021
Technosv2018
August 28, 2021
Technosv2018
August 28, 2021
Technosv2018
August 28, 2021
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી કોસ્મેટિકની દુકાનમાં આગ લાગી છે. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે. ગાર્ડન વ્યૂ કોમલેક્સમાં આ આગ લાગી હતી. દુકાનમાં કોઈ સેફ્ટીના સાધનો ન હતા.
August 27, 2021 at 06:53AM surat
Technosv2018
August 27, 2021
સુરતના પિપલોદ વિસ્તારમાંથી ડ્રગ પેડલરની ધરપકડ કરાઇ છે. જાવેદ પઠાણ નામના યુવકની ધરપકડ કરાઇ છે. ઉમરા પોલીસે જાવેદ પાસેથી 1.980 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યું છે. લારા નામના વ્યક્તિ પાસેથી ડ્રગ પેડલર ડ્રગ લાવ્યો હતો.
August 27, 2021 at 05:52AM surat
Technosv2018
August 27, 2021
સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં આવેલું રાજ રાજેશ્વરી મંદિરમાં નાગ પંચમીની ઉજવણી કરવામાં આવી હતી. આ મંદિરમાં શેષનાગની પૂજા કરવામાં આવે છે. નાગપંચમી નિમિત્તે ભક્તોએ નાગ દેવતાની પૂજા કરી હતી.
August 27, 2021 at 03:16AM surat
Technosv2018
August 27, 2021
સુરત( Surat )ના ઓલપાડ(Olpad ) તાલુકાના ખેડૂતો(Farmers) મુશ્કેલીમાં મુકાયા છે. ઓલપાડ તાલુકામાં મોટા પ્રમાણમાં ખેડૂતો ભીંડાના પાકની ખેતી કરે છે. પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યાં. ખેડૂતો કહે છે કે વીઘા દીઠ બિયારણનો 6 હજાર 300 રૂપિયાનો ખર્ચ થાય છે.
August 27, 2021 at 02:00AM surat
Technosv2018
August 27, 2021
સુરત(Surat)માં ખાનગી અને સરકારી શાળામાં વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. 18 વર્ષથી વધુ વયના વિદ્યાર્થીઓ ટીચિંગ, નોન ટિચીંગ સ્ટાફને વેક્સિનેટ કરવામાં આવ્યા છે. શહેરની અલગ અલગ શાળામાં આ કામગીરી શરૂ કરાઈ છે.
Technosv2018
August 27, 2021
Technosv2018
August 27, 2021
સુરત : પતિ સાથે ઝગડો થતાં અલગ રહેતી કતારગામ વિસ્તારની બે બાળકોની માતા એવી યુવતી સાથે બાંધકામ સુપરવાઈઝરે યુવતીની દુકાનમાં જ શરીર સંબંધ બાંધ્યા હતા. યુવતી કરતાં પાંચ વર્ષ નાના બાંધકામ સુપરવાઈઝરે યુવતીને લગ્નનું વાયદો આપીને માથામાં સિંદૂર ભરીને મંગળસૂત્ર પણ પહેરાવ્યું હતું.
બાંધકામ સુપરવાઈઝરે યુવતીને ‘હવે તું મારી પત્ની છે’ તેમ કહી બાળકોના પિતા તરીકેની જવાબદારી નિભાવવાનું પણ વચન આપીને તેની દુકાનમાં તથા અન્ય સ્થળે અવારનવાર શરીર સંબંધ બાંધીને શરીર સુખ માણ્યું હતું. હવે તું મારી પત્ની છે થોડા સમય પછી યુવતીને તરછોડી દેતા કતારગામ પોલીસે મહિલાની ફરિયાદના આધારે બાંધકામ તેના પ્રેમી સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી બે બાળકોની માતા એવી 36 વર્ષની યુવતી હોઝીયરીનો ઓનલાઇન વેપાર કરવાની સાથે પોતાની દુકાન પણ ધરાવે છે. છ વર્ષ અગાઉ પતિ સાથે વિખવાદને લીધે તે અલગ થઈ હતી ત્યારે તેનો પરિચય બાંધકામ સુપરવાઈઝર તરીકે નોકરી કરતા નિખિલ રામજીભાઇ ટાંક ( ઉ.વ.31, રહે. ઘર નં.305-306, સાગર આવાસ એપાર્ટેમેન્ટ, ઘોળકિયા ગાર્ડનની બાજુમાં, કતારગામ, સુરત ) સાથે થયો હતો.
નિખિલે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હું તારી સાથે જ લગ્ન કરવાનો છું અને તારા બંને સંતાનોના પિતા તરીકેની જવાબદારી પણ નિભાવીશ તેમ કહી યુવતીના માથામાં સિંદૂર પૂરી તેને મંગળસૂત્ર પહેરાવી આપણે બન્ને હવે પતિ પત્ની છીએ તેમ કહ્યું હતું. નિખિલે યુવતી સાથે શરીર સંબંધ પણ બાંધ્યા હતા. ત્યાર બાદ નિખિલે યુવતી સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો અને બીજે રહેવા રૂમ અપાવી ત્યાં પણ બળજબરીથી શરીર સંબંધ બાંધતો હતો.
યુવતીનું કામ સારું ચાલતું હોવાથી નિખિલ તેની પાસેથી ટુકડે ટુકડે રૂ.30 હજાર અને દુકાનેથી કપડાં પણ લઈ ગયો હતો. યુવતીએ પૈસા પરત માંગતા નિખિલે પૈસા પરત કરવા ઇન્કાર કરી સંબંધ રાખવા અને લગ્ન કરવા ઇન્કાર કરી તેને તરછોડી દીધી હતી. તેણે બંને વચ્ચેના સંબંધની જાણ યુવતીના પતિને પણ કરવાની ધમકી આપી હતી. આથી છેવટે યુવતીએ નિખિલ વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે નિખિલ ટાંકની ધરપકડ કરી છે.
August 26, 2021 at 11:27PM surat
Technosv2018
August 27, 2021
સુરતઃ સુરતના કતારગામ વિસ્તારમાં માતા અને બહેનની હત્યાની આરોપી ડો. દર્શના પ્રજાપતિએ પોતાની સમસ્યાઓ માટે પિતા પર દોષનો ટોપલો ઢોળ્યો છે. ડો. દર્શના પ્રજાપતિએ પોતે શા માટે આત્મહત્યા કરવા માગે છે એ બાબતે પોલીસને નિવેદન આપ્યું હતું. ડો. દર્શનાએ આ નિવેદનમાં દાવો કર્યો કે, તેના પિતા પરિવારની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક જવાબદારી નિભાવી શક્યા હોત , પરંતુ તેમણે એવું કર્યું નહીં અને જવાબદારી ના નિભાવી તેથી પોતે જીવવા નથી માગતી. ડો. દર્શના હાલમાં આર્થિક સંકડામણમાં હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
કતારગામમાં ચીકુવાડી ચાર રસ્તા પાસે સહજાનંદ સોસાયટીમાં રહેતી દર્શના કાંતિલાલ પ્રજાપતિએ તેની માતા મંજુલાબેન અને નાની બહેન ફાલ્ગુનીને ઇન્જેક્શન આપી હત્યા કરી નાંખી હતી. ત્યાર બાદ ડો. દર્શના પ્રજાપતિએ પોતે પણ ઉંઘની વધુ પડતી ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જો કે તેના ભાઈએ તેના પેટમાંથી ગોળીઓ કઢાવીને સમયસર સારવાર અપાવતાં તે બચી ગઈ હતી.
ચોકબજાર પોલીસે તેની વિરુદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરીને મંગળવારે દર્શનાની ધરપકડ કરી છે. દર્શનાએ પોલીસને જણાવ્યું હતું કે તે ઘણા સમયથી ડિપ્રેશનમાં છે. તેના પિતાએ પરિવારની જવાબદારી નિભાવી ન હતી અને એક પિતા તરીકે પણ તેમણે સામાજિક-આર્થિક અને શૈક્ષણિક જવાબદારી નિભાવી ન હતી તેથી પોતે હતાશામાં સરી ગઈ હતી.
પોલીસે જણાવ્યું કે, ડો. દર્શના છેલ્લા બે દિવસથી સતત રડ્યા કરે છે. દર્શના કહે છે કે તેની માતા અને બહેન તેની વગર જીવી શકે એમ ન હોવાથી તેમની હત્યા કરી હતી. હવે પોતે માતા અને બહેન વગર કેવી રીતે જીવી શકશે? માતા અને બહેન વગરનું જીવન વ્યર્થ છે તેથી પોતે આપઘાત કરી લેશે એવું તેનું કહેવું છે. મંગળવારે ચોકબજાર પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો.
August 26, 2021 at 11:11PM surat
Technosv2018
August 27, 2021
સુરત( Surat)ના ડિંડોલી(Dindoli) વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું છે. છેલ્લા બે દિવસથી આરોપી નવા મકાનના કલરકામ માટે આવતો હતો. બાળકી રમી રહી હતી ત્યારે એકલતાનો લાભ ઉઠાવી ચોકલેટ આપવાના બહાને દુષ્કર્મ આચર્યું હતું.
