સુરત(Surat)ના વરાછામાં આવેલા શાકમાર્કેટ(Vegetable Market)માં વિક્રેતાએ હોબાળો મચાવ્યો છે. અહીંયાના ત્રિકમનગરમાં નવુ શાકમાર્કેટ બનાવવામાં આવ્યું છે. અહીંયા બેસવા મુદ્દે વેપારીઓએ બોલાચાલી કરી છે. સુરત મનપાએ ડ્રો કર્યો હતો જેમાં જૂના વિક્રેતાની જગ્યા પહેલા માળે આવી હતી.
June 30, 2021 at 05:11AM surat
Technosv2018
June 30, 2021
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટ પટેલનો શિક્ષિકા પાસે પૈસા માંગતો ઓડિયો વાયરલ થયો હતો. આ મામલે શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા હતા. જિલ્લાની એક શિક્ષિકાને ફરીથી ફરજ પર લેવા પૈસા માંગતા હોવાનો ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. હાલ શિક્ષિકા મહુવા તાલુકાના એક ગામમાં ફરજ બજાવી રહ્યા છે. શિક્ષિકાએ આ મામલે કહ્યું કે, મને રાત દિવસ ખુબજ હેરાનગતિ કરવામાં આવી છે. મારી પાસે વારંવાર પૈસાની માંગણી કરવામાં આવી છે.
June 30, 2021 at 05:01AM surat
Technosv2018
June 30, 2021
સુરત(Surat) શહેરમાં વધુ એક ટેક્સટાઈલ(Textile) માર્કેટમાં લાગેલી આગ કાબુમાં આવી છે. સારોલી વિસ્તારમાં આવેલી ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. ફાયર વિભાગની 5 ગાડીએ આગ પર કાબૂ મેળવ્યો છે.
June 30, 2021 at 04:19AM surat
Technosv2018
June 30, 2021
સુરતના (Surat) મહિધરપૂરા (Mahidharpura area) વિસ્તારમાં મકાન ધરાશાયી થયું છે. બુંદેલા શેરીમાં જર્જરિત મકાન (Dilapidated House) તૂટી પડ્યું છે. આ ઘટના દરમિયાન કોઈ જાનહાનિ (Casualties) નથી સર્જાઈ. મકાનનો કાટમાળ ઉતારવાની કામગીરી હાથ ધરાઇ છે.
June 30, 2021 at 03:09AM surat
Technosv2018
June 30, 2021
સુરતમાં (Surat) ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (mass promotion) અપાતાં અમુક વિદ્યાર્થીઓએ (students) નારાજગી દર્શાવી હતી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આખા વર્ષ દરમિયાન આકરી મહેનત (Hard work) કરી પરંતુ પરીક્ષા રદ્દ થતાં દુ:ખ થયું. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર હવે આગામી ધોરણમાં વધુ મહેનત કરી સારું પરિણામ લાવવું પડશે.
June 30, 2021 at 02:52AM surat
Technosv2018
June 30, 2021
સુરત(Surat) શહેરમાં આજે 41 હજાર વેક્સિન(Vaccine)ના ડોઝનું વિતરણ કરવામાં આવ્યું છે. ગઈકાલે 35 હજારની સામે આજે 41 હજાર ડોઝ આપવામાં આવ્યા છે. આ પહેલા વેક્સિનની અછતને કારણે ઘણી ફરિયાદો આવી રહી હતી.
June 30, 2021 at 02:50AM surat
Technosv2018
June 30, 2021
સુરત (Surat) જિલ્લાના નવા કલેક્ટર આયુષ ઓકે (Collector AYUSH Oak) ચાર્જ સંભાળતા એકશન મોડમાં (Action Mode) આવ્યા છે. તેઓએ જણાવ્યુ છે કે,, સુરતના કોરોના (Corona) દર્દીઓની (Patient) વિગત તબીબોએ રાખવી પડશે. આ ઉપરાંત દર્દીઓની હિસ્ટ્રી (History) તેમના સ્વજનોની માહિતી પણ તબીબો પાસે હોવી જોઇયે.
June 30, 2021 at 02:31AM surat
Technosv2018
June 30, 2021
સુરતઃ શહેરના ઝાંપાબજાર ખાતે આવેલા વાઘેલા ચેમ્બર્સના ભોંયરામાંથી મળી આવેલી લાશ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. મળી આવેલી લાશ માનદરવાજાની 32 વર્ષીય શબાનાની હોવાનું સામે આવ્યું છે. શબાના ગત 10મી ના રોજ ચોકબજારમાં ઘરકામ માટે ગયા બાદ ગુમ થઈ હતી. પોલીસ તપાસમાં યુવતીની હત્યા કરીને લાશ ફેંકી દીધી હોવાનો પણ ખુલાસો થયો છે. જોકે, યુવતીની લાશ અહીં કેવી રીતે પહોંચી અને કોણે હત્યા કરી તે તો પોલીસ તપાસ પછી જ સામે આવશે.
યુવતી છેલ્લે એક યુવક સાથે બાઇક પર જતાં સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે બાઈક્સવારની પુછપરછ કરતા તેણે શબાનાને અડાજણ પાટીયા ઉતારી હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે, રવિવારે વાઘેલા ચેમ્બર્સના ભોંયરામાંથી યુવતીની કોહવાયેલી લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતાં યુવતીની ઓળખ શબાના જાવીદ સૈયદ ( ઉ.વ.32, રહે.માનદરવાજા, સુરત ) તરીકે થઈ હતી. તેના ભાઈએ શબાનાના કપડા અને અન્ય વસ્તુને આધારે ઓળખ કરી હતી.
શબાના ગત 10 મી જૂને સવારે ચોકબજાર એ-વન કોકોની ગલીમાં સિલ્ક હાઉસ માર્કેટ પાસે કોઈ એપાર્ટમેન્ટમાં ઘરકામ પતાવી બપોરે દોઢ વાગ્યે નીકળી હતી પણ ઘરે પહોંચી નહોતી. આ અંગે અઠવા પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતા તે એક બાઈક ઉપર અજાણ્યા સાથે મક્કાઇપુલ તરફ જતી નજરે ચઢી હતી. જોકે, યુવતીની કોઈ ભાળ મળી નહોતી.
દરમિયાન ગત રવિવારે યુવતીની લાશ મળી આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શબાનાની હત્યા માથામાં ઈજા થતા અને ગળું દબાવવાથી થઈ હોવાનો ખુલાસો થયો હતો. મહિધરપુરા પોલીસે તેના ભાઈની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
યુવતીની લાશ મળી ત્યારે શબાનાના શરીર પર માત્ર કુરતી હતી. કુરતી અને મૃતકના પગમાં બાંધેલ દોરા પરથી તેની ઓળખ થઈ હતી. શબાનાએ પ્રેમ લગ્ન કર્યા છે. મૃતકનો પતિ તેના વતન મહારાષ્ટ્ર ગયો હોવાથી તેની પૂછપરછ કરી શકાઇ નથી.
June 30, 2021 at 01:34AM surat
Technosv2018
June 30, 2021
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(Veer Narmad South Gujarat University)એ પણ પરીક્ષા(Exam)ની તારીખ જાહેર કરી છે. 19 જુલાઈથી પરીક્ષાઓ શરૂ થશે. બી.એ, બી.કોમ, બી.એસ.સી,બી.બી.એ, સેંમિસ્ટર-6ની રેગ્યુલર અને એમ.એ,એમ.કોમ સેમિસ્ટર -4ની પરીક્ષા ઓફલાઈન પદ્ધતિથી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
June 29, 2021 at 10:50PM surat
Technosv2018
June 30, 2021
Technosv2018
June 30, 2021
સુરતમાં સ્કૂલ કોલેજોમાં ફીમાં રાહત આપવા કોંગ્રેસે માંગ કરી હતી. કોગ્રેસે માંગ કરી હતી કે 2 વર્ષ માટે સ્વ.નિર્ભર શાળાઓમાં 50% ફી રાહતની માંગ કરી હતી. હાલ કોરોના કાળમાં લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી. લોકો ને રાહત મળે તે માટે કોંગ્રેસ મેદાને આવી છે.
June 29, 2021 at 06:53AM surat
Technosv2018
June 29, 2021
સુરતમાં પણ વેક્સિનનો જથ્થો પર્યાપ્ત નથી. લાંબી લાઇન લગાવીને ઉભેલા લોકોને માત્ર ટોકન અપાયું છે. પરંતુ રસીના મળતા આક્રોશ જોવા મળ્યો છે. વેક્સિનેશન માટે લોકો સમય મર્યાદા વધારવાની માંગ કરી રહ્યા છે.
June 29, 2021 at 02:50AM surat
Technosv2018
June 29, 2021
સુરત(Surat)ના માનદરવાજા(Mandarwaja) વિસ્તારમાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે. મનપાની ટીમે ટેનામેન્ટ ખાલી કરાવવાની કામગીરી કરતા રહીશોએ હોબાળો કર્યો હતો. વૈકલ્પિક વ્યવસ્થા અને પ્રાથમિક સુવિધા ન હોવાના કારણે રહીશોમાં રોષ જોવા મળ્યો છે.
June 29, 2021 at 01:52AM surat
Technosv2018
June 29, 2021
સુરત(Surat)માં માલીબા કોલેજ(Maliba College)માં ફરજ બજાવતી મહિલા પ્રોફેસરે આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. એમ.એસ.સી વિભાગમાં ફરજ બજાવનાર ફોરમે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. પ્રાથમિક કારણો મુજબ પારિવારિક ઝઘડા અને માનસિક તણાવમાં આ પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું છે.
June 28, 2021 at 10:35PM surat
Technosv2018
June 29, 2021
સુરતઃ રાજ્ય સરકારે જાહેરનામુ પાડી તમામ દુકાનો, રેસ્ટોરંટ, જીમ,થિયેટર વગેરે સ્થળો જે જાહેર છે ત્યાંના માલિકો અને તેમાં કામ કરતાં કર્મચારીઓએએ કોરોના વેક્સિન 30 જુન સુધીમાં લઈ લેવી નહી તો તેઓ પોતાની માલિકીની જગ્યા ચાલુ રાખી શકશે નહી. આ બાબતને લઈ એબીપી અસ્મિતા એ રીયાલીટી ચેક કરતા વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વેક્સીનેશન માટે ટેકસટાઇલ માર્કેટમાં કામદારો અને વ્યાપારીઓની પડાપડી જોવા મળી હતી. સુરતના રિંગરોડ ખાતે આવેલ જેજે માર્કેટમાં રોજ 1000 થી 1200 લોકો લાઈન લગાવી ઉભા રહે છે. પરંતુ માત્ર 200 થી 250 લોકો નુજ વેક્સીનેશન થાય છે.
આખા રાજ્યમાં કોઈને કોઈ રીતે અત્યારે વેક્સિનેશનમાં સમસ્યા સર્જાય છે, જેનાથી સુરતના ટેક્સટાઇલ માર્કેટથી લઈ તમામ વેક્સીનેશન સેન્ટર પર ભીડ થાય છે. ક્યાંક વેક્સિન નથી જેનાથી સેન્ટર ઘટાડો કરાયા છે. જ્યાં લાઈન લાગે છે ત્યાં વેકસીન પર્યાપ્ત નથી, તો જે પ્રમાણે સરકારે જાહેરનામુ બહાર પાડ્યુ છે તે પ્રકારે વેપારીઓ અને તેમના કર્મચારીઓ કઈ રીતે સમયસર વેક્સિન લઈ શકશે તે મોટોપ્રશ્ન છે.