August 26, 2021 at 10:01PM surat
Technosv2018
August 27, 2021
સુરતના અનિલ ડાંગર નામના યુવકે અનેક લોકોના જીવ અને મુદ્દામાલ બચાવ્યા હતા. પરંતુ આ બહાદુર યુવકની ખબર અંતર પૂછવા માટે હાલ કોઈ દેખાઈ રહ્યું નથી. ભરુચ પાસે લૂંટારુઓએ બસ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ સમયે લૂંટારુઓ સાથે બાથ ભીડીને અનિલ ડાંગરે લોકોના જીવ બચાવ્યા હતા.
August 26, 2021 at 07:21AM surat
Technosv2018
August 26, 2021
સુરતના મનપાના આરોગ્ય વિભાગે મીઠાઇની દુકાન પર દરોડા પાડ્યા હતા. રક્ષાબંધન પહેલા પડેલા દરોડામાં મીઠાઇના સેમ્પલ લેવાયા હતા. લાખો કિલો મીઠાઇ ખાઈ લીધા બાદ હવે આ મીઠાઈનો રિપોર્ટ આવ્યો છે. જેનો માવો બિન આરોગ્યપ્રદ હોવાનું સામે આવ્યું છે.
August 26, 2021 at 03:22AM surat
Technosv2018
August 26, 2021
સુરત(Surat)માં લોકમાતા તાપી નદી(Tapi river)ને શુદ્ધ કરવા માટે મહાનગરપાલિકાને વધુ 25 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. 71 કરોડ 35 લાખના પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર તરફથી મહાનગરપાલિકાને ત્રણ ટકા નાણાકીય સહાય આપવામાં આવશે.
Technosv2018
August 26, 2021
સુરતઃ સુરતના કતારગામ વિસ્તારમાં માતા અને બહેનની હત્યાની આરોપી ડો. દર્શના પ્રજાપતિએ પોતાની સમસ્યાઓ માટે પિતા પર દોષનો ટોપલો ઢોળ્યો છે. ડો. દર્શના પ્રજાપતિએ પોતે શા માટે આત્મહત્યા કરવા માગે છે એ બાબતે પોલીસને નિવેદન આપ્યું હતું. ડો. દર્શનાએ આ નિવેદનમાં દાવો કર્યો કે, તેના પિતા પરિવારની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક જવાબદારી નિભાવી શક્યા હોત, પરંતુ તેમણે એવું કર્યું નહીં અને જવાબદારી ના નિભાવી તેથી પોતે જીવવા નતી માગતી. ડો. દર્શના હાલમાં આર્થિક સંકડામણમાં હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
કતારગામમાં ચીકુવાડી ચાર રસ્તા પાસે સહજાનંદ સોસાયટીમાં રહેતી દર્શના કાંતિલાલ પ્રજાપતિએ તેની માતા મંજુલાબેન અને નાની બહેન ફાલ્ગુનીને ઇન્જેક્શન આપી હત્યા કરી નાંખી હતી. ત્યાર બાદ ડો. દર્શના પ્રજાપતિએ પોતે પણ ઉંઘની વધુ પડતી ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જો કે તેના ભાઈએ તેના પેટમાંથી ગોળીઓ કઢાવીને સમયસર સારવાર અપાવતાં તે બચી ગઈ હતી.
ચોકબજાર પોલીસે તેની વિરુદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરીને મંગળવારે દર્શનાની ધરપકડ કરી છે. દર્શનાએ પોલીસને જણાવ્યું હતું કે તે ઘણા સમયથી ડિપ્રેશનમાં છે. તેના પિતાએ પરિવારની જવાબદારી નિભાવી ન હતી અને એક પિતા તરીકે પણ તેમણે સામાજિક-આર્થિક અને શૈક્ષણિક જવાબદારી નિભાવી ન હતી તેથી પોતે હતાશામાં સરી ગઈ હતી.
પોલીસે જણાવ્યું કે, ડો.દર્શના છેલ્લા બે દિવસથી સતત રડ્યા કરે છે. દર્શના કહે છે કે તેની માતા અને બહેન તેની વગર જીવી શકે એમ ન હોવાથી તેમની હત્યા કરી હતી. હવે પોતે માતા અને બહેન વગર કેવી રીતે જીવી શકશે? માતા અને બહેન વગરનું જીવન વ્યર્થ છે તેથી પોતે આપઘાત કરી લેશે એવું તેનું કહેવું છે. મંગળવારે ચોકબજાર પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો.
August 25, 2021 at 11:40PM surat
Technosv2018
August 26, 2021
ગણેશ વિસર્જન માટે સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation) 18 કૃત્રિમ તળાવ બનાવશે. બે ફુટ સુધીની મૂર્તિ ઘરઆંગણે જ્યારે બાકીની કૃત્રિમ તળાવમાં વિસર્જિત થશે. આ તળાવમાં બેથી ચાર ફુટ સુધીની મૂર્તિનું વિસર્જન કરવાની વ્યવસ્થા કરાઈ છે.
Technosv2018
August 26, 2021
Technosv2018
August 26, 2021
સુરતના ચોક બજાર વિસ્તારમાં જ્યા મહિલા તબીબની ધરપકડ કરવામાં આવી હતી. ડોક્ટર દર્શના પ્રજાપતિ સહિત સામૂહિક હત્યાકાંડ મામલે મહિલા તબીબની ધરપકડ કરાઇ હતી. જીવનથી કંટાળી જઈ તબીબે માતા અને બહેનને ઝહેરવાળું ઈંજેકશન આપ્યું હતું. અને પોતે ઊંઘની ગોળી ખાધી હતી.
August 25, 2021 at 04:05AM surat
Technosv2018
August 25, 2021
સુરતના ઓલપાડ તાલુકાના શેરડી ગામની મૈત્રી પટેલે 19 વર્ષની ઉંમરે કમર્શિયલ પાયલટનું લાઇસન્સ મેળવ્યું છે. અમેરીકામાં 18 મહિનાનો કોર્સ 6 મહિનામાં પૂર્ણ કર્યો છે. હવે મૈત્રી પટેલ બોઈંગ વિમાન ઉડાવવા માંગે છે. ખેડૂત પરિવારની દીકરી છે મૈત્રી પટેલ. માતા સુરત મનપામાં કામ કરે છે અને પિતા ખેડૂત છે.
Technosv2018
August 25, 2021
સુરતની લોકમાતા તાપી નદીમાં ઔદ્યોગિક એકમો(Industrial units) ઝેરી કેમિકલ( toxic chemicals ) ઠાલવી રહ્યા છે. નદીમાં ઝેરી તત્વો છોડી પ્રદુષિત કરતા લોકો સામે જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે રાંદેરનો ખલાસી સમાજ જિલ્લા કલેક્ટરને પત્ર આપીને રજુઆત કરશે
Technosv2018
August 25, 2021
સુરતના સચિન વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતી યુવતીનું તેના જ પરિવારજનો(family members)એ અપહરણ કર્યું છે. યુવતીએ અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમલગ્ન કરી લેતા પરિવારને મંજૂર ન હતું.
Technosv2018
August 25, 2021
સુરતઃ પુણામાં હીરાના વેપારીને અજાણી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવા ભારે પડી ગયા હતા. પુણાના હીરાના વેપારીને યુવતીએ હનીટ્રેપમાં ફસાવી 3 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો. જોકે, વેપારીએ પોલીસ ફરિયાદ કરતાં યુવતી સહિત બે આરોપીઓની પોલીસ ધરપકડ કરી લીધી છે. ગેંગના 10 સભ્યો દ્વારા વેપારીને હનીટ્રેપમાં ફસાવીને તોડ કરવામાં આવ્યો હતો.
પુણા પોલીસે યુવતી સહિત બે લોકોની ધરપકડ કરતાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. કુલ 10 આરોપીઓએ હનીટ્રેપ કર્યું હતું. પુણા પોલીસે સીસીટીવીના આધારે પુણા વિસ્તારમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. હનીટ્રેપમાં ભારતી, મંજુ, હિરલ, સોનુ સનોબર ઉફ્રે સોનુ ઉર્ફે સોનલ અદનાન મકરાની, ચિરાગ જાધવના નામ ખૂલ્યા છે.
પુણા પોલીસે વેપારીને હનીટ્રેપમાં ફસાવી શરીરસંબંધ બાંધનાર યુવતી અને એક નકલી પોલીસ એવા રીક્ષા ડ્રાઇવરની ધરપકડ કરી છે. પકડાયેલી યુવતીનું નામ સોનુ ઉર્ફે સનોબર અદનાન મકરાની છે. જે યુવકોને લલચાવીને તેમની સાથે શારીરિક સંબંધ બાંધતી હતી. આ પછી અન્ય લોકો ફસાયેલી વ્યક્તિ સાથે તોડ કરતા હતા.
પોલીસે આ ગેંગના બેની ધરપકડ કરી લીધી છે. જ્યારે ગુનામાં વપરાયેલી રીક્ષા પણ કબ્જે કરવામાં આવી છે. અન્ય ફરાર થઈ ગયેલા આરોપીને શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ હનીટ્રેપમાં મંજુ માસ્ટર માઇન્ડ હોવાનું પણ બહાર આવ્યું છે.
Dahod : યુવતીએ પ્રેમીને મેસજ કરી મળવા બોલાવ્યો, યુવક મજા કરવા પહોંચ્યો ને.....