સુરતમાં 165 ટેક્સટાઇલ માર્કેટ છે. 70 હજાર કપડા દુકાનો છે. 350 ડાઈન્ગ પ્રિન્ટિંગ યુનિટ છે. સંપૂર્ણ ટેક્સટાઇલ ઉદ્યોગમાં 10 લાખથી વધુ કામદાર અને વ્યાપારી છે. 1 મહિનાનો સમય અપાયો, પરંતુ વેક્સીનેશન સેન્ટર ઓછા છે. સ્ટાફ ની સંખ્યા ઓછી છે. ગઈકાલે 230 લોકોનું વેક્સીનેશન કરાયું હતું. આજે ફરી લાંબી લાઈન લાગી હતી. ત્યારે કાપડ વ્યાપારીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે આટલા સમયમાં આટલી મોટી સંખ્યામાં વેક્સીનેશન કઈ રીતે થઈ શકશે. વ્યાપારીઓએ માંગ કરી છે કે વેક્સીનેશનના સમય અને સેન્ટરોમાં વધારો કરવામાં આવે.
'ગુજરાતમાં ફક્ત 2.23 ટકા લોકોને કોરોનાના બંને ડોઝ અપાયા, સરકાર નૌટંકી છોડે ને રસીકરણ પર ધ્યાન આપે'
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડી રહી છે. જોકે, કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનાને પગલે સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. તેમજ રસીકરણ મહાભિયાન હાથ ધરાયું હતું. જોકે, થોડા જ દિવસોમાં રસીની અછત સર્જાવા લાગી છે. ત્યારે ગુજરાતમાં કોરોના રસીકરણને લઈને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ સરકાર પર પ્રહાર કર્યા છે.
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, રસીકરણની નૌટંકી પછી પણ ગુજરાતમાં ફક્ત 2.23 ટકા લોકોએ જ કોરોનાની રસીના બંને ડોઝ લીધા છે. રસીકરણ સેન્ટર બંધ પડ્યા છે. લોકો ધક્કા ખાઈને રસી લીધા વગર જ પરત ફરી ર્હયા છે. સરકાર હવે નૌટંકી છોડે અને રસીકરણ પર ધ્યાન આપે.
June 28, 2021 at 09:43PM surat
Technosv2018
June 29, 2021
સુરત મનપાની સામાન્ય સભામાં હંગામા બાબતે AAPના કોર્પોરેટરોની ધરપકડ કરાઇ હતી. બાદમાં તેઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. બાદમાં તેઓનો જામીન પર છૂટકારો થયો હતો. આજે સુરત મહાનગરપાલિકાના ઈતિહાસમાં પહેલી વખત વિપક્ષ વગર સામાન્ય સભા મળી હતી. વિપક્ષની ખુરશીઓ ખાલી રહી હતી કેમ કે, AAPના કોર્પોરેટરોની ધરપકડ કરાઈ હતી
June 28, 2021 at 08:21AM surat
Technosv2018
June 28, 2021
સુરતમાં સેલ્ફી લેવા જતા કિશોર કોઝવેમાં પડ્યો હતો. કિશોર પાણીમાં પડતા તરવૈયાઓએ તેને બચાવ્યો હતો. કોઝવેમાં દરરોજ સવારે લોકો મોટા પ્રમાણમાં તરવા જતા હોય છે.
June 28, 2021 at 08:14AM surat
Technosv2018
June 28, 2021
સુરતમાં વેક્સીનનો જથ્થો ઓછો આવતો હોવાનો આરોગ્ય કમિશનરે સ્વીકાર કર્યો હતો. આરોગ્ય કમિશનરે કહ્યું હતું કે, એક વેક્સીનેશન સેન્ટર પર 200 ડોઝ આપવામાં આવે છે. લોકોને અગવડ ના પડે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઝોન વાઇસ કેટલા સેન્ટરો પર કેટલી વેક્સીન મળશે તેની સોશિયલ મીડિયા પર જાણ કરાશે
June 28, 2021 at 04:04AM surat
Technosv2018
June 28, 2021
સુરત શહેરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. સલાબતપુરાના અનવરનગર ખાતે મોડી રાત્રે 25 થી 30 જેટલા ઈસમોએ આતંક મચાવ્યો હતો. તલવાર અને લાકડીઓ લઇને હુમલો કર્યો હતો. હુમલાને પગલે સ્થાનિકોમાં નાસભાગ મચી ગઇ હતી. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
June 28, 2021 at 03:56AM surat
Technosv2018
June 28, 2021
સુરત (Surat) મહાનગર પાલિકાની બેઠક 450 દિવસ બાદ પાલિકાના મુખ્ય સભાગૃહમાં યોજાશે. કોરોના સંક્રમણ ઘટતા અને રસીકરણ કરાવ્યુ હોવાથી આ બેઠક પાલિકાના મુખ્ય સભાગૃહમાં યોજાશે. આ વખતની બેઠકમાં 49 ઠરાવ (49 resolutions) મંજૂર થાય તેવી શક્યતા છે.
June 28, 2021 at 12:36AM surat
Technosv2018
June 28, 2021
સુરતના (Surat) માંગરોળ (Mangrol) તાલુકાનાં વેલાછા (Velachha) ગામમાં ATM મશીનની લૂંટ ચલાવવામાં આવી હતી. રાતના સમયે 3 બૂકાનીધારી શખ્સો ATMમાં ઘુસ્યાં હતા. અને આંખું ATM ઉઠાવીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
June 28, 2021 at 12:22AM surat
Technosv2018
June 28, 2021
સુરત : કોઝવેની રેલિંગ પર સેલ્ફી લેવા જતા તરુણ નદીમાં પડ્યો હતો. જોકે ,પાણીમાં પડતા તરવૈયાએ બચાવી લીધો હતો. આ રેસ્ક્યૂનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો છે. નોંદનીય છે કે, કોઝવેમાં દરોજ સવારે લોકો મોટા પ્રમાણમાં તરવા જતા હોય છે. કોઝવે પર પાલિકા દ્વારા લોખંડની ગ્રીલ કાઢી લાકડાના બમ્બુ નાખવામાં આવ્યા છે.
રાંદેર અને સિંગણપોરને જોડતા કોઝવેની રેલિંગ પર સેલ્ફી લેવા જતાં છોકરાએ સંતુલન ગુમાવતાં નદીમાં પડી ગયો હતો. ગઈ કાલે સવારે 9 વાગ્યા આસપાસ રાંદેરના મિત્રો અહીં ફરવા આવ્યા હતા. દરમિયાન કોઝવે પર સેલ્ફી લઇ રહ્યા હતા એ સમયે આ છોકરો રેલિંગ ક્રોસ કરી નદીની એકદમ નજીકથી સેલ્ફી લેવા પ્રયાસ કરી રહ્યો હતો. અહીં તેનો પગ લપસી જતાં નદીમાં પડ્યો હતો. તરતા ન આવડવાને લીધે તે ડૂબવા લાગ્યો હતો.
છોકરો ડૂબવા લાગતા તેના મિત્રોએ બૂમાબૂમ કરી મૂકી હતી. આ સમયે કોઝવે પર નિયમિત તરવા જતા એક વ્યક્તિ તરત જ કોઝવેમાં કૂદી પડ્યા હતા અને તેમણે ડૂબી રહેલા તરુણને બહાર કાઢયો હતો. દુર્ઘટના સ્થળે અનેક લોકો આ ઘટનાને જોઇ રહ્યા હતા ત્યારે કેટલાકે તેમના કેમેરામાં ઘટનાનું રેકોર્ડિંગ કરી લીધી હતું. આ લાઇવ રેસ્ક્યૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે.
ગુજરાતના આ જાણીતા આંદોલનકારી AAPમાં જોડાશે એવી ચર્ચા, સુરતમાં મનિષ સિસોદીયા સાથે થઈ મુલાકાત
સુરતઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સક્રીય થઈ ગઈ છે. એક પછી એક મોટા નેતાઓ પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. ગઈ કાલે પાટીદાર નેતા મહેશ સવાણી આપમાં જોડાયા હતા. તેઓ દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ઉપસ્થિતિમાં આપમાં જોડાયા હતા. ત્યારે હવે વધુ એક યુવા આંદોલનકારી આપમાં જોડાવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. આ નેતાએ ગઈ કાલે સુરતમાં સિસોદિયા સાથે મુલાકાત કર્યા પછી આ ચર્ચાએ જોર પકડ્યું છે.
જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ અને આંદોલન કારી પ્રવીણ રામે ગઈ કાલે મનિષ સિસોદિયા સાથે મુલાકાત કરી હતી. પ્રવીણ રામે તેમના સોશિયલ મીડિયા પેજ પર આ અંગે જાતે માહિતી આપી છે અને તેમની સાથેની તસવીરો પણ શેર કરી છે. તેમણે જણાવ્યું છે કે, આજ રોજ સુરત ખાતે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ ક્રાંતિના જનક મનીષ સિસોદિયાજી સાથે શુભેચ્છા મુલાકાત લીધી. માનનીય કેજરીવાલજીના નેતૃત્વમાં દિલ્હી સરકારમાં પ્રજાહિત માટે ચાલતા કાર્યોની વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી. દિલ્હી સરકારના પ્રજાહિત માટેના કાર્યો તેમજ માનનીય અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયાજીના પ્રજાહિત માટેના વિચારો જાણીને ખુબ જ આનંદ થયો. આ મિટિંગમાં ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ, આપ નેતા ઇસુદાનભાઈ ગઢવી, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા, પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા અને અન્ય જવાબદાર આગેવાનો પણ હાજર રહ્યા.
આમ આદમી પાર્ટી (આપ)ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને સોમનાથ મંદિરની બહાર ધક્કે ચડાવ્યાનો મામલો સામે આવ્યો છે. ગોપાલ ઇટાલિયા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પહોંચ્યા છે. ભાજપ પ્રેરીત લોકોએ હુમલો કર્યાનો ગોપાલ ઇટાલિયાનો દાવો છે.
આપના ઇસુદાન અને ગોપાલ ઇટાલીયા સોમનાથ દર્શને પહોંચ્યા હતા. ગોપાલ ઇટાલીયાનો સમસ્ત બ્રહ્મ સમાજ અને હિંદુ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવાયો હતો. મંદિર પરિસરમાં ગોપાલ ઈટાલિયા પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
June 27, 2021 at 11:42PM surat
Technosv2018
June 28, 2021
સુરતઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સક્રીય થઈ ગઈ છે. એક પછી એક મોટા નેતાઓ પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. ગઈ કાલે પાટીદાર નેતા મહેશ સવાણી આપમાં જોડાયા હતા. તેઓ દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ઉપસ્થિતિમાં આપમાં જોડાયા હતા. ત્યારે હવે એક યુવા આંદોલનકારી આપમાં જોડાવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. આ નેતાએ ગઈ કાલે સુરતમાં સિસોદિયા સાથે મુલાકાત કર્યા પછી આ ચર્ચાએ જોર પકડ્યું છે.
જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ અને આંદોલનકારી પ્રવીણ રામે ગઈ કાલે મનિષ સિસોદિયા સાથે મુલાકાત કરી હતી. પ્રવીણ રામે તેમના સોશિયલ મીડિયા પેજ પર આ અંગે જાતે માહિતી આપી છે અને તેમની સાથેની તસવીરો પણ શેર કરી છે. તેમણે જણાવ્યું છે કે, આજ રોજ સુરત ખાતે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ ક્રાંતિના જનક મનીષ સિસોદિયાજી સાથે શુભેચ્છા મુલાકાત લીધી. માનનીય કેજરીવાલજીના નેતૃત્વમાં દિલ્હી સરકારમાં પ્રજાહિત માટે ચાલતા કાર્યોની વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી. દિલ્હી સરકારના પ્રજાહિત માટેના કાર્યો તેમજ માનનીય અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયાજીના પ્રજાહિત માટેના વિચારો જાણીને ખુબ જ આનંદ થયો. આ મિટિંગમાં ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ, આપ નેતા ઇસુદાનભાઈ ગઢવી, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા, પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા અને અન્ય જવાબદાર આગેવાનો પણ હાજર રહ્યા.