દાહોદઃ સુખસરના સાગડાપાડા ગામે 22 વર્ષીય યુવકની પ્રેમપ્રકરણમાં હત્યા થઈ જતાં ચકચાર મચી ઘઈ છે. પ્રેમીને મળવા બોલાવ્યા બાદ યુવતીના પિતા અને ભાઈએ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. યુવતીએ પ્રેમીને મેસજ કરી મળવા બોલાવ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
સાગડાપાડા ગામે પુલ પાસે યુવતીના પિતા અને ભાઈએ યુવકને માર માર્યો હતો. માથા અને શરીરના ભાગે ઇજા થતાં દાહોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. લાકડીઓના માર મારતા યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. યુવકના માથાના ભાગે ગંભીર ઇજાઓ આવી હતી. યુવતીના પિતા અને ભાઈ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો છે. પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.
મારગાળાનો સંજયભાઇ રમસુભાઇ કીકલાભાઇ બારીયા સાગડાપાળાની પ્રેમપ્રકરણમાં હત્યા કરવામાં આવી છે. યુવતીએ મળવા બોલાવતાં ઘરે ફ્રેન્ડના ઘરે જઉં છુ કહી મોટર સાયકલ લઇને ઘરેથી સાગડાપાળા ગયો હતો. સાગડાપાળા જઇ સંજય તેના ફોઇના છોકરા સાથે યુવતીના ઘર પાસે ગયા હતા.
થોડીવારમાં યુવતી આવતાં તેણે ત્રણેય બાઇક લઈને ત્યાંથી દૂર ગયા હતા. અહીં પ્રેમી-પ્રેમિકા વાતચીત કરી તેને ઘરે મુકવા જતા હતા. તેઓ સાગડાપાડા ગામે પુલ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં અગાઉથી જ યુવતીના પિતા અને તેના ભાઈ લાકડી લઈને ઉભા હતા. યુવતીના પિતાએ દીકરીના પ્રેમીને માથામાં લાકડી મારતાં ત્રણેય બાઇક પરથી પડી ગયા હતા. આ પછી પિતા-પુત્રે દીકરીના પ્રેમીને ઢોર માર માર્યો હતો. જેમાં ગંભીર ઇજા થતાં પિતા-પુત્રે તેને દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. બીજી તરફ સંજયના ફોઇના દીકરાએ પરિવારના સભ્યોને જાણ કરતાં તમામ ત્યાં પહોંચી ગયા હતા. બીજી તરફ મોડી રાત્રે સંજયનું સારવાર દરમિયાન મોત નીપજતાં ફતેપુરા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
August 24, 2021 at 09:40PM surat
Technosv2018
August 25, 2021
સુરતમાં ઘરફોડ ચોરી અને અપહરણ કરતી ગેંગ(kidnapping gang) ઝડપાઈ છે. આ ગેંગે ડિંડોલીમાં ચોરી અને પાંડેસરા વિસ્તારમાં અપહરણની ઘટનાને અંજમ આપ્યો હતો. મહિલા પાસેથી પૈસા લીધા હતા મહિલાએ ઉઘરાણી શરૂ કરતા તેની બાળકીનું અપહરણ કર્યું હતું.
Technosv2018
August 25, 2021
Technosv2018
August 25, 2021
સુરત રેલ્વે ટ્રેકની આસપાસ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઇ છે. પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ હટાવાયું છે. કમેલા દરવાજા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઇ છે. સુરત સ્ટેશનથી સચિન સુધીમાં 9 હજાર ઝૂપડાઓનું ડિમોલેશન હાથ ધરાયું છે. પ્રશાસને સ્થાનિકો માટે વૈક્લ્પિક વ્યવસ્થા કરી આપી છે.
Technosv2018
August 24, 2021
આજે શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. આ અંગે સુરતના શિક્ષકોએ કહ્યું કે, આ કસોટી મરજીયાત છે. પરંતુ આ કસોટી ફરજીયાત લેવાય તે અંગેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેથી શિક્ષકોને ડર સતાવી રહ્યો છે.
Technosv2018
August 24, 2021
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ 1લી સપ્ટેમ્બરથી કોલેજ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. યુનિવર્સિટી સત્તાધીશોએ પહેલુ સત્ર 30 નવેમ્બર સુધી પુરુ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે 15 જૂનથી નવુ શૈક્ષણિક સત્ર 2022-23 શરૂ કરવાની જાહેરાત કરી છે.
Technosv2018
August 24, 2021
સુરતઃ ચીકુવાડી ચાર રસ્તા સ્થિત સહજાનંદ સોસાયટીમાં ઘેનના ઇંજેક્શનનો ઓવરડોઝ આપીને માતા અને બહેનનું મોત નીપજાવનાર ડોક્ટર યુવતી સામે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. ડોક્ટર દર્શનાએ માતા-બહેનની હત્યા કરી પોતે પણ ઉંઘની ગોળીઓ ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ કેસમાં મોટો ધડાકો થયો છે.
31 વર્ષીય હોમિયોપેથી ડો.દર્શના પ્રજાપતિએ રવિવારે પોતાની 62 વર્ષીય માતા મંજુલાબેન અને 29 વર્ષીય નાની બહેન ફાલ્ગુનીને 10-10 એમએલના ઘેનના ઇન્જેક્શનના ડોઝ આપી હત્યા કરી નાંખી હતી. ડો.દર્શના પોતે ડોક્ટર હોવાથી તેને ખબર હતી કે ઘેનની દવાના ઇન્જેક્શનનો 2 એમએલથી વધુનો ડોઝ મોત નીપજાવી શકે છે. આમ છતાં તેણે તેની માતા અને બહેનને પાંચ ગણા વધુ ડોઝ આપ્યા હતા.
પોલીસ તપાસમાં એવો પણ ધડાકો થયો છે કે, ડો.દર્શના પોતાના ક્લિનિક પરથી આ 10-10 એમએલના બે ડોઝ એટલે કે 20 એમએલ ડોઝ લઇને નીકળી હતી. ઘેનના ઇન્જેક્શન આપી માતા અને બહેનની હત્યા કરી હતી. આ પછી પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ડો. દર્શના હાલ કિરણ હોસ્પિટલમાં પોલીસની વોચ હેઠળ સારવાર લઇ રહી છે.
જ્યારે તેની માતા મંજુલાબેન અને બહેન ફાલ્ગુનની સોમવારે અંતિમવિધિ કરાઈ હતી. આરોપી દર્શના પ્રજાપતિની તબિયત હાલ સુધારા પર છે. હોસ્પિટલથી મંગળવારે ડિસ્ચાર્જ અપાયા બાદ તેની ધરપકડ કરાશે. દર્શના ફરીથી આપઘાતનો પ્રયાસ ન કરે તે માટે પોલીસ અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે.
ડો. દર્શના અંગે એવી પણ વિગતો જાણવા મળી છે કે, ડોક્ટર બનવામાં દર્શનાની ઉંમર વીતી ગઈ હતી. તેથી તેના લગ્ન હજુ થયા નહોતા. જોકે, ભાઈ ઠરીઠામ થતાં હવે થોડા દિવસોમાં દર્શનાના લગ્નની વાત કરવાની હતી. તેમજ આ પછી નાની બહેન ફાલ્ગુનીના લગ્નનું પણ આયોજન હતું. જોકે, આ પહેલા જ દર્શનાએ આ પગલું ભર્યું હતું.
August 23, 2021 at 09:54PM surat
Technosv2018
August 24, 2021
સુરતમાં ગણેશ ઉત્સવ સમિતિએ (Ganesh Utsav Committee) પોલીસ કમિશ્નર (Commissioner of Police in Surat) સાથે બેઠક કરી હતી. ગણેશ ઉત્સવ સમિતિએ રજૂઆત કરી છે કે,, ગલી, શેરી અને એપાર્ટમેંટમાં જાહેરમાં મંડપ નાખવા માટે મંજૂરી માંગી હતી. મંડપ ડેકોરેશને રોજગાર મળે એ દિશામાં નિર્ણય લેવા રજૂઆત કરી હતી.
August 23, 2021 at 09:38AM surat
Technosv2018
August 23, 2021
સુરતમાં પણ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહ્યા છે. વાયરલ ઇન્ફેકશનના કેસમાં વધારો થયો છે. 15 દિવસમાં ઝાડા-ઉલ્ટી, મલેરીયા અને ડેન્ગ્યુના કેસે માથું ઉચક્યું છે.
August 23, 2021 at 03:43AM surat
Technosv2018
August 23, 2021
સુરતના રાંદેર-રામનગર વિસ્તારમાં સિટી બસે અકસ્માત સર્જ્યો છે. સતનામ સર્કલ પાસે ઓવર ટેક કરતી કારને બસે ટક્કર મારી હતી. અકસ્માત દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી. બસના ડ્રાઇવરની લાપરવાહીના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનો લોકોએ આરોપ લગાવ્યો છે
Technosv2018
August 23, 2021
સુરતઃ શહેરમાં મેરેજ બ્યુરોના માધ્યમથી પરિચયમાં આવેલા યુપીના યુવકે વિધવાને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. વિધવાના માથામાં સિંદુર પુરી લગ્ન થઈ ગયા હોવાનું જણાવીને યુવકે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે, યુવકે બીજે લગ્ન કરી લેતા મામલો સામે આવ્યો છે. યુવકે વિધવાના પુત્રને વોટ્સએપ પર મેસેજ કરીને ધમકી પણ આપી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, દોઢ વર્ષ પહેલા મેરેજ બ્યુરોના માધ્યમથી યુપીનો યુવક જહાંગીરાબાદની વિધવા સાથે કોન્ટેક્ટમાં આવ્યો હતો. યુવકે લગ્નની લાલચ આપી શારિરીક સંબધ બાંધી તેને છોડી અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લેતા મામલો રાંદેર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. યુવકે ધમકી આપી હતી કે, તુને મેરે ખિલાફ પોલીસ કમ્પલેઇન કીયા તો તેરે કો ઔર તેરે લડકે કો જાન સૈ માર દુગાં ઔર બદનામ કર દુગાં, 41 વર્ષીય વિધવા ઓનલાઇન ફૂડ કંપનીમાં નોકરી કરે છે.
યુપીનો હર્ષવર્ધન ઉર્ફે મુકેશ આત્માપ્રકાશ વર્મા શરૂઆતમાં વિધવા સાથે વોટ્સએપ અને વિડીયો કોલથી વાત કરતો હતો. પછી બન્ને વચ્ચે પ્રેમસંબંધ થયો હતો. આરોપીએ વિધવાને તેના ઘરે સુરત આવવાની વાત કરતા તેણે હા પાડી દીધી હતી. જેથી તે ગત 28 નવેમ્બરે વિધવાના ઘરે આવ્યો હતો. અહીં લગ્ન બાબતે ફેમિલીને પૂછવા માટે આરોપીએ એક વર્ષનો સમય માંગ્યો હતો.
યુવકે વિધવાને અમદાવાદ અને દિલ્હી 8 દિવસ લઈ ગયો ત્યાં પણ સંબંધ બાંધ્યો હતો. તેમજ આ પછી યુવકે ફોન બંધ કરી દીધો હતો. યુવકે અન્ય સ્ત્રી જોડે લગ્ન કર્યાની સોશિયલ મીડીયાથી જાણ થતાં વિધવાએ ફરિયાદ નોંધાવી હતી.
August 22, 2021 at 11:50PM surat
Technosv2018
August 23, 2021
સુરતના (Surat) અબ્રામા અને મોટા વરાછા નજીક તાપી નદીમાં (Tapi river) કોઈ કારણોસર મોટી સંખ્યામાં માછલીના (Fish) મોત (death) નિપજ્યા હતા. માછલીઓના મોતના પગલે કોઈએ નદીમાં ઝેરી કેમિકલ ઠાલવ્યુ હોવાની આશંકા છે. હાલ તો માછલીઓના મોત ક્યાં કારણોસર થયા તે અંગે તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત સામે આવશે.
August 22, 2021 at 11:37PM surat
Technosv2018
August 23, 2021
સુરત (Surat) મનપાના સફાઈ કામદારે (Sweeper) આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. એસએમસી આવાસમાં રહેતા ૩૫ વર્ષીય ગોપાલ સનાભાઈએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. તેઓ પત્ની અને ૩ સંતાન સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સફાઈ કામદાર ગોપાલે ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઉધના પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
August 22, 2021 at 10:26PM surat
Technosv2018
August 23, 2021
સુરત: સુરત શહેરમાં હચમચાવી દેનારી ઘટના બની છે. સુરતના કતારગામમાં માતા અને બે પુત્રીએ ઝેરી દવા પી સામૂહિક આપઘાત કર્યો હતો. જેમાં માતા અને એક શિક્ષક પુત્રીનું મોત થયું છે. જ્યારે ડોક્ટર પુત્રીની હાલત ગંભીર છે. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે, હાલ સામૂહિક આપઘાતનું કારણ સામે આવ્યું નથી.
પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, ડોક્ટર યુવતી દર્શનાએ માતા અને બહેનને ઉંઘની દવાનું ઇંજેક્શન આપ્યું હતું. તેમજ આ પછી પોતે પણ ઉંઘની ગોળીઓ ખાઈને આપઘાત કર્યો હતો. દર્શનાએ માતા-બહેનને ઇંજેક્શનમાં વધુ માત્રામાં દવા આપતાં તેમનું મોત નીપજ્યાનું પોલીસને જણાવ્યું હતું.
પોલીસને દર્શના સાડાંગરે લખેલી એક ચીઠ્ઠી પણ મળી આવી છે, જેમાં તેમણે લખ્યું છે. માતા અને બહેન સાથે મારી ખુબ જ લાગણી છે, તેઓ મારા વગર રહી શકશે નહીં એટલે ઇન્જેક્શન આપ્યું છે.
રક્ષાબંધનના તહેવારના દિવસે જ આ પ્રકારની ઘટનાને લઇને અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે. 59 વર્ષીય માતા મંજુલાબેન કાંતિભાઈ સોડાંગર અને 28 વર્ષીય ફાલ્ગુનીનું મોત નીપજ્યું છે. ફાલ્ગુની વ્યવસાયે શિક્ષક હોવાનું જાણવા મળ્યું છે. દર્શના જે ડોક્ટર તરીકે ફરજ બજાવે છે તેની સ્થિતિ હાલ નાજૂક છે. ક્યા કારણસર આપઘાત કરવામાં આવ્યો છે તે અંગે કોઈ માહિતી મળી નથી.
પ્રજાપતિ સમાજમાં એકાએક બનેલી ઘટનાને લઇને સમગ્ર સમાજમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. રક્ષાબંધનના દિવસે જ આ પ્રકારની ઘટના બની છે તેને લઈને પારિવારિક કંકાસ હોય શકે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ક્યા કારણસર આપઘાત કરવામાં આવ્યા છે તેને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે, ડોક્ટર દીકરી દર્શના જીવનથી કંટાળી ગઈ હતી. માતા અને બહેન તેમની પર ડિપેન્ડન્ટ અને લાગણીથી જોડાયેલા હતા. તેમની સાથે એમના ભાઈ-ભાભી રહેતા હતા. પરંતુ ત્રણ દિવસથી ભાઈ-ભાભી બહાર હતા. જેથી સાથે આપઘાતનું પગલું ભર્યું હતું.
August 22, 2021 at 09:53PM surat
Technosv2018
August 23, 2021
સુરત(Surat)ના ઉધના વિસ્તારમાં જાહેરમાં ખૂની ખેલ ખેલાયો છે. ઉધનાના કૈલાસ નગરમાં રસ્તા પર એક યુવકની હત્યા કરી દેવાઈ છે. આ યુવકને તીક્ષ્ણ હથિયાર વડે રહેસી નખાયો છે. અંગત અદાવતમાં આ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.
August 22, 2021 at 09:00PM surat
Technosv2018
August 23, 2021
સુરતના કતારગામ વિસ્તારમાં રક્ષાબંધનના દિવસે એક પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં માતા અને એક દિકરીનું મોત થયું છે. જ્યારે અન્ય એકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
August 22, 2021 at 08:47PM surat
Technosv2018
August 23, 2021
સુરત: સુરત શહેરમાં હચમચાવી દેનારી ઘટના બની છે. સુરતના કતારગામમાં માતા અને બે પુત્રીએ ઝેરી દવા પી સામૂહિક આપઘાત કર્યો છે. જેમાં માતા અને એક શિક્ષક પુત્રીનું મોત થયું છે. જ્યારે એક ડોક્ટર પુત્રીની હાલત ગંભીર છે. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે, હાલ સામૂહિક આપઘાતનું કારણ સામે આવ્યું નથી.
રક્ષાબંધનના તહેવારના દિવસે જ આ પ્રકારની ઘટનાને લઇને અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે. 59 વર્ષીય માતા મંજુલાબેન કાંતિભાઈ સોડાંગર અને 28 વર્ષીય ફાલ્ગુનીનું મોત નીપજ્યું છે. ફાલ્ગુની વ્યવસાયે શિક્ષક હોવાનું જાણવા મળ્યું છે. દર્શના જે ડોક્ટર તરીકે ફરજ બજાવે છે તેની સ્થિતિ હાલ નાજૂક છે. ક્યા કારણસર આપઘાત કરવામાં આવ્યો છે તે અંગે કોઈ માહિતી મળી નથી.
પ્રજાપતિ સમાજમાં એકાએક બનેલી ઘટનાને લઇને સમગ્ર સમાજમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. રક્ષાબંધનના દિવસે જ આ પ્રકારની ઘટના બની છે તેને લઈને પારિવારિક કંકાસ હોય શકે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ક્યા કારણસર આપઘાત કરવામાં આવ્યા છે તેને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
અફઘાનિસ્તાનમાં સ્થિતિ એકદમ ખરાબ, કાબુલ એરપોર્ટ મચેલી ભાગદોડમાં 7 અફઘાન નાગરિકોના મોત- બ્રિટન
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ મચેલી અફડાતફડીની વચ્ચે કાબુલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટની નજીક એકઠા થયેલા લોકોના ટોળામાં સામેલ સાત અફઘાન નાગરિકોના મોત થઇ ગયા છે. આ વાતની જાણકારી બ્રિટેનની સેનાએ આપી છે. બ્રિતાની રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું- જમીની સ્થિતિ અત્યંત પડકારરૂપ છે, પરંતુ અમે વધુમાં વધુ સુરક્ષિત રીતે સ્થિતિને સંભાળવાની દરેક કોશિશ કરી રહ્યાં છીએ. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ તેના શાસનથી બચીને ભાગવાની કોશિશમાં હજારો લોકો એરપોર્ટ પર એકઠા થઇ ગયા છે.