આમ આદમી પાર્ટી (આપ)ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને સોમનાથ મંદિરની બહાર ધક્કે ચડાવ્યાનો મામલો સામે આવ્યો છે. ગોપાલ ઇટાલિયા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પહોંચ્યા છે. ભાજપ પ્રેરીત લોકોએ હુમલો કર્યાનો ગોપાલ ઇટાલિયાનો દાવો છે.
આપના ઇસુદાન અને ગોપાલ ઇટાલીયા સોમનાથ દર્શને પહોંચ્યા હતા. ગોપાલ ઇટાલીયાનો સમસ્ત બ્રહ્મ સમાજ અને હિંદુ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવાયો હતો. મંદિર પરિસરમાં ગોપાલ ઈટાલિયા પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
Surat Politics : આપના કયા ટોચના નેતાએ બીજેપીને ભાજપ ઝઘડા પાર્ટી ગણાવી ?
ભાજપ બધા સાથે લડે છેઃ મનીષ સિસોદીયા
પ્રેસ કોન્ફરન્સમાં મનીષ સિસોદીયાએ કહ્યું, સીએમ કોણ હશે તે ચૂંટણી સમયે જોવાશે. અમારા નગરસેવકોએ ખૂબ સારું કામ કર્યું છે. હજુ અનેક લોકો ભાજપ છોડી આપમાં જોડાશે. તેમણે એમ પણ કહ્યું કે, બીજેપી એટલે ભાજપ ઝઘડા પાર્ટી. ભાજપ બધા સાથે લડે છે, ભાજપ શિક્ષણ સમિતિની લૂંટ ચલાવવા માંગે છે.
આપમાં જોડાયા બાદ શું બોલ્યા મહેશ સવાણી
આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ મહેશ સવાણીએ કહ્યું, મેં 51 વર્ષે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. મેં નવા ઘરમાં જવાનું પસંદ કર્યું છે. એક 80 વર્ષ નું ઘર(કોંગ્રેસ),એક 25 વર્ષ નું એલિવેશન વાળું ઘર (ભાજપ) અને ખુલ્લો પ્લોટ (આપ) છે. હું ખુલ્લો પ્લોટ પસંદ કરું છે. ગુજરાતનું કામ કરવા રાજકારણમાં આવી રહ્યો છું. મને હેરાન કરશે તેવું પણ અનેક લોકોએ કહ્યું છે પણ મેં નક્કી કર્યું છે. મારે જેલમાં જવું પડશે, બહુ બહુ તો ગોળી મારી દેશે. મને નાના વર્ગની પીડા ખબર છે. સમાજના કામ કરવામાં પણ રાજકારણ આવે છે. કોવિડ સેન્ટરો મુદ્દે પણ આવું રાજકારણ યોગ્ય નથી. હું દિલ્હી ગયો હતો ત્યાં મેં સરકારી સ્કૂલો જોઈ હતી, ખાનગી સ્કૂલને ટક્કર મારે તેવી સ્કૂલો છે. લોકોને ખૂબ આર્થિક નુકસાન થયું છે, લોકો કોરોનામાં રઝળી રહ્યા હતાં. આ વાત કરતાં તેમની આંખમાં આંસુ આવી ગયા હતા.
મહેશ સવાણી બિઝનેસમેન હોવાની સાથે સાથે અનાથ દીકરીઓના લગ્ન કરાવવા માટે પણ રાજ્યભરમાં જાણીતા છે. આ ઉપરાંત અનેક સેવાકીય કાર્યો કરી રહ્યા છે. આ ઉપરાંત તેમની સાથે કેટલાક વિવાદ પણ સંકળાયેલા છે. વર્ષ 2020માં બિલ્ડરનું અપહરણ કરવા મામલે તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.
June 27, 2021 at 10:29PM surat
Technosv2018
June 28, 2021
Technosv2018
June 28, 2021
સુરતઃ ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 112 કેસ નોંધાયા છે જ્યારે ૩ વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે 305 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી,જે પૈકી એક સમયે કોરોનાના હોટ સ્પોટ બનેલા સુરતમાં સૌથી વધુ 103 લોકોએ કોરોનાને હરાવ્યો હતો. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 3678 છે. જે પૈકી 21 દર્દી વેન્ટીલેટર પર છે.
આ ત્રણ શહેરમાં જ નોંધાયા કુલ કેસના 58 ટકા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 24, વડોદરા કોર્પોરેશનમા 14 અને વડોદરામાં 7 મળી 21 તથા સુરત કોર્પોરેશનમાં 13 અને સુરતમાં 7 મળી કુલ 20 કેસ નોંધાયા હતા. આમ આ ત્રણેય શહેરમાં 65 કેસ નોંધાયા હતા. જે આજે રાજ્યમાં નોંધાયેલા કુલ કેસના 58 ટકા થાય છે. અમદાવાદ કોર્પોરેશમાંથી 45, વડોદરા કોર્પોરેશનમાંથી 12, સુરત કોર્પોરેશનમાંથી 103, સુરતમાંથી 11 અને વડોદરામાંથી 4 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. મહેસાણામાંથી 36, દેવભૂમિ દ્વારકામાં 12, જામનગર કોર્પોરેશનમાંથી 10 લોકો કોરોના સામે જંગ જીત્યા હતા.
આ જીલ્લામાં એક પણ ન થયા ડિસ્ચાર્જ
કચ્છ, આણંદ, ભરૂચ, ભાવનગર, તાપી, અમદાવાદ, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, મહીસાગર, નર્મદા, પાટણમાંથી એક પણ વ્યક્તિ ડિસ્ચાર્જ થયા નહોતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 24 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 14 કેસ, સુરત કોર્પોરેશનમાં 13 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 8 કેસ, સુરત અને વડોદરામાં 7-7 કેસ, નવસારી અને વલસાડમાં 4-4 કેસ, બનાસકાંઠા અને કચ્છમાં 3-3 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 2 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, જાનગર કોર્પોરેશનમાં 2 કેસ, જુનાગઢ તથા જુનાગઢ કોર્પોરેશનમાં 2-2 કેસ, ખેડામાં 2 કેસ, પંચમહાલમાં 2 કેસ, સુરેન્દ્રનગરમાં 2 કેસ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, જામનગર, મહાણા, પોરબંદર, રાજકોટ અને તાપીમાં 1-1 કેસ નોંધાયા હતા. અમદાવાદ કોર્પોરેશનમાં 1, વડોદરમાં 1 તથા ભાવનગરમાં 1 મળી કુલ 3 દર્દીના કોરોનાથી નિધન થયા હતા.
આ જિલ્લામાં ન નોંધાયા એક પણ કેસ
અમદાવાદ, અરવલ્લી, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, મહીસાગર, મોરબી, નર્મદા, પાટણ, સાબરકાંઠામાં એક પણ કેસ નોંધાયો નહોતો.
રાજ્યમાં કેટલા છે એક્ટિવ કેસ
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 3678 છે. જેમાંથી હાલ 3666 લોકો સ્ટેબલ છે. 21 લોકો વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,09,506 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10,051 પર પહોંચ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ (Recovery Rate) 98.33 ટકા છે.
કેટલા લોકોએ લીધી રસી
રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે રવિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,40,985 વ્યક્તિઓનું રસીકરણ (Vaccination) કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 2,46,38,142 પર પહોંચ્યો છે.
June 27, 2021 at 09:45AM surat
Technosv2018
June 27, 2021
સુરતઃ સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની હાજરીમાં સવાણી પાર્ટીમાં જોડાયા હતા. સિસોદિયાએ મહેશ સવાણીને આપ માં આવકાર આપ્યો હતો. મહેશ સવાણી પાટીદાર આગેવાન અને સમાજ સેવક છે. મહેશ સવાણીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી સેંકડો દીકરીએનાં લગ્ન કરાવ્યા છે. કોરોના કાળમાં સૌરાષ્ટ્રમાં જનરેટર પહોંચાડી મહેશ સવાણીએ સેવા બજાવી છે.
ભાજપ બધા સાથે લડે છેઃ મનીષ સિસોદીયા
પ્રેસ કોન્ફરન્સમાં મનીષ સિસોદીયાએ કહ્યું, સીએમ કોણ હશે તે ચૂંટણી સમયે જોવાશે. અમારા નગરસેવકોએ ખૂબ સારું કામ કર્યું છે. હજુ અનેક લોકો ભાજપ છોડી આપમાં જોડાશે. તેમણે એમ પણ કહ્યું કે, બીજેપી એટલે ભાજપ ઝઘડા પાર્ટી. ભાજપ બધા સાથે લડે છે, ભાજપ શિક્ષણ સમિતિની લૂંટ ચલાવવા માંગે છે.
આપમાં જોડાયા બાદ શું બોલ્યા મહેશ સવાણી
આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ મહેશ સવાણીએ કહ્યું, મેં 51 વર્ષે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. મેં નવા ઘરમાં જવાનું પસંદ કર્યું છે. એક 80 વર્ષ નું ઘર(કોંગ્રેસ),એક 25 વર્ષ નું એલિવેશન વાળું ઘર (ભાજપ) અને ખુલ્લો પ્લોટ (આપ) છે. હું ખુલ્લો પ્લોટ પસંદ કરું છે. ગુજરાતનું કામ કરવા રાજકારણમાં આવી રહ્યો છું. મને હેરાન કરશે તેવું પણ અનેક લોકોએ કહ્યું છે પણ મેં નક્કી કર્યું છે. મારે જેલમાં જવું પડશે, બહુ બહુ તો ગોળી મારી દેશે. મને નાના વર્ગની પીડા ખબર છે. સમાજના કામ કરવામાં પણ રાજકારણ આવે છે. કોવિડ સેન્ટરો મુદ્દે પણ આવું રાજકારણ યોગ્ય નથી. હું દિલ્હી ગયો હતો ત્યાં મેં સરકારી સ્કૂલો જોઈ હતી, ખાનગી સ્કૂલને ટક્કર મારે તેવી સ્કૂલો છે. લોકોને ખૂબ આર્થિક નુકસાન થયું છે, લોકો કોરોનામાં રઝળી રહ્યા હતાં. આ વાત કરતાં તેમની આંખમાં આંસુ આવી ગયા હતા.
મહેશ સવાણી બિઝનેસમેન હોવાની સાથે સાથે અનાથ દીકરીઓના લગ્ન કરાવવા માટે પણ રાજ્યભરમાં જાણીતા છે. આ ઉપરાંત અનેક સેવાકીય કાર્યો કરી રહ્યા છે. આ ઉપરાંત તેમની સાથે કેટલાક વિવાદ પણ સંકળાયેલા છે. વર્ષ 2020માં બિલ્ડરનું અપહરણ કરવા મામલે તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.
June 27, 2021 at 06:08AM surat
Technosv2018
June 27, 2021
સુરત તક્ષશીલા અગ્નિકાંડ મામલે બે આરોપીઓના જામીન મંજૂર થયા છે. બિલ્ડર રવિન્દ્ર કહાર અને સાવજી પઘડાળના જામીન મંજૂર કરાયા છે. આરોપીઓને જામીન મળતા ફરિયાદી પક્ષ સુપ્રીમ કોર્ટમાં જશે.
June 27, 2021 at 03:32AM surat
Technosv2018
June 27, 2021
દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદિયાએ સુરતમાં ભાજપ પર પ્રહાર કર્યાં હતા. સીસોદિયાએ જણાવ્યુ હતું કે,, 2022ની વિધાન સભાની ચુંટણીમાં ભાજપ સામે AAPની લડત હશે. ભાજપ આજે ભારતીય ઝગડા પાર્ટી બની છે.
June 27, 2021 at 02:17AM surat
Technosv2018
June 27, 2021
AAPમાં જોડાયા બાદ હીરા વેપારી મહેશ સવાણીએ વિરોધીઓ પર પ્રહાર કર્યા હતા. મહેશ સવાણીએ જણાવ્યુ હતું કે,, સમાજ સેવા કરવામાં પણ રાજકારણ થાય છે. મારે સેવા કરવા બદ્દલ જો જેલમાં જવું પડશે તો પણ હું તૈયાર છું.
June 27, 2021 at 02:13AM surat
Technosv2018
June 27, 2021
સુરતના હીરા વેપારી મહેશ સવાણી AAPમાં જોડાયા. મહેશ સવાણી મનીષ સિસોદિયાને મળવા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. મનીષ સીસોદિયાની સુરત મુલાકાત પહેલા જે અટકળો ચાલી રહી હતી તે મહેશ સવાણીના AAPમાં જોડાયા બાદ સાચી નીકળી છે.
June 27, 2021 at 01:33AM surat
Technosv2018
June 27, 2021
સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને પાટીદાર આગેવાન મહેશ સવાણી આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મની
Technosv2018
June 27, 2021
દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતનાં પ્રવાસે છે. મનીષ સિસોદિયા સવારે 7 વાગ્યે સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. આ સમયે AAPના કાર્યકર્તાઓની પાંખી હાજરી જોવા મળી હતી. એરપોર્ટ પર AAPના કાર્યકર્તાઓને અટકાવતાં મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે,, પોલીસે રાજકીય પાર્ટી ન બનવું જોઇયે.
June 26, 2021 at 11:43PM surat
Technosv2018
June 27, 2021
સુરતઃ સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. આણ આદમી પાર્ટીના નેતા અને દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાની હાજરીમા સવાણી આણ આદમી પાર્ટીમાં જોડાયા હતા. સિસોદિયાએ મહેશ સવાણી ને આપ માં આવકાર આપ્યો હતો. મહેશ સવાણી પાટીદાર આગેવાન અને સમાજ સેવક છે. મહેશ સવાણીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી સેંકડો દીકરીએનાં લગ્ન કરાવ્યા છે. કોરોના કાળમાં સૌરાષ્ટ્રમાં જનરેટર પહોંચાડી મહેશ સવાણીએ સેવા બજાવી છે.
સુરતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા રવિવારે સવારે સાત વાગ્યાની આસપાસ સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.
સિસોદિયાના સ્વાગત માટે આપના નેતા પ્રદેશ પ્રભારી ગુલાબસિહ યાદવ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા હાજર રહ્યા હતા.
સોસિદિયા એરપોર્ટથી આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે સુરત સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. સિસોદિયાએ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે લોચા અને સેવ ખમણીનો સુરતી નાસ્તો કર્યો હતો. એ પછી તેમણે આપના નેતાઓ સાથે મિટિંગ કરી હતી. આ બેઠકમાં સુરત મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા ભંડેરી હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં મોટી જવાબદારી સોંપાય એવી ચર્ચાઓ ચાલી રહી છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ નાનપુરા વિસ્તારમાં આવેલી જીવનભારતી શાળાના રોટરી ક્લબ ખાતે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ પહેલાં સિસોદિયા અને સવાણી વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાત પછી પત્રકાર પરિષદમાં ગોપાલ ઈટાલિયાએ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાશે એવી જાહેરાત કરી હતી. આ પહેલાં સિસોદિયાએ કોર્પોરેશનના કોર્પોરેટરો તથા રબાદ સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરશે. મહેશ સવાણી ઉપરાંત અન્ય સામાજિક અગ્રણી અને ઉદ્યોગકારો આપમાં જોડાવાની શક્યતા સેવવામાં આવી રહી છે.
June 26, 2021 at 11:35PM surat
Technosv2018
June 27, 2021
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું આજે સવારે સાત વાગ્યની આસપાસ સુરત એરપોર્ટ પર આગમન થયું હતું. તેઓના સ્વાગત માટે આપના નેતા પ્રદેશ પ્રભારી ગુલાબસિહ યાદવ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા હાજર રહ્યા હતા. એરપોર્ટથી સિસોદિયા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે. અહીં તેઓએ સુરતી નાસ્તા સાથે દિવસની શરૂઆત કરી હતી. હાલમાં આપના નેતાઓ સાથે મિટિંગ શરૂ થઈ છે. જેમા સ્થાનિક નેતાઓની કામગીરીથી મનીષ સીસોદીયા પ્રભાવિત થયા છે. તેમજ પાલિકાના વિરોધ પક્ષના નેતા ભંડેરીને આગામી દિવસોમાં મોટી જવાબદારી સોંપાય એવી ચર્ચાઓ ચાલી રહી છે.
June 26, 2021 at 09:55PM surat
Technosv2018
June 27, 2021
સુરતઃ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા આવતીકાલે એટલે કે રવિવારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ સવારે સાત વાગ્યે સુરત પહોંચશે. મહત્વનું છે કે બે દિવસ પહેલા જ આપ નેતા મનીષ સિસોદિયા સુરત આવવાના હતા પરંતુ બાદમાં તેઓનો સુરત પ્રવાસ રદ થયો હતો. તેઓની તબિયત ખરાબ થતા તેમણે ગુજરાત પ્રવાસ રદ કર્યો હતો.
મળતી જાણકારી અનુસારમનીષ સિસોદિયા સવારે સાત વાગ્યે સુરત પહોંચશે. બાદમાં તેઓ સર્કિટ હાઉસ પહોંચશે. સવારે નવ વાગ્યાથી 10:45 સુધી આપ પાર્ટીના કાઉન્સિલર્સ સાથે બેઠક કરશે. 11 વાગ્યે સુરતના વરિષ્ઠ લોકો સાથે મુલાકાત કરશે અને 12 વાગ્યે રોટલી હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે. સાંજે ચાર વાગ્યે મહાનગરપાલિકા ચૂંટણીમાં ચૂંટાયેલા આપના સભ્યો સાથે બેઠક કરશે. અને સાંજે સાત વાગ્યે તેઓ સુરતથી દિલ્હી જવા રવાના થશે.
મનીષ સિસોદિયાના સુરત પ્રવાસ દરમિયાન એક દિગ્ગજ હીરા ઉદ્યોગપતિ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. સૂત્રોના મતે સામાજિક કાર્યો સાથે જોડાયેલા આ ઉદ્યોગપતિને આમ આદમી પાર્ટીમાં જોડવાનો તખ્તો ગોઠવાઈ ચૂક્યો છે.
તો મનીષ સિસોદિયા સુરતમાં પાર્ટીના કોર્પોરેટરોને પણ મળશે. નોંધનીય છે કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં 120 બેઠકોવાળી સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર ચૂંટાયા હતા. સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષી પાર્ટી છે. ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ પણ એડીચોટીનું જોર લગાવાનું શરૂ કરી દીધું છે.
નોંધનીય છે કે આ અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અને આપ નેતા અરવિંદ કેજરીવાલે ગુજરાતનો પ્રવાસ કર્યો હતો. તેમણે આપ પક્ષના મુખ્ય કાર્યાલયનું અમદાવાદમાં ઉદ્ધાટન કર્યું હતું અને કેજરીવાલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે પૂર્વ પત્રકાર ઇશુદાન ગઢવીને આપ પાર્ટીમાં સામેલ કર્યા હતા. કેજરીવાલે જાહેરાત કરી હતી કે આમ આદમી પાર્ટી ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠકો પર ચૂંટણી લડશે.
June 26, 2021 at 09:25AM surat
Technosv2018
June 26, 2021
સુરતઃ સુરત શહેરે ધ બેસ્ટ સ્માર્ટ સિટી એવોર્ડ-2020 જીત્યો છે. સુરત ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ કોન્ટેસ્ટ (ISAC) 2020માં પહેલા નંબરે આવ્યું છે. સુરત ભારતનું પહેલા નંબરનું સ્માર્ટ સિટી બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25મી જૂન 2015માં સ્માર્ટ સિટી યોજનાની જાહેરાત કરી હતી. દેશના તમામ સ્માર્ટ શહેરોમાં પ્રથમ સ્થાન સંયુક્ત રીતે મધ્ય પ્રદેશનું ઈન્દૌર અને ગુજરાતનું સૂરત શહેર આવ્યુ છે.
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત સંચાલિત સ્માર્ટ સિટીને વિકસિત કરવામાં ઉત્તર પ્રદેશ પ્રથમ રહ્યું છે. બીજા સ્થાને મધ્ય પ્રદેશ અને ત્રીજા સ્થાને તમિલનાડૂ રહ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચંડીગઢ ટોપ પર રહ્યુ છે. સ્માર્ટ સિટી મિશન, અમૃત યોજના અને પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનાની છઠ્ઠી વર્ષગાંઠના અવસરે શુક્રવારે સ્માર્ટ સિટી એવોર્ડ 2020 જાહેર કરાયો છે. કોરોના સંક્રમણને કારણે ગત વર્ષે આ એવોર્ડની જાહેરાત કરાઈ નહોતી.
અમદાવાદ, વારાણસી અને રાંચિને પણ સ્માર્ટ સિટી લીડરશિપ એવોર્ડ મળ્યો છે. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત શહેરોને એવોર્ડ આપવા માટે પસંદગીના આધારે ત્યાંની ગવર્નેંસ, કલ્ચર, શહેરી વાતાવરણ, અર્થવ્યવસ્થા, રોજગાર, પાણી અને શહેરી પરિવહનને આધાર બનાવ્યો હતો. આ વખતે કોરોનાને પણ જોડાયું છે.
Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના નવા 123 કેસ નોંધાયા, સાજા થવાનો દર 98.28 ટકા
ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસ (Gujarat Corona Cases) 100થી નીચે નોંધાય તે દિવસો વધારે દૂર નથી. રાજ્યમાં સતત ચોજા દિવસે 150થી ઓછા કેસ નોંધાયા હતા. શુક્રવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 123 નવા કેસ નોંધાયા હતા અને 3 લોકોના મોત થયા હતા.
હાલ રાજ્યમાં એક્ટિવ કેસ (Active Cases) 4116 છે. જેમાંથી 38 લોકો વેન્ટિલેટર પર છે. 4078 લોકોની હાલત સ્થિર છે. 808849 લોકો રાજ્યમાંથી કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે 10045 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ (Recovery Rate) 98.28 ટકા થયો છે.
કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત કોર્પોરેશનમાં 15, વડોદરા કોર્પોરેશનમાં 14, સુરત 11, રાજકોટ કોર્પોરેશનમાં 6, વલસાડ 6, બનાસકાંઠા 5, ગીર સોમનાથ 5, અમરેલી 3, જામનગર કોર્પોરેશન 3, કચ્છ 3, વડોદરા 3, આણંદ 2, ગાંધીનગર 2, જામનગર 2, જુનાગઢ 2, જૂનાગઢ કોર્પોરેશન 2, ખેડા 2, રાજકોટ 2, અરવલ્લી 1, ભરુચ 1, ગાંધીનગર કોર્પોરેશન 1, મહેસાણા 1, નર્મદા 1, નવસારી 1, પંચમહાલ 1, સાબરકાંઠા 1 કેસ નોંધાયો છે.
રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હાલ હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 4448 લોકોને પ્રથમ ડોઝ અને 15550 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45થી વધારેની ઉંમરના 73345 લોકોને પ્રથમ અને 54573 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષનાં નાગરિકોમાં 195962 લોકોને પ્રથમ ડોઝ અને 14454 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.
June 26, 2021 at 03:33AM surat
Technosv2018
June 26, 2021
સુરત(Surat) જિલ્લાના ઓલપાડ(Olpad)ના કીમ PHC પર કોરોનાની વેક્સિન લેવા નાગરિકોએ ધક્કામુક્કી કરી છે. અહીંયા રસી (vaccine)લેવા આવેલા નાગરિકોની વધુ ભીડ ભેગા થતા કોરોનાના નિયમો તૂટ્યા છે. જેના કારણે પોલીસ બોલાવવાની પણ ફરજ પડી છે.
June 26, 2021 at 02:14AM surat
Technosv2018
June 26, 2021
સુરત(Surat)માં શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(Aam Aadmi Party) અને ભાજપ(BJP) વચ્ચે ઘર્ષણ થયું છે. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો કે ભાજપે અપક્ષને જીતાડવા માટે બેલેટ પેપર છુપાવ્યા છે. ભાજપે કહ્યું કે, AAP એક બેઠક હારી ગઈ એટલે ખોટા આરોપ લગાવી રહી છે.
June 25, 2021 at 10:37PM surat
Technosv2018
June 26, 2021
સુરતના પલસાણામાં અસામાજિક તત્વો પાંચથી છ કારમાં હાઈવે પર આવેલા જે.ડી નામના રેસ્ટોરંટ ખાતે ધસી આવ્યા હતા. અંગત અદાવતમાં આ શખ્સોએ તોડફોડ કરી હતી. ઘટનાને પગલે રેસ્ટોરંટ સંચાલકે પોલીસને જાણ કરી હતી. બનાવને પગલે કડોદરા પોલીસે સ્થળ પર પહોંચી આતંક મચાવનારા તોફાની તત્વો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટજના આધારે તોફાની શખ્સોની શોધખોળ શરૂ કરી હતી.
June 25, 2021 at 06:05AM surat
Technosv2018
June 25, 2021
Technosv2018
June 24, 2021
કોર્ટમાં મુદ્દત હોવાથી રાહુલ ગાંધી ( Rahul Gandhi) સુરત આવ્યા હતા. કોર્ટમાં હાજરી આપ્યા પછી સુરત એરપોર્ટ (Surat Airport) પર જ તેમણે ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) ધુરંધર નેતાઓ સાથે બેઠક કરી હતી. સૌ પહેલા અમિત ચાવડા અને પરેશ ધાનાણી સાથે રાહુલ ગાંધીએ બેઠક કરી હતી. બાદમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી. જેમાં ભરતસિંહ સોલંકી, હાર્દિક પટેલ, અર્જુન મોઢવાડિયા હાજર હાજર રહ્યા હતા
June 24, 2021 at 06:10AM surat
Technosv2018
June 24, 2021
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 82 તાલુકામાં વરસાદ (rain) વરસ્યો હતો. સૌથી વધારે સુરતના (Surat) કામરેજમાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આણંદના ખંભાતમાં અઢી ઈંચ,નવસારીના ખેરગામમાં બે ઈંચ,સુરત શહેરમાં દોઢ અને માંડવીમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો.
June 24, 2021 at 02:38AM surat
Technosv2018
June 24, 2021
સુરત કોર્ટમાં (Surat Court) હાજરી આપવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (congress leader Rahul Gandhi ) સુરત (Surat) આવ્યાં હતા. કોર્ટમાં (court) અંદાજીત એક કલાક સુધી સુનાવણી ચાલી હતી. આ કેસ મામલે નામદાર કોર્ટે પ્રશ્નો પૂછતા જવાબમાં રાહુલ ગાંધી જણાવ્યું કે મને ખબર નથી. મને ખબર નથી. કોર્ટમાં હાજરી આપ્યા બાદ રાહુલ ગાંધી સીધા જ એરપોર્ટ જવા રવાના થયા હતા. એક ચોક્કસ સમાજ વિરુધ્ધ કરાયેલી ટિપ્પણીને લઈ રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ (BJP MLA) સુરત કોર્ટમાં ફરિયાદ કરી હતી.
June 24, 2021 at 02:31AM surat
Technosv2018
June 24, 2021
સુરતઃ આજે કોર્ટમાં મુદ્દત હોવાથી રાહુલ ગાંધી સુરત આવ્યા હતા. કોર્ટમાં હાજરી આપ્યા પછી સુરત એરપોર્ટ પર જ તેમણે ગુજરાત કોંગ્રેસના ધુરંધર નેતાઓ સાથે બેઠક કરી હતી. સૌ પહેલા અમિત ચાવડા અને પરેશ ધાનાણી સાથે રાહુલ ગાંધીએ બેઠક કરી હતી.
બાદમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી. જેમાં ભરતસિંહ સોલંકી, હાર્દિક પટેલ, અર્જુન મોઢવાડિયા હાજર હાજર રહ્યા હતા. આ સિવાય ગૌરવ પંડ્યા, આનંદ ચૌધરી , તુષાર ચૌધરી નરેશ રાવલ, અમિ યાજ્ઞિક પણ હાજર રહ્યા હતા. ગુજરાતના નેતૃત્વ અંગે ઝડપથી નિર્ણય લેવાની રાહુલે ખાતરી આપી હતી.
કોર્ટમાં મુદતને લઈ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત પહોંચ્યા હતા. દરેક ચોરની અટક મોદી કેમ હોય છે. આ વિવાદાસ્પદ નિવેદનને લઈ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની તારીખ હોવાથી કોર્ટમાં હાજર થવા માટે રાહુલ સુરત આવ્યા હતા. કોર્ટમાં અંદાજે એક કલાક હાજરી આપ્યા બાદ સીધા જ એરપોર્ટ જવા રવાના થયા છે.
સુરત કોર્ટમાં આજે નામદાર કોર્ટ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેના જવાબમાં રાહુલ ગાંધી જણાવ્યું હતું કે મને ખબર નથી..મને ખબર નથી... સુરત એરપોર્ટ થી લઈ કોર્ટ સુધી રાહુલ ગાંધી માટે સુરતમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
સુરત એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. બાદમાં સુરત કોર્ટ રાહુલ ગાંધી પહોંચ્યા હતાં. કોર્ટમાં 1 કલાક સુધી રાહુલ ગાંધી રહ્યા હતા જે તેમનું વધારાનું સ્ટેટમેન્ટ લેવાયુ હતું.રાહુલ ગાંધી કોર્ટ માં હાજર થયા હતા ત્યારે કોંગ્રેસ ના અમિત ચાવડા, હાર્દિક પટેલ, શક્તિસિંહ ગોહિલ,અર્જુન મોઢવાડીયા,ભરતસિંહ સોલંકી સહિતના કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું, સાથે જ એરપોર્ટ પર પહોંચેલા રાહુલ ગાંધીને વકીલોએ પણ કેસની વિગતો આપીને બ્રિફ કર્યા હતા.
સમગ્ર વિવાદ કર્ણાટકની જાહેર સભાથી શરૂ થયો હતો. રાહુલ ગાંધી દ્વારા મોદી સમાજને લઈને કરેલી ટિપ્પણીને કારણે તેમની સામે મોદી સમાજ દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ જાહેર સભામાં તમામ મોદી ચોર હોવાની ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે નીરવ મોદી, લલિત મોદી સહિતનાં નામો લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કૌભાંડી અને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા, જેને લઇને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. પૂર્ણેશ મોદીના કહેવા પ્રમાણે, સમગ્ર મોદી સમાજને ચોર કહેતાં સમાજની લાગણી દુભાય છે.
જોકે આ મામલે સુરત કોર્ટ માં કેસ કરનારા ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે તત્કાલીન કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ અમારા સમાજને ચોર કહ્યો હતો. ચૂંટણીની સભામાં અમારા પર આક્ષેપ કર્યા હતા, જેથી અમારી અને સમાજની લાગણી દુભાતાં કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ અમે અંતિમ શ્વાસ સુધી લડશું. અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે.
બીજી તરફ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દેશના સામાન્ય જનતાની અવાજ બનતા લોક નેતા રાહુલ ગાંધીને હેરાન પરેશાન કરવા માટે ખોટા માનહાનિના કેસો કરવામાં આવ્યા, એના ભાગ સ્વરૂપે ચાલતા કેસમાં કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહે તેવી શકયતા છે. સમગ્ર કોંગ્રેસ સમિતિ સત્ય, ધર્મની લડાઈ માટે રાહુલ ગાંધી જે સંઘર્ષ કરી રહ્યા છે
સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો હતો. જે સંદર્ભે અગાઉ રાહુલ ગાંધી ઓક્ટોબર, 2019માં કોર્ટમાં હાજર રહ્યા હતા. બાદમાં વધારાનું સ્ટેટમેન્ટ લેવા માટે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યાં. ફરિયાદ પક્ષની સાક્ષી ચકાસવાનો સ્ટેજ પુરો થયો હતો જેની સામે હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી. જો કે તે અંગે કોઇ હુકમ ન આવતા રાહુલ ગાંધીનો જવાબ નોંધવાનો સ્ટેજ આવી ગયો હતો.જોકે આજે વધારા નું નિવેદન લેવાયા બાદ વધુ મુદત આપવામાં આવી હતી. આગામી 12 મી જુલાઈ ના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.ફરિયાદી પક્ષ અને બચાવપક્ષ ના વકીલે આ બાબતે માહિતી આપી હતી.
Technosv2018
June 24, 2021
સુરતઃ કોર્ટમાં મુદતને લઈ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત પહોંચ્યા હતા. દરેક ચોરની અટક મોદી કેમ હોય છે. આ વિવાદાસ્પદ નિવેદનને લઈ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની તારીખ હોવાથી કોર્ટમાં હાજર થવા માટે રાહુલ સુરત આવ્યા હતા. કોર્ટમાં અંદાજે એક કલાક હાજરી આપ્યા બાદ સીધા જ એરપોર્ટ જવા રવાના થયા છે.
સુરત કોર્ટમાં આજે નામદાર કોર્ટ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેના જવાબમાં રાહુલ ગાંધી જણાવ્યું હતું કે મને ખબર નથી..મને ખબર નથી... સુરત એરપોર્ટ થી લઈ કોર્ટ સુધી રાહુલ ગાંધી માટે સુરતમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
સુરત એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. બાદમાં સુરત કોર્ટ રાહુલ ગાંધી પહોંચ્યા હતાં. કોર્ટમાં 1 કલાક સુધી રાહુલ ગાંધી રહ્યા હતા જે તેમનું વધારાનું સ્ટેટમેન્ટ લેવાયુ હતું.રાહુલ ગાંધી કોર્ટ માં હાજર થયા હતા ત્યારે કોંગ્રેસ ના અમિત ચાવડા, હાર્દિક પટેલ, શક્તિસિંહ ગોહિલ,અર્જુન મોઢવાડીયા,ભરતસિંહ સોલંકી સહિતના કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું, સાથે જ એરપોર્ટ પર પહોંચેલા રાહુલ ગાંધીને વકીલોએ પણ કેસની વિગતો આપીને બ્રિફ કર્યા હતા.
સમગ્ર વિવાદ કર્ણાટકની જાહેર સભાથી શરૂ થયો હતો. રાહુલ ગાંધી દ્વારા મોદી સમાજને લઈને કરેલી ટિપ્પણીને કારણે તેમની સામે મોદી સમાજ દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ જાહેર સભામાં તમામ મોદી ચોર હોવાની ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે નીરવ મોદી, લલિત મોદી સહિતનાં નામો લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કૌભાંડી અને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા, જેને લઇને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. પૂર્ણેશ મોદીના કહેવા પ્રમાણે, સમગ્ર મોદી સમાજને ચોર કહેતાં સમાજની લાગણી દુભાય છે.