બ્રિટિશ રક્ષા મંત્રાલયે રવિવારે નિવેદન જાહેર કરીને કહ્યું- કાબુલની હાલની જમીની સ્થિતિ એકદમ પડકારરૂપ છે. અમે સુરક્ષિત રીતે સ્થિતિને સંભાળવાની કોશિશમાં જોડાયા છીએ. અફડાતફડી તે સમયે મચી જ્યારે તાલિબાન લડાકુઓથી ભરેલા એરપોર્ટ પરથી લોકો ઝડપથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યાં હતા.
ઘટના તે સમયે ઘટી જ્યારે તાલિબાની આતંકી ભીડને વેરવિખેર કરવા માટે ફાયરિંગ કરી રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન પર કબજા બાદ કાબુલ સહિત કેટલાય શહેરોમાં અફડાતફડીની સ્થિતિ પેદા થઇ ગઇ છે.
Technosv2018
August 22, 2021
સુરતના ડિંડોલીમાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિએ હોબાળો કર્યો છે. પાલિકાની દબાણ ખાતાની કામગીરીમાં કોર્પોરેટરના પતિએ રૂકાવટ કરી છે. ખરવાસા રોડ પર ભરાતા બજારમાં દબાણ થતા કોર્પોરેટરના પતિએ હોબાળો મચાવ્યો છે.
August 22, 2021 at 02:53AM surat
Technosv2018
August 22, 2021
સુરત(Surat)ના અલગ અલગ વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. અહીંયાના અઠવા, પાર્લેપોઈન્ટ, ડુમ્મસ રોડ, વેસુ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. અહીંયા વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
August 21, 2021 at 10:34PM surat
Technosv2018
August 22, 2021
આવતીકાલે રક્ષાબંધનનું પર્વ છે, ત્યારે સુરતમાં અનોખી રક્ષાબંધન ની ઉજવણી જોવા મળી. સુરત ભાજપના સાંસદ અને કેંદ્રીય મંત્રી દર્શનાબેને નવસારી ભાજપના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. સુરતના સાંસદ દર્શના જરદોશે (darshana jardosh) ભાજપના અધ્યક્ષ સી આર પાટીલને રાખડી બાંધી હતી.
[tw]https://twitter.com/DarshanaJardosh/status/1429013888943591426[/tw]
દર્શના જરદોશે સીઆર પાટીલ (cr patil) ને રાખડી બાંધી તેમના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થય માટેની પ્રાર્થના કરી છે. સુરતના સાંસદ દર્શના જરદોશ હાલ કેન્દ્રિય રેલવે અને કાપડ રાજ્યમંત્રી છે. તો નવસારીના સાંસદ સીઆર પાટીલ ભાજપ (BJP) પ્રદેશ અધ્યક્ષ છે. સીઆર પાટીલને રાખડી બાંધીને દર્શના જરદોશે તેમની પાસેથી ગુજરાતની તમામ માતાઓ-દીકરીઓ અને રાજ્યના રક્ષા માટેની ભેટ માંગી હતી.
Raksha Bandhan 2021: આ રક્ષાબંધને બની રહ્યો છે આ યોગ,જાણો ક્યાં સમય સુધી બાંધી શકાશે રાખડી
આ વર્ષે રક્ષા બંધનનો તહેવાર 22 ઓગસ્ટે મનાવાશે. આ વર્ષના રક્ષા બંધના પર્વે સમગ્ર દિવસ દરમિયાન શુભ મુહૂર્ત હોવાથી બહેન દિવસમાં ગમે ત્યારે ભાઇને રાખડી બાંધી શકશે, આ વર્ષે 22 ઓગસ્ટ સાંજે 5:58 મિનિટ સુધી શુભ મૂહૂર્ત છે.
આ વર્ષે રાખીની તિથી 21 ઓગસ્ટથી જ બેસી જાય છે અને 22 ઓગસ્ટ સાંજે 5:58 મિનિટ સુધી રહેશે. આ વર્ષે રક્ષાબંધનમાં ઘનિષ્ઠ અને શોભન યોગ બની રહ્યો છે. આ બંને યોગ બનવાની કારણે આ પર્વનુ શુભ ફળ વધી જાય છે.
હિન્દુ પંચાગ મુજબ શ્રાવણના શુકલ પક્ષની પૂર્ણિમા તિથિ 21 ઓગસ્ટ સાંજે 3.45 મિનિટથી શરૂ થઇને 22 ઓગસ્ટ સાંજે 5:58 મિનિટ સુધી ચાલશે. રક્ષા બંધન ઉદયા તિથિમા 22 ઓગસ્ટે મનાવવામાં આવશે.
પૌરાણિક મહત્વની વાત કરીએ તો ભગવાન શ્રીકૃષ્ણને મહારાણી દ્રોપદી દ્વારા શિશુપાલ વધ બાદ કપાયેલી આંગણી પર સાડીની પટ્ટી બાંધી દીધી હતી. જેને રક્ષાસૂત્ર માનતા શ્રીકૃષ્ણ ભગવાને તેને ભવિષ્યમાં રક્ષાનું વચન આપ્યું હતું. હુમાયુએ એક ભાઇની ફરજ અદા કરતા દુર્ગાવતીની રક્ષા કરી હતી.
Technosv2018
August 21, 2021
તાપી : વ્યારાના માયપુર ગામે આવેલ એસ્સારના પેટ્રોલપંપ પર બાઇક સવાર બે લૂંટારાએ લૂંટ ચલાવતા ચકચાર મચી ગઈ છે. રેઇનકોટ પહેરી કાળા પ્લસર બાઇક પર આવેલા બે લૂંટારુઓએ બંદૂક અને ચપ્પુની અણીએ દીન દહાડે દિલધડક લૂંટ ચલાવી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
બંને લૂંટારાઓએ 94 હજાર રૂપિયા ની લૂંટી ચલાવી પ્લસર બાઇક પર પલાયન થઈ ગયા છે. વ્યારા પોલીસે પેટ્રોલપંપ સંચાલકની ફરિયાદના આધારે લૂંટારાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સવારે નવ વાગ્યાના અરસામાં લૂંટ થઈ છે. સમગ્ર લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બે લૂંટારા પલ્સર પર આવે છે. તેમજ તેઓ એસ્સાર પેટ્રોલપંપની કેબિનમાં જાય છે. અહીં હાજર બે કર્મચારીઓને બંદૂક અને ચપ્પુ બતાવીને ધમકાવે છે અને પછી રૂપિયાની લૂંટ ચલાવે છે. અંતે કેબિન બહારથી બંદ કરી બાઇક લઈને ફરાર થઈ જાય છે.
વડોદરાઃ 16 વર્ષીય છોકરીને અવાવરું જગ્યાએ લઈ પરાણે શારીરિક સંબંધ બાંધનાર GRD જવાન ઝડપાયો
વડોદરાઃ વાઘોડિયાના યુવક સાથે કેનાલ પર ફરવા ગયેલી સગીરાને બ્લેકમેલ કરીને પોલીસ જવાને પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સાવલી પોલીસ સ્ટેશનના GRD જવાને બ્લેકમેઇલ કરીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. પોલીસે ગણતરીની કલાકોમાં જ તમામ આરોપીને ઝડપી પાડ્યા છે. અગાઉ 3 આરોપીની ધરપકડ કર્યા પછી આજે મુખ્ય આરોપી એવા જીઆરડી જવાન અનિલ ગોહિલની પણ અટકાયત કરી લેવામાં આવી છે. આરટીપીસીઆર ટેસ્ટ બાદ ધરપકડ કરવામાં આવશે. પોલીસની ઓળખ આપી યુવતીને કારમાં બેસાડી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.
3 જીઆરડી જવાન સહિત 4 મિત્રોએ યુવક અને સગારી પાસેથી 8 હજાર રૂપિયા પણ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગઈ કાલે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જ્યારે સગીરા પર બળાત્કાર ગુજારનાર પોલીસ જવાન હજુ ફરાર હતો. જોકે, હવે તેની પણ અટકાયત કરી લેવામાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, વાઘોડિયા તાલુકાના યુવક સાથે 16 વર્ષીય સગીરા ખાખરીયા કેનાલ પર ફરવા આવી હતી. બંને કેનાલ પાસે બાઇખ પર બેઠા હતા. આ જ સમયે સાવલી પોલીસની ચેક પોસ્ટ પર ફરજ બજાવતો જીઆરડી અનિલ ગોહિલ અને તેના મિત્ર ત્યાં આવી પહોંચ્યા હતા. તેમજ યુવક અને સગીરાને ધમકાવવાનું શરૂ કર્યું હતું. બંનેના માતા-પિતાને બોલાવવા પડશે, તેમ કહી બ્લેકમેલ કર્યા હતા. તેમજ પતાવટ માટે રૂપિયા આપવા પડશે, તેમ કહી પોલીસ હોવાનો રોફ જમાવ્યો હતો.
દરમિયાન આરોપીઓના બીજા બે મિત્ર જ્યેન્દ્ર ગોહિલ અને મહેશ વસાવા ફણ આવી પહોંચ્યા હતા. આ પછી તો ચારેયે તેમને ધમકાવ્યા હતા અને યુવકને માર માર્યો હતો. તેમજ ધમકાવીને 8 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ પછી જીઆરડી અનિલ સગીરાને ગાડીમાં બેસાડી અવાવરું જગ્યાએ લઈ ગયો હતો અને અહીં તેની મરજી વિરુદ્ધ પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
બળાત્કાર પછી ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સગીરાએ યુવકને પોતાની સાથે બળાત્કાર થયો હોવાનું જણાવતા યુવકે વાઘોડિયા જઈને પોતાના મિત્રોને આ અંગે વાત કરી હતી. આ પછી સગીરા અને યુવક સાથે મોટી સંખઅયામાં લોકો સાવલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ચારેય સામે ફરિયાદ કરતાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, મુખ્યમંત્રી આરોપી હજુ ફરાર છે. પોલીસે જીઆરડી જવાનની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
August 21, 2021 at 01:27AM surat
Technosv2018
August 21, 2021
નવસારીઃ ચીખલીથી સુરત જઈ રહેલી ઇકો કારને અકસ્માત નડ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. ખડસુપા પાસેના ઓવર બ્રિજ ઉપર ગાડી બગડી હતી. ડ્રાઇવર ઉતરીને ચેક કરતા અકસ્માત થયો હતો અજાણ્યા ટ્રક ચાલક પાછળથી ટક્કર મારી નાસી ગયો હતો. ગત મોડી રાત્રે ઘટના બની હતી.
મૂળ મધ્યપ્રદેશના કામદારો ઇકો કારમાં ચીખલીથી સુરત જઈ રહ્યા હતા. ગંભીર અકસ્માતને પગલે બે મહિલાનું સારવાર દરમિયાન અને એક પુરુષનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. કારમાં સવાર બે બાળકો સહિત અન્ય આઠને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ગંભીર ઇજાગ્રસ્ત 5ને વધુ સારવાર માટે સુરત સિવિલ ખાતે ખસેડાયા છે.
વડોદરાઃ 16 વર્ષીય છોકરીને અવાવરું જગ્યાએ લઈ પરાણે શારીરિક સંબંધ બાંધનાર GRD જવાન ઝડપાયો
વડોદરાઃ વાઘોડિયાના યુવક સાથે કેનાલ પર ફરવા ગયેલી સગીરાને બ્લેકમેલ કરીને પોલીસ જવાને પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સાવલી પોલીસ સ્ટેશનના GRD જવાને બ્લેકમેઇલ કરીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. પોલીસે ગણતરીની કલાકોમાં જ તમામ આરોપીને ઝડપી પાડ્યા છે. અગાઉ 3 આરોપીની ધરપકડ કર્યા પછી આજે મુખ્ય આરોપી એવા જીઆરડી જવાન અનિલ ગોહિલની પણ અટકાયત કરી લેવામાં આવી છે. આરટીપીસીઆર ટેસ્ટ બાદ ધરપકડ કરવામાં આવશે. પોલીસની ઓળખ આપી યુવતીને કારમાં બેસાડી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.
3 જીઆરડી જવાન સહિત 4 મિત્રોએ યુવક અને સગારી પાસેથી 8 હજાર રૂપિયા પણ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગઈ કાલે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જ્યારે સગીરા પર બળાત્કાર ગુજારનાર પોલીસ જવાન હજુ ફરાર હતો. જોકે, હવે તેની પણ અટકાયત કરી લેવામાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, વાઘોડિયા તાલુકાના યુવક સાથે 16 વર્ષીય સગીરા ખાખરીયા કેનાલ પર ફરવા આવી હતી. બંને કેનાલ પાસે બાઇખ પર બેઠા હતા. આ જ સમયે સાવલી પોલીસની ચેક પોસ્ટ પર ફરજ બજાવતો જીઆરડી અનિલ ગોહિલ અને તેના મિત્ર ત્યાં આવી પહોંચ્યા હતા. તેમજ યુવક અને સગીરાને ધમકાવવાનું શરૂ કર્યું હતું. બંનેના માતા-પિતાને બોલાવવા પડશે, તેમ કહી બ્લેકમેલ કર્યા હતા. તેમજ પતાવટ માટે રૂપિયા આપવા પડશે, તેમ કહી પોલીસ હોવાનો રોફ જમાવ્યો હતો.
દરમિયાન આરોપીઓના બીજા બે મિત્ર જ્યેન્દ્ર ગોહિલ અને મહેશ વસાવા ફણ આવી પહોંચ્યા હતા. આ પછી તો ચારેયે તેમને ધમકાવ્યા હતા અને યુવકને માર માર્યો હતો. તેમજ ધમકાવીને 8 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ પછી જીઆરડી અનિલ સગીરાને ગાડીમાં બેસાડી અવાવરું જગ્યાએ લઈ ગયો હતો અને અહીં તેની મરજી વિરુદ્ધ પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
બળાત્કાર પછી ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સગીરાએ યુવકને પોતાની સાથે બળાત્કાર થયો હોવાનું જણાવતા યુવકે વાઘોડિયા જઈને પોતાના મિત્રોને આ અંગે વાત કરી હતી. આ પછી સગીરા અને યુવક સાથે મોટી સંખઅયામાં લોકો સાવલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ચારેય સામે ફરિયાદ કરતાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, મુખ્યમંત્રી આરોપી હજુ ફરાર છે. પોલીસે જીઆરડી જવાનની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
August 20, 2021 at 11:11PM surat
Technosv2018
August 21, 2021
સુરત(Surat)ના રિંગરોડ ઓવરબ્રિજ(overbridge)નો ઉપરનો ભાગ બંધ રહેશે. રિંગરોડ અને બારડોલી રોડને જોડતા રેલવે ઓવરબ્રિજની કામગીરીના કારણે 21થી 29 ઓગસ્ટ દરમિયાન ઓવરબ્રિજનો ઉપરનો ભાગ બંધ રખાશે.
Technosv2018
August 20, 2021
સુરત(Surat)ના માસૂમના મૃત્યુ બાદ પરિવારે આંખોનું દાન કર્યું છે. સિટીલાઈટના સૂર્યપ્રકાશ રેસિડન્સીના કેમ્પસમાં અજાણ્યા વાહનચાલકની અડફેટે સાડા ત્રણ વર્ષના માસૂમે જીવ ગુમાવ્યો હતો. શોકમાં ડુબેલા પરિવારે માસૂમની આંખોને દાન કરી છે.
August 20, 2021 at 05:19AM surat
Technosv2018
August 20, 2021
સુરત(Surat)માં માસ્ક સિવાયના અન્ય દંડમાંથી નાગરિકોને મુક્તિ આપવા રજુઆત કરવામાં આવી છે. કરજણમાં દુષ્કર્મ કેસમાં પીડિતાને કોઈ નેતા મળવા ન આવતા અલ્પેશ ઠાકોર ખીજાયા છે. તેમણે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી છે.
Technosv2018
August 20, 2021
રાજ્યના આરોગ્ય મંત્રીએ શહેર ટ્રાફિક DCP ને પત્ર લખી શહેર પોલીસ દ્વારા માસ્ક સિવાયના અન્ય દંડોમાથી નાગરિકોને મુક્તિ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. એમ્બ્રોડરીના વ્યવસાય સાથે સંકળાયેલ પોતાની ટુ- વ્હીલર પર પોટલા લઈને જતા શ્રમિકો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવે છે. શહેર ટ્રાફિક પોલીસે માસ્ક સિવાય દંડ ઉઘરાવશે તો રોડ પર આવવાની ચીમકી ઉચ્ચારી હતી.
August 19, 2021 at 10:42PM surat
Technosv2018
August 20, 2021
સુરતના નવસારી બજારમાં બે માળના મકાનનો સિલિંગનો ભાગ તૂટતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બીજા માળે ફસાયેલા બે લોકોનું રેસ્ક્યુ કર્યું હતું.
August 19, 2021 at 06:39AM surat
Technosv2018
August 19, 2021
સુરત એરપોર્ટ નજીક હાઈરાઈઝ બિલ્ડિંગ અંગે હાઈકોર્ટે( High Court ) મહત્વનો નિર્ણય કર્યો છે. એર ફ્લાઈટ માટે અસર કરતી હોય તેવી તમામ બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કોર્ટે કર્યો છે. આ અંગે 2 ડિસેમ્બર સુધી રિપોર્ટ રજુ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
Technosv2018
August 19, 2021
સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ(congress committee) કોવિડની ન્યાય યાત્રા કાઢશે. કોરોનામાં મૃતકના પરિવારને ચાર લાખની સહાય આપવામાં આવે તેવી આ યાત્રામાં માંગ કરાશે. સાથે જ મૃત્યુ પામેલા પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની માંગ કરાશે.
August 19, 2021 at 04:17AM surat
Technosv2018
August 19, 2021
સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ(congress committee) કોવિડની ન્યાય યાત્રા કાઢશે. કોરોનામાં મૃતકના પરિવારને ચાર લાખની સહાય આપવામાં આવે તેવી આ યાત્રામાં માંગ કરાશે. સાથે જ મૃત્યુ પામેલા પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની માંગ કરાશે.