જોકે આ મામલે સુરત કોર્ટ માં કેસ કરનારા ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે તત્કાલીન કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ અમારા સમાજને ચોર કહ્યો હતો. ચૂંટણીની સભામાં અમારા પર આક્ષેપ કર્યા હતા, જેથી અમારી અને સમાજની લાગણી દુભાતાં કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ અમે અંતિમ શ્વાસ સુધી લડશું. અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે.
બીજી તરફ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દેશના સામાન્ય જનતાની અવાજ બનતા લોક નેતા રાહુલ ગાંધીને હેરાન પરેશાન કરવા માટે ખોટા માનહાનિના કેસો કરવામાં આવ્યા, એના ભાગ સ્વરૂપે ચાલતા કેસમાં કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહે તેવી શકયતા છે. સમગ્ર કોંગ્રેસ સમિતિ સત્ય, ધર્મની લડાઈ માટે રાહુલ ગાંધી જે સંઘર્ષ કરી રહ્યા છે
સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો હતો. જે સંદર્ભે અગાઉ રાહુલ ગાંધી ઓક્ટોબર, 2019માં કોર્ટમાં હાજર રહ્યા હતા. બાદમાં વધારાનું સ્ટેટમેન્ટ લેવા માટે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યાં. ફરિયાદ પક્ષની સાક્ષી ચકાસવાનો સ્ટેજ પુરો થયો હતો જેની સામે હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી. જો કે તે અંગે કોઇ હુકમ ન આવતા રાહુલ ગાંધીનો જવાબ નોંધવાનો સ્ટેજ આવી ગયો હતો.જોકે આજે વધારા નું નિવેદન લેવાયા બાદ વધુ મુદત આપવામાં આવી હતી. આગામી 12 મી જુલાઈ ના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.ફરિયાદી પક્ષ અને બચાવપક્ષ ના વકીલે આ બાબતે માહિતી આપી હતી.
Technosv2018
June 24, 2021
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર થયા હતા. એક ચોક્કસ સમાજ વિરુધ્ધ કરાયેલી ટિપ્પણીને લઈ રાહુલ ગાંધી વિરુધ્ધ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટની મુદત હોવાથી રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર થયા હતા. રાહુલ ગાંધી આવકારવા પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડા,પરેશ ધાનાણી સહિતના નેતાઓ સુરત પહોંચ્યા હતા. .માનહાની કેસમાં રાહુલ ગાંધી બીજી વખત સુરત કોર્ટ સમક્ષ હાજર થયા હતા.
June 24, 2021 at 01:42AM surat
Technosv2018
June 24, 2021
સુરતમાં (Surat) મોડી રાત્રે પડેલા વરસાદના પાણી હજુ સુધી ઓસર્યા નથી.ઉધના, માન દરવાજા, ડિંડોલી રેલવે ગરનાળા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ડિંડોલી રેલવે ગરનાળા પાસે તો ઘુંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. ગટર મારફતે વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકો પરેશાન થઈ રહ્યા છે. દુકાનો નજીક પાણી ભરાયા
June 24, 2021 at 01:25AM surat
Technosv2018
June 24, 2021
સુરતમાં (surat) મોડી રાત્રે પડેલા વરસાદના (rain) પાણી હજુ ઓસરયા નથી. જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા મનપાની પ્રિ-મોંસૂનની (pre-monsoon) કામગીરી પાણીમાં ધોવાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
June 24, 2021 at 12:20AM surat
Technosv2018
June 24, 2021
આવતીકાલે સુરતમાં રાહુલ ગાંધી અને મનીષ સિસોદિયા પહોંચશે. કોર્ટ કેસ મામલે રાહુલ સુરત આવશે. તો મનીષ સિસોદિયા AAPનો વ્યાપ વધારવા ગુજરાત પ્રવાસે છે. અહી તેઓ હીરા વેપારીના પુત્રનું પક્ષમાં સ્વાગત કરશે.
June 23, 2021 at 06:46AM surat
Technosv2018
June 23, 2021
આમ આદમી પાર્ટી ગુજરાતમાં વ્યાપ વધારવાના પ્રયાસમાં છે. દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયા સુરતના પ્રવાસે છે. સુરતના સૌરાષ્ટ્રવાસી પરિવારના ઉદ્યોગપતિ ગણાતા વ્યક્તિના પુત્રને આમ આદમી પાર્ટીમાં સામેલ કરાશે.
June 23, 2021 at 03:03AM surat
Technosv2018
June 23, 2021
સુરતની VNSGUમાં સિંડિકેટની બેઠક મળી હતી. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે 10 ટકાના ઘટાડાનો નિર્ણય કરાયો છે. માસ પ્રમોશન બાદ વિદ્યાર્થીઓની બેઠકમાં 10 ટકાના ઘટાડાનો નિર્ણય કરાયો છે. સુરતમાં પરપ્રાંતિયોની સંખ્યા વધવાથી આ નિર્ણય કરાયો છે.
June 22, 2021 at 11:17PM surat
Technosv2018
June 23, 2021
Technosv2018
June 23, 2021
સુરત(Surat)ના તક્ષશિલા અગ્નિકાંડના બે વર્ષ બાદ ચાર્જ ફ્રેમ થઈ છે. હવે ન્યાયિક કાર્યવાહી(Judicial proceedings)નો માર્ગ મોકળો થશે. સાક્ષીઓની જુબાનીની પ્રક્રિયા હવે શરૂ થશે. આ કાંડમાં 13 આરોપીઓ છે.
June 22, 2021 at 03:27AM surat
Technosv2018
June 22, 2021
સુરત(Surat)ના માંડવી(Mandvi) તાલુકાના ગોળધા ડેમમાં પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસના વરસાદથી ડેમમાં પાણીની આવક થઈ છે.જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનું મોજુ ફરી વળ્યું છે.
June 22, 2021 at 02:57AM surat
Technosv2018
June 22, 2021
વલસાડઃ નવસારી જિલ્લાના ચીખલીની 16 વર્ષીય સગીરાને સોશિયલ મીડિયા પર મિત્ર બનેલા યુવકે પોતાની તબિયત પૂછવાને બહાને મળવા બોલાવી અવાવરું ફાર્મ હાઉસમાં લઈ જઈને પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે સગીરાએ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આરોપીને જેલ હવાલ કરી દીધો છે.
નવસારીની 16 વર્ષીય સગીરા સાથે આરોપીએ વોટ્સએપ ઉપર મિત્રતા કેળવી હતી. દરમિયાન ગત 16મી જૂને યુવકે પોતાને કેન્સર હોવાનું કહીને તેની સહાનૂભતિ જતી હતી. પછી તબિયત સારી ન હોવાનું કહી તેને તબિયત પૂછવાને બહાને મળવા બોલાવી હતી. આથી સગીરા ઘરે કોઈને કહ્યા વગર તેને મળવા દોડી ગઈ હતી. સગીરા પારડી આવતા યુવક તેને બાઇક ઉપર બેસાડી અવાવરૂ ફાર્મમાં લઇ ગયો હતો.
અહીં સગીરાને લાવીને તેની સાથે છૂટછાટ લેવા માંડ્યો હતો. જોકે, સગીરાએ પ્રતિકાર કરતાં તેનો મોબાઇલ લઈ લીધો હતો. તેમજ તેા હાથ દોરડાથી બાંધીને પરાણે સંબંધ બાંધ્યા હતા. યુવકની હરકતથી ડઘાઈ ગયેલી યુવતીએ રડારડ કરી મૂકતા યુવક તેને પારડી ચાર રસ્તા પર મૂકીને ફરાર થઈ ગયો હતો.
યુવક મૂકીને ફરાર થઈ જતા સગીરાએ અજાણ્યા વ્યક્તિની મદદથી પરિવારને ફોન કરી પારડી બોલાવી લીધો હતો અને ત્યાંથી તે ઘરે પહોંચી હતી. જોકે, ઘરે પહોંચેલી સગીરાએ માતાના સમગ્ર વાત કરતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પીડિતાની માતાએ પારડી પોલીસ સ્ટેશનમાં યુવક સામે પોલીસ ફરિયાદ કરતાં યુવક તેના મોબાઈલ લોકેશન આધારે ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો છે.
Surat : ભાજપના નેતાના પુત્રે અન્ય યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યા હોવાની પત્નિની ફરિયાદ, પત્નિ સાથે જે કર્યું એ જાણીને લાગી જશે આઘાત
સુરતઃ માંગરોળમાં ભાજપના પુત્રનું કારસ્તાન સામે આવ્યું છે. માંગરોળના તરસાડી ભાજપ આગેવાન કિશોરસિંહ કોસાડા સહિત ૬ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પુત્ર અમિતે સસરા પાસેથી ઉછીનાં રૂપિયા લીધા, બાદ પત્નીને માર મારી અન્ય યુવતી સાથે પણ અનૈતિક સંબંધો બાંધ્યા હતા.
પુત્ર અમિત સસરા પાસે વિવિધ કારણો આપી રૂપિયાની માંગણી કરતો હતો. મારઝૂડ કરી ઘરમાં પુરી દેતા પત્નીએ મહિલા હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરી હતી. પત્ની દેવયાનીની ફરિયાદ બાદ કોસંબા પોલીસે પતિ સહી ૬ સાસરિયા સામે ગુનો નોંધ્યો છે.
June 21, 2021 at 09:24PM surat
Technosv2018
June 22, 2021
સુરત(Surat)માં આવેલી મેટાસ સ્કુલ(Metas School) વિવાદમાં સપડાઈ છે. વાલીઓએ ડોનેશન વિવાદ અંગે DEO કચેરી પર ધરણા કર્યા છે. વાલીઓએ ડોનેશનની રકમ વ્યાજ સહિત પરત લેવા માટે વાલીઓએ બેનર સાથે વિરોધ કર્યો છે.શાળાએ એક હજારથી વધુ વાલીઓ પાસેથી ડોનેશન લીધું હતું.
June 21, 2021 at 04:36AM surat
Technosv2018
June 21, 2021
સુરત(Surat)માં પણ વેક્સિનેશન અભિયાન(Vaccination campaign)નો પ્રારંભ થઈ ચૂક્યો છે. આરોગ્ય મંત્રી કુમાર કાનાનીએ આ અભિયાનની શરૂઆત કરાવી છે. શહેરના 230 વેક્સિનેશન સેન્ટર પર 50 હજારથી વધુ લોકોને વેક્સિન આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
June 21, 2021 at 01:33AM surat
Technosv2018
June 21, 2021
સુરત(Surat)ના પાંડેસરા(Pandesara)ના સરસ્વતી આવાસમાં છતના પોપડા પડવાથી આઠ મહિનાની સિયા ખાંડે(Sia Khande) નામની બાળકીનું મોત થયું છે. બાળકીના મોત બાદ પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો છે. પરિવારજનોએ ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો છે.
June 21, 2021 at 01:30AM surat
Technosv2018
June 21, 2021
સુરત: પાંડેસરામાં સરસ્વતી આવાસમાં છતનું પોપડું પડતા 8 મહિનાની બાળકીનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. સિયા પ્રદીપ ખાંડે નામની બાળકીનું મોત થયું છે. બાળકીની લાશ સ્વીકારવાની પરિવારજનોએ ના પાડી દીધી છે. આવાસના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માંગ કરી છે. બાળકીને ન્યાય ન મળે ત્યાં સુધી લાશ પરિવાર નહીં સ્વીકારે. સરસ્વતી આવાસ જર્જરિત થયો છે એને રી ડેવલપમેન્ટમાં ફરી બનાવી આપવા માંગ કરી છે.