Technosv2018
August 19, 2021
ગુજરાતમાં ધોરણ 6થી 8ની સ્કૂલો શરૂ કરવા મુદ્દે નીતિન પટેલે શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા હવે ગમે ત્યારે ધોરણ 6થી 8 સ્કૂલો ઓફલાઇન શરૂ થઈ શકે છે. ગઈ કાલે કેબિનેટમાં પણ આ અંગે ચર્ચા થઈ હતી, ત્યારે હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આજે આ મુદ્દે મોટું નિવેદન આપ્યુંછે. તેમણે ઉમેર્યું હતું કે, ગઈ કાલે કેબિનેટમાં 6 થી 8 ધોરણ માટે ચર્ચા થઈ છે. અભિપ્રાય મંગાવવામાં આવી રહ્યો છે. ટૂક સમયમાં નવી SOP જાહેર કરવામાં આવશે. આમ, નીતિન પટેલે ટૂંક સમયમાં જ પ્રાથમિક સ્કૂલો શરૂ કરવાના સંકેત આપી દીધા છે. સી એલ કેળવણી મંડળ ઇટાદરા સંચાલિત ઈંગ્લીશ મીડીયમ પ્રિ પ્રાઇમરી સ્કૂલના નવ નિર્મિત ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઇટાદરા ગામ ખાતે હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમને નિવેદન આપ્યું હતું.
પાટીદારને મોદી કેબિનેટમાં સમાવેશ પર નિવેદન આપતાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત અને દેશમાં પ્રધાનમંત્રી સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ થી કામ કરીએ છીએ. ગુજરાતમાં પાટીદાર, બક્ષીપંચ, બ્રહ્મ દરેક સમાજ મહત્વના છે. નવા મંત્રી મંડળમાં નવા નવા સભ્યોને જવાબદારી આપી છે. રુપાલા જી અને મનસુખભાઈ રાજ્ય કક્ષાના પ્રધાન હતા ,બંનેને કેબિનેટ મહત્ત્વની જવાબદારી સોપી છે. દેવુસિંહ ઠાકોર બક્ષીપંચ સમાજના છે. ડોં મુંજપરા કોળી સમાજમાથી આવે છે. દર્શનાબેન ઓબીસીમા દરજી જેવી નાની જ્ઞાતીમાથી આવે છે.દરેક સમાજ અને વિસ્તારને ધ્યાને રાખી સંતોષ આપ્યો છે.
સિંચાઈ પર વાત કરતાં તેમણે કહ્યું હતું કે, અત્યારે શક્ય છે ત્યા પૂરેપૂરું પાણી સિંચાઈ માટે આપીએ છીએ. બનાસકાંઠા કચ્છ સુધી જ્યા પાણી પહોચે છે ત્યા આપીએ છીએ. જેટલુ પાણી છે તે ખેડૂતોને લાભ મળે એટલો આપીશું.
August 19, 2021 at 01:35AM surat
Technosv2018
August 19, 2021
સુરતઃ વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આજે સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ પડ્યો હતો. વલસાડ શહેરમાં 2 ઇંચ, જ્યારે પારડીમાં 3 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. વલસાડ જિલ્લાના ઉમેગામ ખાતે ઇસ્ટમાં રેલવે ફાટક પાસે પાણી ભરાયા હતા. સવારથી સતત વરસાદ પડી રહ્યો છે.
વલસાડ જિલ્લાના તમામ તાલુકા માં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વલસાડ શહેરમાં પણ વેહલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં વેહલી સવારથી વીજળી ડૂલ થઈ હતી. જેને કારણે જી. ઈ.બીના કર્મચારીઓ વહેલી સવારથી કામે લાગ્યા હતા. વલસાડના ભાગડાવડા અને કોસંબાના જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. સવારથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે મુખ્ય માર્ગ પર પાણી ભરાયા હતા. પાણી ભરાતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી. ઘણા વાહનો બંધ થયા હતા.
વલસાડ જિલ્લામાં સવારના 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધીમાં ઉમરગામ 49 એમએમ, કપરાડા 29 એમએમ, ધરમપુર 59 એમએમ, પારડી 78 એમએમ, વલસાડ 52 એમએમ, વાપી 66 એમ એમ વરસાદ નોંધાયો હતો. આ સાથે વલસાડના મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. સવારથી પડી રહેલા મુશળધાર વરસાદના કારણે મોગરાવાડીના ગરનાળામાં પાણી ભરાયા ગચાય પાણી ભરવાના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
તાપી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના દરેક તાલુકામાં વરસાદ છે. જિલ્લા માં સવારે 6 વાગ્યા થી બોપરે 12 વાગ્યા સુધીમાં પડેલ વરસાદની વાત કરીએ તો વ્યારામાં 20 mm , સોનગઢમાં 21 mm, વાલોડમાં 16 mm, નિઝરણાં 3 mm વરસાદ વરસ્યો હતો.
સુરતમાં પણ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. સુરતના અઠવા, પારલે પોઈન્ટ, પાલ અડાજણ,વેસુ vip રોડ, ઉધના સહિતના વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. નવસારી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. નવસારી, જલાલપોર,ગણદેવી, વાંસદા,ખેરગામ, ચીખલી સહિત તમામ તાલુકામાં વરસાદ છે. નવસારી શહેરમાં આવેલા દુધિયા તળાવ, મનકોડિયા, સ્ટેશન, ટાવર રોડ સહિત અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ યથાવત છે.
August 19, 2021 at 01:21AM surat
Technosv2018
August 19, 2021
સુરતઃ સુરતના કડોદરામાં સગર્ભા માતાએ પુત્રની હત્યા કર્યા બાદ ચોથા માળેથી કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. બંધ ઘરમાંથી દીકરાનો મૃતદેહ મળી આવ્યો છે. સગર્ભા અને પુત્રના મોતને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. કડોદરા શ્રીનિવાસ ગ્રીનસીટી સાંઈ યુનિકમાં મહેશ જિલાજીત પાંડે (મૂળ- ઉત્તર પ્રદેશ) પત્ની બિનિતાદેવી (ઉ.વ.૩૨), પુત્ર આર્યન અને ક્રિષ્ના (ઉ.વ.૨) તેમજ પિતાજી જીલાજીત પાંડે સાથે રહે છે. તેમજ સુરતના સચીન ખાતે સંચા મશીનમાં કામ કરે છે.
બિનિતાદેવી હાલ પાંચ માસની ગર્ભવતી હતી. મંગળવારે રાતે બિનિતાદેવી પોતાના બંને પુત્રો આર્યન અને ક્રિષ્ના સાથે રૂમમાં ઉંઘી ગઈ હતી. જ્યારે બીજા રૂમમાં મહેશ પાંડે પિતા જીલાજીત સાથે ઉંઘી ગયા હતા. દરમિયાન વહેલી સવારે ચાર વાગે સુરતના ઉધના ખાતે રહેતી પોતાની નણંદ સીમાને ફોન કરી પોતે નાના પુત્ર ક્રિષ્નાને મારી નાખી બિલ્ડિંગના અગાસીમાં જઇ નીચે કુદી આત્મહત્યા કરૃં છું તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો. આ પછી તેણે નીચે કૂદીને આપઘાત કરી લીધો હતો.
કડોદરા પોલીસે હાલ મહેશ પાંડેની ફરિયાદ લઇ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ક્રિષ્નાની લાશનું પીએમ કરાવતા શ્વાસ રુંધાવાથી મોત થયાનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે. પોલીસે બિનિતાદેવી વિરૃધ્ધ બે વર્ષના પુત્ર ક્રિષ્નાની હત્યા અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
સુરતના કડોદરા વિસ્તારમાં આવેલા ગ્રીન સિટીમાં આવેલા યુનિક એપોર્ટમેન્ટમાં રહેતી સગર્ભાએ ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. મહિલાએ આપઘાત કર્યા બાદ તેના ઘરમાં તપાસ કરતાં તેનો અઢી વર્ષનો મૃત બાળક પણ મળી આવ્યો હતો, જેથી પ્રાથમિક તબક્કે મહિલાએ પુત્રની હત્યા કર્યા બાદ કૂદીને આપઘાત કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ કડોદરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ અલગ અલગ દીશામાં તપાસ કરી રહી છે.
August 18, 2021 at 10:30PM surat
Technosv2018
August 19, 2021
દ્વારકામાં (dwarka) દ્વારકાધીશ મંદિરમાં ભગવાનની રવાડી યાત્રા (ravadi yatra) નિકળી હતી. એકાદશી નિમિત્તે આ યાત્રા યોજાઇ હતી. સાંજે 5 વાગ્યે રવાડી યાત્રાનો પ્રારંભ થયો હતો. કોરોના નિયમ હેઠળ આ યાત્રા યોજાઈ હતી.
August 18, 2021 at 10:12PM surat
Technosv2018
August 19, 2021
ભરુચઃ ભરુચના નર્મદા માર્કેટમાં વેપારીને છરીના 12-12 ઘા મારીને હત્યા કરી નાંખવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ભરૂચના નર્મદા માર્કેટમાં મંગળવારે સાંજે જાહેરમાં જ વેપારીને ચપ્પુના ઘા ઝીંકી તેની હત્યા કરી હત્યારો ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસે ગણતરીના સમયમાં હત્યારાને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, મૃતકનું નામ આર્યન હુસેન છે. મૃતકને હત્યારા એવા તેના મિત્રની પત્ની સાથે આંખ મળી ગઈ હતી તેમજ તેઓ મિત્રની જાણ બહાર શારીરિક સંબંધ રાખતા હતા. આ અંગે પતિને ખબર પડી જતાં ઘરમાં હોબાળો મચી ગયો હતો. બીજી તરફ મિત્રે મૃતક યુવકને પત્ની સાથે સંબંધ ન રાખવા માટે સમજાવ્યો હતો.
મૃતકને મિત્રે વારંવાર સમજાવવા છતાં પણ તે માનતો નહોતો અને તેણે મિત્રની પત્ની સાથે સંબંધો ચાલું રાખ્યા હતા. અંતે મિત્રની હરકતોથી કંટાળી મંગળવારે સાંજે 7 વાગ્યે નર્મદા માર્કેટમાં જ મિત્રે પત્નીના પ્રેમીની છરીના 12-12 ઘા મારીને હત્યા કરી નાંખી હતી. આમ, આડાસંબંધમાં એક યુવકે જીવ ગુમાવવો પડ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
Surat : સ્પામાં યુવક લલના સાથે માણી રહ્યો હતો શરીરસુખ ને પોલીસ ત્રાટકી....
સુરત: ફરી એકવાર શહેરમાં સ્પાની આડમાં ચાલતા પ્રોસ્ટિટ્યૂટ રેકેટનો પર્દાફાશ થયો છે. ગ્રાહકો પાસેથી પૈસા લઈને લલનાઓ સાથે શરીરસુખ માણવા દેવાતું હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેડ કરતાં સ્પામાં અફરા-તફરી મચી ગઈ હતી. પોલીસે રેડ કરીને ત્રણ યુવતીઓને મુક્ત કરાવી છે, જ્યારે સંચાલક અને ગ્રાહકની ધરપકડ કરી છે.
આ અંગેની મળતી વિગતો પ્રમાણે, અડાજણ ભૂલકા ભવન સ્કૂલ સામે મિલેનિયમ આર્કડ લક્કી સ્પાના નામે છેલ્લા બે મહિનાથી પ્રોસ્ટિટ્યૂટ રેકેટ ધમધમકી રહ્યું હતું. સ્પાના સંચાલક આલમ અનીસાર ગાઝી યુવતીઓ બોલાવી પ્રોસ્ટિટ્યુટ રેકેટ ચલાવતો હતો. ગ્રાહકોને યુવતીઓ સાથે શરીરસુખ માણવાની ઓફર કરાતી હતી તેમજ તેમની પાસેથી પૈસા લઈને યુવતીઓ સાથે સ્પામાં જ શરીરસુખ માણવા દેતો હતો.
આ અંગે બાતમી મળતા ગઈ કાલે રાતે ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેડ કરતાં 3 યુવતીઓ, એક ગ્રાહક અને સંચાલક મળી આવ્યા હતા. ત્રણેય યુવતીઓને મુક્ત કરાવી સંચાલક અને ગ્રાહકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 2 ભાગીદાર ફરાર થતા પોલીસે શોધખોળ આરંભી છે. સ્પાના માલિક અનવર ઉર્ફે મન ગોરામી અને પાર્ટનર રાજુ બંગાળીને વોન્ટેડ જાહેર કર્યા છે.
August 18, 2021 at 09:43PM surat
Technosv2018
August 19, 2021
સુરત: ફરી એકવાર શહેરમાં સ્પાની આડમાં ચાલતા પ્રોસ્ટિટ્યૂટ રેકેટનો પર્દાફાશ થયો છે. ગ્રાહકો પાસેથી પૈસા લઈને લલનાઓ સાથે શરીરસુખ માણવા દેવાતું હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેડ કરતાં સ્પામાં અફરા-તફરી મચી ગઈ હતી. પોલીસે રેડ કરીને ત્રણ યુવતીઓને મુક્ત કરાવી છે, જ્યારે સંચાલક અને ગ્રાહકની ધરપકડ કરી છે.
આ અંગેની મળતી વિગતો પ્રમાણે, અડાજણ ભૂલકા ભવન સ્કૂલ સામે મિલેનિયમ આર્કડ લક્કી સ્પાના નામે છેલ્લા બે મહિનાથી પ્રોસ્ટિટ્યૂટ રેકેટ ધમધમકી રહ્યું હતું. સ્પાના સંચાલક આલમ અનીસાર ગાઝી યુવતીઓ બોલાવી પ્રોસ્ટિટ્યુટ રેકેટ ચલાવતો હતો. ગ્રાહકોને યુવતીઓ સાથે શરીરસુખ માણવાની ઓફર કરાતી હતી તેમજ તેમની પાસેથી પૈસા લઈને યુવતીઓ સાથે સ્પામાં જ શરીરસુખ માણવા દેતો હતો.
આ અંગે બાતમી મળતા ગઈ કાલે રાતે ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેડ કરતાં 3 યુવતીઓ, એક ગ્રાહક અને સંચાલક મળી આવ્યા હતા. ત્રણેય યુવતીઓને મુક્ત કરાવી સંચાલક અને ગ્રાહકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 2 ભાગીદાર ફરાર થતા પોલીસે શોધખોળ આરંભી છે. સ્પાના માલિક અનવર ઉર્ફે મન ગોરામી અને પાર્ટનર રાજુ બંગાળીને વોન્ટેડ જાહેર કર્યા છે.
Surat : ભત્રીજીની નજર સામે જ કાકાએ ભાભીની પેટમાં છરીના ઘા મારીને કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો
સુરત: ગોડાદરા વિસ્તારમાં ખૂદ દિયરે સગી ભાભીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. કાકાએ ભત્રીજીની નજર સામે જ પોતાની ભાભીની પેટમાં છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. એટલું જ નહીં, હત્યા પછી દિયર જાતે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો અને હત્યા કર્યાની કબૂલાત કરી લીધી હતી. બીજી તરફ માતાની હત્યા થઈ જતાં દીકરીએ પિતાને જાણ કરતાં નાના ભાઈની હરકત જાણીને મોટા ભાઈ પણ હચમચી ગયા હતા. પોલીસે આરોપી હરિરામ પટેલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, સુરતના ગોડાદરા વિસ્તારમાં અલગ રહેવાની જીદ કરી દિયરે ભાભીને રહેંસી નાખી છે. હત્યા કરી જાતે પોલીસ સામે હાજર થયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ગોડાદરા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના ઝાલોરના પીપરલાકી ગામનો વતની 47 વર્ષ જેઠારામ જીવારામ પટેલ હાલ ગોડાદરાની ચામુંડા રેસિડેન્સીમાં રહે છે. પરિવારમાં 46 વર્ષીય પત્ની અગ્રાબેન ઉપરાંત ત્રણ દીકરીઓ અને એક દીકરો ઉપરાંત 38 વર્ષીય નાનો ભાઈ હરિરામ છે.
જેઠારામ ભાભી સાથે લિંબાયતના કુબેરનગરમાં કરિયાણાની દુકાન ચલાવે છે. હરિરામનો પરિવાર વતન રહે છે. છેલ્લા અઠવાડિયાથી હરિરામ અલગ ધંધો કરવાનું કહેતો હતો. સાથે ભાઈ જે મકાનમાં રહે છે તે મકાનમાં ઉપર અલગથી રહેવા માંગતો હતો. જેઠારામ અને તેના પત્ની હરિરામને સાથે રહેવા કહેતા હતા. જેથી તેમની વચ્ચે ઝગડાઓ થતા હતા.
હરિરામને એમ હતું કે ભાભી અને ભાઈ તેની વાત માનતા નથી. મંગળવારે સવારે અગ્રાબેન ઘરેથી દુધ લેવા ગઇ હતી. જેઠારામ નાહવા ગયો હતો. હરિરામ ઘરમાં સોફા પર બેસેલો હતો. અગ્રાબેન દૂધ લઈને રસોડામાં ગઇ ત્યારે હરિરામે ભત્રીજી ભાવનાની સામે ભાભીના પેટમાં તેમજ શરીરના અલગ-અલગ ભાગે ચપ્પુના ઘા મારી નાસી ગયો હતો. ભાવનાએ પિતાને જાણ કરી હતી. અગ્રાબેનને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઇ હતી. ડોક્ટરે ત્યાં તેમને મૃત જાહેર કરી હતી. બીજી તરફ હરિરામે પોતે ગોડાદરા પોલીસ સ્ટેશને પહોંચી જઇને પોલીસને કહ્યું કે તેણે પોતાની ભાભીને મારી નાખી છે. જેઠારામે આરોપી હરિરામ વિરુદ્ધ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે.
August 18, 2021 at 09:22PM surat
Technosv2018
August 19, 2021
સુરતમાં તહેવાર નિમીતે ખાસ સોનાના વરખ વાળી મીઠાઈની માંગ વધી છે. અહીંયા એક કિલોની મીઠાઈનો ભાવ નવ હજાર રૂપિયા છે. આ મીઠાઈને ગોલ્ડ સ્વીટ તરીકે ઓળખવામાં આવે છે. તહેવારના સમયે લોકો હોંશે હોંશે આ મીઠાઈ ખરીદી રહ્યા છે.
August 18, 2021 at 08:31AM surat
Technosv2018
August 18, 2021