પાંડેસરા ભેસ્તાન સ્થિત આવાસમાં પરિવાર સૂતો હતો તે જ સમયે સિલિંગના પોપડા તૂટી પડતા માતા-પિતા અને માસૂમ ઘાયલ થયા હતા. જેમાં માસુમ બાળકી સિયા ખાંડેને સિવિલ લાવતા મૃત જાહેર કરાઈ હતી. આવાસમાં વારંવાર પોપડા પડવાની ઘટના બાદ પણ પાલિકાના અધિકારીઓના પાપે માસુમનો ભોગ લીધો હોવાનો પરિવારે આરોપ લગાડ્યો છે. માતા-પિતાને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ પણ દીકરીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. રવિવારની મધરાત્રે બનેલી ઘટના બાદ આવાસના લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.
મળતી વિગતો પ્રમાણે, રવિવારે રાત્રે ભોજન બાદ પરિવાર સૂઈ ગયો હતો. અચાનક ભેસ્તાન સરસ્વતી આવાસની એક બિલ્ડિંગના મકાનની છતના પોપડા ધડાકાભેર તૂટી પડતા માતા-પિતા અને માસુમ બાળકી ગંભીર રીતે ઘવાયા હતા. તમામને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સિયાને મૃત જાહેર કરાઈ હતી.
સિયાના પિતા ટેમ્પો ચાલક હોવાનું અને માતા ગૃહિણી હોવાનું જાણવા મળ્યું છે. આ પરિવાર મૂળ એમપીનો છે અને સુરત ખાતે રહે છે. પોપડા પડતા હોવાની વારંવાર પાલિકાને જાણ કરાઈ છે છતાં કોઈ રિપેરીંગ કરતા નથી.
રૂપાણી સરકારના મંત્રીમંડળના વિસ્તરણને લઈને શું આવ્યા મોટા સમચાર? જાણો વિગત
ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ અને આપ દ્વારા કવાયત હાથ ધરી દેવામાં આવી છે, ત્યારે થોડા સમય પહેલા જ એવા અહેવાલો વહેતા થયા હતા કે, રૂપાણી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે તેમજ બોર્ડ નિગમોમાં નિમણૂકો કરવામાં આવશે. જોકે, આજે ખૂદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે.
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, મંત્રી મંડળની વાત માત્ર હવા છે. મંત્રીમંડળની વિસ્તરણની કોઈ વાત નથી. કોઈ બાર્ડ નિગમની વાત નથી.
June 20, 2021 at 10:20PM surat
Technosv2018
June 21, 2021
સુરતઃ સુરતમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં સ્પામાં જલસા કરવા ગયેલા યુવકની પાછળ પાછળ તેની પત્નિ પણ પહોંચી ગઈ હતી. પત્નિએ સ્પાનું શટર ખખડાવીને પતિને બહાર લાવવા પ્રયત્ન કર્યો હતો પણ પતિ બહાર ના આવતાં પત્નિએ પોલીસને ફોન કરીને બોલાવી લીધી હતી. પોલીસે સ્પાનું શટર ખોલાવતાં પતિ અંદર બેસીને દારૂની પાર્ટી કરતો હોવાનું બહાર આવ્યું હતું. ગુરુવારે મોડીરાતે વેસુમાં સફલ સ્ક્વેરમાં ચોથા માળે આવેલા સ્પામાં આ ઘટના બની હતી ને પોલીસ દોડી આવી હતી. અલ્યુર સ્પામાં બહારથી શટર બંધ કર્યું હતું તેથી પત્નિએ પોલીસને ફોન કરવો પડ્યો હતો.
આ ઘટનાની વિગત એવી છે કે, યુવક જલસા કરવા સ્પામાં ગયો છે એવી પત્નિને ખબર પડતાં પત્નિ સ્પા પર પહોંચી હતી. પત્નીએ સ્પાનું શટર ખોલવા ઘણા પ્રયત્નો કર્યા છતાં ખોલ્યું ન હતું. પછી મહિલાએ 100 નંબર પર કોલ કરી પોલીસને જાણ કરી હતી.
ઉમરા પોલીસની પીસીઆર વાન ત્યાં આવી પહોંચી હતી. પોલીસ આવી છતાં પણ સ્પાનું શટર ખોલ્યું ન હતું. થોડી રાહ જોયા પછી પોલીસ યુવતીને સવારે કાર્યવાહી કરવાની વાત કરી નીકળી ગઈ હતી. જો કે યુવતી ત્યાં ઉભી રહી હતી અને તેણે ઉચ્ચ પોલીસ અધિકારીને ફોન કર્યો હતો. તેના કારણે ઉમરા પોલીસનો સ્ટાફ પાછો ત્યાં દોડી આવ્યો હતો. પોલીસે શટર તોડવાની વાત કરતા યુવતીના પતિ સહિત 3 જણા મળી આવ્યા હતા. સ્પાના એક સંચાલકે તો શટર ન ખોલતા હોવા અંગે પોલીસે પૂછ્યું તો તેણે પોતે ઘરે હોવાનું જૂઠાણું ચલાવ્યું હતું.
જો કે પોલીસે તેને પણ સ્પામાંથી પકડ્યો હતો. ઉમરા પોલીસે યુવતીના પતિ રાજેશ રઘુવીર સિંહ (રહે, આકાશ પૃથ્વી, વડોદગામ)ને સ્પામાંથી નશાની હાલતમાં પકડી પાડી કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત મોડી રાતે સ્પા ચલાવતા કનૈયા માળી અને હસમુખ ગણાતા(બન્ને રહે, સારસ્વત નગર, પીપલોદ)ને ઉમરા પોલીસે જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરી છે.
June 20, 2021 at 09:43PM surat
Technosv2018
June 21, 2021
સુરતઃ માંગરોળમાં ભાજપના પુત્રનું કારસ્તાન સામે આવ્યું છે. માંગરોળના તરસાડી ભાજપ આગેવાન કિશોરસિંહ કોસાડા સહિત ૬ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પુત્ર અમિતે સસરા પાસેથી ઉછીનાં રૂપિયા લીધા, બાદ પત્નીને માર મારી અન્ય યુવતી સાથે પણ અનૈતિક સંબંધો બાંધ્યા હતા.
પુત્ર અમિત સસરા પાસે વિવિધ કારણો આપી રૂપિયાની માંગણી કરતો હતો. મારઝૂડ કરી ઘરમાં પુરી દેતા પત્નીએ મહિલા હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરી હતી. પત્ની દેવયાનીની ફરિયાદ બાદ કોસંબા પોલીસે પતિ સહી ૬ સાસરિયા સામે ગુનો નોંધ્યો છે.
Surat : રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી 9 વર્ષીય બાળકીની નહેરમાંથી મળી લાશ, પરિવાર શોકમાં ગરકાવ
સુરત: સાયણ ગોથાણ ભક્તિધારા વિસ્તારની ભેદી રીતે ગુમ થયેલી 9 વર્ષની બાળકીની નહેરમાંથી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. 9 વર્ષ ની માસૂમ અન્ય બાળકો જોડે રમી રહી જતી ત્યારે નહેરમાં પડી તણાઈ હતી. માસૂમનો મૃતદેહ ઓલપાડ તાલુકાના શેરડી ગામે મળી આવ્યો છે. ગુમ થયાના 24 કલાક પછી બાલકીની લાશ મળી આવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આજે વડોદરામાં કરજણના સાસરોદના એક પુરુષનો મૃતદેહ મળ્યો છે. શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે. મારૂતિ હોટેલ નજીક મોટી કેનાલ પાસે સાસરોદ ના યાકુબભાઈ પિરિયા નો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં મળ્યો છે. કરજણ પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી ગઈ. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ મર્ડર થયાનું અનુમાન છે. કરજણ પોલીસ દ્વારા મૃતદેહને pm કરાવી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Navsari : મુંબઈની યુવતી સાથે શરીરસુખ માણવા યુવકે દલાલ સાથે કર્યો સોદો, ફ્લેટમાં મજા માણવા જવાનું કહ્યું ને પછી......
નવસારીઃ શહેરના વિરાવળ વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં આવેલા કૂટણખાના પર પોલીસે રેડ પાડીને ગ્રાહક અને દલાલને ઝડપી પાડ્યા છે. જ્યારે સુરતનો મુખ્ય દલાલને વોન્ટેડ જાહેર કરાયો છે. નવસારી એસઓજીએ રેકેટ પકડી પાડ્યું હતું. આરોપીઓને નવસારી ગ્રામ્ય પોલીસને સોંપી દેવામાં આવ્યા છે.
આ અંગેની વિગતો એવી છે કે, નવસારી એસઓજીને બાતમી મળી હતી કે, શહેરના વિરાવળ વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં મુંબઈથી યુવતી બોલાવીને દેહવ્યાપાર કરાવવામાં આવે છે. એપાર્ટમેન્ટમાં ફ્લેટ ભાડે રાખી એક મહિનાથી દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હોવાની બાતમી મળી હતી.
પોલીસને એવી પણ બાતમી મળી હતી કે, નવસારીનો શખ્સ દેહવ્યાપારનો ધંધો કરે છે. જે સુરતના દલાલના સંપર્કથી મુંબઈની યુવતીને દેહવ્યાપાર માટે નવસારી બોલાવાતી હતી. પોલીસે છટકુ ગોઠવીને બનાવટી ગ્રાહક મોકલ્યો હતો. બનાવટી ગ્રાહકનો ઇશારો મળતાં જ પોલીસે રેડ કરી હતી. જેમાં એક ગ્રાહક અને એક દલાલને પોલીસે ઝડપી પાડ્યા હતા. ગ્રામ્ય પોલીસે આરોપીઓને તાબામાં લઇ કોવિડ ગાઈડ લાઈન મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
June 20, 2021 at 09:31PM surat
Technosv2018
June 21, 2021
Technosv2018
June 21, 2021
Technosv2018
June 20, 2021
સુરતમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઇ હતી. ગોલવાડ વિસ્તારમાં ચાર માળની ઈમારત ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. કાટમાળમાં દબાયેલ એક યુવકને બહાર કાઢવામાં આવ્યો અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફાયર વિભાગની ટીમ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.
June 20, 2021 at 05:23AM surat
Technosv2018
June 20, 2021
સુરતમાં ભાજપને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા તારવાડી વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા અનેક કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે. અડાજણ રાંદેરમાંથી 400 કરતાં વધુ ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાયા હતા.
[tw]https://twitter.com/AAPGujarat/status/1406567249683513348[/tw]
અડાજણ રાંદેર વિસ્તારએ ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. પરંતુ આજે અલગ અલગ સોસાયટીઓના પ્રતિનિધિઓ દ્વારા આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લેતા ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પણ ખળભળાટ મચી ગયો છે. કારણ કે જે વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું સંગઠન ખૂબ જ નબળું છે તે વિસ્તારમાં પણ હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે.
પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાની હાજરીમાં આજે આમ આદમી પાર્ટીમાં ભાજપના કેટલાક અગ્રણીઓ જોડાયા હતા. છેલ્લા દોઢ મહિનામાં સુરત શહેર ભારતીય જનતા પાર્ટીમાંથી કુલ 1000 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. 12 દિવસ પહેલા કામરેજ વિધાનસભા મતવિસ્તારમાંથી 200 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
આટલા મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ આપમાં જતા સુરત ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. આ વિસ્તારમાં ભાજપનું માળખું ખુબ જ મજબુત માનવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે, કાર્યકર્તાઓનાં અનુસાર કોરોના કાળ દરમિયાન સરકાર અને તંત્ર સંપુર્ણ નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. જેના કારણે સ્થાનિક જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
14 જૂને દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમની હાજરીમાં પત્રકાર ઇસુદાન ગઢવી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અરવિંદ કેજરીવાલે ખેસ પહેરાવી અને બુકે આપી તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ઇસુદાન ગુજરાતના કેજરીવાલ છે. આઝાદીની લડાઈમાં ગુજરાતનું મોટું યોગદાન છે. રજવાડામાં વહેંચાયેલા દેશને સરદાર પટેલે મહેનત કરીને એક કર્યો. છેલ્લા 75 વર્ષમાં ભાજપ અને કોંગ્રેસે દેશની હાલત બગાડી છે. છેલ્લા 27 વર્ષમાં ભાજપ- કોંગ્રેસની દોસ્તીની સરકાર છે. જ્યારે ભાજપને જરૂર હોય ત્યારે કોંગ્રેસ માલ સપ્લાય કરે છે. ગુજરાતના લોકો, વેપારીઓ ડરેલા છે. ચેમ્બરમાં મારો કાર્યક્રમ યોજાયો હતો જે, સત્તાપક્ષે રદ્દ કરાવ્યો હતો. કોરોનાકાળમાં ગુજરાતને અનાથ તરીકે છોડી દેવામાં આવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો પાસે વિકલ્પ ન રહ્યો હતો. હવે ગુજરાતના લોકોને એક સમર્થ વિકલ્પ મળશે. હવે બદલાશે ગુજરાત. આપ તમામ બેઠક પર વિધાનસભા ચૂંટણી લડશે. શિક્ષણ, આરોગ્ય મુદ્દે આપ ચૂંટણી લડશે. દિલ્લી મોડલ ગુજરાતનું મોડલ ન હોઈ શકે. દરેક રાજ્યની અલગ અલગ સમસ્યા હોય છે. અમે કોઈ પક્ષ કે વ્યક્તિ, નેતાની વિરુદ્ધ નથી.
June 20, 2021 at 05:22AM surat
Technosv2018
June 20, 2021
સુરતમાં એક બાદ એક રાત્રી કર્ફ્યૂના ભંગ અને જાહેરમાં બર્થડેની ઉજવણીના વીડિયો વાયરલ થઇ રહ્યા છે. સુરતમાં ધાસતીપુરા વિસ્તારમા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ જન્મદિવસની ઉજવણી કરી હતી. જન્મદિવસની ઉજવણીમાં કોવિડના નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. બંટી નામના યુવકના જન્મદિવસની પાર્ટી કરવામાં આવી હતી. પાર્ટીમાં દારૂની બોટલ સાથે પણ અમુક શખ્સો જોવા મળ્યા હતા.
June 20, 2021 at 04:37AM surat
Technosv2018
June 20, 2021
સુરતમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટનામાં મેયરની બિનજરૂરી બહાદુરી ચર્ચામાં આવી છે. મેયર હેમાલી બોઘાવાલાકોઈ પણ પ્રકારની તાલીમ વગર સીડી પર ચઢીને ફ્લેટના લોકોની કિંમત વસ્તુ પાછી લાવવા જીવ જોખમમાં મૂક્યો હતો. સુરતમાં 4 માળનું મકાન ધરાશાયી થયું હતું.
June 20, 2021 at 04:19AM surat
Technosv2018
June 20, 2021
નિયંત્રણોમાં છૂટ મળતા જ લોકો બેદરકાર થયા છે. સુરતના આનંદ મહેલ રોડ પર લોકોની ભીડ જોવા મળી હતી. રવિવારની રજા પર લોકો ખાણીપીણી બજાર પર ઉમટી પડ્યા હતા અને કોવિડના નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. નાગરિકોની સાથે વેપારીઓ પણ નિયમોનું પાલન નથી કરી રહ્યા..માસ્ક વિના જ વેપારીઓ જોવા મળી રહ્યા હતા.
June 20, 2021 at 02:31AM surat
Technosv2018
June 20, 2021
સુરત(Surat) જિલ્લાના પલસાણા(Palsana)માં જોળવા ચોકડી પાસે કારમાં આગ લાગી છે. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.પ્રાથમિક માહિતી પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. દુર્ઘટનામાં મોટી જાનહાની ટળી છે.
June 20, 2021 at 01:52AM surat
Technosv2018
June 20, 2021
સુરત(Surat)માં કોરોના(Corona)નું સંક્રમણ(Transition) ઘટતા તબક્કાવાર હવે બસ(Bus) સેવા(Service) શરૂ કરવામાં આવી છે. સિટી બસ સેવાના નવા 43 રૂટ શરૂ કરવામાં આવ્યા છે. 50 ટકા મુસાફરોની ક્ષમતા સાથે સિટી બસ દોડી રહી છે.
June 19, 2021 at 11:48PM surat
Technosv2018
June 20, 2021
ભાજપ ધારાસભ્ય હર્ષ સંઘવીએ કોરોનાના નિયમો તોડ્યા હતા. સમર્થકો અને સ્થાનિક નેતાઓ સાથે માસ્ક વગર ફોટો પડાવી હર્ષ સંઘવીએ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. તેઓ માસ્ક વગર સુરત કોર્પોરેશનના ભાજપના સ્થાનિક નેતાઓ સાથે મુલાકાત કરી હતી
June 19, 2021 at 11:30PM surat
Technosv2018
June 20, 2021
સુરતમાં જન્મદિવસની ઉજવણીનો વધુ એક વિડિયો વાયરલ થયો છે. પલસાણા તાલુકાના ચલથાણ ખાતેના ભરત નગરના બાબુભાઈ સરદારના બર્થ પાર્ટીનો વીડિયો વાયરલ થયો છે જેમાં કોવિડના નિયમોના ધજાગરા ઉડ્યા હતા. રાત્રિ દરમિયાન લોકોને ભેગા કરી જાહેરમાં 4 કેક કાપી જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. જાહેરમાં બર્થડે કેક કાપવા સમયે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન નહોતું કરાયું
June 19, 2021 at 05:19AM surat
Technosv2018
June 19, 2021
સુરતમાં ભાજપ નેતાએ કોરોના નિયમના ધજાગરા ઉડાવ્યા. ભાજપ અગ્રણી રાજકુમાર સિંહે દીકરીના જન્મ દિવસની જાહેરમાં ઉજવણી કરી હતી. માસ્ક અને સોશલ ડિસ્ટન્સ નેવે મુકાયું હતું. બુટલેગર, કોર્પોરેટર અને હવે નેતાઓ પણ ગાઈડ લાઇનની અવગણના કરી રહ્યા છે.
June 19, 2021 at 02:23AM surat
Technosv2018
June 19, 2021
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થશે તેને લઇને ધબકારના તંત્રી પરેશ વરિયાએ કહ્યું કે, AAP વિઝન સાથે ઉતરી છે. આપ નેતાનો ચહેરો લઇને પ્રવેશ કરી રહી છે. 2022ની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થશે. ગુજરાત ગાર્ડિયનના તંત્રી મનોજ મિસ્ત્રીએ કહ્યું કે, ગુજરાતમાં આપ મજબૂતીથી ચૂંટણી લડશે. શંકરસિંહ વાઘેલાને (Shankarsinh Vaghela) લઇને તેમણે કહ્યું કે પહેલા જેવું પરિણામ મેળવવું બાપુ માટે મુશ્કેલ છે.
June 19, 2021 at 01:22AM surat
Technosv2018
June 19, 2021
સુરત સુમુલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. પરિવહન મોઘું થતાં દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો કરાયો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ વધતાં દૂધના પણ ભાવ વધી ગયા છે.
June 19, 2021 at 12:27AM surat
Technosv2018
June 19, 2021
સુરત: આમ આદમી પાર્ટીના નગરસેવક ધર્મેશ વાવલિયાએ પાલિકા અધિકારીઓ દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. વરાછા ઝોનના કાર્યપાલક એન્જિનિયર અમિત દેસાઈ જનતાના કામ કરવાને બદલે દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ લગાવાયો છે. AAPના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલીયા અને પાલિકા અધિકારી અમિત દેસાઈ વચ્ચે તુતુ મેમે થઈ ગઈ હતી.
June 18, 2021 at 11:14PM surat
Technosv2018
June 19, 2021
સુરત: આમ આદમી પાર્ટીના નગરસેવક ધર્મેશ વાવલિયાએ પાલિકા અધિકારીઓ દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. વરાછા ઝોનના કાર્યપાલક એન્જિનિયર અમિત દેસાઈ જનતાના કામ કરવાને બદલે દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ લગાવાયો છે. AAPના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલીયા અને પાલિકા અધિકારી અમિત દેસાઈ વચ્ચે તુતુ મેમે થઈ ગઈ હતી.
અધિકારીને રજૂઆત દરમિયાન ધર્મેશ વાવલિયાના સાથીદાર દ્વારા મોબાઇલમાં વીડિયો શૂટિંગ કરાતું હોવાથી અધિકારી બગડ્યા હતા અને શૂટિંગ ન કરવા માટે જણાવ્યું હતું. જોકે, કોર્પોરેટરે શૂટિંગ બંધ ન કરવાનું કહેતા બંને વચ્ચે તુતુ મેમે થઈ ગઈ હતી. તેમજ અધિકારીએ પોલીસ બોલાવવા પણ સ્ટાફને સૂચના આપી દીધી હતી.
સુરત મહાનગરપાલિકામાં પ્રજાલક્ષી કામો કરાવવા માટે કોર્પોરેટર રજુઆત કરવા ગયા હતા. કાપોદ્રા નીલકંઠ સોસાયટીના રસ્તાના રીપેરીંગ કામ માટે રજુઆત કરી હતી. ધર્મેન્દ્ર વાવલીયા દ્વારા તાજેતરમાં જ એ રસ્તાને હેમાલી બોઘાવાલા નામ આપવામાં આવ્યું છે. તે ક્યારે બનશે તે અંગે રજૂઆત કરવા માટે ગયા હતા. ચાર મહિનાથી આ રોડ અંગે અરજી કરવામાં આવી રહી છે , તે પૂર્વે વર્ષોથી સ્થાનિક લોકો દ્વારા પણ આ બાબતે રજૂ કરવામાં આવી હતી. પરંતુ તેમના પ્રશ્નનો ઉકેલ આવ્યો ન હતો.
ચાર મહિના પહેલા આપના કોર્પોરેટર દ્વારા રજૂઆત કરતા તેમણે અરજી કરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ ફરીથી અધિકારીને મળવા જતા તેમણે આ રસ્તાનું રીપેરીંગ કરવામાં આવશે તેના માટે અરજી કરો એવું કહેતા ફરીથી અરજી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળશે તો જ કામ થશે એ પ્રકારની વાતો પાલિકા અધિકારી એ કરી હતી.
June 18, 2021 at 10:05PM surat
Technosv2018
June 19, 2021
પરિવહન ખર્ચ વધતા સુરત સુમુલે હવે દૂધના ભાવમાં વધારો કર્યો છે. સુમુલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયા સુધીનો વધારો કર્યો છે. સુમુલના ગોલ્ડ, તાજા સ્લિમ અને ટ્રિમ દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. સુમુલ ગોલ્ડ દૂધ હવે પ્રતિ લિટરે 60 રૂપિયામાં વેંચાશે. તો તાજા દુધની કિંમત નવા ભાવ વધારા સાથે પ્રતિ લિટરે 46 રૂપિયા પર પહોંચી ગયો છે.. સુમુલ ગાયનું દૂધ હવે પ્રતિ લિટરે 48 રૂપિયામાં વેંચાશે
June 18, 2021 at 09:25PM surat
Technosv2018
June 19, 2021